Opinion Magazine
Number of visits: 9451971
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંગીત માર્તંડ પંડિત જસરાજ જેવા કેટલા ય સૂર્ય આથમ્યા પછી ય તેમની લાલીમા સંગીતના આકાશમાં યથાવત્

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 August 2020

ભારતીય શાસ્ત્રીય સંગીતનું બ્રહ્માંડ વિશાળ છે અને હજી તો અહીં સૂરજ નહીં પણ આગવી આકાશગંગા સમા કલાકારો અને વિદ્વાનો પણ થયાં છે. એક યુગનું પૂર્ણ વિરામ બીજા યુગની જવાબદારી બને છે.

આ વંચાતું હશે ત્યારે સાત સૂરોના સામ્રાજ્યના ઝળહળતા તાજ સમા સંગીત માર્તંડ પંડિત જસરાજ પંચમહાભૂતમાં વિલિન થઇ ચૂક્યા હશે. 90 વર્ષની ઉંમર અને એંશી વર્ષ સુધી સંગીત સાથેનો સંબંધ ગણતરીના શબ્દોમાં બંધાઇ ન શકે. આ વિભૂતિને ત્રણ સપ્તક કે તાલની માત્રાઓનાં બંધન નહોતાં જ છતાં ય એ ગણતરીઓ, એ સ્વરોની ગોઠવણ વચ્ચે એક જિનિયસ જિંદગી જીવાઇ. જેની તોલે કોઇ ન આવી શકે તેવા પંડિત જસરાજ જેવા તો સદીમાં માંડ એકાદ પાકે એમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી. ગહેરાઇ અને સુંવાળપ બન્નેનું પરફેક્ટ બેલેન્સ ધરાવતા પંડિત જસરાજ દેશી અને માર્ગી કળાનો ભેદ તો પારખતા જ પણ તેમનો અભિગમ હંમેશાં લોકલક્ષી રહ્યો. હવેલી સંગીત અને ભજનને શાસ્ત્રીય સ્તરે લાવવા અને ભાવ અને ભક્તિ બન્નેને પરાકાષ્ઠાનો અનુભવ શાસ્ત્રીય સંગીતના માધ્યમથી ભલભલાને કરાવવો તેમનું કૌશલ્ય હતું.

છેલ્લા એક દાયકામાં ભારતીય શાસ્ત્રીય સંગીત વાદ્ય વિશ્વએ જે ગુમાવ્યા છે તે તમામ કોઇ સીમા ચિહ્નોથી કમ નથી. તે દરેક આગવો સૂરજ હતા. પછી તે પંડિત ભીમસેન જોશી હોય, પંડિત રવિશંકર હોય, લક્ષ્મી શંકર હોય, અન્નપૂર્ણા દેવી, કિશોરી આમોણકર, ગિરીજા દેવી, રમાકાંત ગુંડેચા, એમ બાલમુરલીક્રિષ્ના, બબ્બન રાવ હળદનકર, અબ્દુલ હલીમ જાફર ખાન, કાદરી ગોપાલનાથ છેલ્લાં દસ વર્ષની ખોટ છે. તો પહેલાં ઉત્સાદ બિસમિલ્લા ખાન તે પહેલાંના દાયકામાં અને એ દાયકાની શરૂઆતમાં ઉસ્તાદ અલ્લરખ્ખા કુરેશી. છેક અઢી-ત્રણ દાયકાની સફર ખેડીએ તો ય આપણને જે સીમા ચિહ્નો સામા મળે છે તેમની બરોબરી કરી શકે તેવું કે તેમના જેટલું કે તેમના જેવું યોગદાન આપી શકે તેવું આ સંગીત સમ્રાટો પછીનો જે ફાલ થયો છે તેમાં છે, તેવું ગળું ખોંખારીને દરેક કળા, ઘરાના, વાદ્ય માટે કહેવું શક્ય નથી. સિતારવાદક  મેસ્ટ્રો શૂજાત ખાને એક મુલાકાતમાં કહ્યું હતું કે, “કાં તો તમે ગુમાવી દીધું છે તેનો અફસોસ કરી શકો કાં તો પછી તમે જે યુગ તેઓ સર્જીને ગયા છે તેને જીવો, સ્વીકારો અને ઉજવો.”

જે ગયાં તેમની કલાની ઝલક પણ ધૂમકેતુ જેવી ઝળાહળાં જ હોય અને માટે ભલે ટૂંકમાં તો ટૂંકમાં પણ તેમના યોગદાનનો એક સૂર તો લલકારવો જ રહ્યો. ઉસ્તાદ અલ્લા રખા જેને એક પેઢી ઝાકીર હુસેનના પિતા તરીકે જાણે છે, તેમને કારણે તબલાંને એક અલાયદા વાદ્યનો દરજ્જો મળ્યો. તેમને તબલાના આઇન્સ્ટાઇન અને પિકાસો કહેવાતા. તેમણે તબલાને સેન્ટર સ્ટેજમાં લાવવાનું કામ કર્યું, જે તે પહેલાં તો ભારતીય શાસ્ત્રીય સંગીતના હાંસિયામાં રહેલા વાદ્ય હતા.

ઉસ્તાદ બિસમિલ્લા ખાન જેમને આપણે 2006ની સાલમાં ખોયા તેમનું ઉત્તર પ્રદેશમાં આવેલું ઘર બચાવવાની ચર્ચાઓ ચાલી રહી છે.  શરણાઇના સૂર બ્રહ્માંડના આયામો સુધી જેને કારણે પહોંચ્યા તેવા આ ઉસ્તાદ તો એવા ધર્મમાં જન્મ્યા હતા, જ્યાં સંગીત ‘હરામ’ ગણાતું અને તેઓ સતત સરસ્વતીની ઉપાસના કરતા જેથી તે શરણાઇવાદન શીખી શકે. એડિનબરા મ્યુઝિક ફેસ્ટિવલમાં શરણાઇવાદન થકી ભારતનું નામ રેલાવ્યું હતું તેવા ઉસ્તાદે કાન આર્ટ ફેસ્ટિવલ, ઓસાકા ટ્રેડ ફેર અને વર્લ્ડ એક્પોઝિશન મોન્ટ્રીએલમાં પણ કાર્યક્રમો કર્યા.

પંડિત રવિ શંકરની વાત કરીએ તો ભારતીય શાસ્ત્રીય સંગીતને વિદેશી ઓપેરા હાઉસિઝ, મોટાં ઑડિટોરિયમ્સની દિશા બતાડવાનો શ્રેય સિતાર પર સડસડાટ ફરતી આંગળીઓને જ જાય છે. દુનિયા આખીમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રતિનિધિ તરીકે પહોંચી વળવાનું જાણે તેમણે બીડું ઝડપ્યું હતું. તેમના પર જે બાયોગ્રાફી લખાઇ છે તેનું મુખ્ય શિર્ષક છે, ‘ઇન્ડિયન સન’ અને પછી ‘લાઇફ એન્ડ મ્યુઝિક ઑફ રવિ શંકર’. તેમની અંગત જિંદગી પર પણ ઘણું લખાયું છે, બોલાયું છે અને એ બધા ઘોંઘાટ અને ગાણાં વચ્ચે એ જ્ઞાનના તેજ અને સેક્સ અપીલથી તરબતર ચહેરાએ સિતાર પરથી દ્રષ્ટિ મચકવા જ ન દીધી. પંડિત રવિશંકરના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં જ્યોર્જ હેરિસન, જોન કોલટ્રેન, ફિલીપ ગ્લાસ અને યેહૂદી મેનુહિનનો સમાવેશ થાય છે. પંડિત ભીમેસન જોશી તેમની ખયાલ ગાયકી માટે પ્રતિષ્ઠિત હતા. 2011માં આપણે તેમને ગુમાવ્યા અને કિરાના ઘરાના સંગીતમાં જાણે કોઇ વ્યાસપીઠ ખાલી થઇ ગઇ. તેમની તાન, તાલ પર પકડ અને તમામ સ્તરનાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકવાની શક્તિ તેમની ઓળખ બની. તેમને પ્રયોગો કરવાનું બહુ ન ગમતું અને તેઓ શાસ્ત્રોક્ત અને નાટ્ય શાસ્ત્રની ભાષામાં કહીએ તો ‘માર્ગી’ શૈલીને અનુસરવાનું જ પસંદ કરતા.

શાસ્ત્રીય સંગીતના વિશ્વનો અન્ય એક ચહેરો હતો કિશોરી આમોણકર. ભારતીય સંગીતની દુનિયામાં ડગ માંડ્યા ત્યારે બડે ગુલામ અલી ખાન અને આમીર ખાનનો જમાનો ચાલતો હતો. દરેક એમનાં નકશેકદમ પર ચાલવા માંગતા હતાં. આ સંજોગોમાં કિશોરી આમોણકરે પોતાની અલગ કેડ કંડારી. ત્રણેયની ગાયકીઓ સાંભળીએ ત્યારે એમની વચ્ચેનાં તફાવતો, એમની વિશેષતાઓ, લક્ષણો, સ્વર ઉપાડવાની શૈલીઓ તમામ અલગ તરી આવે. આમીરખાન અને બડે ગુલામઅલી ખાનનો સમય ચાલતો હોય ત્યારે પોતાની આગવી શૈલીનો સ્તંભ ખડો કરવું લગભગ અશક્ય હતું પણ કિશોરીતાઇએ એ પણ કર્યું. એમનાં સંગીતમાં ગર્વ હતો પણ પ્રતિભામાં નહોતો અને માટે જ એમનાં પટ્ટ શિષ્યા આરતી એમના માર્ગદર્શને હેઠળ પોતાનો ચિલો ચાતરી શક્યાં. 2017માં કિશોરી આમોણકરનો સૂર વિલાયો તો તેમની પાછળ એ જ વર્ષે ગિરીજા દેવીનો અવાજ પણ પરમાત્મા સુધી પહોંચ્યો. બનારસમાં વહેતી ગંગાના ખળખળ અવાજની પ્રતિકૃતિ સમાં ગિરીજા દેવીને કારણે ઠુમરી, દાદરા, ચૈતી, કજરી, હોરી અને ટપ્પા જેવી ગાયકીને મહેફીલમાંથી નીકળીને મંચ પર આવવાનો મોકો મળ્યો અને ત્યાંથી એ સફર ઓલ ઇન્ડિયા રેડિયો સુધી પહોંચી. ગિરીજા દેવીએ પુરબિયા ગાયકીને એક નવો જ દરજ્જો બક્ષ્યો. આ કલાકારોની સાથે તો ધ્રુપદ ગાયક સૈયુદ્દિન ડાગર, સારંગી ઉસ્તાદ રમેશ મિશ્રા અને ધ્રુબા ઘોષે શાસ્ત્રીય સંગીતનાં મંચ પરથી આ અરસામાં જ એક્ઝિટ લીધી.

ભારતીય શાસ્ત્રીય સંગીતનું બ્રહ્માંડ વિશાળ છે અને હજી તો અહીં સૂરજ નહીં પણ આગવી આકાશગંગા સમા ઓમકાર નાથ ઠાકુર, કુમાર ગાંધર્વ, વિદુષી સિદ્ધેશ્વરી દેવી અને શોભા ગુર્તુ જેવાં નામો પણ છે. આ નામોની ગણતરી અને તેમના યોગદાનની ઝલક મેળવવા માટે એક યુગ વિતે. શબ્દોની મર્યાદામાં સૂરો નથી જીવી શકાતા.

બાય ધી વેઃ

જે ગયાં છે તેમનો વારસો સાચવવો પણ બહુ મોટી જવાબદારી છે. નવા ગાયકો આવે છે, નવું કરે છે, જૂનું સાચવતા જાય છે. બહેતર કરવાનો પ્રયાસ કરે છે, સફળ પણ થાય છે પણ કોણજાણે કેમ જે સૂર્ય હતા તે સૂર્ય જ હતા અને તેમની તોલે કોઇને ન મુકી શકાય. આ બધું સાચા સોનાના તારે તૈયાર થયેલી જરી જેવું છે, ખૂબ મૂલ્યવાન પણ સાચવવાનું પણ અઘરું. સંગીત લોકો સુધી પહોંચાડવાના માર્ગ બદલાઇ ગયા છે, ઑડિયન્સિઝ પણ બદલાયાં છે. પ્રયોગોમાં અને કંઇક નવું હોય એમાં લોકોને રસ છે પણ છતાં ય આલાપ, રાગ, તાન અને હરકતની શુદ્ધતા માણતાં લોકોને આવડી જ જાય છે, એટલું સારું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑગસ્ટ 2020 

Loading

23 August 2020 admin
← ગુજરાતમાં ૭૦ માળની ઇમારતો સંદર્ભે ચિંતન અને ચિંતા …
વિકાસનામાની સફરમાં સામાન્ય માણસ ક્યાં ? →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved