Opinion Magazine
Number of visits: 9446815
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણીઓની શતરંજમાં પ્યાદા બની જશે મહારાષ્ટ્રનું મુંબઈ, મુંબઈનાં ગુજરાતીઓ અને ગુજરાતીઓનું મુંબઈ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 May 2023

રાજકારણ અને ધ્રુવીકરણ એક જ સિક્કાની બે બાજુ બની ગયાં છે. પહેલાં ધર્મને નામે ભાગલાં કરો, એ પતે પછી જાતિવાદની કરવત ચલાવો અને બચી ગયું છે તો ભાષાવાદના દેકારા કરી વાડાબંધી કરો.

ચિરંતના ભટ્ટ

મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે શતરંજની બાજી ખેલાઇ રહી છે. જે પક્ષને 1999માં સ્થાપ્યો હતો તે નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના (NCP) સુપ્રીમો શરદ પવારે પોતાનું રાજીનામું જાહેર કરવાની વાત કરીને મોટો જુગાર રમી નાખ્યો. આ અણધાર્યા નિર્ણય પાછળ એક માત્ર હેતુ છે કે ફરી એકવાર એ પક્ષની પૂરેપૂરી લગામ પોતાના હાથમાં લઇ લેવી. 

છેલ્લા કેટલાક અઠવાડિયાથી NCPના નેતાઓ વચ્ચે સંતુલન પાછું લાવવા માટે શરદ પવાર આકાશ પાતળ એક કરી રહ્યા હતા અને એમાં તેમને કોઇપણ પ્રકારની ધારી સફળતા નહોતી મળી રહી. એન.સી.પી.નો એક હિસ્સો મહા વિકાસ અઘાડી(MVA)ના ગઠબંધનમાંથી નીકળી જવાની ભાંજગડમાં હતો અને આ માટે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાની વાતો ચાલી રહી હતી. MVA કાઁગ્રેસ, NCP અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)નું ગઠન છે. શરદ પવારના ભત્રીજા અજીત પવારે અમિત શાહ સહિત ભા.જ.પા.ના બીજા મોટાં માથાઓ સાથે બેઠક કરી હોવાની ચર્ચાએ મુંબઈમાં સારી એવી હવા પકડી. જો કે અજીત પવારે આવું કંઇપણ થયું હોવાની કોઈ વાત સ્વીકારી નહીં. NCPમાંથી મોટી સંખ્યાના ધારાસભ્યો નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.-શિંદેના નેતૃત્વ હેઠળની સેના તરફ સરકવા થનગની રહ્યા હતા, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના પક્ષમાં જવામાં તેમને કોઇ લાભ નહોતો દેખાતો. આ તરફ NCPની મુખ્ય સમિતિએ શરદ પવારના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે. પક્ષ માટે સૌથી મોટું કામ છે શરદ પવાર અને અજીત પવારને ભેગા રાખવા અને આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની સેના અને કૉંગ્રેસ કોને MVAમાંથી મુખ્ય મંત્રીના પદનો ચહેરો ઠેરવે છે તેનો નિર્ણય લેવાની સૂચના પણ અપાઇ છે. શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત પાર્ટીનો ભંગ અટકાવવા માટેનું પગલું હતી તેમ માનવામાં આવી રહ્યું છે. પક્ષના વરિષ્ઠ નેતા છગન ભૂજબળે એમ કહ્યું હતું કે શરદ પવાર પછી રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં સુપ્રિયા સૂલેને આગળ કરવાં જોઇએ અને અજીત પવારને રાજ્ય સ્તરના રાજકારણની જવાબદારી સોંપવી જોઇએ. અજીત પવારે 2018માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસની સાથે શપથ વિધિમાં જોયા ત્યારે શરદ પવારને ઝટકો લાગ્યો હતો કારણ કે તે NCPના સાંધા મજબૂત કરવા માટે મથી રહ્યા હતા. અજીત પવારનું એ પગલું – ઘર કા ભેદી લંકા ઢાયે જેવું સાબિત થયું હતું.

આટલા બધા હાઇ-પોલિટીકલ ડ્રામા વચ્ચે તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર સામનામાં અમિત શાહની ટીકા કરવામાં આવી અને લખાયું કે ભા.જ.પા. મુંબઈને તોડવા માગે છે અને એટલે જ અમિત શાહ વારંવાર મુંબઈની મુલાકાતે આવે છે. આ થયું અને ભા.જ.પા.ના વિધાનસભ્ય અને પ્રવક્તા નીતેશ રાણેએ ઠાકરે પરિવારને ગુજરાતીઓ તરફથી મળતી કમાણીમાં રસ છે, તેની સાથે બિઝનેસ પાર્ટનરશીપ માફક આવે છે પણ ગુજરાતીઓથી હવે તેમને એલર્જી થાય છેની વાત કરી.

આ જે પણ થઇ રહ્યું છે, કહેવાઈ રહ્યું છે ત્યારે એ વિચારવું રહ્યું કે મહારાષ્ટ્રની ઓળખ, પાટનગર અને દેશનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ ગુજરાતીઓ થકી સમૃદ્ધ થયું છે. બાળ ઠાકરે જ્યારે મુંબઈ પર ‘રાજ’ કરતા હતા અને તેમણે બિન-મરાઠીઓને નિશાને લીધા હતા ત્યારે તેમણે ગુજરાતીઓ સાથે ક્યારે ય કોઈ સીધી બબાલ ખડી નહોતી કરી. મુંબઈને ઘડવામાં ગુજરાતી, પારસી, દક્ષિણ ભારતીય, રાજસ્થાનીનો નોંધપાત્ર ફાળો છે વળી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકોએ પણ મુંબઈનું ઘડતર કરવામાં પોતાનું યોગદાન આપ્યું જ છે. આપણે માત્ર ગુજરાતીઓની જ વાત કરીએ તો ચંદ્રકાંત બક્ષીએ જે વાત કરી હતી તે યાદ કરવી રહી. અંદાજે 300થી પણ વધુ વર્ષ પહેલાં રૂપજી ધનજી દીવથી મુંબઈ આવીને વસ્યા. કપોળ અને ભાટિયાઓ મુંબઈ આવ્યા અને 19મી સદીમાં મુંબઈ ગુજરાતીઓનું મુંબઈ જ કહેવાતું અને 20મી સદીમાં મુંબઈના ગુજરાતીઓની ઓળખ ઘૂંટાઈ. 700 વર્ષથી મુંબઈને ગુજરાતીઓએ મન મૂકીને પ્રેમ કર્યો છે. 1671માં સુરતના વાણિયા મહાજને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે વેપાર સ્વતંત્રતાની માંગણી કરી અને તે મંજૂર થઇ. 1803માં ગુજરાતના દુકાળે ઘણા ગુજરાતીઓને મુંબઈ તરફ વાળ્યા. અંગ્રેજ રાજ દરમિયાન ગુજરાતીઓને કારણે મુંબઈમાંથી રૂની નિકાસ થતી તો સટ્ટા બજાર અને હીરા બજાર શરૂઆતથી માંડીને આજ સુધી ગુજરાતીઓથી ઉબાય છે. 19મી સદીમાં ધીરુભાઇ અંબાણી અને પ્રેમચંદ રાયચંદ મુંબઈ આવ્યા. અંગ્રેજોએ ગુજરાતીઓને બોમ્બે સ્ટેટમાં આવાકાર આપ્યો કારણ કે ગુજરાતીઓ બિઝનેસ લાવી આપતાં, આજે પણ લાવી આપે છે. પારસીઓ પણ તો ગુજરાતીપણાના રંગે રંગાયેલા છે જ અને જમશેદજી જીજીભૉય, અબ્દુલ હુસેન આદમજી પીરભૉય, સર કાવસજી જહાંગીર જેવા પારસીઓએ મુંબઈને ખોબલે ખોબલે આપ્યું છે. ઠાકરશી પરિવારને લીધે આજે મુંબઈ પાસે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી છે. ક્રૉફ્રડ માર્કેટમાં આવેલા કાપડ બજારો, મુંબઈની જાણીતી હૉસ્પિટલ્સ, વિલે-પાર્લે કેળવણી મંડળ જેવું તો કેટલું બધું આજે મુંબઈમાં ગુજરાતીઓને કારણે છે. નાના ચુડાસમા જેવા કેટલા ય મોટાં નામો છે જે મુંબઈની ઓળખ ઘડવામાં મોખરે રહ્યા છે અને તે પણ અલગ અલગ વ્યવસાયોમાં – કોઈ ધારાશાસ્ત્રી તો કોઇ ડૉક્ટર્સ તો કોઈ બિલ્ડર્સ અને ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં કામ કરતા ગુજરાતીઓ પાછા છોગાંમાં.

જે ગુજરાતીઓને કારણે મુંબઈમાં વેપાર વાણિજ્યનો વિકાસ થયો તેમની સાથે બાથ ભીડવામાં કંઇ સાર નથી એ રાજકારણીઓ સમજવું જોઇએ. ગુજરાતીઓ સુરત તરફથી મુંબઈ આવ્યા તેનું કારણ એ પણ હતું કે શિવાજી અને તેમની ગેરીલા સેના દ્વારા થતી હેરાનગતી. સુરતને અનેકવાર લૂંટનારા મરાઠાઓથી કંટાળીને ગુજરાતીઓ મુંબઈ તરફ વળ્યા હતા. તમે મુંબઈમાં ગાંધિયાણું લેવા જશો અને ત્યાં બેઠેલો દુકાનદાર ગુજરાતી ન નીકળે તો જ નવાઈ. આવામાં મુંબઈ કોનું – વાળી બબાલ કરવાનું મૂકીને વિકાસ – સાચા અર્થમાં કોના થકી થયો છે તે સમજીને ડહાપણભર્યું વર્તન કરવું.

બાય ધી વેઃ

રાજકારણ અને ધ્રુવીકરણ એક જ સિક્કાની બે બાજુ બની ગયાં છે. પહેલાં ધર્મને નામે ભાગલાં કરો, એ પતે પછી જાતિવાદની કરવત ચલાવો અને બચી ગયું છે તો ભાષાવાદના દેકારા કરી વાડાબંધી કરો. ‘ચક દે’ ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં હૉકી કૉચનું પાત્ર ભજવનારા શાહરૂખ ખાન પોતાની હૉકી ટીમને પોતાની ઓળખ આપવા કહે છે અને તે દરેક ખેલાડી પોતાના રાજ્યના નામથી પોતાની ઓળખાણ આપે છે. આ પછી શાહરૂખ ખાન કહે છે કે આમ તો તમે જીતી જ નથી શકવાના, કૉચ પાસેથી મુદ્દો સમજ્યા પછી દરેક ખેલાડી પોતાની ઓળખાણ ભારતીય તરીકે આપે છે અને પછી દરેકનો અભિગમ બદલાય છે. આપણા રાજકારણીઓએ આ ફિલ્મ જોવી જોઇએ કારણ કે અંગ્રેજોની જેમ ભાગલા કરો અને રાજ કરોના ગણિતમાં બધા પોતાની જ ઘોર ખોદે છે. આપણે પ્રજા તરીકે સત્તાની લાલચમાં ભાગલા પાડનારા રાજકારણીઓથી અંજાઇ ન જવું અને મગજ વાપરીને એકતા દાખવીને પોતાના તથા બીજાના વિકાસની દિશામાં કામ કરવું તો જ લોકલ, ગ્લોબલ બધે સ્તરે સાચા અર્થમાં ઉજળો, લગભગ નિષ્પાપ કહી શકાય તેવો વિકાસ થશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 મે 2023

Loading

7 May 2023 Vipool Kalyani
← જો યુદ્ધ થશે તો યુદ્ધનું સ્વરૂપ લગભગ આવું હશે !
રણજીત ગુહા : એક અનોખા ઇતિહાસકાર →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved