Opinion Magazine
Number of visits: 9448847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન પૂર્વેના જિન્ના –

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|23 September 2018

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ વિરોધોમાંથી એક વિરોધ એ પોતપોતાના રાષ્ટ્રપિતાને જોવાના દ્રષ્ટિકોણનો પણ છે. મહાત્મા ગાંધીની તો દરેક ભારતીય પોતાની અલગ રીતે વ્યાખ્યા કરી શકે છે. જેમ કે નક્સલીઓ ગાંધીજીને દબાતા પગલે આગળ વધનારા પ્રતિક્રિયાવાદી કહે છે, તો હિંદુત્વવાદીઓની નજરમાં તેઓ મુસલમાનો પ્રત્યે કંઇક વધારે જ ઉદાર હતા. આંબેડકરવાદીઓની નજરમાં જાતિવાદના મુદ્દે તેમનો વિરોધ ગંભીર નહોતો, ત્યારે નારીવાદીઓ તેઓને લૈંગિક ભેદભાવના મુદ્દે થોડા નરમ ગણાવે છે. આધુનિકવાદીઓની નજરમાં ગાંધી ભૂતકાળનું મહિમામંડન કરનાર હતા, તો પરંપરાવાદીઓની નજરમાં તેઓ શાસ્ત્રનો અનાદર કરનાર વ્યક્તિ હતા. જ્યારે પાકિસ્તાનમાં તેમના રાષ્ટ્રપિતાની કોઇ ટીકા-ટિપ્પણી થઇ શકતી નથી.

પાકિસ્તાનની રચના થઇ તેના થોડા જ સમય બાદ, લાહોરના એક કવિએ જિન્ના વિશે લખ્યું હતું કે હે કાયદે-આઝમ તમારા શ્વાસ માત્ર જ આ દેશ માટે પૂરતા છે, આ દેશને એક રાખવા માટે તમે એકલા જ પૂરતા છો. પાકિસ્તાનમાં જિન્નાને આ જ ભક્તિભાવથી યાદ કરવામાં આવે છે. આજે પણ ઘણાં પાકિસ્તાનીઓનું એવું કહેવું છે કે જો જિન્ના માત્ર પાંચ અથવા દસ વર્ષ વધુ જીવતા રહ્યા હોત, તો આ દેશને ભ્રષ્ટાચાર, ગરીબી, આતંકવાદ, કટ્ટરતાવાદ અથવા સૈન્યની તાનાશાહીનો રોગ ના લાગ્યો હોત. પાકિસ્તાનના દળોની પ્રતિબદ્ધતાઓમાં ભાગલા જોવા મળતા હોવા છતાં પણ તેઓ જિન્નાના મુદ્દે તો એક જ છે. પાકિસ્તાનના અખબાર ‘ડોન’માં અઠવાડિયાઓ પહેલાં તેના સંપાદકીયમાં એવું નોંધવામાં આવ્યું હતું કે જિન્નાનું પાકિસ્તાન સહિષ્ણુ, પ્રગતિશીલ, સમાવેશી અને લોકતાંત્રિક છે. શું પાકિસ્તાનની લીડરશીપ પોતાના સંસ્થાપક પિતાના આદર્શો પર પરત ફરશે.

એક ભારતીય તરીકે, પાકિસ્તાનીઓએ પોતાના રાષ્ટ્રપિતાને કેવા દ્રષ્ટિકોણથી જોવા જોઇએ તે વિશે વાત કરવી એ મારું કામ નથી. પણ, એક ઇતિહાસકાર તરીકે મારી જવાબદારી છે કે મારે પાકિસ્તાનીઓને અને મારી જાતને એ વાતની યાદ અપાવવી જોઇએ કે જિન્નાના સમયમાં તેમના સમકાલીનો તેમના વિશે શું વિચારતા હશે. હું અહીં ગાંધી અને નહેરુની વાત નહીં કરું કારણ કે તેઓના વિચારો જગજાહેર છે.

શરૂઆત આપણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહી ચૂકેલા મૌલાના શૌકતઅલીથી કરીશું. આ તે અલી બંધુ પૈકીના છે કે જેઓ અસહયોગ આંદોલનમાં ગાંધીજીની સાથે અને જિન્નાની વિરુદ્ધ સ્પષ્ટવક્તા તરીકે જોવા મળ્યા હતા. વર્ષ 1926માં આ આંદોલન સંપૂર્ણ રીતે શાંત પડતાની સાથે જ જિન્નાએ બોમ્બે વિધાનસભા માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરી દીધી હતી. શૌકતઅલીએ આ ઉમેદવારીની સાથે એક અરજી જાહેર કરી અને જણાવ્યું કે તેઓ જિન્નાને બોમ્બેના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરવા માટે અનુપયુક્ત કેમ માને છે અને તેના કારણો આ પ્રમાણે હતા. એક, કે જિન્ના બોમ્બેના મુસલમાનો વિશે કશું જાણતા નહોતા અને તેના કરતાં પણ મોટી વાત એ હતી કે જિન્ના આ વિશે જાણવા પણ માગતા નહોતા. બીજુ, જિન્નાએ અભ્યાસના સંદર્ભે પછાત મુસલમાનો માટે કશું કાર્ય કર્યું નહોતું. ત્રીજુ, જિન્નાએ મુસ્લિમ સમુદાયના તમામ અભિયાનથી પોતાને દૂર રાખ્યા અને સાથે ખિલાફત અને અસહયોગ આંદોલનનો પણ વિરોધ કર્યો. ચોથુ, આ મુસ્લિમ લીગનું સંકીર્ણ અને પુરાતન સંવિધાન હતું કે જેના જિન્ના સફળતાથી વડા તો બની ગયા, પણ તેને ખત્મ કરી દીધું. પાંચમુ, જિન્ના અનુશાસન કાયમ રાખી શક્યા નહીં અને પાર્ટી સંગઠનના અધીન કાર્ય પણ કરી શક્યા નહીં, ત્યાં તેમણે પોતાના સરીખા અથવા તો વરિષ્ઠોની સાથે તાલમેળ સાધવો પડે તે પણ તેઓએ ટાળ્યું.

શૌકતઅલીએ પોતાની વાત ખત્મ કરતા લખ્યું કે ઈસ્લામ વિશે જિન્નાની લગભગ નહીંવત્‌ એવી જાણકારી ડરાવનારી છે, અને તેમના પર કમનસીબ મુસલમાનોનું પ્રતિનિધિત્વ સોંપવાનો ભરોસો કરી શકાય નહીં, અને અહીં સુધી કે એક લેમ્પપોસ્ટ પણ તેમના કરતાં ઓછો નુક્સાનકારક હશે.

તેમ છતા પણ જિન્ના ચૂંટણી જીતી ગયા અને તેમનું નસીબ ચમક્યું, સાથે શૌકતઅલીનું માન ઘટવા માંડ્યું. વર્ષ 1938માં શૌકતઅલીના મૃત્યુ સુધી, જિન્ના ભારતીય મુસલમાનોના નિર્વિવાદ નેતા બની ચૂક્યા હતા. વર્ષ 1940ના માર્ચ મહિનામાં લાહોરમાં જિન્ના મુસ્લિમ લીગના વાર્ષિક સંમેલનમાં વડાના પદે હતા, ત્યારે તેમના એક પ્રશંસકે તેમને લખ્યું કે આ તે જ સમય હતો કે જ્યારે જિન્નાને પ્રથમ વખત પોતાના હોવાનો અનુભવ થયો હશે. સાથે તેમને એ વાત સમજાઇ હશે કે તેમને પસંદ કરનારા લોકો તેમને કેટલા પસંદ કરે છે અને તેઓ ભારતીય મુસલમાનોનો કેટલો ભરોસો અર્જિત કરી ચૂક્યા છે. અને ત્યારે ભારતીય મુસલમાનો માટે એક અલગ દેશની માગ કરતો પાકિસ્તાન પ્રસ્તાવ પસાર થયો.

પંજાબના ગવર્નરને મોકલી આપેલી નોટમાં આઇ.સી.એસ. ઓફિસર પેંડરેલ મૂને લાહોર બેઠકની ત્રણ ખાસ વાતો રેખાંકિત કરી હતી. પ્રથમ, મુસલમાનોના અસલી પ્રતિનિધિના રૂપમાં મુસ્લિમલીગનું મહત્ત્વ અચાનક વધી ગયું છે. બીજુ, જિન્નાની પ્રતિષ્ઠા ઘણી વધી રહી છે અને તેઓ અખિલ ભારતીય સ્તર પર મુસલમાનોના નિર્વિવાદ નેતા બની ચૂક્યા છે. ત્રીજુ, મુસલમાનો હવે લગભગ ઉપરના સ્તર પર તો ભારતના ભાગલાના સહયોગમાં એક થઇ ચૂક્યા છે. આ ઘટનાના ત્રણ મહિના બાદ લિબરલ નેતા વી.એસ. શ્રીનિવાસન શાસ્રીએ ગાંધીજીને લખ્યું કે કોઇ વિચારી પણ નથી શકતું કે જિન્નાની અસર કેટલી હદે વધી ચૂકી છે. આજે કોંગ્રેસ પણ તેમની અવગણના કે ટીકા કરવાની સ્થિતિમાં નથી તો પછી બ્રિટિશ સરકાર પણ તેવું કેવી રીતે કરી શકશે. તેઓ જોઇ રહ્યા હતા કે અંગ્રેજો માટે હવે મુસલમાનોની નારાજગી, કોંગ્રેસને સંતુલિત રાખવાની આશા કરતાં વધુ ઘાતક સાબિત થવાની હતી. બીજી બાજુ ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઇ માનતા હતા કે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની રચનાના મૂળમાં જ બ્રિટનના નિર્માતા હતા, જેમણે હિંદુઓ અને મુસલમાનો વચ્ચેની વિભાજન રેખા મજબૂત કરી હતી. મહાદેવ દેસાઇએ લખ્યું આપણે આ સમગ્ર ઘટના માટે કોઈનો પણ વાંક કાઢી શકીએ નહીં, સાથે તે ખતરનાક વિચારને પણ દોષ આપી શકીએ નહીં.

વર્ષ 1940 સુધી એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાન ક્યારે ય બનશે જ નહીં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લીગ અને જિન્નાની અસર ઝડપી બની. યુદ્ધ ખત્મ થયા બાદ બ્રિટિશ ભારતની ચૂંટણીમાં જે રીતે મુસ્લિમ સીટો પર મુસ્લિમલીગ જીતી, તેનાથી આઝાદ પાકિસ્તાનના સપનાંને પાંખો મળી. ડિસેમ્બર 1946માં એક આઇ.પી.એસ. ઓફિસર મેલકમ ડાર્લિંગે પંજાબના એક પ્રમુખ મુસલમાન અને કોટના સરદારના હવાલાથી લખ્યું કે જ્યાં સુધી તેઓ પોતાની વાત પર સફળ છે, આ વાતનો કોઇ મતલબ નથી કે તેઓને મુસ્લિમ ધર્મની એ.બી.સી.ડી. આવડે છે કે નહીં. આ ઇતિહાસની વધુ એક વિડંબણા હતી કે જે વ્યક્તિ મુસલમાન વિશે કશું જ જાણતા નહોતા અને તેમના વિશે જાણવા પણ માગતા નહોતા તે વ્યક્તિ બ્રિટિશ ભારતના હાથમાંથી નીકળીને એક આઝાદ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવામાં સફળ થયા.

(હિન્દુસ્તાન હિન્દી ન્યૂઝપેપર)

અનુવાદ – નિલય ભાવસાર

https://www.livehindustan.com/blog/story-ramchandra-guha-article-in-hindustan-on-17-september-2177312.html

Loading

23 September 2018 admin
← સળગતું જંગલ, માઓવાદ અને રાજ્ય
વિષ્ણુ ખરે, એક સાંસ્કૃિતક યોદ્ધા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved