Opinion Magazine
Number of visits: 9448629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજા, તારો અહંભાવ મૂકીને …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 August 2014

રાજા, તારો અહંભાવ મૂકીને …

– કેમ કે આ દર્શક શતાબ્દી વર્ષ છે અને સદ્દભાવી દર્શક ચાહકો સુધ્ધાં કંઈક વ્યામોહવશ છે, શરૂઆત ‘દીપનિર્વાણ’ના અમર અને અવિસ્મરણીય અવતરણથી.

તક્ષશિલાના (જે ત્યારે પણ બિહારમાં નહોતું, એના) પ્રવેશદ્વારે લખ્યું હતું :

“હે ચક્રવર્તી ! આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે; ને તારા રાજવીમદમર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.”

ગુજરાતમાં જેપી આંદોલનના અગ્રનિમિત્ત, જ્ઞાનગંગોત્રીકાર ભોગીભાઈ ગાંધી સાથે ત્યારના સત્તાપક્ષ(કૉંગ્રેસ)ના દબાણથી ઘોર અવિનય થયો ત્યારે આશરે અઢી દાયકા પર વ્યાપક ગુજરાતી સમાજની સેવામાં આ અવતરણપૂર્વક અંતરતમ નિવેદિત કરવાનું બન્યું હતું. આજકાલ દીનાનાથ બત્રાનું સાહિત્ય પૂરક વાચન તરીકે રાજ્યની ૪૨,૦૦૦ શાળાઓમાં પરબારું દાખલ કર્યાના હેવાલો વચ્ચે ફરીને કદાચ આ જ અવતરણના ઉજાસમાં પથસંસ્કરણ અને પથનિર્ધારણ કરવાપણું લાગે છે.

ઊઘડતી સ્કૂલે નિયત પાઠ્યપુસ્તકોના ધાંધિયા હોય અને કથિત પૂરક વાચન સુલભ જ સુલભ હોય તે વર્તમાન તંત્રનાં પ્રબંધનધોરણો અને અગ્રતાવિવેકની દ્યોતક બીના છે. જ્યાં સુધી અગ્રતાવિવેકનો સવાલ છે, આ સરકારનું વિચારધારાકીય વલણ સાફ છે અને જેની વિદ્યાકીય ગુણવત્તા તપાસલાયક પણ વિચારધારાકીય પ્રતિબદ્ધતા ટનાટન છે એવું સાહિત્ય સરકારી રાહે પેંધાડવામાં એને પોતાનો ધર્મ સમજાય છે. સાંભરે છે કે રાજીવ ગાંધી અને દૂન બૉય્ઝની બાબાલોગ સરકાર વેળાએ ૧૯૮૫-૮૬માં અસંદિગ્ધ શબ્દોમાં લખવાનું બન્યું હતું કે દીનબંધુઓ ગયા અને દૂનબંધુઓ આવ્યા. આજે શું કહેવું, સિવાય કે રવીન્દ્રનાથ અને વિશ્વભારતી ગયાં અને દીનાનાથ ને વિદ્યાભારતી આવ્યાં.

તેઓ વિકાસની વાત કરે છે, પણ એક વાતે અક્ષત આશ્વસ્ત જ આશ્વસ્ત છે કે પ્રાચીન ભારતમાં હાલ અધુનાતન મનાતું બધું જ હતું. જો કે એમના અભિગમમાં છેક નિરીહ નહીં એવી સરળતા પણ છે : જ્યાં સુધી અશોક સિંઘલ સુલભ હોય ત્યાં સુધી એમને રામાયણકોકિલ વાલ્મીકિનો પણ કદાચ ખપ નથી. રહો, મારે વક્રોક્તિમાં વહી નહીં જતાં ઉતાવળે ચારપાંચ મુદ્દા કરી લેવા જોઈએ.

એક તો, રાજ્ય સરકારે જેમની પાસે પરામર્શન કરાવ્યાના હેવાલો છે તે ત્રણે (હર્ષદ શાહ, ઋતા પરમાર, રેખા ચુડાસમા) સંઘ પરિવાર-વિદ્યાભારતી મંડળીનાં છે. વિચારધારાકીય ડામણાં અને ડાબલાં એ એમની વિશેષ લાયકાત છે. ખરું જોતાં, એમની સામેલગીરીભેર ગુજરાતનાં વ્યાપક વિદ્યાવર્તુળોમાં પરામર્શ અનિવાર્ય છે.

બીજું, મારી દૃષ્ટિએ, જેમ આધુનિક યુદ્ધ કેવળ સેનાપતિઓ પર છોડી શકાતું નથી; જેમ લોકશાહીમાં રાજકારણ કેવળ રાજકારણીઓ પર છોડી શકાતું નથી; તેમ કોઈ પણ મુક્ત અને પુખ્ત સમાજ કેવળ સરકાર અને એના શૈક્ષણિક ઉપગ્રહોની તાંબુલવાહિની જેવું પાઠ્યક્રમનિર્ધારણ સ્વીકારી શકે નહીં. ગુજરાતમાં આવી બાબતોમાં પૂર્વે ઊહાપોહભેર ચર્ચાના અને પુનર્વિચારના પ્રસંગો આવ્યા પણ છે.

ત્રીજું, સરકાર આ દિશામાં પહેલ કરો વા ન કરો, ગુજરાતમાં જે સત્તાપક્ષ ઉપરાંતનાં વર્તુળો અને બીજાં બિનપક્ષીય મંડળો, નાનીમોટી શૈક્ષણિક ચળવળો છે તે તો આ પ્રકારનાં પુસ્તકો અને એમની પસંદગીની પ્રક્રિયા પરત્વે શીલ અને શૈલીની દૃષ્ટિએ ચર્ચાપહેલ કરી જ શકે છે.

ચોથું, એક અંગ્રેજી દૈનિકને સૂઝ્યું અને દેખાયું તે મોટાભાગનાં ગુજરાતી દૈનિકોને કેમ નહીં સૂઝ્યું હોય એ સવાલ છોડી દઈએ; પણ જે મંડળો અને સામયિકો કેવળ શિક્ષણને જ વરેલાં છે તે તો આવી ક્ષ-તપાસ અને વૈચારિક ઊહાપોહમાં જઈ જ શકે છે. “કોડિયું”, “ઘરશાળા”, “પ્રગતિશીલ શિક્ષણ”, “કેળવણીવિમર્શ” વગેરે પાસે પ્રયોગસિદ્ધિઓનું કે પ્રેરક પુનર્મુદ્રણોનું પૂરતું પાથેય હશે પણ ચાલુ વિદ્યાપ્રવાહોની સમીક્ષા થકી એમાં જે ઊંજણ અને અનુબંધ થવાં જોઈએ તે ક્યાં. નજર સામેના વિદ્યાપ્રશ્નોને બદલે કેવળ સમાંતર આદર્શ સૃષ્ટિમાં કે પોતપોતાના પ્રયોગોની નાર્સિસસીમાં રાચવું તે એક પ્રકારે હિપ્પી હોવું છે. (અમે ભલાં ને ભલી અમારી કંદરા – અગર તો, અલબત્ત, અમારો બીચ !)

પાંચ, એક ચર્ચા વેળાસર ને વિગતે કરી લેવા જેવી છે. એમાં એકંદરમતી ભલે સધાઓ અગર ન સધાઓ, પણ ભારતીય ઇતિહાસ વિશેની સમજ-અણસમજ-ગેરસમજના મુદ્દા વ્યાપક સમાજ સમક્ષ, ખાસ કરીને એના વિદ્યાવ્યાસંગી તબકા સમક્ષ આવવા જોઈએ. સાંસ્થાનિક દૃષ્ટિબિંદુથી લખાયેલ ઇતિહાસ, એક રીતે યુરોપીય સંસ્થાનવાદથી ઉફરા માર્કસીય અભિગમથી ચાલેલી ઇતિહાસચર્યા, રાષ્ટ્રીય દૃષ્ટિબિંદુથી ઉપાડાયેલ ઇતિહાસ-પ્રકલ્પો (રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્યસંગ્રામ દરમ્યાન કાર્યરત ઇતિહાસ પરિષદ હસ્તક અને મુનશી-ભારતીય વિદ્યાભવન હસ્તક) એમ ખાસું કામ થયું છે. આ દરેકને વિશે ઓછુંવત્તું સમીક્ષાત્મક સાહિત્ય પણ છે. ‘રાષ્ટ્રીય’ અને ‘રાષ્ટ્રવાદી’ અભિગમો વચ્ચેની વિવેકરેખા જાળવવાનીયે ચર્ચા થયેલી છે. સ્વરાજ સરકાર હસ્તક પણ સ્વાતંત્ર્યસંગ્રામ ગ્રંથોની શ્રેણી સુલભ થયેલી છે. આ દરેકમાં શીખવા સમજવા સંસ્કારવા કાઢવા ઉમેરવા જેવુંયે કંઈક ને કંઈક છે. ઇતિહાસનો સમ્પ્રદાય કે વાદ કરવામાંથી બચીએ તે માટે (અને ઇતિહાસ એક જ વાત શીખવે છે કે મનુષ્યજાતિ એમાંથી કશું શીખતી નથી એ હેગલવચન વળી વળીને સાચું ન પાડીએ તે માટે) કોઈ ઉપક્રમ તત્કાળ હાથ ધરવો રહે છે.

દરમ્યાન, હમણાં તો સંભારી આપું કે કણ્વાશ્રમનો મહિમા આખરે શી વાતે હતો. એક વાત સમજો મારા ભાઈ, મૃગયાર્ત રાજાને કણ્વશિષ્યો કહી શકતા હતા કે આશ્રમમૃગને હણશો મા. જ્યાં આશ્રમની સીમા શરૂ થાય છે ત્યાં તારી શિકારહદ પૂરી થાય છે.

હશે ભાઈ, એનો આભાર જેણે આત્મમંથનનો અવસર અને આગળનો એજન્ડા સંપડાવ્યો.

જુલાઈ ૨૯, ૨૦૧૪

સૌજન્ય “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2014

Loading

2 August 2014 admin
← હજુ ઘણા પ્રવાહો ઓળંગવા પડશે !
એમ ને એમ નથી પહોંચ્યા … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved