Opinion Magazine
Number of visits: 9447406
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું કહેવું આ સરકારને ? સરકારી તિજોરીની રકમ ક્યાં ધોવાઈ ગઈ તે પણ તે જાણવા માંગતી નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|24 October 2019

ગયા નાણાકીય વર્ષમાં, દેશની જનતાએ ૨૭,૩૨,૯૦૩ લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં કર કે બીજાં સ્વરૂપમાં જમા કરાવ્યા હતા, જેને સરકારની મહેસૂલી આવક કહેવામાં આવે છે. આની સામે એટલી જ રકમ અને કદાચ એનાં કરતાં ઘણી મોટી રકમ છેલ્લાં દસ વરસમાં દસથી પંદર હજાર લોકો બેંકોમાંથી મારી ગયા છે. સરકારને થયેલી મહેસૂલી આવક સિવાયના બાકીના આંકડા હું અહીં આપી શકવાની સ્થિતિમાં એટલા માટે નથી કે સરકાર એને છૂપાવે છે. દાખલા તરીકે સ્ટ્રેસ્ડ એસેટની સરખી વ્યાખ્યા કરવામાં આવતી નથી, અને બેંકો તેને છૂપાવી ન શકે એવી જોગવાઈ કરવામાં આવતી નથી, એટલે આનો કોઈ તાળો જ મળી શકે એમ નથી. તમે જે કોઈ કલ્પના કરો એ ખોટી ઠરાવી શકાય છે.

બીજું, બેંકોના પૈસા કોણ મારી ગયા અથવા તો તેઓ ઉચાપત કરી ગયા કે પછી પ્રતિકૂળ આર્થિક સ્થિતિના શિકાર બની ગયા એ પણ આપણે જાણતા નથી. જો રઘુરામ રાજન રીઝર્વ બેન્કના ગવર્નરપદે રહ્યા હોત, તો આની પૂરી વિગતો હાથ લાગી શકે એમ હતી, પરંતુ એ વિગતો બહાર ન આવે એટલા માટે તેમની મુદ્દત વધારવામાં નહોતી આવી. જો રાજન રહ્યા હોત તો આપણને ખબર પડત કે દેશની વાર્ષિક મહેસૂલી આવકની સામે કેટલા રૂપિયા છેલ્લાં દસ વરસમાં ડૂબ્યા છે?

એમ લાગે છે કે એ રકમ ઘણી મોટી હોવી જોઈએ એટલે તો રાજને જવું પડ્યું હતું. રાજન હોત તો કેટલા રૂપિયા લૂંટાઈ ગયા અને કેટલા રૂપિયા આર્થિક સંકટના કારણે સલવાઈ ગયા તેની પણ જાણ થાત. રાજન હોત તો લૂંટનારા કે આર્થિક સંકટનો શિકાર બનેલાઓનાં નામ પણ બહાર આવ્યા હોત અને જો રાજન હોત તો બેંકોએ રીઝર્વ બેન્કના આદેશ હેઠળ કેટલાક સુધારા કરવા પડ્યા હોત. આનું કારણ એ નથી કે રાજન દેવદૂત હતા, પણ એનું કારણ એ છે કે રાજન એ કામે લાગ્યા હતા અને તેમણે તે કહ્યું પણ હતું. વર્ષોથી છૂપાવવામાં ઉકરડો તેમણે ફેંદવાનું અને સાફ કરવાનું શરૂ કર્યું હતું.

દેશની સવા અબજ પ્રજાએ સરકારી તિજોરીમાં જેટલા પૈસા જમા કરાવ્યા તેનાથી ઘણી મોટી રકમ માત્ર ૧૫ હજાર માણસો હજમ કરી જાય એ ગંભીર ઘટના કહેવાય કે નહીં? આ પંદર હજાર માણસો દેશની તિજોરીની બરાબરની રકમ મારી જવા જેટલી હિંમત શેને કારણે કરી શક્યા? કઈ તાકાત તેઓ ધરાવે છે?

આના ઉત્તર બે જ હોઈ શકે. એક તો એ કે જે લોકો દંડવાની સત્તા ધરાવે છે તે લોકો ભાઈબંધ છે, ભાગીદાર છે અને ખરીદી શકાય એવા છે. આને કારણે એ લોકો દંડવાની સત્તાનો ઉપયોગ નથી કરતા, પણ ફાયદો કરાવી આપવાની સત્તાનો ઉપયોગ અચૂક કરે છે. તેઓ ઉપર કહ્યા એવા પંદર હજાર લોકો સાથે લાભના ભાગીદાર છે અને દંડવાની સત્તાનો ઉપયોગ તિજોરી ભરી આપનારા સામાન્ય માણસ પર કરે છે કે જેથી લોકોને લાગે કે શાસન નામની કોઈ ચીજ છે. બીજો ઉત્તર એ હોઈ શકે કે જે લોકો સત્તા ધરાવે છે એ માત્ર સત્તાની ખુરશીમાં બેઠા છે, પણ વાસ્તવમાં તેઓ કોઈ સત્તા ધરાવતા જ નથી. તેમનાં દાંત અને નહોર ઘસાઈ ગયેલા બુઠ્ઠા છે. તેઓ ધારે તો પણ ખાસ કાંઈ બગાડી શકે એમ નથી તેની તેમને ખાતરી છે.

આ બન્ને ઉત્તર સાચા છે અને એક સાથે બન્ને ઉત્તર લાગુ પડે છે. શાસકો શાસનનો પસંદ કરેલા લોકોને લાભ અપાવવા માટે દુરુપયોગ કરે છે. તેમના પૈસા થકી સત્તા સુધી પહોંચી શકાય છે એટલે તેમની સાથે ભાગીદારીની સમજૂતી વિકસી છે. શાસકોએ શાસન કરવાનું અને શાસનના સાધનોને વાપરવાનું બંધ કરી દીધું છે એટલે શાસનના ઓજારો કટાઈ ગયાં છે. કાયદો જો ઈમાનદારીથી વાપરવામાં આવે તો એમાંની ઊણપનો ખ્યાલ આવે, પણ જો વાપરવામાં જ ન આવે અથવા ઊણપને જાણીબૂજીને રહેવા દેવામાં આવે તો શું થાય? જો એમ ન હોય તો ૨૦૧૦ પછીથી ભેગી થવા લાગેલી એન.પી.એ. ૨૦૧૯ સુધી છુપાવી શકાય? જો એમ ન હોય તો દેશની તિજોરીમાંની રકમ જેટલી રકમ પંદર હજાર લોકો લઈ જાય અને તેમનો વાળ પણ વાંકો ન થાય એવું બને? આવું બની શકે જો કાયદો કમજોર હોય અને શાસક આંગળિયાત હોય અને ભારતમાં આજે આવી સ્થિતિ છે.

બીજી વાત. અંદાજે જે ત્રીસ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે એ જાણીબૂજીને ડૂબાડવામાં આવ્યા છે કે પછી વિપરીત આર્થિક સ્થિતિનું પરિણામ છે? કેટલી રકમની ઉચાપત કરવામાં આવી છે અને કેટલી આર્થિક સંકટનો શિકાર બની છે? આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. શાસકો એ જાણવા પણ નથી માગતા કે કેટલો રૂપિયો ચોરાઈ ગયો છે અને કેટલો સંકટમાં ફસાયેલો છે? કારણ બહુ સ્પષ્ટ છે. જો ચોરીનું પ્રમાણ વધારે નીકળે તો નાક કપાય અને સંકટમાં ફસાયેલા રૂપિયાનું પ્રમાણ વધારે નીકળે તો પણ નાક કપાય. આના કરતાં જાણવું જ નહીં તો જણાવવાની ક્યાં જરૂર જ પડે. આ જગતમાં ભારતની સરકાર એક માત્ર સરકાર હશે જેની તિજોરીમાં જમા થતી વાર્ષિક આવક જેટલી રકમ ધોવાઈ ગઈ હોવા છતાં એ જાણવાની પણ કોશિશ નથી કરતી કે એ ગઈ ક્યાં? લૂંટાઈ ગઈ કે આર્થિક સંકટમાં ધોવાઈ ગઈ?

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ઑક્ટોબર 2019

Loading

24 October 2019 admin
← કાર્યબોજ તળે દટાયેલ, સાધનહીન પોલીસતંત્ર
‘જસમા’ ભવાઈ વેશનું જાજરમાન સ્ત્રી પાત્ર →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved