Opinion Magazine
Number of visits: 9449453
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ન્યાય’તંત્ર

અંબાલાલ ઉપાધ્યાય|Samantar Gujarat - Samantar|17 December 2018

ગુજરાતભરમાં હિંમતનગરમાં ચાલતા એકમાત્ર સહકારી પ્રિન્ટિંગ પ્રેસના સ્થાપક અને પ્રમુખ નૂરભાઈ લાઘાણીનું મૃત્યુ થતાં કામદારોએ મને આવીને પ્રમુખ થવા કહ્યું. મેં કહ્યું કે પ્રિન્ટિંગ પ્રેસના કામનો મને અનુભવ નથી, એટલે ઉપયોગી થઈ શકીશ નહીં. ત્યારે કામદારોએ કહ્યું કે પ્રેસનું કામકાજ અમો સંભાળી લઈશું. આપ પ્રમુખ હોવ તો પંચાયત, સહકારી અને સરકારી કામકાજ મળી શકે. મારા પ્રમુખ થયા પછી જિલ્લાની સહકારી સંસ્થાઓ સભ્ય બનાવી શૅરભંડોળ વધાર્યું. પ્રેસ ધમધોકાર ચાલવા માંડ્યો અને મોડાસામાં તેની શાખા શરૂ કરી, છ માસમાં જ પ્રિન્ટિંગ પ્રેસના મૅનેજર ઉપર પ્રોવિડન્ટ ફંડ લાગુ ન કરવા માટે પ્રોવિડન્ટ ફંડના ઇન્સ્પેક્ટરે કોર્ટમાં ફરિયાદ મૂકી, ત્યારે મૅનેજરે કહ્યું કે પ્રેસમાં પૂરા કામદારો નથી. એટલે પ્રોવિડન્ટ ફંડ દાખલ કર્યો નથી. આ તો ઇન્સ્પેક્ટર બધા પાસેથી હપતા ઉઘરાવે પણ આપણે આપીએ નહીં, એટલે ખોટો કેસ કર્યો.

કોર્ટમાં કેસ દાખલ થયા પછી ચાર મુદ્દતો પછી કોર્ટના ન્યાયમૂર્તિએ કેસમાં પ્રિન્ટિંગ પ્રેસના તમામ કારોબારી સભ્યોને તહોમતદાર તરીકે ઉમેરી લીધા. પ્રિન્ટિંગ પ્રેસના પ્રમુખ તરીકે તહોમતદારમાં મને પણ લીધો હતો. મારા ગામથી હિંમતનગર કોર્ટમાં આવતાં ૫૦ કિલોમીટરનું અંતર હતું. એટલે એક મુદ્દતે મોડો પડ્યો ન્યાયમૂર્તિએ વૉરંટ કાઢી લીધું. બીજી મુદ્દતે હાજર થતાં કેસ નીકળ્યો. એટલે ન્યાયમૂર્તિએ મને દરવાજા પાસેના પાંજરામાં બેસવાનું કહ્યું. કોર્ટનો સમય બંધ થતી વખતે ન્યાયમૂર્તિએ મને પોલીસમાં સોંપી હિંમતનગરની સબજેલમાં લઈ જવા આદેશ આપતાં મારે જેલમાં જવું પડ્યું. ઍડ્‌વોકેટને જાણ થતાં ન્યાયમૂર્તિને કહ્યું કે તે એ મુદ્દતના દિવસે હાજર હતા, પણ થોડાક મોડા પડેલા એટલે જેલમાંથી મુક્ત કરવા માંગણી કરી. ન્યાયમૂર્તિએ કહ્યું કે આવતી કાલે કોર્ટમાં જામીન રજૂ કરજો. ઉંમરલાયક હોઈ અને  કોઈ ગુનો કર્યો નથી એટલે છોડવા માગણી કરી, ન્યાયમૂર્તિએ જામીન રજૂ કરવા કહેતાં ઍડ્‌વોકેટ પોતે જામીન થયા. મને જેલમાંથી મોડી સાંજે છોડવામાં આવ્યો. ન્યાયમૂર્તિ મોડાસાની કોર્ટમાં હતા, ત્યારે તેમનાં પત્ની મેઢાસણ રેફરલ હૉસ્પિટલમાં નોકરી કરતાં હતાં. તેઓની બદલી મેઢાસણ હૉસ્પિટલમાં મોડાસા મુકામે કરવા મારા ગામના ઍડ્‌વોકેટ સાથે હું જિલ્લાપંચાયતનો પ્રમુખ હોઈ કહેવડાવાયું. તપાસ કરતાં જાણ્યું કે રેફરલ હૉસ્પિટલ સરકાર હસ્તક હતી એટલે જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે મારાથી બદલી થઈ શકે નહીં. તેમ ઍડ્‌વૉકેટ મારફતે આ કહેવડાવ્યું, ત્યારે ન્યાયમૂર્તિએ કહ્યું કે કામ કરવું નથી, એટલે બહાનું બતાવ્યું છે. તે જ ન્યાયમૂર્તિ મોડાસા કોર્ટમાંથી બદલાઈ હિંમતનગર કોર્ટમાં આવેલા, તેમની પાસે કેસ હોઈ મારું નામ યાદ રાખી વૉરંટ કાઢી બીજી મુદ્દતે જેલમાં પૂરવા આદેશ આપ્યો હતો. કેસમાં ૪થી ૫ ન્યાયમૂર્તિ બદલાયા. એક મુદ્દતે ૧૧ વાગે કોર્ટમાં આવી હાજર થયા હતા. દરમિયાન લઘુશંકા માટે કંપાઉન્ડમાં મૂતરડીમાં ગયો હતો, તે વખતે જ કેસ નીકળતાં હું સહેજ મોડો પડ્યો, એટલે ન્યાયમૂર્તિએ કહ્યું : કેમ મોડા પડ્યા છો? બાપના બગીચામાં ફરવા આવ્યા છો?

કેસ તા. ૧-૨-૧૯૯૧ના રોજ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો. કેસમાં ૧૭ વર્ષ ઉપરાંતના સમય સુધી કેસની મુદ્દતો પડ્યા કરી.

તા. ૨૭-૩-૨૦૧૮ના રોજ ન્યાયમૂર્તિએ કેસને સ્ટૉપ કરવાનો આદેશ આપ્યો અને કેસ બંધ થયો. દરમિયાન કેસ અંગે કાયદાની કલમનું પુસ્તક મંગાવી વાંચતાં જોયું, તો રાજ્યના પ્રોવિડન્ટ ફંડના અધિકારી મંજૂરી આપે તેના પર કેસ દાખલ થઈ શકે. રાજ્યના અધિકારીએ મૅનેજર ઉપર કેસ મૂકવા મંજૂરી આપી હતી. પાછળથી ન્યાયમૂર્તિએ આખી કારોબારી – સમિતિને તહોમતદારમાં લેવા આદેશ આપ્યો હતો. અમોએ કાયદાની કલમ ટાંકી સહીઓ કરી ન્યાયમૂર્તિને જણાવ્યું હતું કે રાજ્યના અધિકારીએ મૅનેજર ઉપર કેસ કરવા મંજૂરી આપેલી છે, એટલે કારોબારી સમિતિને તહોમતદારમાંથી મુક્ત કરવા માંગણી કરી હતી. ન્યાયમૂર્તિએ અમારો સદરહુ રિપોર્ટ વાંચવાની પણ તકલીફ લીધી ન હતી. કેસની દર માસે મુદ્દત પડતી હતી. એટલે અંદાજે ૨૦૪ મુદ્દતોમાં આખી કારોબારીના ૧૫ સભ્યોને કોર્ટમાં આવી બેસી રહેવું પડતું હતું. ફરિયાદી ઇન્સ્પેક્ટર કેસ મૂક્યા પછી એકેય વખત કોર્ટમાં આવ્યા ન હતા, છતાં ય તેની નોંધ લેવાયા સિવાય જેમના પર કેસ થયેલો તે પૈકી કોઈ આવવામાં મોડા પડે, તો વૉરંટ કાઢી જેલમાં પૂરવાનો પ્રસંગ બન્યો હતો. છેલ્લા ન્યાયમૂર્તિએ કેસની ચકાસણી કરતાં ફરિયાદી એકેય વખત હાજર થયેલ ન હોઈ કેસ સ્ટૉપ કરવા આદેશ આપ્યો હતો. ન્યાય માટેની કોર્ટમાં પણ ગુનો ન બન્યો. છતાં ય અધિકારીએ મૅનેજર ઉપર કેસ મુકવા મંજૂરી આપી હોવા છતાં ય ન્યાયમૂર્તિએ પોતે આદેશ આપી આખી કારોબારી કમિટીને તહોમતદારમાં લેવા આદેશ આપ્યો જેના કારણે ૧૭ વર્ષ ઉપરાંત સમયથી ૨૦૪ મુદ્દતોમાં કોર્ટમાં આવીને બેસી રહ્યા પછી કેસમાંથી છુટકારો મળ્યો. ન્યાય માટેની કોર્ટોથી જ ત્રાસજનક સ્થિતિમાં ૧૫ વ્યક્તિઓને ગુજરવું પડ્યું છે.

રાજ્યના એકમાત્ર સહકારી પ્રિન્ટિંગપ્રેસને એના કારણે ફડચામાં લઈ જવો પડ્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 08

Loading

17 December 2018 admin
← રણ મહીં
ક્વૉત્રોચી મામા સામે રાજીવ ગાંધીએ તપાસ થવા દીધી હતી તો અનિલભૈયા સામે પણ થઈ જાય! એમાં ડરવાનું શું છે જ્યારે દામન સાફ છે? રમેશ ઓઝા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved