માંડ અઠ્ઠાવીસ વરસની આવરદા ધરાવતું નવજવાન ‘નેશનલ હ્યુમન રાઈટસ કમિશન’, માનવ અધિકારોના જતનની બાબતમાં મરિયલ ભાસે છે.
જાહેર વૈશ્વિક મૂલ્ય ધરાવતાં માનવ અધિકારોનું ભારતમાં જતન થાય છે, કે તે ઉપેક્ષિત છે ? માનવ અધિકારોના ભંગથી પીડિત નાગરિક અને સરકાર વચ્ચે ઊભેલા, માનવ અધિકારોની સુરક્ષાની બંધારણીય પ્રતિબદ્ધતા સ્થાપવા રચાયેલા, ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ના અધ્યક્ષ જ સરકારના તરફદારની જેમ વર્તે તો માનવ અધિકારનું રક્ષણ કોણ કરશે તેની વિમાસણ થાય છે. તાજેતરમાં ‘નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન’ના ચેરપર્સન, સુપ્રીમકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અરુણકુમાર મિશ્રાએ, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની હાજરીમાં સરકારની ભાટાઈ કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય શક્તિઓના ઈશારે સરકાર પર માનવ અધિકારોના ભંગના જૂઠા આરોપો લગાવાતા હોવાનું જણાવી જમ્મુ-કશ્મીર અને નોર્થ ઈસ્ટમાં શાંતિના યુગની સ્થાપનાનું શ્રેય કેન્દ્રીય ગૃહ મંત્રીને આપ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રસંઘે પેરિસ સિદ્ધાન્તને અનુસરીને દુનિયાભરમાં માનવ અધિકારોના રક્ષણ માટે માનવ અધિકાર પંચોની રચના કરાવી હતી. તેને કારણે ૧૯૯૩માં જ ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના થઈ હતી. માનવ અધિકારોના જતનની બાબતમાં માંડ અઠ્ઠાવીસ વરસની આવરદા ધરાવતા નેશનલ હ્યુમન રાઈટસ કમિશનની ભૂમિકા ભર જુવાનીમાં મરિયલ ભાસે છે. શાયદ એટલે જ આ બંધારણીય નહીં પણ કાનૂની સંસ્થાને સર્વોચ્ચ અદાલતે ટૂથલૈસ ટાઈગર કહી છે.
ભારતીય નાગરિકના જીવનની સ્વતંત્રતા, સમાનતા અને સન્માન સાથે જોડાયેલા અધિકારોનું હનન થાય તો તેની તપાસ કરવાનું કામ માનવ અધિકાર પંચનું છે. સત્તાવાર કહેવાયું છે તેમ છેલ્લા અઠ્ઠાવીસ વરસોમાં તેણે માનવ અધિકાર ભંગના વીસ લાખ કેસોનું નિરાકરણ કર્યું છે; માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કલમ ૧૮ હેઠળ પંચને પીડિતને વળતર આપવાની તેને સત્તા મળી છે. અને તેણે રૂ. ૨૦૫ કરોડના વળતરની ભલામણો કરી છે. પરંતુ આયોગની ભલામણો સરકારને બાધ્ય નથી. આયોગને મળેલા સિવિલ કોર્ટના અધિકાર અને તેની સમક્ષની ન્યાયિક કાર્યવાહી દેખાડાની તેમ જ કાગળ પર જ રૂપાળી લાગે છે.
માનવ અધિકારના રક્ષણની કામગીરી જેના માથે છે તે પોલીસ સામે જ કાયમ સૌથી વધુ માનવ અધિકાર ભંગની ફરિયાદો થાય છે. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો’ના અહેવાલ મુજબ છેલ્લા દસ વરસોમાં પોલીસ વિરુદ્ધ વાર્ષિક ૪૭.૨ ટકાના દરે માનવ અધિકાર ભંગના અપરાધિક મામલા નોંધાય છે. ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન પોલીસ કસ્ટડીમાં દર વરસે સરેરાશ સો લોકોના મોત થાય છે. ‘જેલ નહીં બેલ’ના નિયમ અને જામીનના અધિકાર છતાં જેલોમાં ૩.૫ લાખ કાચા કામના કેદીઓ છે અને તે પૈકી ૭૦ ટકા વિચારાધીન કે સજા કરતાં વધુ સમયથી જેલમાં છે. માર્ચ ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોલીસ ગોળીબારની ૮,૪૭૨ ઘટનાઓ બની હતી. તેમાં ૧૪૬ લોકોના મોત અને ૩,૩૦૨ ઘાયલ થયા હતા.
પોલીસ આત્મરક્ષામાં ગુનેગારોને મારી નાંખવા મજબૂર બને છે તેમ જેના માટે કહેવાય છે તે પોલીસ એન્કાઉન્ટરની ઘટનાઓ માનવ અધિકારોનાં હનનનું વરવું રૂપ છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ મદન લોકુર તેને કોલ્ડ બ્લડેડ મર્ડર કહે છે. ‘સેન્ટર ફોર ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ એન્ડ રિસર્ચ’નો, માર્ચ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના એક વરસમાં પશ્ચિમ યુ.પીની પોલીસ મૂઠભેડના સત્તર બનાવોનો અભ્યાસ, આંખ ઉઘાડનારો છે. આ ૧૭ એન્કાઉન્ટરમાં ૧૮ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ૧૭ લઘુમતી સમુદાયના અને ૧ બહુમતી સમુદાયના હતા. પોલીસ જેને સ્વબચાવમાં મોત નિપજાવ્યાનું ગણાવે છે તે એટલે પણ ખોટું ઠરે તેમ છે કે આ ૧૭ મામલામાં ૨૮૦ પોલીસ અધિકારી-કર્મચારી સામેલ હતા. તેમાંથી માત્ર ૨૦ જ ઘાયલ થયા હતા અને તે પૈકી ૧૫ને તો સાવ મામૂલી ઈજાઓ થઈ હતી. આ ૧૭માંથી ૧૪ એન્કાઉન્ટરની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની તપાસ પૂર્ણ થઈ હતી અને તેને માત્ર એક જ મૂઠભેડ નકલી લાગી છે !
ભારત માનવ અધિકારના જતન, રક્ષણ, સંવર્ધનનો ઉજળો ઇતિહાસ ધરાવે છે. દક્ષિણ આફ્રિકાના રંગભેદ સામે લડવા તેણે જ દુનિયાને તૈયાર કરી હતી. હાલમાં તેણે જ અફઘાનિસ્તાનની વર્તમાન હાલત અંગે ચર્ચાની પહેલ કરી છે. ૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવ અધિકાર ઘોષણાઓ અને ૧૯૯૩માંના ‘ઈન્ટરનેશનલ બિલ ઓફ રાઈટસ’ના ઘડતરમાં ભારતનો સિંહફાળો છે. બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ, તિબેટના દલાઈ લામાની લડત, શ્રીલંકામાં તમિળોના અધિકારો માટે ભારત અગ્રેસર રહ્યું છે. એટલે તે ઘર આંગણે માનવ અધિકારની બાબતમાં પાછળ કેમ રહે છે તે સવાલ છે. રાજકીય હસ્તક્ષેપને લીધે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કમિશને ભારતના નેશનલ હ્યુમન રાઈટસ કમિશનના ગુણાંક ૨૦૧૬માં ઘટાડ્યા હતા. જો કે ૨૦૧૭માં પછી તે સુધર્યા હતા તે આશ્વસ્ત કરે છે. એ જ રીતે ભારતીય ફોજદારી ધારા હેઠળ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ગુનાઓ વધ્યા છે પણ ધરપકડો ઘટી છે. ભારતે માનવ અધિકારના રક્ષણ ક્ષેત્રે તેની આ સિદ્ધિ જાળવી રાખવાની છે.
નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનની દંતનહોરવિહીન ભૂમિકા છતાં તેણે કેટલુંક ઉત્તમ કામ કર્યું છે. જુદા જુદા વિષયોની આયોગની બાવીસ માર્ગદર્શિકાઓ માનવ અધિકારના સંરક્ષણ માટે મહત્ત્વની બની છે. પરંતુ તેની પાસે ઘણી વધારે અપેક્ષા રહે છે. આયોગ સમક્ષના દસ કામોમાંથી એક જ ન્યાયને લગતું છે પરંતુ તે જ મુખ્ય બની ગયું છે. આયોગના પ્રતિનિયુક્તિ પરના પોલીસ અધિકારીઓ માનવ અધિકાર ભંગના મામલાની તપાસમાં તેમના વ્યવસાયી લોકો પ્રત્યે નિષ્ઠા કે ઉદારતા રાખતા હોવાનું બને છે. આયોગ પણ માનવ અધિકાર ભંગની તપાસ સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓ પાસે જ કરાવે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચનામાં વિપક્ષનો અવાજ સંભળાતો નથી કેમ કે આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટેની સમિતિમાં સત્તાપક્ષના સભ્યોની બહુમતી છે. માનવ અધિકાર ભંગના કેસોમાં સરકાર કશી કાર્યવાહી ન કરે તો આયોગને સ્વતંત્ર તપાસનો અધિકાર કાયદા થકી મળ્યો છે, પણ તેનો કદી અમલ થતો નથી. જો આયોગની રચના, કામગીરી અને સત્તામાં સુધારા થાય તો માનવ અધિકારોનું વધુ સારી રીતે જતન થઈ શકે તેમ છે.
અદાલતોએ માનવ અધિકાર ભંગની બાબતમાં ઘણા પ્રગતિશીલ ચુકાદા આપ્યા છે. મૂળભૂત અધિકારો બંધારણથી મળ્યા છે પણ માનવ અધિકારો તો જન્મથી જ મળે છે. કાયદા સમક્ષની સમાનતા છતાં કાયદાનો અમલ અસમાન રીતે થાય છે તેમ માનવ અધિકારો સમાન હોવા છતાં નબળાઓના જ માનવ અધિકારોનું વધુ હનન થાય છે. એટલે પણ તેની જાળવણી અનિવાર્ય છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


અમેરિકાના બોસ્ટનમાં વસતા એક ગુજરાતી વડીલજન ભારે હરખથી ત્યાંના એડલ્ટ ડે કેર સેન્ટર વિશે વાત કરતા હતા. પાંસઠ વરસથી વધુ વયના, સંભાળની જરૂર હોય અને દિવસ દરમિયાન ઘરે એકલા હોય તેવા વૃદ્ધોને સરકાર સહાયિત વૃદ્ધજન કેન્દ્રોની આઠેક કલાક સેવાશુશ્રૂષા મળે છે. રોજ સવારે સાડા સાતે તેમને ઘરેથી વાહનમાં લઈ જવામાં આવે છે. ચા-નાસ્તો, બપોરનું ખાણું, હળવી કસરત, પ્રાર્થના, આનંદ અને આરામની સગવડ, આરોગ્યની તપાસ સાથે તેમની સતત દેખરેખ રખાય છે. મોડી બપોરે તેમને કાળજીપૂર્વક ઘરે પણ મૂકી જાય છે. રોજના વ્યક્તિદીઠ આશરે સિત્તેર ડોલરના સરકાર સહાયિત આ એડલ્ટ ડે કેર સેન્ટરનો જેમને લાભ મળ્યો છે તે વડીલમિત્રને આ સુવિધા પંચતારક હોટલ કે સ્વર્ગ જેવી લાગે છે. મૂડીવાદી અમેરિકાના કેટલાક રાજ્યોમાં વૃદ્ધોની સંભાળ માટેના આ સરકારી પ્રયત્નોની કલ્યાણ રાજ્ય અને સામાજિક સુરક્ષાના બણગા ફૂંકતા લોકશાહી ભારતમાં કલ્પના પણ થઈ શકે તેમ નથી.
નેવું કરતાં વધુ વરસના પૂર્ણાયુષ્યે, લીલીવાડી ભોગવીને અને મૂકીને, મા ગઈ. સંસારનો ધારો તો આવા મૃત્યુનો શોક ન કરવાનો છે. પણ માના મૃત્યુ વખતે તો આંસુનો સમંદર વહ્યો હતો. વિશાળ મહેરિયા – પરિવારની ચાર પેઢી મા વિના નોંધારી થઈ ગઈ હોવાનો માહોલ હતો. દીકરીઓ-દીકરાઓના તો ઠીક, વહુઓનાં આંસુ પણ રોકાતાં નહોતાં. સૌથી મોટાં વિધવા ભાભી, દાયકા પહેલાં મોટાભાઈ સત્તાવન વરસના હતા અને અપમૃત્યુથી મૃત્યુ પામ્યાં ત્યારે ય, આટલું નહોતાં રડતાં જેટલું મા પાછળ રડતાં હતાં. કહે, “મા તો મા જ હતાં. આવાં મા બીજાં ન હોય.” દક્ષાભાભી પંદર-સોળની વયે પરણીને આવેલાં. લગ્ન પછીનાં તુરતનાં વરસોમાં મા સાથે સૌથી વધુ રિસામણાં-મનામણાં એમનાં ચાલેલાં, પણ એમના અવિરત આંસુ એટલે હતાં કે એમની જનેતા સાથે તો એ માંડ પંદર વરસ જ રહેલાં, બાકી તો પચીસ વરસથી એ મા સાથે હતાં. મા કોરોનાગ્રસ્ત થઈ ત્યારથી જ મારું રડવાનું ચાલતું હતું, પણ જે છાના ખૂણે કે રાતના અંધારામાં હતું, તે હવે બધા બંધ તૂટીને વહેતું હતું. જિંદગીમાં આટલું તો ના કદી રડ્યો છું કે ના રડવાનો છું.
જરૂરિયાતો પૂરી કરી. ડૉક્ટરોના માની સારવારના ફોન અને સારા થઈ રહ્યાંનાં અશ્વાસનો આવતાં હતાં. વીડિયોકૉલથી રોજ મા સાથે નાની બહેન અંજુ અને બીજાની વાત થતી. માનાં નિયમિત હેલ્થ-બુલેટિનો પણ મળતાં રહેતાં. એમ કરતાં-કરતાં બાવીસ દિવસો વહી ગયા. માને એકેય વાર વૅન્ટિલેટર પર નહોતી રાખવી પડી અને હવે તો રૂમ ઍર પર રહેતી હતી, એટલે ગમે ત્યારે ડિસ્ચાર્જ મળી જશે એમ લાગતું હતું.