Opinion Magazine
Number of visits: 9448332
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સાર્થક જલસો’નો સોળમો અંક

રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|3 June 2022

થોડાં વર્ષો પહેલા પપ્પા દિલ્હી આવેલા. દીકરી મને પૂછે છે કે “મમ્મી તે નાના માટે આજે શું કર્યું?” પહેલાં તો હું કઈ સમજી નહીં. પછી તેણે ફોડ પડતાં કહ્યું “આજે ફાધર’સ ડે છે, મમ્મી.” 

“નાનાનાં કપડાં ધોઈ નાંખ્યાં”, કપડાં સૂકવતાં સૂક્વતાં મેં જવાબ આપ્યો. તે પછી મારુ મન વિચારે ચડ્યું, શું ફાધર્સ ડે નિમિત્તે કઇંક અભિવ્યકિત કરવી અનિવાર્ય છે? વાત ધીરે–ધીરે વિસરાઈ ગઈ.

પછી જ્યારે જુલાઇ 2019માં ઉર્વીશભાઇ અને મિત્રોએ પ્રકાશોત્સવનું આયોજન કર્યું, ત્યારે સંજોગોવશાત્‌ હું હાજર રહી શકી નહોતી. દિલ્હીમાં બેઠે બેઠે મન તો ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં આગોતરું જ પહોંચી ગયું  હતું. એક પછી એક પપ્પા સાથેના બાળપણના પ્રસંગો યાદ આવતા ગયા તેમ તેમ ટક-ટક કરતી ગઈ. તે પછી રોજીંદી ઘટમાળમાં વાત વિસરાઈ ગઈ. પ્રકાશોત્સવ પછી જ્યારે પપ્પાની કૃપાલાની વ્યાખ્યાનમાળા transcribe કરવાનું ચાલુ કર્યું, ત્યારથી સાહિત્ય વારસાને સમાજજીવન સાથે સાંકળતા પ્રકાશ ન. શાહની છબી મનમાં ચોવીસે કલાક ગુંજતી રહેતી, ત્યાં તો ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ચૂંટણીનાં ઉમેદવાર તરીકે પ્રકાશ ન. શાહની પાત્રતા વિષે કંટ્રોવર્સી ચાલી, ત્યારે સમાજજીવી સાહિત્યકાર પ્રકાશ ન. શાહની કથા માંડ્યા વગર રહેવાયું નહીં. તે લખતાં-લખતાં  વચ્ચે-વચ્ચે તો એક શિક્ષિકા વિદ્યાર્થીનું પ્રગતિપત્રક લખવા બેઠી હોય, તેવા ઉભરા પણ મારા મને અનુભવ્યા હશે. તે નિમિત્તે જ પહેલી વખત ફેસબુક એકાઉન્ટ પણ  ખૂલ્યું, ત્યાં વળી પાછું ચંદુભાઈ મહેરિયા અને ઉર્વીશભાઈ કોઠારીનું ‘સાર્થક જલસા’ માટે આમંત્રણ મળ્યું. ઉર્વીશભાઈનું કહેવું હતું કે વિસ્તારથી લખવું. લેખ ગમે તેટલો લાંબો થાય તેની ચિંતા નથી. તેમણે પપ્પા સાથે કરાવેલી આંતરિક યાત્રા તે મારે માટે એક આધ્યાત્મિક યાત્રા બની રહી. ચંદુભાઈ, ઉર્વીશભાઇ તથા સમગ્ર ‘સાર્થક પરિવાર’નો આભાર માનું એટલો ઓછો. 

− રીતિ શાહ

[રીતિબહેનની ફેઈસબૂક દીવાલેથી સાદર]

••••• 

‘સાર્થક જલસો’નો સોળમો અંક

ઑક્ટોબર ૨૦૧૩થી, કોરોનાકાળનાં બે મોજાંને બાદ કરતાં, દર છ મહિને નિયમિત રીતે પ્રગટ થતા સામયિક ‘સાર્થક જલસો’નો ૧૬મો અંક પ્રકાશિત થયો છે.

દર વખતની જેમ અવનવા વિષયો અંગેના વિગતવાર લેખો આ અંકમાં પણ જોવા મળે છે. જેમ કે, આયુર્વેદની તરફેણ કે વિરોધની આત્યંતિકતામાં ગયા વિના, સ્વસ્થ-અભ્યાસનિષ્ઠ દૃષ્ટિથી આયુર્વેદનાં વિવિધ પાસાં ચર્ચતો ડૉ. વિરલ દેસાઈનો લેખ, રાયપુરની-અમદાવાદની પોળની ઉત્તરાયણનાં અનેક પાસાંનું હાડોહાડ પતંગરસિયા પ્રણવ અધ્યારુએ કરેલું આલેખન, ગુજરાતના રાજકારણ વિશે હસમુખ પટેલનો લેખ.

બીરેન કોઠારીનો આઇ.પી.સી.એલ.ની લુપ્ત ‘પેટાસંસ્કૃતિ’ વિશેનો લેખ અને જગદીશ પટેલનો નંદેસરીની ખાનગી ફૅક્ટરીમાં સોળ વર્ષની કામગીરીનો અનુભવ – બે સામા છેડાની વાસ્તવિકતાઓનો પરિચય કરાવે છે. આઈ.પી.સી.એલ.માં કર્મચારીઓ માટે અઢળક સુવિધાઓ અને તેની વચ્ચે પાંગરતી વિશિષ્ટ માનસિકતા તથા તેની સામે ખાનગી ફૅક્ટરીમાં નાનામાં નાની બાબતમાં કરવા પડતા સંઘર્ષોની વાત એક જ અંકમાં મુકાઈ હોવાથી તે સ્વતંત્ર લેખ ઉપરાંત, એકબીજાના સંદર્ભે પણ વિશિષ્ટ બની રહ્યા છે.

ગુજરાતી પત્રકારત્વનાં બસો વર્ષ નિમિત્તે ડૉ. સુશ્રુત પટેલે તૈયાર કરેલો ગુજરાતીનાં જ્ઞાનવિજ્ઞાન સામયિકો-પત્રકારત્વ વિશેનો લેખ અભૂતપૂર્વ છે. તેમાં લગભગ દોઢસો વર્ષના પ્રવાહો આવરી લેવાયા છે. એ જ સિલસિલામાં ઉર્વીશ કોઠારીએ ગુજરાતી પત્રકારત્વના અભ્યાસ માટે ઉપયોગી એવાં કેટલાંક પુસ્તકોનો પરિચય કરાવ્યો છે અને તેમની ઉપયોગિતા ચીંધી આપી છે.

આરતી નાયરે લંડનમાં અભ્યાસ દરમિયાન કેરેબિયન ટાપુઓ, પાકિસ્તાન, ચીન અને પેલેસ્ટાઇન જેવા દેશોના સહાધ્યાયીઓ સાથે થયેલી વાતચીત દ્વારા જુદી દુનિયાનું દર્શન કરાવ્યું છે. કેપ્ટન નરેન્દ્રના ટૂંકા લેખમાં પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓનો સ્વાહિલી ભાષા સાથેનો સંબંધ હળવી રીતે આલેખાયો છે. રીતિ શાહે તેમના પિતા પ્રકાશ ન. શાહ વિશે પોતાનાં બાળપણથી મોટપણ સુધીનાં અંગત સંસ્મરણો હળવાશપૂર્વક છતાં ભાવગંભીર રીતે લખ્યાં છે. તે લેખમાં પ્રકાશભાઈએ રીતિને જેલમાંથી લખેલા અને ‘સેન્સર્ડ’ની છાપ ધરાવતા કેટલાક પત્રો પણ છે. આ ઉપરાંત, રજનીકુમાર પંડ્યાના આત્મકથાનકનો અંશ પણ છે, જે તેમના જીવનના નાટ્યાત્મક ચઢાવઉતાર અને તે સમયને તીવ્ર સંવેદન સાથે પુનઃજીવિત કરે છે.

‘સાર્થક જલસો-૧૬’ મેળવવા માટે સંપર્કઃ કાર્તિક શાહ (મોઃ ૯૮૨૫૨ ૯૦૭૯૬), ઓનલાઇન મેળવવા માટે saarthakprakashan.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13

Loading

3 June 2022 admin
← ઘઉંની નિકાસબંધી : ખેડૂત, ગ્રાહક અને સરકારનું ત્રાજવું
‘એ લોકો’ ગરમીથી નહીં, ગરીબીથી મરે છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved