Opinion Magazine
Number of visits: 9449748
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસદ અને વિધાનગૃહોમાં જનપ્રતિનિધિઓનું વર્તન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 May 2025

ચંદુ મહેરિયા

એકસો એંસી સભ્યોની ગુજરાત વિધાનસભાના સમાપ્ત થયેલ અંદાજપત્ર સત્રની બપોરની બેઠકો ખાલી ખાલી રહેતી હતી. એક દિવસ તો એકસો પાંત્રીસ સભ્યો ગેરહાજર હતા. આ સમસ્યા માત્ર ગુજરાતની નથી.  દેશ આખાના વિધાનગૃહો અને સંસદની પણ છે. 

તેનો એક ઉકેલ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષને જડ્યો છે. લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વરસના માંડ પચાસેક દિવસ ચાલતા ગૃહો દરમિયાન પણ બપોરનાં જમણ બાદ વામકુક્ષી કે આડા પડખે થયા વિના ચાલતું નથી. એટલે તે કાયદા ઘડવા સંસદ કે વિધાનગૃહમાં જવાને બદલે ઝોકાં ખાવાનું પસંદ કરે છે. કર્ણાટક વિધાનસભાના સ્પીકરે વિધાનસભાની લાઉન્જમાં રિકલાઈનર કહેતાં આરામ ખુરશીઓની વ્યવસ્થા કરી છે. એટલે માનનીયો ત્યાં ઘડી બેઘડી ઝોકું ખાઈ લે અને પછી હાઉસમાં પધારે. 

વકફ બિલની ચર્ચા વખતે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો કે વિરોધ પક્ષના સિનિયર મેમ્બર્સ બિલના વિરોધમાં ઘણા મુદ્દા રજૂ કરે છે પરંતુ સરકારનો તે અંગેનો પક્ષ જાણવા મંત્રીનું ભાષણ સાંભળવા હાજર રહેતા નથી. 

તેલંગાણા વિધાનસભામાં કાઁગ્રેસી મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ વિપક્ષ બી.આર.સી.(ભારત રાષ્ટ્ર સમિતિ)ના ધારાસભ્યોને ખુલ્લેઆમ કાઁગ્રેસમાં જોડાવા આહવાન કર્યું. જો તેઓ આમ કરશે તો તેઓ (ચીફ મિનિસ્ટર) તેમની બેઠક ખાલી પાડી પેટાચૂંટણી થવા દેશે નહીં તેવી પણ ખાતરી આપી હતી. બી.આર.સી.ના જે ધારાસભ્યો અગાઉ રાજીનામુ આપી સત્તાધારી કાઁગ્રેસમાં જોડાયા છે તેમને વિધાનસભાના અધ્યક્ષે અયોગ્યતાની નોટિસ દસ મહિના સુધી આપી નહોતી. 

વકફ સંશોધન કાયદાના વિરોધમાં જમ્મુ કશ્મીર વિધાનસભામાં રુલીંગ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અબ્દુલ મજિદ લાર્મી તેમણે પહેરેલો કાળો કોટ ફાડી નાંખી ગૃહમાં લહેરાવ્યો હતો. ઉત્તર પ્રદેશ વિધાનસભાની સીડી પર ધારાસભ્યોએ પાનમસાલા ખાઈ થૂક્યાના ડાઘ જોવા મળ્યા પછી નારાજ વિધાનસભા સ્પીકરે યુ.પી. વિધાનસભા પરિસરમાં પાન-મસાલા- ગુટકાના સેવન પર પ્રતિબંધ મૂકી નિયમ તોડનાર પર રૂ. એક હજારના દંડની ઘોષણા કરી છે. 

સંસદ અને વિધાનગૃહો ચર્ચા, વાદવિવાદ અને વિમર્શના કેન્દ્રો છે પરંતુ આજે (અને કદાચ આવતીકાલે) તેની કેવી હાલત છે તેના આ કેટલાંક ઉદાહરણો છે. 

સમાચાર માધ્યમોમાં જનપ્રતિનિધિઓનાં વર્તન અંગે અવારનવાર સમાચારો પ્રગટ થતા રહે છે. સંસદ અને વિધાનસભાની કાર્યવાહી અને સભ્યોનાં વર્તન અંગેના નિયમો ઘડાયા છે. પરંતુ ઘણીવાર તેનું પાલન થતું નથી. વિધાનગૃહોની કામગીરી સરળ અને સુચારુ રીતે ચલાવવા સભ્યોનાં આચરણ અને બોલવા-ચાલવાની ઢબછબનું વર્ણન રૂલબુકમાં કરવામાં આવેલ છે. લોકસભા રૂલબુક્ના નિયમ ૩૪૯ થી ૩૫૬માં  સભ્યોનાં વર્તન સંબંધી નિયમો છે. તે પ્રમાણે સભ્યોએ ભાષણમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કોઈ અસંબદ્ધ પુસ્તક કે અખબાર ના દર્શાવવું, ભાષણ દરમિયાન અન્ય સભ્યોએ કોઈ વિક્ષેપ ઊભો ન કરવો, હસ્તક્ષેપની જરૂર હોય તો શિસ્તબદ્ધ રીતે અધ્યક્ષની અનુમતી લઈને જ બોલવું, સ્પીકર તરફ પીઠ રાખીને બેસવું કે ઊભા રહેવું નહીં, ગૃહમાં કોઈ ફોટો, પ્રતીક કે ઝંડો બતાવવો નહીં, નારા અથવા સૂત્રો લખેલ કપડાં પહેરવાં નહીં વગેરે બાબતો સમાવતા લોકસભા પ્રક્રિયા અને કાર્ય સંચાલનના નિયમો વિધ્યમાન છે અને તે નિયમો અને પ્રક્રિયા મુજબ ગૃહની કાર્યવાહી ચાલે છે. 

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જ મંત્રીઓ અને સભ્યોની વર્તણૂંક સંબંધી નિયમો આપવામાં આવ્યા હતા. જ્યારે કોઈ સભ્ય બોલતા હોય ત્યારે તે સભ્ય અને અધ્યક્ષની વચ્ચેથી  પસાર થઈ  ન શકાય, નારા લખેલું ટી શર્ટ પહેરી ન શકાય, ગૃહમાં લાકડી કે છત્રી ના લઈ જઈ શકાય, વેલમાં ધસી ન જવાય, પાન મસાલા કે બીજું કંઈ ચાવી ન શકાય, પાણી ન પી શકાય, પગ ઊંચા રાખીને કે ચઢાવીને બેસી ન શકાય, ગૃહમાં ઊંઘી ન શકાય જેવા નિયમો ગૃહની કાર્યવાહીને ગરિમાયુક્ત અને શાલીન બનાવે છે.

લોકસભામાં વિરોધપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પહેલું પ્રવચન આપ્યું ત્યારે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને શિવની તસ્વીર બતાવવા બદલ ટોક્યા હતા. સોનિયા ગાંધીએ બજેટ સત્રના આરંભે રાષ્ટ્રપતિના અભિભાષણ સંદર્ભે તે ખૂબ લાંબુ હોઈ બિચ્ચારાં રાષ્ટ્રપતિ વાંચતાં વાંચતાં થાકી ગયાં હતાં, એવો પ્રતિભાવ ગૃહની બહાર આપ્યો હતો. તેમણે બિચ્ચારા માટે અંગ્રેજી પુઅર લેડી શબ્દ પ્રયોગ કર્યો હતો. તેની એ હદે ટીકા થઈ કે ખુદ રાષ્ટ્રપતિ ભવન પણ પ્રેસ રિલીઝ દ્વારા સોનિયા ગાંધીની ટીકાને વખોડવા જોડાયું હતું. 

લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ વિધાન સભાઓમાં કે સંસદમાં થવું જોઈએ તેને બદલે ભળતા સળતા વિષયો અને આરોપપ્રત્યારોપ થતા હોય છે. કર્ણાટક વિધાનસભામાં મફતની રેવડીને અનુલક્ષીને વિપક્ષ જનતા દળ(સેક્યુલર)ના વરિષ્ઠ સભ્યે બહુ ગંભીરતાથી સરકાર સમક્ષ લોકોને દર અઠવાડિયે દારુની એક નહીં બે બોટલ મફત આપવા માંગણી કરી હતી. જો વીજળી, પાણી, શિક્ષણ, રાશન, આરોગ્ય મફત મળે તો દારુ કેમ નહીં, તેવી તેમની દલીલ હતી. જ્યારે દેશમાં ચોપાસ મોંઘવારીની બૂમાબૂમ છે ત્યારે લોકસભાના સભ્યોએ વધતાં વિમાન ભાડાં અને તેના પર સરકારના નિયંત્રણના મુદ્દે પસ્તાળ પાડી હતી. હરિયાણાના બી.જે.પી. સાંસદે લોકસભામાં કેન્દ્ર સરકારને અનાજ, ફળ અને શાકભાજીમાંથી દેશી દારુ બનાવવાની મંજૂરી આપવા અને નકલી દારુથી લોકોને બચાવવા સૂચન કર્યું હતું.

ગુજરાત વિધાનસભામાં ૧૫૬ની પ્રચંડ બહુમતી પછી તો વિધાનસભાની કાર્યવાહી સાવ જ સરળ બની ગઈ હોવી જોઈએ. ગૃહમાં ચાહે પ્રશ્નોતરી કાળ હોય કે અન્ય ચર્ચા સત્તા પક્ષના સભ્યો ગંભીરતાથી પોતાની વાત રજૂ કરવાને બદલે સરકારની વાહવાહી અને મુખ્ય મંત્રી તથા મંત્રીઓને અભિનંદન અને ધન્યવાદ જ આપ્યા કરતા હતા. હદ તો ત્યારે થાય જ્યારે પ્રશ્નોતરીમાં પેટા પ્રશ્ન માટે સ્પીકર કોઈ સભ્યને એલાઉ કરે તો તે સીધું જ કહી દે મારે કોઈ પ્રશ્ન નથી પણ સરકારને ફલાણાં ઢીકણાં કામ માટે અભિનંદન આપવા છે. આ પ્રકારના વર્તન સામે સ્પીકર પણ મોં વકાસીને બેસી રહે તેવી સ્થિતિ હોય છે. 

શું સભ્યોનું આવું બેમર્યાદ વર્તન ચલાવી લેવાય ખરું? રાહુલ ગાંધીની ફરિયાદ છે કે લોકસભા અધ્યક્ષ તેમને લોકસભામાં બોલવા જ દેતા નથી. તો અધ્યક્ષ તેમના વકતવ્યને અટકાવવાનું કારણ રૂલ બુક જણાવે છે. લોકસભા અને રાજ્યસભાના સ્પીકર્સ સામે વિપક્ષો દર વખતે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ઘોષણા કરે છે એટલે અધ્યક્ષોનું વલણ પણ વિપક્ષોને અન્યાયકર્તા અને બિનલોકશાહી જણાય છે.

 સાંસદો અને વિધાનસભ્યોના આ પ્રકારનાં આચરણનું કારણ શું હશે? શું ચૂંટાયેલા પ્રજા સેવકોનો લોકો સાથેનો સંપર્ક રહ્યો નથી કે તેઓ ચૂંટણી પછી કોઈ બીજી જ દુનિયામાં વસે છે? જનપ્રતિનિધિઓની ગુણવતામાં કોઈ ઓટ આવી રહી છે એટલે આમ થાય છે? ધ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોમ્સ(ADR)ના દેશના ૪,૦૯૨ ધારાસભ્યોના ચૂંટણી પંચ સમક્ષના એફિડેવિટના વિષ્લેષણ પ્રમાણે ૪૫ ટકા ધારાસભ્યો સામે અપરાધિક કેસો નોંધાયેલા છે. કાઁગ્રેસના ૫૨ અને ભા.જ.પ.ના ૩૯ ટકા ધારાસભ્યો ક્રિમિનલ કેસોનો સામનો કરી રહ્યા છે. લોકસભાના ૫૪૩માંથી ૨૫૧ સભ્યો પર ક્રિમિનલ કેસ છે. શું વિધાનગૃહોની ગરિમાને લાગેલા લૂણાનું આ કારણ હશે ? કર્ણાટક્ના ૩૧, આંધ્રના ૨૭, મહારાષ્ટ્રના ૧૮ ધારાસભ્યો અબજોપતિ છે. દેશના ધારાસભ્યોની કુલ સંપત્તિ રૂ. ૨,૭૩,૩૪૮ કરોડ અને સરેરાશ વ્યક્તિગત સંપત્તિ રૂ.૧૮ કરોડ છે.  એટલે બાહુબળ અને ધનબળનું મિશ્રણ કારણ હશે?  

 યુરોપિય દેશ સર્બિયામાં સરકારના ભ્રષ્ટાચાર સામે વિદ્યાર્થીઓએ હમણાં આંદોલન કર્યું હતું. વિરોધપક્ષો પણ તેના સમર્થનમાં હતા. તેનો પડઘો સર્બિયાની સંસદમાં પણ પડ્યો. વિપક્ષે વિરોધમાં પાર્લામેન્ટ્માં સ્મોક ગ્રેનેડ અને ટિયરગેસના સેલ છોડ્યા. તેનાથી સંસદમાં ધુમાડો ફેલાયો, ગુંગળામણ થઈ અને અંધાધૂધી મચી. ભારતની સંસદમાં મારામારી અને ધક્કામુક્કી થાય છે પણ હજુ સ્મોક ગ્રેનેડ નથી ફેંકાયા તેનો આનંદ થવો જોઈએ. ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટસિટીમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ (SOUL) આકાર લઈ રહી છે. જેમાં રાજકારણને કેરિયર બનાવવા માંગતા યુવાનોને રાજકારણના પાઠ ભણાવાશે. આવા ઉપક્રમો આશા જગાડે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

1 May 2025 Vipool Kalyani
← સરકાર એટલે નિર્દયતા અને નરાધમતા
ચંડોળા પર બુલડોઝર અંગે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved