Opinion Magazine
Number of visits: 9446900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોતાને મહાન ગણાવવાની લાહ્યમાં મોદીએ લોકો માટે મહા આફત નોતરી

રમેશ ઓઝા|Opinion - Opinion|27 May 2021

સમસ્યા નક્કર વાસ્તવિકતા આધારિત સત્યોને નકારીને અથવા તેની ઉપેક્ષા કરીને તેની જગ્યાએ કાચું, અધૂરું અને મનગમતું ‘વાસ્તવ’ પેદા કરીને નવાં ‘સત્યો’ સ્થાપવાની ચેષ્ટાની છે. અંગ્રેજીમાં આને નેરેટિવ કહેવામાં આવે છે. લોકોને એમ લાગે કે સાહેબ કાંઈક નવું વિચારી રહ્યા છે, કોઈ અનોખું આયોજન કરી રહ્યા છે. એ જ્યારે થશે ત્યારે આપણો દેશ એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. લોકો જૂનો છબરડો ભૂલીને ફરી પાછા આશા રાખતા થઈ જાય. લોકોને એમ પણ લાગે કે સાહેબ હેપી ગો લકી એવા અ-ગંભીર શાસક નથી, પણ નવી તરાહના શાસક છે. ફરી પાછા લોકો સાહેબમાં શ્રદ્ધાનું રોકાણ કરે.

ગયા વરસના જૂન મહિનામાં ચીનના સૈનિકોએ ભારતની ભૂમિમાં પ્રવેશ કરીને ગાલ્વાનની ખીણમાં વીસ ભારતીય જવાનોને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા ત્યારે ભારતના વડા પ્રધાને સત્તાવાર રીતે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે ભારતમાં કોઈ પ્રવેશ્યું જ નથી અને ભારતની ભૂમિ ઉપર કોઈએ કબજો કર્યો નથી. એ પછી વિદેશી મીડિયાએ સેટેલાઈટ તસ્વીરો રિલીઝ કરીને સાબિત કરી આપ્યું હતું કે ચીને ભારતની લડાખની ભૂમિમાં ઊંડે સુધી પ્રવેશ કર્યો છે અને લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધી રહ્યું છે. જ્યારે જૂઠ પકડાઈ જાય ત્યારે રાબેતા મુજબ મોઢું ફેરવી લઈને ચૂપ થઈ જવાનું. ગયા વરસે વડા પ્રધાનનાં આવાં વલણની જાગતિક મીડિયામાં ભારે ટીકા થઈ હતી. પણ વડા પ્રધાનને તેનાથી કોઈ ફરક નહોતો પડ્યો. તેઓ મનભાવન ‘વાસ્તવ’ના સર્જનમાં લાગી ગયા હતા.  

ગાલ્વાનની ઘટના પછી ત્રણેક અઠવાડિયામાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને કહેવામાં આવ્યું હતું કે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધીમાં કોવીડ સામેની રસી તૈયાર કરીને આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી નામની બે સરકારી સંસ્થાઓ અને ભારત બાયોટેક નામની ખાનગી કંપની મળીને રસી બનાવવાનો પ્રયોગ કરી રહી હતી. જગતના બીજા અનેક દેશોમાં સરકારી અને ખાનગી રાહે રસી તૈયાર કરવાનું કામ ચાલતું હતું. ભારતને જો તેમાં સફળતા મળે તો ભારત તેની સંપૂર્ણ સ્વદેશી રસી જગત સમક્ષ મૂકી શકે એમ હતું. એમાં કોઈ શંકા નહોતી કે એ ભારત માટે ગૌરવની વાત હતી.

પણ વડા પ્રધાન ગાલ્વાનની ઘટનાનો ખંગ વાળવા માગતા હતા. જગતના મહાન નેતા કોઈ અનોખું આયોજન કરીને, પૂરી તાકાત લગાડીને ભારત જેવા બહોળી વસ્તીવાળા દેશને કોરોનામુક્ત કરવાના કામે લાગી ગયા છે, એવું એક નવું મનભાવન વાસ્તવ (નેરેટિવ) તેઓ તૈયાર કરવા માગતા હતા. એટલે તેમણે રસીના રાષ્ટ્રવાદનો ઉપયોગ કર્યો હતો, જેનું પરિણામ આજે આપણી સામે છે. તેઓ ૧૫મી ઓગસ્ટે આઝાદીના દિવસે દુનિયા સાંભળે એમ લાલ કિલ્લા પરથી જાહેર કરવા માગતા હતા કે ભારતે શુદ્ધ સ્વદેશી રસી બનાવી લીધી છે. રસી વિકસાવવામાં ભારત દુનિયાનો પહેલો દેશ છે. આગળ જતાં તેમના મનોરથ હતા કે કોરોના ઉપર વિજય મેળવનાર ભારત જગતનો પહેલો દેશ બને, ભારત દુનિયાને રસી આપીને કોરોનામુક્ત કરવામાં અગ્રેસર બને, ભારત અવિકસિત ગરીબ દેશોને મફત રસી આપીને જગત ઉપર ઉપકાર કરે, ભારતના પાડોશી દેશોને ચીન રસી પહોંચાડે એ પહેલાં ભારત રસી પહોંચાડીને મોટા ભાઈ તરીકેનું સ્થાન સ્થાપિત કરે, ભારત વિશ્વગુરુ બને, ભારત જગતના વિકસિત દેશોને રસી વેચીને વર્લ્ડ ફાર્મસી બને, વગેરે વગેરે. આ કોઈ મારી કલ્પના નથી, વડા પ્રધાન આમ બોલ્યા છે. તેમણે પોતે વખતો વખત આ રીતનાં નિવેદનો કરીને એક મનભાવન વાસ્તવ (નેરેટિવ) પેદા કર્યું હતું અને લોકોએ તેને સ્વીકાર્યું હતું. ૧૫મી ઓગસ્ટે તો રસી તૈયાર ન થઈ શકી, પણ સૌથી પહેલાં વૈતરણી તરી જવાની હોડ તો શરૂ કરી જ હતી.

વડા પ્રધાન આવા મનોરથ સેવતા હોય તો એમાં કાંઈ જ ખોટું નહોતું. ઊલટું આપણે આપણા વડા પ્રધાન માટે ગૌરવ લેવું જોઈએ કે તેઓ આટલા વિશાળ ફલકમાં વિચારી શકે છે અને આટલી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ બનાવી શકે છે. કોઈ કાચોપોચો શાસક આવું બીડું ઉઠાવવાની હિંમત જ ન કરે. અમેરિકાએ અને યુરોપના વિકસિત દેશોના શાસકોએ તો પોતાની પ્રજા અને પોતાના સીમાડા પૂરતું જ વિચાર્યું હતું, જ્યારે કે તેની વસ્તી ભારતથી દસમાં ભાગની અને તેનાથી પણ ઓછી છે. આ બાજુ એક અબજ પાંત્રીસ કરોડની વસ્તી ધરાવતા દેશનો શાસક પોતાના દેશને કોરોનામુક્ત કરવાનું અને વિશ્વને પણ કોરોનામુક્ત કરવામાં યોગદાન આપવાનું વિચારતો હોય અને ખોંખારો ખાઈને કહેતો હોય તો આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ. કોઈ બત્રીસલક્ષણો શાસક જ જગત સાંભળે એમ આવો દાવો કરી શકે.

હવે અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે ચીન સામેની નાલેશીને ધોવા અને પ્રજામાનસમાંથી એ ભૂલાવવા જે મનભાવન ચિત્ર તેમણે દોર્યું હતું એને સાકાર કરવું શું સાવ અશક્ય હતું? તેની પાછળ હેતુ અથવા આશય ગમે તે હોય, પણ પ્રજામાનસમાં કોરોનામુક્ત કરી આપવાની જે આશા તેમણે પેદા કરી હતી એ પૂરી કરી શકાય એમ હતી કે પછી એ સાવ શેખચલ્લી સપનાં હતાં? મને એમ લાગે છે કે એ અસંભવ નહોતું. ભલે સો ટકા નહીં, પણ ૮૦ ટકા અને ૮૦ ટકા નહીં તો પણ ૭૦ ટકા પરિણામ તો મળ્યું જ હોત. એમાં કોઈ શંકા નથી કે જો ૭૦ ટકા પરિણામ પણ મળ્યું હોત તો વડા પ્રધાન ઊંચક્યા ઉંચકાતા ન હોત. અમેરિકનો અને યુરોપિયનો જે પ્રજાને ‘બ્રેઈની’ તરીકે ઓળખાવે છે એ ભારતીય પ્રજા માટે આ અશક્ય નહોતું. હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું કે જગતના શ્રેષ્ઠ ૨૦ એપીડેમિયોલોજીસ્ટો(રોગચાળાના નિષ્ણાત)માં ૧૫ ભારતીય છે.

ટૂંકમાં શિવધનુષ ઊંચકવું મુશ્કેલ નહોતું. ભલે તીરની દિશા આકાશ તરફ ન હોત તો પણ નાકના લેવલે સામેની દિશાએ તો હોત જ. આ અશક્ય નહોતું.

પણ તો પછી એવું શું બન્યું કે જે શક્ય બની શકતું હતું એ શક્ય ન બન્યું? આની ચર્ચા હવે પછી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 મે 2021

Loading

27 May 2021 admin
← ‘ભૂલી ગયો’
તમામ પદો માટે રાજકીય વગ સિવાયની તમામ લાયકાતો રદ્દ કરવી જોઈએ … →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved