નેતાજી અમારા ખૂણો પાળે છે,
મળતા તો નથી જ, મુખેથી ય મૌન પાળે છે !
બાંધી નાકગરણું, અંતર અમારાથી બરાબર જાળવે છે .
હા, સમસ્યાને ઉકેલવા ટ્વિટરથી બાણ છોડે છે !
પ્રગટી પડદે ટીવીના રોજ પ્રશંસાની ફૂવાર છોડે છે.
યુદ્ધ છે, ને યોદ્ધા તમે, લડાઈ તો જીતવી જ પડે,
ખબર છે, નથી રક્ષાકવચ છતાં છેતરાઈને કર્ણ બનવું પડે !
પાનો ચઢાવીને પાડી દીધો, સાતમે કોઠે લાવીને છોડી દીધો ?
નથી જાણ જરીયે ભેદવાને વ્યૂહ છતાં લાલને લડવા ધરી દીધો ?
આવી વાત જવાબદેહીની તો શાપ માથે મઢી દીધો !
વાહ રે ! નેતાજી કિસ્સો કેવો આખોયે આડે પાટે ચઢાવી દીધો !
ભરાઈને ભોંયરે શાને કરો છો છળ ? સત્ય છે.
આજ નહિ તો કાલ થશે સામનો સાચનો ! શાને આજ બકરો ધરી દીધો ?
સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ – 380 001.
![]()


ભારતીય સાહિત્યની ઓળખ ભારતમાં જેટલી છે, તેના કરતાં વધુ વિશ્વમાં છે. વિશ્વના સાત મહાકાવ્યો પૈકી પ્રથમ બે એટલે કે રામાયણ (વાલ્મીકિ) અને મહાભારત (વેદ વ્યાસ) ભારતે દુનિયાને આપેલી અમૂલ્ય ભેટ છે. મહાકાવ્યની સામાન્ય ઓળખ 'મહાફલક' પર મનુષ્યની કથા તે મહાકાવ્ય.
ગુજરાતી કાવ્યસાહિત્યના ક્ષેત્રે પદ્યનાટકનો નવો પ્રકાર ઉમાશંકર જોશીથી પ્રારંભ પામે છે. 'The Three Voice of Poetry'માં એલિયટ પદ્યનાટકને Third Voice – ત્રીજા સૂર તરીકે ઓળખાવે છે. ઉમાશંકર જોશી આ પડકારરૂપ સ્વરૂપને 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માં પ્રયોજે છે. 'મહાપ્રસ્થાન' સંગ્રહના બે પદ્યનાટકો 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' આ બંને રચનાઓમાં સર્જક યુધિષ્ઠિરને કેન્દ્રમાં રાખી તેમના ચરિત્રની વિવિધરંગી લાક્ષણિકતાઓને આધુનિક સંદર્ભો સાથે ઉજાગર કરે છે. આ ચર્ચાના આરંભે યુધિષ્ઠિરના પાત્ર દ્વારા 'માનવીની વેદના-સંવેદનાને, ગુણ-દોષને જોયા પછી પણ તેમના વ્યક્તિત્વમાં કશુંક એવું છે, જે એમને બધાથી જુદા પાડે છે. ઉમાશંકર જોશી મહાભારતના 'મહાપ્રસ્થાનિક પર્વ'માંથી કથાબીજ પસંદ કરી, બહુખ્યાત વિષયવસ્તુ પર કામ કરે છે, અને આ ખ્યાત કથાનકને તેઓ પોતાની સર્જક પ્રતિભાના બળે મૌલિક અને નાવિન્યસભર બનાવે છે. કવિ કાવ્યસર્જન માટે જે ક્ષણ પસંદ કરે છે તે, પાંડવોના મહાપ્રસ્થાનની છે. કવિશ્રી ઉમાશંકરે કરેલી સંગ્રહની પ્રથમ બે રચનાઓ 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' પદ્યનાટકો જાણે દ્વિઅંકી નાટકના બે અલગ અલગ અંક હોય એવું લાગે છે. ઉમાશંકર જોશી અહીં યુધિષ્ઠિરના પાત્રને સાંપ્રત સમયની બૌદ્ધિક હવામાં મૂકી આપે છે. કવિ પોતાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી પૌરાણિક પાત્રમાં આધુનિકતાનું સંમિશ્રણ કરે છે.