Opinion Magazine
Number of visits: 9445839
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિલેક્ટિવ વિરોધ કેમ? સિલેક્ટિવ મૌન કેમ?

રમેશ સવાણી|Opinion - Opinion|27 August 2025

રમેશ સવાણી

ફિલ્મ કલાકારોને ફિલ્મને લગત એવોર્ડ મળે તે બરાબર છે. પરંતુ કોઈ વખત એમને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે તે ઉચિત છે કે કેમ તે પ્રશ્ન ઉદ્દભવે છે. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર લોકો માટે આદર્શ બનતાં હોય છે. અન્યાય સામે ચૂપ રહેનાર કલાકારને રાષ્ટ્રીય પુરસ્કાર મળે તે ઉચિત કહી શકાય નહીં. મહિલા પહેલવાનોનું યૌન શોષણ સામે આંદોલન હોય કે કિસાન આંદોલન હોય જો કલાકાર સરકારથી ડરીને ચૂપ રહે તો તે સમાજને અન્યાય સામે ચૂપ રહેવાનો સંદેશો આપે છે. ગરીબી / મોંઘવારી / બેરોજગારી / શિક્ષણ અને હોસ્પિટલના માફિયાનો ત્રાસ / દલિત-વંચિત પ્રત્યેનો ભેદભાવ / આદિવાસી શોષણ વગેરે સમસ્યા અંગે જો કલાકારો ચૂપ રહે તો તે આદર્શ બની શકે નહીં. 

હિન્દી ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચનનું ઉદાહરણ લઈએ. મનમોહન સિંઘની સરકાર વખતે તેમણે પેટ્રોલના ભાવ વધારા સામે ઝૂંબેશ કરી હતી, તે સારી બાબત હતી. પરંતુ મોદીજી વડા બનતા અચ્છે દિનના બદલે ખરાબ દિવસો જોવાનો સમય આવ્યો. મોંઘવારી વધી / બેરોજગારી વધી / પેટ્રોલ-ડીઝલની કિંમત વધી / ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થયું / હત્યારા અને બળાત્કારીઓને જેલ મુક્ત કર્યા / મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનારને બરાબર છાવર્યો / કિસાન આંદોલન દરમિયાન 750 કિસાનોના જીવ ગયા / ઈલેક્ટોરલ બોન્ડ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યા / 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમકોર્ટના ચાર ન્યાયાધીશો – જસ્તી ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ કરી લોકશાહી બચાવોનો પોકાર કર્યો / મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ અને ગેંગ રેપ થયાં / મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનારને મોદીજીએ છાવર્યો છતાં અમિતાભ બચ્ચને એક શબ્દ ઉચ્ચારવાની હિમ્મત કરી નહીં ! ફિલ્મી પરદે અન્યાય સામે ઝઝૂમતા અમિતાભે વાસ્તવિક જિંદગીમાં લોકોની વેદનાને બદલે સત્તાની ચાપલૂસી પસંદ કરી ! ભવિષ્યમાં તેમને ‘ભારત રત્ન’નો પુરસ્કાર અપાય તો લોકો તેમાંથી શું પ્રેરણા મેળવે? એ જ કે સત્તાની ચાપલૂસી કરવાથી પુરસ્કાર મળે છે ! 

બોલીવુડ ફિલ્મોને ઘણીવાર સપનાં વેચતી ફિલ્મો તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તે પ્રેક્ષકો માટે પલાયનવાદ અને કાલ્પનિકતા પ્રદાન કરે છે, જે ગ્લેમર, રોમાંસ અને જૂઠા જીવનની વાર્તાઓમાં દર્શકોને ગૂંચવી રાખે છે. લોકો ફિલ્મોમાં મનોરંજન અને તેમની દૈનિક વાસ્તવિકતાઓથી કામચલાઉ છટકબારી શોધે છે. બોલિવૂડ ફિલ્મોમાં વારંવાર ભવ્ય સેટ, વિદેશી સ્થાનો અને નાટકીય વાર્તાઓ દર્શાવવામાં આવે છે જે દર્શકોને તેમના રોજિંદા જીવનથી દૂર દુનિયામાં લઈ જાય છે. ઘણી બોલિવૂડ ફિલ્મો આદર્શ રોમેન્ટિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઘણીવાર સુંદર અભિનેતાઓ અને અભિનેત્રીઓ સાથે, અને પ્રેમ, ઝંખના અને અવરોધોને દૂર કરવાના વિષયો હોય છે અને તેમનો ઉપાય અવાસ્તવિક હોય છે. ફિલ્મો ઘણીવાર સંપત્તિ, ફેશન અને ઐશ્વર્યની દુનિયા દર્શાવે છે, જે પ્રેક્ષકોમાં મહત્ત્વાકાંક્ષા રોપે છે. લાર્જર-ધેન-લાઇફ કથાઓ હોય છે. ભવ્યતા અને ઉત્તેજનાની ભાવના હોય છે. કાલ્પનિક તત્ત્વો હોવા છતાં, બોલીવુડ ફિલ્મો ઘણીવાર પ્રેમ, હતાશા, આનંદ અને દુ:ખ જેવી સાર્વત્રિક માનવ લાગણીઓને નાટકીય પરિસ્થિતિઓ સાથે મૂકે છે. જેથી પ્રેક્ષકો પાત્રો અને તેમના અનુભવો સાથે જોડાઈ જાય છે. ફિલ્મો વાસ્તવિક જીવનથી થોડીવાર દૂર લઈ જાય છે. ફિલ્મો લાગણીઓનો અનુભવ કરવાની, નાટકીય કથાઓ જોવાની અને સુંદરતા અને કાલ્પનિક દુનિયામાં ડૂબકી લગાવવાની તક પૂરી પાડે છે. ફિલ્મો સપનાઓ વેચે છે, તેની સામે વાંધો નથી પરંતુ ફિલ્મો નફરત પણ વહેંચે છે. પ્રોપેગેન્ડા ફિલ્મો એવા શાસકો ઊભા કરે છે જેને માનવમૂલ્યો / બંધારણીય મૂલ્યો સાથે દુ:શ્મનાવટ હોય. માનસ પ્રદૂષણ કરનારી આવી અનેક ફિલ્મો આવી અને આવી રહી છે પરંતુ અમિતાભ બચ્ચન ચૂપ છે. 

અમિતાભ બચ્ચન /અક્ષય કુમાર / અનુપમ ખેર 2014 પહેલા સરકારનો વિરોધ કરતા હતા; પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરતા હતા. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરના 100 રૂપિયાને ક્રોસ કરી ગયા છે; છતાં અમિતાભ બચ્ચન / અક્ષય કુમાર / અનુપમ ખેર ચૂપ છે. લોકોની પીડા આ કલાકારોને સ્પર્શી શકતી નથી ! 24 મે 2012ના રોજ અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું : “પેટ્રોલમાં રપિયા 7.5નો વધારો ! પંપ એટેન્ડન્ટ : ‘કેટલાનું નાખું?’ મુંબઈવાસી : ‘2-4 રૂપિયાનું કાર ઉપર છાંટી દે, ભાઈ ! સળગાવવી છે !” એ વખતે પેટ્રોલની કિંમત 64 રૂપિયા હતી. અક્ષયકુમારે 27 ફેબ્રુઆરી 2012 ના રોજ ટ્વીટ કર્યું હતું ; “સાયકલ સાફ કરી લો; પેટ્રોલમાં બીજો ભાવવધારો આવી રહ્યો છે !” 14 ઓક્ટોબર 2012ના રોજ અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું : ‘“મેં મારા ડ્રાઇવરને પૂછ્યું : ‘મોડો કેમ આવ્યો?’ ‘સર, હું સાયકલ ઉપર આવ્યો !’ ‘કેમ? તારી મોટર સાયકલને શું થયું?’ ‘સર, હવે તેને ઘેર મૂકી દીધી છે; શોપીસ તરીકે !’ 26 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈમાં લિટર પેટ્રોલની કિંમત 103.5 છે. 2012માં એમને 64 રૂપિયાનું પેટ્રોલ મોંભ લાગતું હતું, હવે સસ્તું લાગે છે ! અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ 20 ઓગસ્ટ 2013ના રોજ કહ્યું હતું : “આજે હું હસવું રોકી શકી નહીં. રૂપિયાને બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે ડોલરને રાખડી બાંધવીને કહેવું મેરી રક્ષા કરના !” તેણે 24 સપ્ટેમ્બર 2013ના રોજ કહેલ કે : “આપણે સુધારણા માટે ફુગાવા અને બેરોજગારી પર ચર્ચા કરવી જોઈએ.” પણ 2014થી તે ચૂપ છે ! કેવી દંભની પરાકાષ્ઠા !

ફિલ્મ કલાકારો આપણને છેતરે છે ! અમિતાભ બચ્ચન / અનુપમ  ખેર / પ્રીતિ ઝિન્ટાએ બોલવું જોઈએ તેવો આગ્રહ નથી. પરંતુ સિલેક્ટિવ વિરોધ કેમ? સિલેક્ટિવ મૌન કેમ?

26 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

27 August 2025 Vipool Kalyani
← નરેન્દ્ર મોદીનું સ્વદેશી એટલે પ્લાસ્ટિકનું બેશરમ સફરજન
ગણપતિ બોલે છે … →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved