Opinion Magazine
Number of visits: 9449077
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ટેચ્યૂની પેલે પાર શું છે?

ઈ.પી.ડબલ્યુ.|Opinion - Opinion|13 January 2019

"એક વ્યક્તિનો નાયક બીજાનો ખલનાયક હોઈ શકે છે". મૂર્તિપૂજક રાજનીતિની તાસિર વર્ણવતી આ ટેગ લાઇન છે, જેના અંતર્ગત તાજેતરના સમયમાં રાષ્ટ્રીય નિર્ણયના નામે વિવિધ રાજકીય સ્ટેચ્યૂઓને તોડવાના કે દૂર કરવાના પુરાવા મળે છે. યુનિવર્સિટીના કેટલાક શિક્ષણવિદો, પ્રોફેસરોના કહેવાથી ઘાનામાં મો.ક. ગાંધીની પ્રતિમાને દૂર કરવાનો નિર્ણય આ યાદીમાં વધુ એક ઉમેરો છે. યુનિવર્સિટીના મકાનમાંથી બંને દેશોની સરકારો અનુસાર, આ પ્રતિમા ૨૦૧૬માં ભારતથી આફ્રિકાની પ્રથમ ટ્રાઇ-નૅશન પ્રેસિડેન્સિયલ ટૂરની ઉજવણીનું પ્રતીક છે, જ્યારે કેટલાક સામાન્ય ઘાનાવાસીઓ માટે ગાંધીનું રાજકીય વ્યક્તિત્વ અન્ય ‘જાતિવાદી’ સામ્રાજ્યવાદી કરતાં અલગ નથી. હકીકતમાં, ભારતના રાષ્ટ્રપતિની તાજેતરની મુલાકાતને ત્યાં ઊજવવા માટે ૨૦૧૫માં મલાવીમાં બીજી પ્રતિમાનું બાંધકામ અટકાવવા સાથે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની પ્રતિમાઓ છેલ્લા થોડા સમયથી સંસ્થાનવાદ વિરોધી, જાતિવાદ વિરોધી અને પ્રચલિત માન્યતાઓનું ખંડન કરવા(આઇકોનોક્લાઝમ)નો ભાગ બની ગઈ છે. પરંતુ, આ બધા કેસોમાં વિચિત્ર બાબત એ છે કે જે સરકારોએ આ પ્રતિમાઓને દ્વિપક્ષીય સંબંધોનાં પગલાં રૂપે જણાવી હતી, તેથી તેની જાહેર નિંદા થતી નહોતી. પણ હવે જો સરકારોનું વલણ ગાંધી વિરુદ્ધ જાતિવાદના આરોપને માન્ય કરતું હોય, તો પછી રાજકીય પ્રતિમાનું ઔચિત્ય શું છે?

જ્યારે ગાંધીનું સંતચરિત્ર(અને તેથી તેમની મૂર્તિ તરીકે પ્રતિમા)ને ભારત અને આફ્રિકા એમ બંને માટે સૉફ્ટ-પાવર પોલિટિક્સને માફક આવતા અનુકૂળ વ્યૂહરચના તરીકે માન્યતા આપવામાં આવે છે, ત્યારે તે સરકારોને ‘નૅશન સ્ટેટ’ની અભિવ્યક્તિનું કાર્ડ રમવાની પણ જગ્યા કરી આપે છે. ઉદાહરણ તરીકે, ઘાના સ્ટેટ માટે, ‘જાતિવાદ’ને તત્કાળ ‘સંસ્થાનવાદ’ તરફ દોરી જવામાં આવે છે, જે ‘નૃવંશવાદ’(અકાન સામ્રાજ્યો દ્વારા અન્ય વંશોની ગુલામી)ના અસુવિધાજનક સ્થાનિક ઇતિહાસને છૂટા પાડે છે, વર્તમાન સમયના અકાન/બિનઅકાન ‘જાતિ’ઓમાં મતોનું ધ્રુવીકરણ અને છેવટે રાજકીય કલંક અને તકની કથિત પ્રાદેશિક એકાગ્રતામાં પરિણમે છે. જો કે, વંશીય પ્રદેશથી દેશના વધુ કૉસ્મોપોલિટન કે આર્થિક રીતે અનુકૂળ વિસ્તારો(મોટે ભાગે દક્ષિણમાં)માં ભારે સ્થળાંતર, વંશીય જોડાણને અંકે કરવાની પરંપરાગત રાજકીય વ્યૂહરચનાઓને અપનાવે છે. ઉપરાંત, એ પણ દલીલ થઈ કે આજે ખાસ કરીને મોટા ભાગે ૨૫-૩૦ વર્ષની વયના સરેરાશ ઘાનાવાસી આ સ્થાનિક વારસાથી પ્રભાવિત છે કે તેનાથી ઓળખાય છે. આ પાસાંઓએ દેશના ચૂંટણીલક્ષી લોકશાહીમાં વંશીય/સાંસ્કૃતિક પરિબળની નિર્ણાયકતાને નબળી બનાવી છે, પરંતુ તેને સમાપ્ત કરી શક્યાં નથી.

તેથી જ તો, બે પ્રભાવશાળી રાજકીય પક્ષો, નૅશનલ ડેમોક્રેટિક કૉંગ્રેસ (એન.ડી.સી.) અને ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી (એન.પી.પી.)ની રાજકીય વિચારધારા વચ્ચે પાતળી ભેદરેખા છે. રાજકીય વારસા અને વિચારધારાઓમાં તેમની વચ્ચે સ્વયંસિદ્ધ તફાવત હોવા છતાં, બંને પક્ષો આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની નિયો-ઉદારવાદી ભલામણોને અનુસરતા હોવાના કારણે, વિકાસશીલતાના માપદંડમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) વૃદ્ધિ-લક્ષિત સંસ્કરણમાં વધતી કાયદેસરતાને ધ્યાનમાં રાખીને અને આ વિકાસને આગળ વધારવા માટે ખાનગી કે વિદેશી રોકાણો માટે અનુકૂળતા ઊભી કરવાની હોડમાં છે. ઝાંખા ભેદ સાથે, ઘાનામાં રાજકારણ મુદ્દા આધારિત બનવાને બદલે સૂત્રોચ્ચાર અને વ્યક્તિગત અને જૂથો માટે તાત્કાલિક સહયોગ સામગ્રીનાં વચનો સાથે વ્યક્તિત્વ આધારિત બની ગયું છે. આ પરિસ્થિતિમાં ‘યુવા’ મતદારોની ચૂંટણીમાં મત માટે નેતાની પસંદગી મોટા ભાગે તેમની ચિંતાઓ(સામાજિક-આર્થિક)ને પ્રતિબિંબિત કરે ‘સ્કર્ટ અને બ્લાઉઝ’ (એક જ બેઠકમાં બે વિરોધી પક્ષોના રાષ્ટ્રપતિ અને સંસદીય ઉમેદવારોની પસંદગી)ના મતદાન તરફ દોરી જાય, તેવી ધારણાના રાજકારણી કે સરકારની બની રહી છે.

આવી અનિશ્ચિતતા ચૂંટણીની સફળતાઓમાં રાજકીય અસ્તિત્વની ભૂમિકાને ઘટાડે છે. સાથેસાથે, તે પેટ્રોન-ક્લાયન્ટ સંબંધો માટેના દરવાજા ખોલી આપે છે. શહેરી વિસ્તારોમાં શહેરી ગૌરવમાં સરકારની કાયદેસરતા તેની ક્ષમતા (અથવા તેની છાપ) સાથે અર્થતંત્રને ‘વૃદ્ધિ’ પુનઃસ્થાપિત કરવા માટે ‘મેનેજ’ કરે છે, ખાસ કરીને જી.ડી.પી.ને વેગ આપવાના હાલના તબક્કામાં ફુગાવાના પરત-ફરવાના, પાવર-શૉર્ટેજના અને ઑઇલ ક્ષેત્રની આવક અંગે આશાવાદમાં. ગ્રામીણ વિસ્તારોમાં, પરિવર્તનશીલ રાજકારણની અપીલને વિકાસ માટે ઐતિહાસિક ક્ષેત્રીય પૂર્વગ્રહ દ્વારા અંકે કરવામાં આવે છે. ફરીથી, બંને પક્ષો ઓછા વેતનવાળા કામદારો કે જેઓ પાર્ટીના નેતાઓ માટે મોટા ભાગનાં આયોજનો, અભિયાનો અને સૂત્રોચ્ચારો કરે છે, તેવી પોતાના પગલે ચાલતી ફોજ પર ભારે મદાર રાખે છે. તેમના મતો અને મત અપાવવામાં કરેલી સહાયના મદદના બદલામાં આ પાછળ ચાલતી ફોજ રોજગારની અપેક્ષા રાખે છે.

પરંતુ, પેટ્રન-ગ્રાહકવાદ મર્યાદિત સામગ્રી સંસાધનો ધરાવતી રાજકીય પદ્ધતિમાં પળમાં બદલાતું એવું ભારે અસ્થિર સમીકરણ છે. સરકારના ખર્ચનું અડધાથી વધુ બજેટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સહાય પર આધારિત છે અને સરકારી આવકમાંથી રાજ્યના ખર્ચનો લગભગ ચોથો-પાંચમો ભાગ સરકારી કર્મચારીના પગાર ચૂકવવામાં જાય છે, કોઈપણ સરકાર કઈ રીતે રોજગારીસર્જન કરશે? ઘાના એ એકમાત્ર આફ્રિકન દેશ નથી, જે આવા અવરોધોનો સામનો કરે છે. બીજા ઘણા દેશોમાં, નિયો-ઉદારવાદ/વૈશ્વિકીકરણની આડમાં રાષ્ટ્રિય પ્રતિબદ્ધતાના નામે લોકશાહી સાથે બાંધછોડ થાય છે. સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં દેશના આ પ્રકારનાં છળમાં ઘાના હજી પણ આફ્રિકામાં મજબૂત લોકશાહી ધરાવતા દેશની પ્રતિષ્ઠા ધરાવે છે, પરંતુ એશિયન, ભારતીય ડાયસ્પોરિક રાજકારણમાં સરકાર નિષ્ફળતાની જવાબદારીને બાયપાસ કરવા, મૌન સંજ્ઞાઓ દ્વારા ‘સ્ટ્રેટિફાઇડ’ રંગવાદની લાગણીઓનો દુરુપયોગ કરવાથી આ લોકશાહીની સસ્ટેનેબિલિટી બહુ વાચાળ બનતી નથી. તેના દ્વારા સર્જાતી ઘરેલું સંસ્થાકીય નબળાઈઓ, અસક્ષમતાઓ આગળ જતાં જો દેશ પાસે આર્થિક સંકલનના અર્થમાં પુનઃસ્થાપિત કરવા માટેના સાધનનો અભાવ હોય, તો આખરે દેશને તેમની લૉકશાહી સાથે બાંધછોડ કરાવવાની ફરજ પાડે છે.

[સંપાદકીય, 22-12-2018]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 06

Loading

13 January 2019 admin
← નવી અનામત : જુમલે સે આગે જહાઁ ઑર ભી હૈ
અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાણીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યેજ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved