એક બોમ્બના પ્રતાપે .. 
જીવતા ભૂંજાયેલા, 
ક્ષત-વિક્ષત દટાયેલા, 
નિર્દોષ મરાયેલા
આબાલવૃદ્ધો. 
લાશોના ઢગલા બની, 
સામૂહિક દફનાવાયેલાં
ઊંચી ઇમારતના રહીશો .. 
હવે …
દૂર કોઈ જીવતા સ્વજન, 
કે 
બચી ગયેલા સ્વજનના
પેઢીનામામાં
ચિતરાશે
ફકત
'મરણ'
નોંધ સાથે …
(કૈંકનો તો કયાં ય ઉલ્લેખ પણ નહીં જોવા મળે)
એ નોંધમાં
લખાયેલું નહીં હોય … 
યુદ્ધમાં …. 
હા, 
આપણે સર્જવા પડશે
નવા
હિરોશિમા ..
નાગાસાકી … 
29/5/2022
e.mail : naranmakwana20@gmail.com
 

