Opinion Magazine
Number of visits: 9450616
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રકૃતિના કવિ : મકરંદ દવે

રતિલાલ રાઠવા|Opinion - Literature|14 October 2019

ગુજરાતી સાહિત્યમાં મકરંદ દવેની કવિ તરીકેની નોંધાયેલી છે. તેમના વિવિધ કાવ્યસંગ્રહોમાં સંકલન ‘કોઈ ઘટમાં ગ્રહેકે ઘેરું’ ત્રણ ભાગમાં સંપાદિત થયેલ છે. સાહિત્યપ્રેમી ગુજરાતી સાહિત્યવિદોએ મકરંદ દવેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી પોંખેલા છે. અને ઈ.સ. ૨૦૦૦માં ગુજરાતી કવિતાનો શ્રેષ્ઠ ઍવૉર્ડ નરસિંહ મહેતા મકરંદભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. કવિની સાથે જ નવલકથાકાર, નાટ્યકાર અને અનુવાદક તરીકે તેમની સાહિત્યિક ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે.

મકરંદ દવેની કવિતાના સ્વરૂપની દૃષ્ટિએ મુખ્યત્વે ચાર સ્વરૂપ જોવા મળ્યાં છે. ગીત, ગઝલ, ભજન અને મુક્તક. આ બધાં કાવ્યરૂપોમાંથી પસાર થતાં તેમનું કાવ્યતત્ત્વ તો સ્પર્શી ગયું, પરંતુ તેમની કવિતાના આધ્યાત્મિક સૂરને પકડવાનું મારું ગજું નહીં. અધ્યાપક તરીકે તેમના કાવ્યમાં રહેલ પ્રકૃતિતત્ત્વ મને સ્પર્શી ગયું. તેમાંનું એક કાવ્ય તો મારે હૈયે અને હોઠે વસી ગયું છે.

“સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી રહે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે
લીલવરણાં, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.”

કવિ મકરંદ દવેનો પ્રવેશ પ્રકૃતિથી થાય છે. પ્રકૃતિનું એક રૂપ જે તરણા જેવું છે. સુકાયેલું છે. ઊડતું છે. તેને કોઈને પકડ્યું નથી. તેના સૌંદર્યને ૧૯૫૧માં મકરંદભાઈ ‘તરણાં’ રૂપે મૂકે છે –

“સૂકી જમીન પરનાં ઝૂકી રહેલ તરણાં
ક્ષણ એકનાં નિવાસી,
પણ પ્રેમનાં પ્રવાસી,
કોઈ હશે લીલાં, તો કોઈ સોનવરણાં”

કવિની એક ઝંખના વિશ્વના માંગલ્યની રહેલી છે. અને આ વિશ્વનું રૂપ પ્રકૃતિના માંગલ્ય સાથે જોડાયેલું છે. પ્રકૃતિ એ બીજું કાંઈ નથી, પરિબ્રહ્મની લીલાનું તે માત્ર પ્રત્યક્ષ દર્શન છે. એટલે જ તેમનું સૌંદર્યનું ગાણું પ્રભુના સ્વરૂપની સાથે જોડાયેલું જોવા મળે છે. તેમની એક ઝંખના એ જ રહી છે કે જ્યારે અંતિમ લોચન બિડાય, ત્યારે મારા મુખે ઉલ્લાસનું ગાન હોય અને સૌંદર્યનું ગાણું મુખે હોય.

મકરંદભાઈ મૂળભૂત રીતે તો પ્રકૃતિ અને ગ્રામ્યજીવન સાથે જોડાયેલા છે. એટલે જ એમણે ધૂળિયો મારગ પસંદ કર્યો છે. જેમ કે –

“ખુલ્લાં ખેતર અડખેપડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં આવો છે લાભ ?”

જ્યારે તેમને મુંબઈનગરીમાં રહેવાનું થયું, ત્યારે ઊંચી બિલ્ડિંગો વચ્ચે, ભૂંગળાંના ઘોંઘાટ વચ્ચે, ઝેરી ધુમાડા વચ્ચે જો “મુંબઈનગરીમાં આંબો મ્હોરે તો એની મંજરીને રામરામ કહેજો ! એનાં મીઠાં ઓવારણાં લેજો.”

અહીં મીઠાં ઓવારણાં કાઠિયાવાડી ધરતીનું પનોતું સંતાન હોવાનું મકરંદની ઓળખ આપી જાય છે.

મકરંદ દવેનાં પ્રકૃતિકાવ્યોનું કલ્પન સ્પર્શી જાય તેવું અનુભવાયું છે.

“ગુલમહોરનાં ઝીણાં-ઝીણાં પાન પરે
      જે પ્રભાતનાં મળમળિયાં કિરણો ભરત ભરે,”
તે ભરત કહો તો આપું.”

તળાવનાં લહેરાતાં નીરમાં વૃક્ષોની છાયા લહેરાતી જોઈને ચંદનભીનો અનુભવ થાય છે. ચોગમ હરિયાળી, ખુલ્લું આભ, ફેલાયેલી ખુશ્બૂ ખોળો ભરીને સૌંદર્યનું પાન કરાવી જાય છે. કવિની એક દોટ પ્રકૃતિને ખોળે સમાઈ જવાની રહી છે. એટલે તો એ કહે છે કે –

“હાલ્યને વાલમ, ક્યાંક જતાં રંઈ,

ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ.”

પ્રકૃતિનું વિકરાળ રૂપ પણ હોય છે. મકરંદભાઈ આસોના તડકાનો અનુભવ ઇન્દ્રના ઘોડા સાથે દર્શાવીને તડકાને ઘોડાના રૂપમાં પલટાવી શકે છે.

“આ સૂરજ ડૂબે, ચાંદો ઊગે, આભ ઝરે ઉન્માદો,
તૃણ તૃણમાં તો નિહારિકાના આ સંભળાર્થ નિનાદો,
ઘણી હતી પણ પલકમાં ભૂલ્યા સહુ ફરિયાદો,
              સૂતરને તોરણિયે કોઈ
              અડી ગયું સુખવાહી.”

સુંદરવરણી ધરતીમાં મકરંદ કહે છે કે તેમાં ધરતી સાથેનો માનવપ્રેમ દર્શાવ્યો છે. તરણાં જમીન પર ઝૂકે છે. તેનો અર્થ એમ પણ થાય કે અહંકારને છોડીને ધરતીના ખોળે નિવાસ કરવાનું સૂચવે છે. આ તરણાં લીલાં હતાં, પણ સુકાઈને અભિમાન ગાળીને સોનવરણાં થઈ ગયાં છે અને તેમાં જ તરણાંની ધરતી સાથેની પ્રીતિ દર્શાવી છે.

મકરંદભાઈનું તરણાં જેવું જ તેમનું બીજું ખેંચાણ પક્ષીના ટહુકા સાથે જોડાયેલું જોવા મળે છે.

“પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ,
           ઊગતી પરોઢને બારણે
આ તેજની સવારી કોને કારણે ?”

કવિને પ્રકૃતિનાં વિવિધ રૂપ સાથે વહેલી – સવારનું પરોઢ તેમને સ્પર્શી જાય છે. તેની સાથે પંખીનો ટહુકો જાણે કે તોરણ બાંધી જાય છે અને ચારે તરફ ફેલાતું તેજ કોની સવારી સૂચવે છે ? અને આ દર્શન પણ તેમને નાનકડા માળાની અંદરથી પક્ષીના કંઠમાંથી સંભળાયું છે. જાણે કે આકાશ સાથેના સંબંધને સૂરથી બાંધી આપે છે. ભાઈ ! આ તો એવું છે કે આકાશમાંથી એકાદ તારો ખરી પડે, તો જાણે આખું બ્રહ્માંડ ચૂર-ચૂર થઈ જાય, ત્યારે આ પંખીના ટહુકાની પ્યાલી ઊગતાં સૂરજની સાંખે પિતાની સાથે જ અંગે – અંગમાં તેની ખુશાલી, ખુમારી, છવાઈ જાય છે.

આમ કવિ મકરંદ દવેની કવિતા હોય, કથા કે ચિંતનાત્મક ગ્રંથ હોય, પરંતુ તેમનો માયલો પરમ સત્‌ તરફથી ગતિમાં વિહરતો જોવા મળે છે. પ્રકૃતિના સૌંદર્યમાંથી સરવાળે તો તેમને જવું છે આ પ્રકૃતિના રચયિતાના ધામ સુધી, એટલે જ મકરંદની મૂળ ઓળખ સાંઈ, સાધક અને ભજનના મરમમાં જોવા મળી છે. અને છતાં અંકે કહેવું હોય તો …

“ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
            ને ગમતાંનો કરીએ ગુલાલ.”

સંદર્ભ ગ્રંથો :

૧. ‘તરણાં’ – ૧૯૫૧

૨. ‘અમલપિયાલી’ – સં. સુરેશ દલાલ પ્ર.આ. ૧૯૮૦

૩. ‘ગુલાલ અને ગુંજાર’ – સં. ઇશા કુન્દનિકા પ્ર.આ. ૧૯૯૭

૪. ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’ ભાગ ૧થી ૩ પ્ર.આ. ૨૦૦૬ સં. ઇશા કુન્દનિકા

૫. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ડૉ. રમેશ એમ. ત્રિવેદી, પ્ર.આ. ૧૯૯૪

આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, કેશોદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 15-16 

Loading

14 October 2019 admin
← પાટલીની પેલે પાર
દર્શકની દીપનિર્વાણ : એક તેજસ્વી નવલકથા →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved