Opinion Magazine
Number of visits: 9448952
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક ન્યાય માટે અત્યાચારના રાજકારણને બદલવાની જરૂરિયાત

ધવલ મહેતા|Opinion - Opinion|19 December 2017

સામાજિક ન્યાયના વિચારમાં આર્થિક ન્યાયનો સમાવેશ થઈ જાય છે. આર્થિક ન્યાય એટલે દેશના દરેક નાગરિકની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે અને સમય જતાં આર્થિક અસમાનતા પણ ઘટે. કોઈ પણ સમાજમાં દરેકને તદ્દન સરખો પગાર કે મહેનતાણું ન આપી શકાય, પરંતુ તેની કુશળતા અને કામની ધગશ (મોટિવેશન) પ્રમાણે તે આપી શકાય. આ માટે કયા રાજકારણની અને અર્થકારણની જરૂર છે, તેનો માનવજાતને હજી પૂર્ણ ખ્યાલ આવ્યો નથી.

જગતનું અર્થકારણ :

ઘણાં માને છે કે, જગતનું અર્થકારણ ખાડે ગયું છે. આ વાતમાં તથ્ય નથી. સમગ્ર જગતનું અર્થકારણ ઈ.સ. ૧૯૬૧થી ૩.૮ ટકાના દરે વિકાસ કરે છે. જગતમાંથી ગરીબી બહુ જ ધીમી ગતિએ વધી નહીં, ઘટી રહી છે … દુકાળમાં ભૂખમરાથી થતાં મરણો તદ્દન ઓછાં થઈ ગયાં છે. જગતમાં શહેરીકરણનો દોર ૫૦ ટકાથી ઉપર ગયો છે. અત્યારે જગત ૫૪ ટકા શહેરી છે. જગતનું કલ્ચર શહેરી થતું જાય છે અને ગ્રામ્ય કલ્ચર શોષાતું જાય છે. જગતમાં અનેક ગરીબ દેશો (મુખ્યત્વે આફ્રિકમાં) હોવા છતાં વ્યક્તિ દીઠ આવક વધતી જાય છે ને છેલ્લે, જગતની વસતી વધતી જાય છે પરંતુ વસતીવધારાનો દર ઘટતો જય છે. વળી, આજનું જગત માહિતી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે અને સમગ્ર જગતમાં મોબાઇલ ટેલિફોન્સ તથા ઈન્ટરનેટ વાપરનરાઓનું પ્રમાણ વધી રહ્યું છે.

થોડાંક વર્ષ બાદ જગતમાં દરેક પુખ્ત વ્યક્તિ પાસે સેલફોન હશે તેવી સંભાવના છે, પરંતુ અત્યારે સૌથી ચિંતાજનક બાબત વિશ્વમાં બની રહી છે. વિશ્વમાં આવક અને સંપત્તિની અસમાનતા વધતી જાય છે એટલે કે ઊંચો આર્થિક વૃદ્ધિદર આર્થિક અસમાનતા ઓછી કરવાને બદલે વધારે છે. જગતના અમુક દેશો અત્યંત ગરીબ છે જેમાં બરુન્ડી, નાઇજર, ઈથોપિયા, નેપાળ, ટાન્ઝાનિયા, બાલી, કેન્યા, સોમાલિયા તથા સહારાના રણની નીચેના આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની માથા દીઠ આવકની સરખામણીમાં ભારતની માથા દીઠ આવક વધુ છે. જગત અત્યારે માંગના અભાવમાં હળવી મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, તેમ છતાં જગતમાં સૌથી મોટા દેશોમાં સૌથી ઊંચો આર્થિક વૃદ્ધિદર ૨૦૧૬માં ભારતે ૭.૬ ટકા અને પછી ચીને ૬.૯ ટકા નોંધાવ્યો હતો, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અૉવ્ અમેરિકાનો માત્ર ૨.૪ ટકા, યુનાઇટેડ કિંગ્ડમનો માત્ર ૨.૩ ટકા, જાપાનનો માત્ર અડધો ટકો અને બ્રાઝિલનો માઇનસ ૪.૭ ટકા અને કલ્યાણ રાજ્યો ગણાતા ડેન્માર્કમાં માત્ર ૧.૨ ટકા, ફીનલેન્ડમાં માત્ર અડધો ટકો, સ્વીડનમાં ૪.૧ ટકા અને સ્વિટઝર્લેન્ડમાં એક ટકાથી પણ ઓછો હતો. ટૂંકમાં, મોટા દેશોના અર્થકારણના વૃદ્ધિદરમાં ભારતનો નંબર-૧નો ડંકો વાગી રહ્યો છે, પરંતુ સામાજિક ન્યાયની (ખાસ કરીને સ્ત્રીઓ અને દલિતોનેે ન્યાય આપવામાં તથા ઇન્ક્‌લ્યુિઝવ ગ્રોથની તથા રોજગારીની બાબતમાં) તેનો ડંકો બહુ ધીમા અવાજે વાગી રહ્યો છે. પર્સનાલિટી કલ્ટ બાબતમાં બી.જે.પી. પ્રેરિત રાષ્ટ્રવાદના જંગી પ્રચારમાં સામાજિક ન્યાયની માંગણીઓ ક્ષીણ થઈ જાય છે.

ટ્રીકલ ડાઉન :

ભારતમાં ૨૦૦૦ પછી થયેલ આર્થિક વૃદ્ધિદરથી અને અમેરિકાથી પણ ઊંચા આર્થિક વૃદ્ધિદરથી જગત ચક્તિ થઈ ગયું છે, પરંતુ જગતના કેટલાક સમૃદ્ધ દેશોમાં સંપત્તિનું ઝમણ ઉપરથી નીચે થવાને બદલે નીચેથી ઉપર થઈ રહ્યું છે. અત્યારે અર્થશાસ્ત્રની ટ્રીકલ ડાઉન(ઉપરથી નીચે ઝમણ)ની થિયરી ખોટી પડી રહી છે. નીચેથી જે લાભો ઉપર જાય તેને ઝમણને બદલી બીજું કાંઈક નામ (કદાચ પ્રતિઝમણ, કેટ્રીકલઅપ) આપવું પડશે. ટૂંકમાં, જગતમાંથી ભૂખમરો ઓછો થતો જાય છે. ગરીબીરેખા હેઠળ રહેતા લોકોની સંખ્ય ધીમે ધીમે ઘટી રહી છે, જગતના લગભગ ૩.૮ ટકાના આર્થિક વૃદ્ધિદરથી પ્રગતિ કરી રહ્યું છે. જગતના લોકોની સરાસરી આવરદા વધી રહી છે અને સરાસરી શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. જગતમાં રોગચાળાથી થતાં મરણ ઓછાં થતાં જાય છે.

ધાર્મિક ઝનૂનવાદ :

જગતના રાજકારણમાં જે કાંઈ ચિંતાજનક બની રહ્યું છે, તે ધાર્મિક હિંસાના સાર્વત્રિક બનાવો છે. ઇસ્લામિક આતંકીઓ ઘડિયાળના કાંટા પાછા ફેરવવા માગે છે, જગતને મધ્યયુગ(ફ્‌યુડઝલ એજ)માં લઈ જવા માગે છે, સ્ત્રીઓના હક્કો કચડી નાખવા માગે છે અને સિક્યુલારિઝમનો વિચાર પણ ખતમ કરવા માંગે છે. પશ્ચિમ જગતના રેનેર્સા, રેફર્મેશન તથા એનલાઇનમેન્ટના વિચારોને ખતમ કરવા માગે છે. આ ધાર્મિક ઝનૂનને ચલાવી લેવાય નહીં. જગતમાં અત્યારે લગભગ (ભારત સહિત) તમામ દેશોમાં જમણેરી રાજકીય વિચારધારા ચાલી રહી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાનો સંઘર્ષ અને રાષ્ટ્રોનું પ્રદર્શન જગતમાં અણુયુદ્ધ ઊભું કરે તેવો જગતને હવે ભય લાગવા માંડ્યો છે.

જગતની આર્થિક પ્રગતિ હવે જગતના રાજકારણના હાથમાં છે, ધર્મમાં નથી આ અંગે કિશોરીલાલ મશરૂવાળા તેમના સમૂળીક્રાંતિ (૧૮૪૮)માં સારી રીતે જ લખે છે, ‘ઘણાં વર્ષોથી હું કહેતો આવ્યો છું અને મારી માન્યતા વધારે ને વધારે દૃઢ થતી જાય છે કે આજનો એક પણ ધર્મ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરે – માનવ સમાજના આ જમાનાના કોયડાઓનો ઉકેલ લાવી શકવા લાયક રહ્યો નથી. બધા નિષ્પ્રાણ થયેલા છે અને કોઈનો ય તેના મૂળ સ્વરૂપમાં ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવે તો ય આ પ્રશ્નો ઉકેલી શકાય તેમ નથી. અને આ બાબતમાં હિન્દુધર્મ સૌથી વધારે નિષ્પ્રાણ છે અને ભ્રમોનો ઉચ્છેદ કરવા માટે અયોગ્ય છે.’ ટૂંકમાં, શ્રી મશરૂવાળા મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે ધર્મોને સામાજિક અને આર્થિક ન્યાય મેળવવા લાયક સમજતા નથી. તેમને મતે સામાજિક અને આર્થિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તમામ ધર્મો તદ્દન ‘ઇરેલેવન્ટ’ છે. ભારતમાં રાષ્ટ્રીય સેવકસંઘે અને ઇસ્લામ જગતનાં અનેક જૂથોએ આની નોંધ લેવા જેવી છે – માનવજાતનો આદર્શો તો લિબર્ટી, ઇક્વાલિટી અને ફોર્ટનિટી(અથવા પર્સુટ ઑફ હેપીનેશ)વાળો સમાજ હોઈ શકે, જે તદ્દન સેક્યુલર છે. આ દુનિયાના કોઈ ધર્મમાં નથી પરંતુ તે ફ્રૅંચક્રાંતિએ ઊભો કર્યો છે.

જગતમાં ધર્મનું અને ગાયનું રાજકારણ નહીં પણ સામાજિક ન્યાયનું રાજકારણ જરૂરી છે અને તે જ જગતના રાજકારણના કેન્દ્રમાં હોવું જોઈએ. જગતની દરેક સરકારે પોતાના દેશમાં લોકશાહીને ‘વાઇડન’ અને ‘ડીપન’ (વિસ્તૃત અને છેક તળિયા સુધીની ઊંડી) કરવાની છે. માત્ર રાજકારણ જ નહીં, પણ સમાજની દરેકે દરેક સંસ્થામાં હોય તે ન્યાયી સમાજની દિશામાં પ્રથમ પગલું છે. ભારતમાં ક્યાં લોકશાહી છે? તેને ફ્‌યુડલ સિસ્ટમ કહી શકાય. કેમ ? રાજકારણીઓનાં સગાં-વહાલાં પરંપરાગત સત્તા ભોગવે છે, વી.આઈ.પી. રસ્તા પરથી  પસાર થાય, ત્યારે કલાકો સુધી રસ્તાઓ બંધ કરવામાં આવે છે. લગ્નમાં શાહી ખર્ચા થાય છે, તેની સામે કોઈ બોલતું નથી, પ્રધાનમંત્રીને તેમના સહકાર્યકરો અને અનુયાયીઓ ‘દેવના દીધેલ’ માની પગે લાગે છે. આ પાર્લામેન્ટમાં અઢળક અપરાધીઓ ઘૂસી ગયા છે, કાયદા અન્ય લોકો માટે છે, અમારે માટે નહીં, તેમ પક્ષના પ્રધાનો અને હોદ્દેદારોની માન્યતા છે. દરેક પક્ષમાં પુષ્કળ ભ્રષ્ટાચાર છે અને તેને પડકારનારને હેરાન કરવામાં આવે છે. સામાજિક અને આર્થિક ન્યાયની બાબતમાં ક્લાસિકલ મૂડીવાદ, બજારવાદી મૂડીવાદ, સમાજવાદ અને ચીનનો અને સોવિયેટ રશિયા તથા ક્યુબાનો સામ્યવાદ તથ ગ્રામકેન્દ્રી અને રેંટિયાથી ઓબસેસ્ડ સર્વોદયવાદ પણ નિષ્ફળ ગયા છે. જગત હવે કોઈ નવી વિચારસરણીની શોધમાં છે, તે રિવોલ્યુશન દ્વારા આવશે કે ઇવોલ્યુશન દ્વાર તેની આપણને ખબર નથી.

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 08-09 

Loading

19 December 2017 admin
← એક અજાણ્યા ગાંધીની આત્મકથા
General Elections 2019-Left should be part of Secular Democratic Alliance →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved