Opinion Magazine
Number of visits: 9725751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશિયલ મીડિયા પર અભદ્રતા રોકવાની ફરજ પોલીસની નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|31 May 2023

દેશ-દુનિયામાં કોઈપણ મુદ્દા પર લોકોના અભિપ્રાયો એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા એક મજબૂત મંચ છે. આ મંચનો ઉપયોગ સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારના માણસો કરે છે. ડિજિટલ ઈન્ફ્લુઅર્સ આપણા દૃષ્ટિકોણ પર વ્યાપક પ્રમાણમાં અસર કરે છે અને આપણી માનસિક્તા બદલી શકે છે. નકારાત્મક દૃષ્ટિકોણવાળા અને એજેન્ડાધારી લોકોમાં માનસિક પ્રદૂષણ ફેલાવે છે, અભદ્રતા ફેલાવે છે. સત્તાધારી પક્ષના IT Cell અને ગોદી મીડિયા આ પ્રદૂષણનું ઉદ્દભવ સ્થાન છે. દેશાના CJI-ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા માનનીય ચંદ્રચૂડ વિશે સોશિયલ મીડિયામાં હુમલા થયા છે : ”ઘરના દુ:શ્મન. વિદેશી એજન્ટ. લોકતંત્ર માટે જોખમી. વૈશ્વિક હિતોથી સંચાલિત. હિન્દુ વિરોધી.” જો દેશના ચીફ જસ્ટિસને આવી રીતે વગોવતા હોય તો કોઈ પણ જાગૃત નાગરિકને ટ્રોલ-સેના કઈ હદે માનસિક ત્રાસ આપતી હશે, તેનો અંદાજ લગાવી શકાય છે.

સવાલ એ છે કે સોશિયલ મીડિયા પર અભદ્રતા રોકવાનું કામ પોલીસનું નથી? પોલીસ ઈચ્છે તો આવી અભદ્રતા અટકી શકે છે. નમૂનારૂપ કેસ કરીને સખ્ત કાર્યવાહી કરી આ કામ થઈ શકે. પરંતુ પોલીસ ઈચ્છે તો ને? પોલીસ સત્તાપક્ષના નિયંત્રણ હેઠળ છે. દિલ્હી પોલીસ POCSO એક્ટના આરોપી બ્રિજભૂષણ સિંહને એક મહિનાથી એરેસ્ટ કરતી નથી; આશારામ જેવો જ આ કેસ છે છતાં વડા પ્રધાન બ્રિજભૂષણ સિંહને બચાવે છે ! ટ્રોલ-સેના ગંદી ગાળો / અભદ્ર ટીકાની નીચે ‘જય શ્રી રામ’/ ‘હિન્દુ રાષ્ટ્ર’ વગેરે લખે છે. તેમની ID ફેઈક હોય છે. શું સરકારનું ગુપ્તચર તંત્ર આ બાબત જાણતું નહીં હોય?

સંજય ઈઝાવા

અભદ્રતા શા માટે? ભિન્ન મત ધરાવનારનો નૈતિક જુસ્સો તોડી પાડવા અને તેને ચૂપ કરવા માટે. અભદ્રતા લોકતંત્ર માટે ઘાતક છે ! સામાન્ય રીતે ટ્રોલ સેનાની અભદ્રતા સામે કોઈ શીંગડા ભરાવતું નથી. ભૂંડ સાથે કુસ્તી ન કરાય; આપણાં કપડાં ખરડાય અને ભૂંડની ખંજવાળ ભાંગે ! એમ માની ટ્રોલિયાઓને બ્લોક કરવાનો આપણે રસ્તો લઈએ છીએ. પરંતુ કોઈએ તો અવાજ ઊઠાવવો પડે. આ કામ સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ હાથ ધર્યું છે.

સંજયે 28 મે 2023ના રોજ સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં ફેસબૂક પોસ્ટ પર અભદ્ર કોમેન્ટ કરવા સબબ IPC કલમ-354A/ 354D/ 503/ 509/ 292/ 298/ 499 તથા IT એક્ટ કલમ- 66E/ 67/ 67A હેઠળ 22 ઈસમો સામે FIR નોંધી કાયદેસર કાર્યવાહી કરવા લેખિત અરજી કરી છે. સંજયે 22 મે 2023ના રોજ ફેસબૂક પર હિન્દી ફિલ્મ ‘કેરાલા સ્ટોરી’ પર આંકડાકીય વિશ્લેષણ સાથે એક પોસ્ટ મૂકી હતી. તેમાં કોઈ વ્યક્તિગત આક્ષેપ ન હતો. પોસ્ટમાં સંસદીય ભાષા હતી. પરંતુ 22 ઈસમોએ બિન સંસદીય, ઉશ્કેરણીજનક, અભદ્ર, વાચકોને શરમમાં મૂકે તેવી કોમેન્ટ્સ કરી હતી અને ગંદા ફોટો મૂકેલ હતા. સંજયની પોસ્ટ પર ટ્રોલ ઈસમોએ કાઁગ્રેસની ભયંકર માનહાનિ કરતાં ચિત્રો મૂકેલ છે. સુરતની કોર્ટ રાહુલ ગાંધીને બદનક્ષી સબબ 2 વરસની સજા કરી શકતી હોય તો, ગુજરાત કાઁગ્રેસે તેમનો આત્મા જાગતો હોય તો ટ્રોલ ઈસમો સામે બદનક્ષી સબબ કેસ કરવો જોઈએ.

સંજયે અભદ્રતાના ઝેરીલા કાળા નાગને નાથવાની હિમ્મત કરી છે; પરંતુ પોલીસ અભદ્ર ઈસમો સામે FIR નોંધી સખ્ત પગલાં ભરશે તેવી આશા નથી; કેમ કે અભદ્રતા આચરવાનો પરવાનો સત્તાપક્ષે ટ્રોલ-સેનાને આપેલો છે ! સંજય કહે છે : “જો સ્થાનિક પોલીસ FIR નહીં નોંધે તો પોલીસ કમિશ્નર / DGP / ગૃહ સચિવ સમક્ષ રજૂઆત કરીશ. Gujarat State Police Complaints Authority સમક્ષ ફરિયાદ કરીશ. છેવટે કોર્ટમાં IPC કલમ – 166 (A) 166(B) હેઠળ ફરિયાદ કરીશ. આખરે સોશિયલ મીડિયા પર અભદ્રતાને ડામવી છે !” લોકો નિર્ભય બની પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી શકે તે લોકતંત્ર માટે અનિવાર્ય છે. આપણે બીજું કંઈ ન કરીએ તો ચાલશે, પણ સંજયની સાથે ઊભા રહીએ !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

31 May 2023 Vipool Kalyani
← राजदंड वाला लोकतंत्र
અને તું?  →

Search by

Opinion

  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 
  • રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું : ભગતસિંહ
  • ગઝલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved