Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ : સજા કરવાથી ગૌરવ જળવાય?

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|9 September 2020

પ્રશાંત ભૂષણ સામેના બહુચર્ચિત કેસમાં પોતાની અવમાનના બદલ સર્વોચ્ચ અદાલતે રૂ. એકનો  દંડ અથવા તેની કસૂરમાં ત્રણ વર્ષની સાદી કેદ અથવા ત્રણ માસ સુધી પ્રેક્ટિસ કરવા પર રોકની સજા ફરમાવી છે. અદાલતના તિરસ્કાર બદલ સજા કરીને ગૌરવ જાળવવાની વાત સામંતશાહી વિચારધારાનું પ્રતીક છે અને આધુનિક વિચારસરણીમાં તે માન્ય નથી.

રૂ. એકનો દંડ ભરવાની કસૂરમાં ત્રણ માસ કેદની સજા કરવા પાછળનો તર્ક સમજાતો નથી. રૂ. એકના દંડનો અર્થ એ થાય છે કે સજા કરવાની ઈચ્છા નથી, પરંતુ તમે ગુનો કરેલ હોવાથી ખાલી પ્રતિકાત્મક દંડ કર્યો છે. જો દંડ કરવા પાછળ આ તર્ક હોય, તો કેદની સજા પણ પ્રતિકાત્મક (દા.ત. કોર્ટ ઉઠવા સુધીની) હોવી જોઈએ અને પ્રેક્ટિસ કરવાની મનાઈની સજા તો બિલકુલ હોવી ન જોઈએ. કાયદાનો એ સિદ્ધાંત છે કે દંડના બદલામાં કેદની સજા પ્રમાણસર હોવી જોઈએ. રૂ. એકના દંડની કસૂરમાં ત્રણ માસ કેદ અથવા ત્રણ માસ પ્રેક્ટિસ કરવા પર રોકની સજા અપ્રમાણસર છે અને તેની પાછળનો તર્ક સમજી શકાતો નથી.

આ કેસમાં કેટલાક પ્રશ્નો અનુત્તર રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે તિરસ્કારના મામલે પોતાની મેળે (સુઓ મોટો – Suo Moto) પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ દાખલ કરી છે. ફોજદારી કાર્યરીતિ સંહિતા,1973ની કલમ 207 જણાવે છે કે આરોપીને ફરિયાદની નકલ સહિત સંબંધિત તમામ કાગળોની નકલ આપવી જોઈએ. પ્રશાંત ભૂષણનો એ બચાવ હતો કે પોતાને ફરિયાદની નકલ મળી નથી. તેથી અહીં કલમ 207 ઉપરાંત કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પણ ભંગ થાય છે. 

પ્રશાંત ભૂષણના સમર્થનમાં હજારો વકીલો ઉપરાંત અનેક પૂર્વ ન્યાયાધીશો અને કર્મશીલો પણ જોડાયા હતા. તેમાંના કેટલાકે કેસમાં પોતાને પક્ષકાર તરીકે ઉમેરવા સર્વોચ્ચ અદાલતને અરજી કરી હતી. તેમને પક્ષકાર તરીકે ઉમેરવા કે કેમ તે સર્વોચ્ચ અદાલતની વિવેકબુદ્ધિની બાબત છે. પરંતુ તે બાબતે ઉલ્લેખ સરખો પણ થયો નથી.

જાહેર હિતની તાકીદની અનેક બાબતો સર્વોચ્ચ અદાલત સમક્ષ વિચારાધીન હોવા છતાં, આ કેસને આ કોવિડકાળમાં અગ્રતા આપવા પાછળનું કારણ પણ સમજી શકાતું નથી. ભારતના એટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતને સલાહ આપતાં આ કેસમાં કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના પૂર્વ નવ ન્યાયાધીશોએ ન્યાય વ્યવસ્થા પડી ભાંગેલ હોવાનો અને ચાર પૂર્વ ન્યાયાધીશોએ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રવર્તમાન હોવાનો સ્વીકાર કર્યો છે. વર્ષ 2018ના જાન્યુઆરી માસમાં સર્વોચ્ચ અદાલતના ચાર તત્કાલીન ન્યાયમૂર્તિઓએ સર્વોચ્ચ અદાલતની વ્યવસ્થા સામે અસંતોષ અને લોકશાહી ખતરામાં હોવાની રજૂઆત કરી હતી, એ ઘટનાએ દેશભરમાં ઊહાપોહ જગવ્યો હતો. આ કેસના ચુકાદામાં તે ઘટનાનો ઉલ્લેખ કરાયો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે તો પછી તેમની સામે અદાલત તિરસ્કારની સુઓ મોટો ફરિયાદ દાખલ થવી જોઈતી હતી.

ખરેખર સર્વોચ્ચ અદાલતે એટર્ની જનરલની સલાહ અનુસરીને કોઈ સજા જાહેર કરી ન હોત, તો તેનું ગૌરવ અને ગરિમા જળવાત. સજાના ચુકાદા બાદ અનેક અખબારોના તંત્રીઓએ પોતાના તંત્રીલેખમાં આ હકીકતનું સમર્થન કર્યું છે. ‘ધ હિંદુ’ અખબારે તંત્રીલેખમાં જણાવ્યું છે કે શું સર્વોચ્ચ અદાલત (ન્યાયતંત્ર) એટલી નબળી છે કે બે ટ્વીટથી તેના પાયા હલી જાય? તેમાં જણાવાયું છે કે પ્રશાંત ભૂષણને સજા કરાઈ છે, પણ તે અદાલત તિરસ્કાર બદલ આ સજા ફરમાવવામાં આવેલ નથી. બીજાં ઘણા નિષ્ણાતોએ પણ સર્વોચ્ચ અદાલતની કાર્યવાહી અંગે ખેદ વ્યક્ત કર્યો છે. સરવાળે, સવાલ તો સર્વોચ્ચ અદાલતના અવમાનનો જ આવ્યો, પણ તે પ્રશાંત ભૂષણના ટ્વીટથી નહીં, ખુદ અદાલતની કાર્યવાહીથી.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 12

Loading

9 September 2020 admin
← તે અમે
વિનોબાજીએ દરેક યુગની સંસ્કૃતિને પીછાણી છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved