Opinion Magazine
Number of visits: 9445931
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિયા અને કંગના એ જ સિનેમા ઉદ્યોગથી જખ્મી થઇ, જે તેમની રખેવાળ હતી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 September 2020

એક જેલમાં છે અને એકનું ઘર-ઓફિસ કાટમાળ બની ગયું છે. એક ચોર-ઉચ્ચકી સ્ત્રીઓ વચ્ચે કોટડીમાં છે, અને એક બીજી પોલીસ અને કમાન્ડોથી ઘેરાયેલી છે. એકની હત્યા અને હવાલાના મામલે પૂછતાછ બાકી છે, અને બીજી સામે અધ્યયન સુમન સાથે ડ્રગ્સની આપલેની વાતો બદલ પોલીસ તપાસ માથા છે. રિયા ચક્રવર્તી અને કંગના રનૌત જિંદગીના જે પડાવ પર અત્યારે છે, તેનો તેમને અંદાજ નહીં હોય. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તેમને એ પણ કલ્પના નહીં હોય કે તે જ્યારે તેમની જિંદગીનો આ પડાવ છોડીને આગળ વધી જશે, ત્યારે ક્યાં અને કેવી સ્થિતિમાં હશે. ભવિષ્યમાં એ જ્યાં હશે, તે આજના કરતાં સારું હશે કે બદતર?

૯મી સપ્ટેમ્બરે કંગના જ્યારે મુંબઈ આવી, ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઇ હતી, જે બે વિરોધાભાસી જિંદગીનું પ્રતિક હતી; એક તસવીરમાં નશાબંધી વિભાગ સમક્ષ બયાન આપવા માટે ઉપસ્થિત થઇ ત્યારે મીડિયાકર્મીઓનાં ટોળાં વચ્ચે ઘેરાઈ ગયેલી રિયા ચક્રવર્તી હતી, તો બીજી તસવીરમાં છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ બહાર સી.આર.પી.એફ.ના જવાનોની ઘેરાબંધી વચ્ચે બહાર નીકળતી કંગના રનૌતની હતી.

બે યુવાન અને આશાસ્પદ સ્ત્રીઓની પ્રવર્તમાન પરિસ્થિતિનો આ વિરોધાભાસ દેશના લોકોની નજરમાંથી ચુકાયો ન હતો. બંને એ જ સિનેમા ઉદ્યોગથી જખ્મી થઇ હતી, જે ક્યારેક તેમનો રખેવાળ હતો. બંને મધ્યમ વર્ગની તેજસ્વી છોકરીઓ હતી, જેમને નામ અને દામની ભૂખ હતી. બંનેની આસપાસ એવા લોકો હતા, જેમને ખરાબ તો નહીં, પણ અનુચિત તો કહી શકાય. સિનેમાની દુનિયાની ઝગમગાટમાં તેમને સંબંધોની નકલી ચમક ના દેખાઈ. એક આજીવન કલંક લઈને જેલમાં છે અને બીજી બોલીવુડનાં કલંક ધોવા માટે મેદાને પડી છે. એકની જિંદગી 'બિહારના સપૂત'ના અપમૃત્યુથી અત્યારે નરકમાં છે, બીજી શાસનના સમર્થનથી તેના જીવનમાં સ્વર્ગ બનાવવાની આશા રાખે છે.

એક આશાસ્પદ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું અકાળ અવસાન બે સ્ત્રીઓ માટે અણધાર્યા પરિવર્તનનું કારણ બન્યું છે, જેની પાછળ દેશની ક્રૂર રાજનીતિ, મીડિયાની ટી.આર.પી. ભૂખ અને સમાજની પછાત માનસિકતાનો બિહામણો પડછાયો છે.

મીડિયામાં અને આમ જનતામાં એક વર્ગ છે, જે બંને યુવતીઓને 'બહાદુર' ગણે છે, જેનાં કારણો ગેરવ્યાજબી હોઈ શકે. રિયા અપરાધી હોય, તો તેને સજા થવી જ જોઈએ, પણ મીડિયાએ તો તેને પહેલેથી જ અપરાધી જાહેર કરીને જે બદ્દસલુકાઈ કરી છે, તે કોઈ પણ સભ્ય પરિવારમાં સ્વીકાર્ય નહીં હોય. ટી.વી. મીડિયાની અનુચિત ટ્રાયલ અને સોશ્યલ મીડિયાના અણછાજ્યા આરોપો વચ્ચે રિયાએ તપાસકર્તા એજન્સીઓને જે શાલીનતાથી સહકાર આપ્યો છે, તે સાહસ માગી લે છે.

કંગના પૈદાઈશી બળવાખોર છે. રૂઢિચુસ્ત અને કંઇક અંશે ક્રૂર પરિવારથી છેડો ફાડીને તે ખુદના દમ પર આ ઊંચાઈ પર પહોંચી છે. એ યાત્રામાં એ જખ્મી થઇ હતી. જે વરુઓ આજે રિયાને ફરી વળ્યા હતા, તે જ વરુઓ ત્યારે કંગનાની આજુબાજુમાં હતા. કંગના સાચા અર્થમાં પથ્થર પર પગ મારીને પાણી કાઢવાવાળી છે. હિમાચલના નાના ગામડાની હતી. અંગેજી તો ઠીક, સરખું હિન્દી બોલતા પણ આવડતું ન હતું. તેના ઉચ્ચારોની મજાક થતી હતી. દેખાવડી હતી, એટલે લોકો આગળપાછળ ફરતા હતા, જેને કંગનાએ હિતેચ્છુઓ ગણી લીધા હતા. તેની કહાનીઓ અને ગોસિપ બહુ જાણીતી છે.

કોઇ પણ નાદાન છોકરી એમાં લપસીને બરબાદ થઇ જાય, પણ એ બધા વચ્ચે કંગનાએ તેના પરફોર્મન્સ પર નજર ખોડી રાખી. તેને એ ખબર હતી કે તે એકટર છે અને છેવટે તો માત્ર તેની એકટીંગની જ ગણતરી થવાની છે. એમાંથી એ ભ્રમિત ના થઇ અને એટલે જ એ 'ક્વીન' બની. કાંગનાને સફળતાનું સુખ મળ્યું? કદાચ ના.

એની નકારાત્મકતામાં ઔર ઉમેરો થયો. તેની જખ્મી ચેતનાના ઘા રૂઝાવાને બદલે વકરતા રહ્યા. એને 'રંજાડનારા' અને તેનું 'શોષણ' કરનારાઓને તે ભૂલી ન હતી. 'પંગો' લેવો તેની વૃત્તિમાં હતું. તેણે સૌથી પહેલીવાર તેના પિતા સાથે ૧૫ વર્ષની ઉંમરે 'પંગો' લીધો હતો. તેના પિતાને કંગનાને તેના 'અનુચિત' વ્યવહાર માટે લાફો માર્યો હતો અને કંગનાએ કહ્યું હતું કે ફરી હાથ ઉપાડ્યો તો હું ય લાફો મારી દઈશ. પિતાને તેને ઘરમાં ચાલ્યા જવાનું કહ્યું અને કંગના એક રૂપિયો લીધા વગર નીકળી ગઈ હતી.

બોલીવુડને જાણનારાઓ, આજના અને વીતેલા સમયના, તેને ક્રૂર દુનિયા કહે છે. અહીં બધા જ સંબંધો સ્વાર્થના છે. અહીં સફળતા અને નિષ્ફળતાને દિલ પર લેવાનું પરવડે તેવું નથી, પણ એવું ક્યા વ્યવસાયમાં નથી? બોલીવુડમાં આવીને કંગનાના જૂના જખ્મો ઔર વકર્યાં છે. એ કહે છે તેને બોલીવુડમાં ખરાબ અનુભવ થયા છે. હકીકત એ પણ છે કે તેની કારકિર્દી પણ એટલી જ નક્કર બની છે.

જે હિન્દી સિનેમાએ તેને પ્રતિષ્ઠા, પ્રેમ અને પૈસો આપ્યો છે, તે જ દુનિયાના લોકોના ‘સ્વાર્થી’ વ્યવહારને તે ભૂલી નથી. કંગનાને સંતોષ ઓછો અને ફરિયાદો બહુ છે. તેને બદલો લેવો છે. તેણે હિંમતથી ‘પંગો’ લીધો છે અને તેની આજુબાજુ અનુકૂળ લોકો ભેગા થઇ ગયા છે. તેનામાં હિંમત તો હતી જ, હવે તેને સમર્થન પણ મળ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી રિયા ચક્રવર્તી પર તો ફોકસ બહુ પાછળથી આવ્યું, પણ કંગનાએ સૌથી પહેલાં બોલીવુડમાં નેપોટિઝમ(સગાં-વહાલાંવાદ)નો મુદ્દો છેડ્યો હતો અને સુશાંતને ‘બોલીવુડવાળા અને બોલીવુડની બહારવાળા’ ભેદભાવનો શિકાર ગણાવ્યો હતો. એ તો બિહારમાં ચૂંટણીના કારણે આખી વાત ‘બિહારના સપૂત’ને ન્યાય અપાવવાના નામે મહારાષ્ટ્રની શિવસેના-કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની સરકાર સામેનું યુદ્ધ બની ગઈ અને નેપોટિઝમ બાજુમાં રહી ગયું. એમાં કંગનાને નવો ઢાળ મળ્યો છે અને બોલીવુડમાં જે કંઈ ખરાબી છે, તેની સફાઈ કરવાનું મિશન હાથ ધર્યું છે.

આ સાફ-સફાઈમાં કંગનાએ સૌથી પહેલાં રિયા ચક્રવર્તીની જ મદદ કરવી જોઈએ, કારણ એ પણ કંગનાની જેમ જ આ દુનિયામાં નામ અને દામ કમાવા આવી હતી.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020

[રાજ ગોસ્વામીની ફેઈસબૂક દિવાલ પરેથી સ-આદર સાભાર]

Loading

21 September 2020 admin
← પાંચ કાવ્યો
પારદર્શી લેખક – ભાઈ નવીન બેંકરને શબ્દાંજલિ … →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved