Opinion Magazine
Number of visits: 9483759
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પદ્મભૂષણ પંડિત સુખલાલજીનું પોસ્ટલ કવર શો સંદેશ લાવે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 October 2023

એમણે કેવળ પરંપરાગત શાસ્ત્રજ્ઞાનમાં નહીં ગંઠાતાં માનસશાસ્ત્રથી માંડી નૃવંશવિદ્યા સહિતનાં નવખેડાણ પણ સેવ્યા અને ધર્મચિંતનને ‘નિવૃત્તિ‘નું ક્ષેત્ર નહીં માનતા નાગરિક પ્રવૃત્તિઓમાંયે રસ લીધો

પ્રકાશ ન. શાહ

સુપ્રતિષ્ઠ પર્યુષણ વ્યાખ્યાનમાળાના સુવર્ણજયંતી ઉત્સવના શુભ આરંભ રૂપે હમણાં પંડિત સુખલાલજીનું વિશેષ પોસ્ટલ કવર બહાર પડ્યું તે નિશ્ચે જ આ મોસમના સારા સમાચારો પૈકી છે.

પંડિતજી વિશે ને મિશે વિશેષ લખું તે પહેલાં બે પાંચ શબ્દો આ ‘મોસમ’ના બારામાં કહું. ‘ધર્મ’ એ સંજ્ઞા એના અસલ અર્થથી વિખૂટી પડી ગઈ છે, અને લોકો સામસામી રાજનીતિ સહિતનો મિથ્યાવ્યાપાર ‘ધર્મ’ને નામે કરે છે, એવા આ વસમા દિવસો છે.

આ વસમા દિવસોમાં પં. સુખલાલજીનું જીવનકાર્ય ચોક્કસ જ માર્ગદર્શક ને પ્રેરક અનુભવાય એવું છે. નાની ઉંમરે આંખ ખોયા પછી વિદ્યાજ્ઞાનમાં ઊંડા ઊતરવું ને નાનાવિધ શાસ્ત્રો તેમ જ એથીયે અધિક તો વિવિધ દર્શનોના અરણ્યમાં અકુંતોભય વિહરવું તે અલબત્ત એક અસાધારણ વાત હતી અને છે. કાશી-મિથિલાની એમની વિદ્યાસાધના તેમ જ તે પછી ગૂજરાત વિદ્યાપીઠ, બનારસ હિન્દુ યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન, ભો.જે. વિદ્યાભવન(ગુજરાત વિદ્યાસભા)માં અધ્યાપનની અનેરી પરંપરા ખિલવવી એ પોતે ખસૂસ એક મોટી વાત છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એ મુક્ત થવાના હતા ત્યારે ઉપકુલપતિ સર્વપલ્લી રાધાક્રિષ્ણને એમને પોતાની પસંદગીના ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવા માટે ખાસ જોગવાઈની ઓફર કરી અને એમણે નકારી હતી. એ પૂર્વ કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્યામાપ્રસાદ મુખરજીએ પણ એમને આશુતોષ મુખરજી ચેર પર પસંદગીનું કામ કરવા સબહુમાન નિમંત્ર્યા હતા, પણ એમણે સાભાર અસ્વીકાર કર્યો હતો.

પંડિત સુખલાલ સંઘવી

આ સાભાર અસ્વીકારનું કારણ કેવળ એટલું ને એટલું જ હતું કે, વતન, ગાંધીભૂમિ ગુજરાત એમને ખેંચતું હતું. અહીં ગુજરાત આગળ ગાંધીભૂમિ એ વિશેષણ મેં સાભિપ્રાય પ્રયોજ્યું છે, કેમ કે, પં. સુખલાલજીની ધર્મદૃષ્ટિએ આપણા સમયમાં એક વિભૂતિ લેખે ગાંધીજીમાં કશુંક ભાળ્યું હતું. સુખલાલજીનું પોતાનું વિભૂતિમત્વ કેવુંક હશે એનો અંદાજે અહેસાસ દર્શકની મનહર-મનભર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના નાયક સત્યકામ પરથી આવશે. કહે છે કે, આ પાત્રનિર્માણનો ધક્કો દર્શકને પંડિતજી પરથી લાગ્યો હતો. સુખલાલ સંઘવી આમ તો નાના શા લીમલી ગામનું ઝાલાવાડનું સંતાન. ઝાલાવાડનું જ ગુજરાત પ્રતિષ્ઠ એવું અન્ય સંતાન તે દલપતરામ. મોટી ઉંમરે દલપતરામે આંખ ખોઈ હતી. પણ અંતર એથી કદાચ વધુ જ ઊઘડ્યું હશે. શું સરસ કહ્યું હતું એમણે કે મનુષ્યથી થઈ શકે તે કામ પ્રભુને ભળાવવા નહીં. દર્શકનો સત્યકામ, કેમ કે એને લેખકની કલ્પનાશક્તિ અને ઇતિહાસદૃષ્ટિનો લાભ મળેલો છે, વિશ્વસ્તરે હિટલરી પરિબળો સાથે ધોરણસર કામ પાડી અહીં ખુદ ગાંધીને ઝકઝોરી સહજ ક્રમે વાડીમાં વિરમે છે. પં. સુખલાલજી કેવળ શાસ્ત્રજ્ઞાનમાં ને દર્શનસેવનમાં નહીં ગંઠાતાં માનસશાસ્ત્ર, નૃવંશવિદ્યા જેવા મુકાબલે નવખેડાણોનું પણ સેવે છે અને ધર્મચિતનને ‘નિવૃત્તિ’નું ક્ષેત્ર નહીં માનતાં રચનાત્મક પ્રવૃત્તિઓમાંયે રસ લે છે.

ગાંધીજીને જે રીતે જોવામૂલવ્યા એમણે – પરિચય તો કે’દીનો હતો – કોચરબ આશ્રમના આરંભદિવસોમાં સામે બેસી સાથે સાથે ઘંટી તાણવાનો લહાવો લીધો હતો. હાથમાં મેડલ પેઠે ફરફોલા – ઊઠ્યા હતા. એમણે કહ્યું કે પૂજામાં બેસેલ ગૃહસ્થ એના મહેલમાં આગ લાગ્યાનું જાણતે છતે પૂજામાં અવિચલ રહે છે અને આપણે એને વિદેહી કહીએ છીએ. એક બાપુજી (ગાંધીજી) એવા નીકળ્યા કે એમણે બળતા ઘરમાં આગ ઓલવવામાં દરમિયાન થવાના પોતાનો ધર્મ જોયો, ‘સંસાર શું સરસો રહે ને મંત મારી પાસ, એક આપણાં સમયના વિદેહી છે.’

પંડિતજીના શાસ્ત્રતપ વિશે ન કહેતાં વિવિધ શાસ્ત્રો ને દર્શનો આરપાર એમણે જ વલણ કેળવ્યું ને જેનું પ્રતિપાદન કર્યું તે સારરૂપે કહું તો ‘મિત્તિ મે સવ્વ ભૂએસુ'(સમગ્ર વિશ્વ સાથે અદ્વૈત)નું હતું. તત્ત્વચિંતનને ધર્મ અને શાસ્ત્રોની શૃંખલામાંથી મુક્ત કરવું અને ક્રિયાકાંડમુક્ત સમન્વયદર્શી ધર્મની અનુમોહતા કરવી એ એમની સહજાવસ્થા હતી.

પ્રર્યુષણ વ્યાખ્યાન માળા એમણે ખીલવી તે વ્યાપક નાગરિકતાની કેળવણીની ધર્મભાવનાથી … કાશ, આ પોસ્ટલ કવરનો ઉપક્રમ એવો પ્રકાશ પાથરી શકે !

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 ઑક્ટોબર 2023

Loading

19 October 2023 Vipool Kalyani
← ગાંધીજીને પત્ર
એક બાર ફિર: ઉપેક્ષાની પીડા, સ્વીકૃતિનું સુખ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved