Opinion Magazine
Number of visits: 9449757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રમિક અધિકારો પર શ્રમસુધારની તરાપ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 November 2019

૨૦૧૪થી કેન્દ્રમાં સત્તાનશીન સરકારે અનેક જરીપુરાણા કાયદાઓ રદ્દ કર્યા છે. હવે તેની પ્રાથમિકતા કાયદાઓના વર્ગીકરણ અને સરળીકરણની છે. ૪૪ શ્રમ કાયદાઓને રદ્દ કરી તેને ચાર શ્રમસુધાર સંહિતામાં ગૂંથી લેવાનો સરકારનો ઈરાદો છે. સરકારની દલીલ છે કે વર્તમાન શ્રમ કાયદાઓમાં વેતનની એક ડઝન વ્યાખ્યાઓ છે. જે અમલીકરણમાં બાધા બને છે. એટલે આ ૪૪ કાયદા રદ્દ કરી તેને વેતન, દ્યોગિક સંબંધો, સામાજિક સુરક્ષા અને દ્યોગિક સુરક્ષા તથા કામદાર કલ્યાણ એવી ચાર શ્રમસુધાર સંહિતામાં સમાવી લેવામાં આવશે. આ દિશાના પ્રથમ ચરણ તરીકે ગયા અંદાજપત્ર સત્રમાં સંસદે ‘ધ કોડ ઓફ વેજીસ બિલ, ૨૦૧૯’ પસાર કર્યું છે. સંસદે મંજૂર કરેલું આ બિલ(અને હવે રાષ્ટ્રપ્રમુખની મંજૂરી પછી કાયદો)માં ચાર કેન્દ્રીય કાયદા, વેતન ચુકવણી કાયદો-૧૯૩૬, લઘુતમ વેતન ધારો-૧૯૪૮, બોનસ ચુકવણી કાયદો-૧૯૬૫ અને સમાન વેતન કાયદો-૧૯૭૬ રદ્દ કરવામાં આવ્યા છે ને તેના સ્થાને નવો વેતન કાયદો અસ્તિત્વમાં આવ્યો છે.

વેતન સંહિતા ૨૦૧૯ને સરકાર ઐતિહાસિક અને ૫૦ કરોડ લોકોનાં જીવનને અસર કરનાર ગણાવે છે. આ કાયદાના ફયદા દર્શાવતાં સરકાર કહે છે કે તે કામદાર કલ્યાણ સાથે, ઉદ્યોગોના પ્રવેશને સરળ બનાવશે. તેના દ્વારા લઘુતમ વેતનને રાષ્ટ્રીય ધોરણે અનિવાર્ય અને એકસરખું બનાવાયું છે. વેતન અને બોનસની ચુકવણીના નિયમો બહેતર બનાવાયા છે. આ શ્રમસુધાર દ્વારા જીવનનો અધિકાર સુનિશ્ચિત થશે, કાનૂની રીતે લઘુતમ વેતન લાગુ કરવું અનિવાર્ય બન્યું છે. લઘુતમ વેતનનો દર અને વેતન ચુકવણીની તારીખો નક્કી કરાઈ છે. દહાડિયા મજૂરને રોજ સાંજે, અઠવાડિકને અઠવાડિયાના અંતે, પખવાડિકને પખવાડિયાના બે દિવસ પછી અને માસિક વેતનની ચુકવણી મહિનો પૂરો થયાના સાત દિવસમાં કરી દેવાની રહેશે. આશ્રિત તરીકે દાદા-દાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ત્રીઓને નાઈટ શિફ્ટની મંજૂરી આપી છે રેલવે અને ખાણ ઉદ્યોગનું લઘુતમ વેતન કેન્દ્ર અને અન્યનું રાજ્યો નક્કી કરશે. કાયદામાં નક્કી કરાયેલા વેતનની દર ત્રણ વરસે સમીક્ષા કરવામાં આવશે.

જો કે કામદાર સંગઠનો અને વિપક્ષો આ કાયદાનો વિરોધ કરે છે. ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના શ્રમિક સંગઠન ‘ભારતીય મજદૂર સંઘ’ના અધ્યક્ષ સાજી નારાયણન કાયદાને આવકારે છે. પણ બાકીની ત્રણ શ્રમસંહિતાની કેટલીક જોગવાઈઓનો વિરોધ કરે છે. તેમની દલીલ છે કે દેશની કુલ વસતીનો સાત ટકા ભાગ જ જો કામદાર કાનૂનો હેઠળ આવરી લેવાયો હોય તો કામદાર કલ્યાણના કાયદાને કારણે ઉદ્યોગોનો વિકાસ થતો નથી તે વાત સાચી નથી. વેતન સંહિતા ૨૦૧૯નો વિરોધ અનેક ડાબેરી ટ્રેડ યુનિયન્સ કરે છે. આ કાયદાના દાયરામાં કેવળ ૧૦ કે તેથી વધુ કામદારો ધરાવતાં ક્ષેત્રો જ આવરી લીધાં છે એટલે ૮૫ ટકાની અવગણના થઈ છે. કાયદામાં ૫૦૦થી ઓછી કંપનીઓનું નિરીક્ષણ ઘટાડવામાં આવ્યું છે અને આઈ.ટી. સેકટરને કાયદાની બહાર રખાયું છે. એ રીતે આ કાયદો વરસોના સંઘર્ષ બાદ મળેલા શ્રમિક અધિકારો પર તરાપ મારે છે. તે શ્રમિકોના નહીં એટલો માલિકોના હિતમાં છે અને તેના દ્વારા કોર્પોરેટ ક્ષેત્રને લાભ પહોંચાડવાની કોશિશ થઈ છે. આ કાયદો કોન્ટ્રાક્ટ પ્રથાને ઉત્તેજન આપે છે, એપ્રેન્ટિસને કર્મચારી ગણતો નથી, બાળમજૂરીને કાયદેસર બનાવે છે. આગોતરા વેતન ચુકવણીને માન્ય રાખે છે એટલે વેઠિયા મજૂરી માન્ય બને છે. માલિક સામે ફરિયાદ કરનારને સંરક્ષણ આપવાની જોગવાઈ નથી. વગર રજાએ ગેરહાજર રહેનારને વેતનકાપની સજા કરે છે. આ કામ નહીં તો વેતન નહીં કરતાં આકરું પગલું છે. કાયદાની જોગવાઈઓ કરતાં તેના અમલના પ્રશ્નો મોટા છે, કેમ કે સરકાર પાસે વેતન સંબંધી ફરિયાદોના નિવારણ માટેનું તંત્ર જ નથી. કાયદાના અમલના નિરીક્ષણ માટે લેબર ઈન્સપેક્ટરને બદલે ઈન્સપેક્ટર કમ ફ્સિલિટરની જોગવાઈ છે. કેન્દ્ર અને રાજ્યોના શ્રમ વિભાગમાં મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે ત્યારે રૂપાળી જોગવાઈઓનો પણ વાસ્તવમાં અમલ થવાનો નથી.

ઓછું વેતન અને વેતનમાં અસમાનતા સમાવેશી વિકાસમાં બાધક છે. આઝાદી પૂર્વે ૧૯૩૬માં વેતન ચુકવણીનો અને ૧૯૪૮માં લઘુતમ વેતનનો કાયદો ઘડાયો હતો. ૧૯૬૯ના પ્રથમ રાષ્ટ્રીય શ્રમ આયોગે રાષ્ટ્રીય લઘુતમ વેતન ન તો સંભવ છે કે ન તો ઈચ્છનીય તેમ જણાવ્યું હતું ! ભૂતલિંગમ સમિતિ(૧૯૭૮)એ સંગઠિત ક્ષેત્ર માટે રાષ્ટ્રીય લઘુતમ વેતન જરૂરી માન્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ શ્રમ આયોગ(૧૯૯૧)ની રાષ્ટ્રીય લઘુતમ વેતન માટેની ભલામણ હતી. વિકાસશીલ દેશોમાં લઘુતમ વેતન ધારો લાગુ કરનાર ભારત પ્રથમ દેશ હતો. પણ આજે આઝાદીના સાત દાયકા પછી આપણે હજુ લઘુતમ વેતનથી આગળ વધ્યા નથી. નવા શ્રમસુધારમાં ફ્લોર વેજની જોગવાઈ છે. એનો મતલબ એ કે દેશમાં કોઈ પણ ખૂણે આટલું ન્યૂનતમ વેતન તો આપવું જ પડશે. પરંતુ ફેર વેજ કે લિંવિંગ વેજ માટે હજુ વિચારાતું નથી. ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે લઘુતમ વેતનમાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને સામેલ કરેલ છે. ૨,૭૦૦ કેલેરીનો સમાવેશ કરવાનો હોય છે, પરંતુ સરકાર તેમાં જરા ય આગળ વધી નથી. કઈ રીતે વેતન નક્કી થશે અને કઈ રીતે વધારાશે તે સલાહકાર બોર્ડ પર છોડી દેવાયું છે.

૧લી જૂન, ૨૦૧૭થી રાષ્ટ્રીય લઘુતમ વેતનનો દર રૂ.૧૭૬/- છે. સરકારે રચેલી અર્થશાસ્ત્રી અનુપ સતપતિ સમિતિએ રૂ. ૩૭૫/ના રાષ્ટ્રીય લઘુતમ વેતનની ભલામણ કરી છે, પરંતુ સરકારને તે સ્વીકાર્ય નથી. સરકાર રૂ.૧૭૬/-નું ફ્લોર વેજ વધારીને રૂ.૨૦૦/- થી ૨૨૫/- જ કરવા માંગે છે. જે ખૂબ જ ઓછું છે.

ભારતમાં દર ત્રણમાંથી એક કામદારને લઘુતમ વેતન મળતું નથી. ૧૯૮૩થી ૨૦૧૩નાં ૩૦ વરસોમાં વેતનવધારો માંડ એક ટકો જ થયો છે. ભારત સરકારના શ્રમ મંત્રાલય ૨૦૧૫-૧૬ના સર્વેક્ષણ મુજબ ૭૭ ટકા ભારતીય પરિવારોમાં સ્થાયી વતન મેળવનાર એક પણ વ્યક્તિ નથી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન ભારતને શ્રમ કાનૂનોના અમલમાં અતિ નબળો દેશ માને છે. ૩૧ ટકા ભારતીય કામદારો ખરાબ સ્થિતિમાં કામ કરતા હોવાનું અને તે પૈકી ૪૨ ટકાને ખૂબ જ ઓછું વેતન મળતું હોવાનું પણ આઈ.એલ.ઓ.નું તારણ છે. ભારત આ બાબતમાં એશિયા પેસિફ્કિના ૨૨ દેશોમાં ૧૯માં સ્થાને છે. આ સઘળી બાબતોના ઉજાસમાં નવા શ્રમસુધારા શ્રમિકોનું જીવન બહેતર કરશે કે બદતર તે સવાલ છે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 06 નવેમ્બર 2019

Loading

6 November 2019 admin
← વલ્લભ નાંઢાની વાર્તા : ’આયેશા’
બ્રાહ્મણોએ પોતાનું ઉચ્ચ સ્થાન કેમ ગુમાવ્યું ? →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved