Opinion Magazine
Number of visits: 9449080
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શબ્દસૃષ્ટિ’ સામયિક દ્વારા સર્જકો અને ભાવકોને અપાતી ધમકી અંગે નિવેદન :

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|18 June 2021

ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્તતા ઝૂંટવી લઈ સરકારી બનાવી દેવાયેલી ગુજરાત સાહિત્ય અકાદમી 'શબ્દસૃષ્ટિ' નામનું સામાયિક ચલાવે છે.

આ સામયિકના જૂન-૨૦૨૧ના અંકમાં પૃષ્ઠ ૮૯ પર “ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …" એવા મથાળા હેઠળ એક લખાણ છપાયું છે, જે લખનારનું નામ લખવાની અનિવાર્ય જવાબદારી બાજુ પર મૂકીને લખાયું છે જેને કોઈપણ સરકારી કામકાજની દૃષ્ટિએ અનૈતિક, ગુનાહિત અને જોખમી પ્રવૃત્તિ ગણવી રહી.

વળી કોઈ ચોક્કસ કવિતા વિશે કોઈ લેખક પોતાનાં નામ સાથે પોતાના વિચારો મૂકે, ટીકા કરે, વખોડે એ તો સહજ સ્વીકાર્ય વાત છે જ. તંદુરસ્ત લોકશાહીમાં ટીકા ટીપ્પણ, ચર્ચા, ખંડન-મંડન તો એનાં પ્રાણરૂપ છે.

પરંતુ અહીં કોઈ પણ ચોક્કસ કવિતાનો ફોડ પાડ્યા વિના, કવિનું નામ પણ લખ્યા વિના, તેના વિશે મોઘમમાં ટીકા ટીપ્પણ કરી છે અને જે તે કવયિત્રી ભૂતકાળમાં અકાદમી દ્વારા લાભાન્વિત (ઉપકારદર્શક) કરાયાં છે તેવો વિશેષ ઉલ્લેખ કરાયો છે.

આ કવિતા ખરાબ છે પણ કવિ સારાં છે, એવું હાસ્યાસ્પદ વિધાન કરી, કવિઓએ શું ન લખવું અને શું લખવું એવા ઇશારા દ્વારા સત્તાવાહી કલમે ૧૯૭૫ના કટોકટીકાળ – ઈમરજન્સીને યાદ અપાવે એવી પરોક્ષ ધમકી ગુજરાતના કવિઓ, સાહિત્યકારોને આપવાનો અહીં પ્રયત્ન થયો છે (૧૯૭૫ના કટોકટીકાળમાં, છાપાં- સામયિકોનાં લખાણ માર્ગદર્શિકા પ્રમાણે સરકારી બાબુઓ પાસે મંજૂર કરાવવાનાં રહેતાં.) જે સર્વથા વખોડવા લાયક અને ગુજરાતી સર્જકોનાં સ્વાતંત્ર્ય અધિકારનો મૃત્યુઘંટ વગાડવા સમાન અને કલમ પર હથોડા ઠોકવા સમાન છે.

ખાસ તો, આ કવિતાએ દેશ વિરોધી, વિઘાતક, 'લિટરરી નક્સલ', દેશમાં અરાજકતા ફેલાવવા મથતાં તત્ત્વો, જેવાંઓને પ્રોત્સાહિત કર્યાં છે અને તેઓ બધાં આ કવિના ખભે બંદૂક મૂકી, ફોડીને દેશ વિરોધી કૃત્ય કરી રહ્યાં છે, એવો આક્ષેપ કરીને લોકશાહી ઢબે સર્જનકાર્ય કરી સાંપ્રત સમાજનો અવાજ બનનારા લેખકો અને કવિતાના લાખો ભાવકો તરફ ઉશ્કેરણીભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન જે તે નનામા લેખકે કર્યો છે તે અત્યંત આઘાતજનક છે. અને ગરવી ગુજરાતી સાહિત્યની પરંપરાનું ગળું દબાવતાં, લોકશાહી માળખામાં કામ કરતી આ સરકારી સંસ્થાએ લોકહિત વિરુદ્ધ જે પ્રથા ઊભી કરવાના દરવાજા ખોલ્યા છે તે જોખમી અને ફાસીસ્ટ વલણ ધરાવે છે, જેને અમે સૌ વખોડી કાઢીએ છીએ.

લોકશાહી પરંપરામાં કવિતા લખવી અને કવિતા દ્વારા સમાજના પ્રહરી બનવું, સાંપ્રત ઘટનાઓનું ખંડન-મંડન કરવું, સત્તા ઉપર બેઠેલાઓનાં પગલાં કે નિષ્ક્રિયતાને કલમ દ્વારા વખોડવી એ પણ તંદુરસ્ત લોકશાહીનો હિસ્સો છે એવું અમે માનીએ છીએ. હમણાં જ ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ છે કે 'સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી’, તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને  ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે 'શબ્દસૃષ્ટિ'ના તંત્રી, અકાદમી અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.

અનિલ જોશી, અભિજિત જોશી, અભિજિત વ્યાસ, અદિતિ દેસાઈ, અમિત દવે, અમિતા શાહ, અમિતાભ મડિયા, અમૃત ગાંગર, આનંદ પંડ્યા, અશ્વિન કારીયા, આતિશ ઇંદ્રેકર છારા, આનંદવર્ધન યાજ્ઞિક, આનંદ મઝગાંવકર, ઇલા જોશી, ઇન્દિરા હિરવે, ઇશ્વરસિંહ ચૌહાણ, ઇલિયાસ શેખ, ઉર્વીશ કોઠારી, ઉત્તમ પરમાર, ઉત્પલા દેસાઈ, કબીર ઠાકોર, કલ્પના સુતરિયા, કરતારસિંહ, કલ્પેશ દલાલ, કમલ વોરા, કમલેશ ઓઝા, કાનજી પટેલ, કિરણ ત્રિવેદી, કિશોર ગૌડ, કિરણ ચૌહાણ, કેતન રૂપેરા, કૌશિક અમીન, કૌશિક મહેતા, કુસુમ ડાભી, કુસુમ પોપટ, ગાલા જોશી, ગાર્ગેય ત્રિવેદી, ગૌરાંગ જાની, ગુલામ મોહમ્મદ શેખ, ઘનશ્યામ શાહ, ચંદુ મેહરીયા, ચિનાર શાહ, જાગૃત ગાડિત, જગદીશ પટેલ, જતીન શેઠ, જયંતિ પટેલ, જયશ્રી સોની, જયેશ દુધરેજીયા, જીગ્નેશ મેવાણી, જોસેફ મેકવાન, જ્યોતિ ભટ્ટ, ઝરણા પાઠક, ઝાકિયા સોમન, ડંકેશ ઓઝા, તખુભાઇ સાંડસુર, તન્મય તિમિર, તિમિર અમીન, દક્ષિણ છારા, દેવ દેસાઈ, દિપક દોશી, દીવાન ઠાકોર, દિલીપ ધોળકિયા, દિપ્તી જોશી, દિવ્યશા દોશી, દુર્ગેશ મોદી, દ્વારિકાનાથ રથ, નફીસા બારોટ, નટુભાઇ નિમ્બાર્ક, નટુભાઇ પરમાર, નટવર ગાંધી, નેહા રાવલ, નેહા શાહ, નિખિલ ગાંધી, નિર્ઝરી સિંહા, પ્રકાશ ન. શાહ, પલ્લવી ગાંધી, પંચમ શુક્લ, પંકિત દેસાઈ, પન્ના ઇરેસ્મસ, પન્ના નાયક, પાર્થ ત્રિવેદી, પરસીસ જિનવાલા, પ્રબોધ પરીખ, પ્રફુલ્લ રાવલ, પ્રતિષ્ઠા પંડ્યા, પ્રવીણ પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, પ્રસાદ ચાકો, ફ્રાન્સિસ પરમાર, બાબુ સુથાર, બારીન મહેતા,  બિનીત મોદી, બીના જાદવ, બિંદુ પ્રસાદ, બિપિન પટેલ, બિપિન શ્રોફ, ભાનુભાઇ પુરોહિત, ભરત મહેતા, ભાર્ગવ ઓઝા, ભાવિક રાજા, ભાવના રામરખિયાણી, માધવી દેસાઇ, મધુભાઇ ભાવસાર, મધુસૂદન વ્યાસ, મહાશ્વેતા જાની, મહેશ યાજ્ઞિક, મલ્લિકા સારાભાઇ, મનહર ઓઝા, મણિલાલ ગાલા, મનીષી જાની, મંજરી મેઘાણી, મીનાક્ષી જોશી, મહેબૂબ દેસાઇ, મેહુલ દેવકલા, મેહુલ મંગુબેન, મિકી દેસાઇ, મીનલ દવે, મોહન ત્રિવેદી, યજ્ઞેશ દવે, યશવંત મહેતા, યોસેફ મેકવાન, રજની દવે, રાજા પાઠક, રમણ સોની, રમેશ બાપોદરા, રમેશ ઓઝા, રમેશ સવાણી, રામસાગર પરિહાર, રાજેશ ઠાકર, રાજુ પટેલ, ઋતા શાહ, રીતિ શાહ, રોહિત પ્રજાપતિ, રુચિર જોશી, રૂપા મહેતા, રૂપાલી બર્ક, લાલુભા ચૌહાણ, ડો. વિજય મહેતા, વજેસિંહ પારગી, વર્ષા ગાંગુલી, વીણા પંડ્યા, વૈભવ કોઠારી, વિપુલ કલ્યાણી, શરીફા વિજળીવાલા, શીબા જ્યોર્જ, શેફાલી બલસારી શાહ, સલિલ ત્રિપાઠી, સમીર ભટ્ટ, સમિક્ષા ત્રિવેદી, સંધ્યા ભટ્ટ, સંજય ભાવે, સંજય છેલ, સંજીવ શાહ, સાહિલ પરમાર, સિદ્ધાર્થ ગુજરાતી, સૌમ્યા બલસારી,  સુભાષ જોશી, સુધીરચંદ્ર, સુખદેવ પટેલ, સુમન શાહ, સ્વાતિ દેસાઇ, સ્વાતિ ગોસ્વામી, સ્વાતિ જોશી, સરૂપ ધ્રુવ, હાજીભાઇ બાદી, હનીફ લાકડાવાલા, હરીશ મંગલમ, હર્ષ બ્રહ્મભટ્ટ, હેમંતકુમાર શાહ, હેમંત શાહ, હિરેન ગાંધી, હિમાંશી શેલત.

Loading

18 June 2021 admin
← અસ્થિઓ : જીવિત માનવદેહમાં હોય ત્યાં સુધી ધર્મનાં, દેહ પડે પછી ધર્મનિરપેક્ષ
સંવેદનાની સફરમાં →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved