નર્સિંગની નાયિકા ફ્લૉરેન્સ નાઇટિંગેલની જન્મ દ્વિશતાબ્દી
નર્સિગનાં સેવાક્ષેત્રનો મહામૂલો વારસો આપી જનાર ફ્લૉરેન્સ નાઇટિંગલ(12 મે, 1820)નાં જન્મને બસો વર્ષ થયાં છે. ફ્લૉરેન્સનો જન્મદિન ‘ઇન્ટરનેશનલ નર્સિસ ડે’ તરીકે ઉજવાય છે. નર્સિંગના ક્ષેત્રમાં તેમણે કરેલાં કાર્યની નોંધ ગાંધીજીએ પણ લીધી હતી. ગાંધીજીનાં શબ્દોમાં વાંચીએ ફ્લૉરેન્સનું સેવાકાર્ય ….
“… 1851ની સાલમાં જ્યારે ક્રિમિયાની ભારે લડાઈ થઈ ત્યારે બ્રિટિશ સરકાર ધારા મુજબ ઊંઘતી હતી. કંઈ તૈયારી ન હતી. અને જેમ બોઅરની લડાઈમાં થયું તેમ ક્રિમિયાની લડાઈમાં પણ શરૂઆતમાં ભૂલો કરી સજ્જડ હાર ખાધેલી. આજે જેટલાં સાધનો જખમી માણસોની સારવાર કરવાનાં છે તેટલાં આજથી 50 વર્ષ ઉપર ન હતાં. આજે જેટલા માણસો મદદ કરવા નીકળે છે તેટલા તે વખતે ન હતા. શસ્ત્રવિદ્યાનું જોર આજ છે તેટલું તે વખતે ન હતું. ઘાયલ માણસોને મદદ કરવા જવામાં પુણ્ય છે, તે દયાનું કામ છે, એવું સમજનારા તે વેળા થોડા માણસ હતા. એવે વખતે આ બાઈ ફ્લૉરેન્સ નાઇટિંગેલ કેમ જાણે ફિરસ્તો થઈ ઊતરી ન હોય એવાં તેણે કામ કર્યાં! સોલ્જરો દુઃખી થાય છે એ તેણે જાણ્યું; ત્યારે તેનું હૃદય ભેદાયું.
પોતે મોટા કુળની પૈસાદાર બાઈ હતી. પોતાના એશઆરામ છોડી પોતે દરદીઓની સારવાર કરવા ચાલી નીકળી પડી. તેની પછવાડે બીજી ઘણી બાઈઓ ગઈ. પોતે 1854ના ઑક્ટોબરની 21મી તારીખે નીકળી પડી. ઇંકરમેનની લડાઈમાં તેણે સજ્જડ મદદ કરી. આ વખતે જખમીઓને ન હતાં બિછાનાં, કે ન હતી બીજી સગવડો. આ એક બાઈની દેખરેખ નીચે 10,000 જખમીઓ હતા. તે બાઈ પહોંચી તે વખતે મરણની સંખ્યા સેંકડે 42ની હતી, તેણીના જવા પછી એકદમ 31 ઉપર આવી, ને છેવટે તે સેંકડે 5 સુધી સંખ્યા આવી. આ ચમત્કારી બનાવ છે છતાં સહેજે સમજી શકાય એવો છે. આટલા હજારો ઘાયલ થયેલા માણસોને લોહી ચાલતું અટકાવવામાં આવે, જખમ બાંધવામાં આવે, અને જોઈતો ખોરાક આપવામાં આવે, તો બેશક જાન બચે. માત્ર દયાની અને સારવારની જરૂર હતી તે નાઇટિંગેલે પૂરી પાડી.

એમ કહેવાય છે કે મોટા ને મજબૂત માણસો કામ ન કરી શકે તેટલું નાઇટિંગેલ કરતી. પોતે દહાડોરાત મળી 20 કલાક સુધી કામ કરતી. જ્યારે તેની નીચેની બાઈઓ સૂઈ જતી ત્યારે પોતે એકલી મધ્યરાતે મીણબત્તી લઈ દરદીઓના ખાટલા પાસે જતી, તેઓને આસાએશ આપતી અને જે કંઈ ખોરાક વગેરે જોઈએ તે પોતાને હાથે આપતી. નાઇટિંગલ જ્યાં લડાઈ ચાલતી હતી ત્યાં જતાં પણ ડરતી નહીં, ને જોખમમાં શું છે તે સમજી ન હતી. ભય માત્ર ખુદાનો રાખતી. જ્યારેત્યારે પણ મરવું છે એમ સમજી દુઃખ ઓછું કરવાને ખાતર જે ઈજા ઉઠાવવી પડે તે ઉઠાડતી.
આ બાઈ કદી પરણી ન હતી. પોતાની જિંદગી આવાં સારાં કામોમાં ગાળી. જ્યારે તે મરી ગઈ ત્યારે હજારો સોલ્જરો નાનાં બાળકની માફક પોતાની મા મરી ગઈ હોય તેમ પોકેપોકે રડેલા એમ કહેવાય છે. આવી બાઈઓ જ્યાં પેદા થાય તે દેશ કેમ આબાદ ન હોય!
[इन्डियन ओपीनियन, 9-9-1905માંથી સંપાદિત]
e.mail : kirankapure@gmail.com
![]()


ચીનના વુહાનનાં લેખિકા ફેન્ગ ફેન્ગે (Fang Fang) લૉક ડાઉન દરમિયાન રોજેરોજ ‘વુહાન ડાયરી’ લખીને વિશ્વને સાચી માહિતીથી અવગત કરાવ્યું. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની ડાયરી ચીની ભાષામાં લખાતી હતી અને તેનો ઝડપભેર અંગ્રેજીમાં અનુવાદ યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના પ્રૉફેસર માઇકલ બેરી દ્વારા થયો છે. આ ડાયરી વુહાનમાં લૉક ડાઉન દરમિયાન કેવી સ્થિતિ હતી તેનો ચિતાર આપે છે. ચીનના તંત્ર સામે પડીને લખવાનું હોવાથી તેમાં કેટલોક ભાગ સૅન્સર પણ થયો.
અને યુનાઇટેડ કિંગ્ડમમાં 55,000. અહીં મૃત્યુઆંક 6,000 સુધી પહોંચી ચૂક્યો છે. તમે જ્યારે યુદ્ધના મેદાને હો ત્યારે શાંતિથી વિચારવું તમારા માટે અઘરું છે.”
વાચકો પાસે આજે માહિતી મેળવવાના અમર્યાદિત વિકલ્પો છે; તે ઇચ્છે તે સ્વરૂપમાં માહિતી મેળવી શકે છે. પણ વિકલ્પોની ભરમાર વચ્ચે જ્યારે વાચક વિશ્વસનીય, તટસ્થ અને તાર્કિક કન્ટેન્ટની શોધ આદરે છે, ત્યારે માહિતીના દરિયામાં તે અસહાય દેખાય છે.
नवजीवनની આ સફર આરંભાઈ અને જેમ-જેમ ગાંધીજીના સેવાકાર્યનો યજ્ઞ હિંદુસ્તાનમાં વિસ્તરતો ગયો તેમ नवजीवनનાં પાનાં પર દેશની ઐતિહાસિક ઘટના નોંધાતી રહી. नवजीवनની આ ભૂમિકા ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય લેખાય છે. ગાંધીજી હિંદુસ્તાન આવ્યા ત્યાર બાદ તેમનું માતૃભાષામાં વિપુલ જાહેર લખાણ नवजीवन થકી જ મળ્યું છે. આ કાળમાં ગાંધીજીના ઘડાતા-ઘડાયેલા વિચારોનું પ્રતિબિંબ પણ नवजीवन દ્વારા જ ઝિલાયું છે. यंग इन्डिया, नवजीवनના સમાંતરે અંગ્રેજી ભાષામાં આ જ ભૂમિકા ભજવી રહ્યું હતું.
નવજીવનનો આ ઉદ્દેશનો સાર ત્યાર બાદ પણ તેની બધી જ પ્રવૃત્તિઓમાં રેડાયો છે. પુસ્તકપ્રકાશન ક્ષેત્રે નવજીવનની પ્રવૃત્તિ અનન્ય ઘટના છે, જે અંતર્ગત ગાંધીજી અને તેમના સમકાલીનોનાં પુસ્તકો પ્રકાશિત થયાં. આરંભ અને પછીના સમયમાં નવજીવનને સતત અંગ્રેજ શાસનનું દમન, કાગળની મોંઘવારી અને છાપખાનાની અગવડો રહી, પણ છતાં તેનું કાર્ય વિસ્તરતું ગયું. અને એક સમય એવો આવ્યો જ્યારે ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારની સઘળી જવાબદારી નવજીવનની થઈ. તે સમયનાં મહદંશે ગાંધીજીનાં બધાં જ પુસ્તકો નવજીવન દ્વારા પ્રકાશિત થતાં રહ્યાં. ૧૯૪૦માં તો ગાંધીજીએ પોતાનાં લખાણોના કૉપીરાઇટના તમામ હકોનો વારસો નવજીવનને સોંપ્યો. આમ, નવજીવન આરંભથી લઈને આજ દિન સુધી ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારનું વહન કરી રહ્યું છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત કુલ સોળ ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા નવજીવન પ્રકાશિત કરી ચૂક્યું છે. આ ઉપરાંત, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, જવાહરલાલ નેહરુ, મહાદેવભાઈ દેસાઈ, મેડલિન સ્લૅડ, મણિબહેન પટેલ, સુશીલા નૈય્યર, પ્યારેલાલ સહિત ગાંધી સમકાલીનોનાં પુસ્તકો નવજીવનની મૂડી છે. આઝાદીની લડત અને તે કાળનો અતિ મૂલ્યવાન ઇતિહાસ આમનાં લખાણો થકી સચવાયો છે, જેનું જતન અને નજીવી કિંમતે પ્રચાર-પ્રસાર નવજીવન કરતું આવ્યું છે અને કરતું રહેશે.