કોઈ પણ દેશમાં અને કોઈ પણ કાળખંડમાં શિક્ષણ ઉપેક્ષિત બને કે નિષ્ફળ જાય ત્યારે પેઢીઓની અવદશા થાય છે. અનેક દેશોના ઇતિહાસ આ બાબતની શાખ પૂરે છે. આમ છતાં, ઘણા દેશોની સરકારોએ ક્યારેક ક્યારેક કે વારંવાર, શિક્ષણની અવદશા ઇરાદાપૂર્વક સર્જી છે. હિટલર અને મુસોલિની, સ્ટાલિન અને માઓ, રશિયાની ઝારશાહી અને સામ્રાજ્યવાદી દેશોની ગુલામ દેશોમાં ઊભી કરાયેલી વ્યવસ્થા, દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ કે આર્જેન્ટિના આ બધે જ શિક્ષણના નામે પેઢીઓની માનસિકતાને પછાત બનાવી દેવાના પ્રયાસો થયા છે. આનાં પરિણામો પણ આ બધા જ દેશોએ અને ઘણી વાર આખા વિશ્વે ભોગવ્યાં છે. સ્ટાલિનના સામ્યવાદ હેઠળ સમગ્ર પૂર્વ યુરોપ-૧૯૧૭થી ૧૯૯૧ સુધી – એટલે કે ચુંમોત્તેર વરસ સુધી રગદોળાઈ ગયું. પશ્ચિમ યુરોપ અને રશિયા વચ્ચેના હાલના યુક્રેનના સંઘર્ષ દ્વારા જોઈ શકાય છે કે વૈચારિક સ્વતંત્રતાની અસર કેટલા યોજનો દૂર સુધી પહોંચી શકે છે. જે યુક્રેનને ત્રણ જદિવસમાં મસળી નાંખવા માગતા રશિયાને આઠ-આઠ મહિનાના યુદ્ધ પછી મોંઢામાં તરણું લેવાનો વારો આવ્યો છે. પશ્ચિમ યુરોપમાં વિચાર, વાણી, વર્તન અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે, જ્યારે રશિયામાં ઝારશાહીથી માંડીને આજ સુધી એ દિવસ આવ્યો જ નહીં. રશિયાના સોવિયત સંઘના સ્તાલિન યુગમાં સ્વતંત્ર રીતે બોલનાર – વિચારનારની ઉપર કેવા અત્યાચારો થતા તે જાણવા સોલ્ઝેનિત્સિનનું પુસ્તક, ‘ગુલાગ આર્કિપિલેગો’ વાંચવું રહ્યું.
સ્તાલિન અને માઓએ વિચારોને દબાવવાનું કામ કર્યું પણ અન્ય અનેક દેશોમાં ખોટી માહિતી, પ્રચાર, જૂઠ-ફરેબ, ભય અને આતંક વગેરેનો ઉપયોગ થાય છે. વિરોધના સૂરને દબાવી-ગૂંગળાવી દેવો એ કોઈ નવી વાત નથી. શિક્ષણના સંદર્ભમાં, આ સ્થિતિમાં બે અલગ અલગ પ્રવાહો ઉપર નજર નોંધવા જેવી છે :
(૧) દ્રોણ-એકલવ્ય મોડલ : છેક મહાભારતકાળથી ચાલી આવેલ આ પ્રણાલી છે. આ મોડલમાં ગુરુ પોતાને માત્ર સર્વજ્ઞાની જ નથી ગણતા – વિદ્યા ઉપર પોતાનો ઇજારો છે અને રહેવો જોઈએ એમ માને – મનાવે છે. અહીં સામાજિક ઉચ્ચાવચતાનો અને આર્ય – અનાર્યનો મુદ્દો પણ સંકળાય છે. કદાચ એમ કહેવાનં મન થાય. આ તો બહુ પ્રાચીન કાળની કહાની થઈ. હવે શું છે ?
હજુ હમણાં જ જેમના જન્મદિનને ‘શિક્ષકદિન’ તરીકે ઉજવ્યો તે સૌના પરમ આદરણીય અને સન્માનીય એવા ભારતના એક સમયના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ એક ટીકા વહોરી લીધી છે. ડૉ. રાધાકૃષ્ણન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય ફિલસૂફીના પ્રોફેસર હતા, પરંતુ તેમણે પોતાના જ એક વિદ્યાર્થીની થિસિસમાંથી પ્લેગિયારિઝમ કર્યું હતું. આ માટેની વિગતો કમ્પ્યૂટરમાં નીચે મુજબનું સરનામું લખી સર્ચ કરવાથી મેળવી શકાશે.
આ ઘટના દુ:ખદ તો છે જ પણ સાથોસાથ એક સન્માનનીય અને આદરપાત્ર પ્રોફેસર આવું પણ કરી શકે તે સૌને વિચારતા કરી મૂકે છે. દ્રોણ-એકલવ્ય મોડલમાં જણાતું જ્ઞાનના આધિપત્ય અને ઇજારાનું મોડલ હજુ પણ જીવંત છે.
(૨) યાજ્ઞવલ્ક્ય-ગાર્ગી મોડલ : ગાર્ગી એક નારી હોવા છતાં વેદ-વેદાંતમાં પારંગત હતી. તે એક સ્વતંત્ર વિચારક હતી. એક વાર જનક રાજાએ બ્રાહ્મણ-પંડિતોની સભા ભરી. તેમણે કહ્યું – તમારામાં જે સૌથી વિદ્વાન હોય તે આ હજાર ગાયોને લઈ જાય.
સ્વતંત્ર વ્યક્તિત્વ, વિચાર, વર્તન કે અભિવ્યક્તિ માત્ર શૉ-કેસ માટે નથી. તેનું ક્રિયાન્વયન થાય ત્યારે ગજબનાં પરિણામો આવે છે. જેમને રસ પડે તેમણે ગુગલ-સર્ચમાં કઈ કયા કયા દેશોને કેટલાં નોબલ ઇનામો મળ્યાં છે તેની યાદી ફરી જોવા જેવી ખરી. સ્વતંત્રતા (લિબર્ટી) વગરના દેશો અને સ્વતંત્રતા ધરાવનાર દેશો વચ્ચે તુલના કરવાથી આ મુદ્દો સ્પષ્ટ થશે.)
સ્વતંત્ર વિચાર માત્ર રાજ્યસત્તાના કારણે જ અવરોધાય છે તેવું નથી. આ અવરોધક પરિબળોમાં રૂઢિ, પરંપરા વગેરે પણ મોટો ભાગ ભજવે છે. ભાષાના રોકેટ વિજ્ઞાનીઓ રોકેટની ગતિ, ગ્રહોની ગતિ વગેરેનું અતિ અટપટ્ટું આકલન કરી શકે છે. આ ગણિતનો વિષય છે – તેમાં કર્મ, નસીબ વગેરેનું કોઈ જ સોનામહોર નથી. પંડિતોની સભા વિચારમાં પડી પણ યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્યોને કહ્યું, ‘આ ગાયો આપણી છે – લઈ ચાલો, પંડિતો આડા પડ્યા; સાબિત કરો કે તમે જ સર્વશ્રેષ્ઠ છો. તે સમયે ગાર્ગીએ કહ્યું – પંડિતો, જો આ યાજ્ઞવલ્ક્ય મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપી શકે તો તમારે કોઈએ કાંઈ પૂછવાપણું રહેશે નહીં. ગાર્ગીની આ કક્ષા હતી.
આ ગાર્ગીએ અન્ય એક પ્રસંગે યાજ્ઞવલ્ક્ય સાથે લાંબો શાસ્ત્રાર્થ કર્યો. યાજ્ઞવલ્ક્ય એટલા તંગ થઈ ગયા કે તેમણે ગાર્ગીને કહ્યું- હવે એક પણ પ્રશ્ન પૂછીશ તો તારું માથું ભાંગી નાંખીશ ?!
આપણી હાલની શિક્ષણ પદ્ધતિમાં આ બંને મોડેલ કામ કરે છે. શિક્ષક સર્વજ્ઞ અને સર્વોપરી છે તથા તે કહે તેમાં પ્રશ્નો પૂછવા નહીં. આ બંને મોડલ શિક્ષણનાં મૂળ વિચારની વિરુદ્ધના તો છે જ પણ સ્થાન નથી. છતાં ક્યારેક આ વિજ્ઞાનીઓ રોકેટ છોડતાં પહેલાં ઈષ્ટદેવ પાસે નાળિયેર વધારતા હોય છે ! અમેરિકાના ‘નાસા’ના વિજ્ઞાનીઓ કોઈ નાળિયેર વધારતા હોય તેવું જાણમાં નથી.
આ સમગ્ર ચર્ચના સારરૂપે જોવા મળે છે કે શિક્ષણની પ્રત્યેક પળ અને તેમાં સામેલ દરેક વ્યક્તિ એક ગજબની ગુંજાશ ધરાવે છે. વર્ગની સામે ઊભેલા શિક્ષકે પળેપળ સાવધ રહેવાનું છે અને પોતાની સમક્ષ ઉપસ્થિત માનવદેહી ચેતન-પૂંજોને સંકોરતા અને ખિલવતા રહેવાનું છે. કમનસીબે શિક્ષણ આનાથી સાવ વિપરિત દિશામાં ‘એકલવ્ય-ગાર્ગી મોડલ’માં ઊંડું ખૂંપી ગયું છે ! કોઈ ઉપાય જણાય છે?
[સંપાદક, અભિદૃષ્ટિ]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, નવેમ્બર 2022; પૃ. 04-05