Opinion Magazine
Number of visits: 9482982
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છ વર્ષનું છોકરું ધારે ત્યારે …

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|22 June 2014

પહેલા ધોરણમાં ભણતાં રાયન રેલેકને પીવા માટે ચોખ્ખા પાણીનું મહત્ત્વ સમજાયું અને તેણે આફ્રિકામાં કૂવા ખોદાવવા એક મિશન ઉપાડયું. આજે તેની રાયન્સ વેલ ફાઉન્ડેશન નામની એન.જી.ઓ.એ ૮,૨૩, ૨૩૮ લોકો સુધી સ્વચ્છ અને સુરક્ષિત પાણી પહોંચાડયું છે

સમાજ માટે કંઈક કરવાની સમજ કઈ ઉંમરે પેદા થઈ શકે? તમારા મનમાં સૂઝેલો ઉંમરનો કોઈ પણ આંકડો ખોટો પડી શકે છે, કારણ કે કોણ ધારી શકે કે પહેલા ધોરણમાં ભણતું બાળક માનવ સમાજના મહાપ્રશ્ન સામે જંગે ચડે !

કેનેડાના રાયન રેલેક નામના બાળકે દુનિયાની દરેક વ્યક્તિને પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડવા નિર્ધાર કરેલો. સમાજસેવા જેવા શબ્દની તો તેને સમજ નહોતી, પણ એટલી સંવેદના જરૂર હતી કે મને જેટલી સરળતાથી ચોખ્ખું પાણી મળે છે, એટલી સરળતાથી સૌ કોઈને પણ મળવું જોઈએ.

રાયન જ્યારે પહેલા ધોરણમાં ભણતો હતો ત્યારે જાન્યુઆરી-૧૯૯૮ના સમયગાળામાં તેના વર્ગશિક્ષકે વાત વાતમાં જણાવ્યું કે દુનિયાના કરોડો લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. દૂષિત પાણી પીવાને કારણે લાખો બાળકો બીમાર પડે છે અને કેટલાંક તો મોતને ભેટે છે. શિક્ષિકાએ આફ્રિકન દેશોની વાત કરીને જણાવ્યું કે ત્યાં લાખો લોકો કલાકો સુધી એકધારા ચાલીને પાણી ભરવા જતાં હોય છે અને તો ય તેમને ચોખ્ખું પાણી નસીબ થતું નથી. રાયને તરત વિચાર્યું કે હું મારા વર્ગખંડમાંથી દસ ડગલાં ચાલું છું અને મને ચોખ્ખું પાણી મળે છે ત્યારે મારા જેવા દરેક બાળકને અને બધા લોકોને આટલી સરળતાથી જ ચોખ્ખું પાણી શા માટે ન મળી શકે? આ સવાલે તેના કુમળા દિમાગનો કબજો લીધો. તેને થયું કે મારે આ માટે કંઈક કરવું જ જોઈએ. તે એવા નિર્ણય પર આવ્યો કે વધુ નહીં તો આફ્રિકાના કોઈ ગામમાં મારે એક કૂવો તો ખોદાવવો જ છે. તેણે કૂવો ખોદાવવા માટે પોકેટમનીમાંથી રૂપિયા બચાવવા માંડયા. નાના બાળકને શું ખબર પડે કે એક કૂવો ખોદાવવા કેટલા રૂપિયા જોઈએ? તેણે તેનાં મમ્મી-પપ્પાને વાત કરી તો તેમણે અંદાજિત ૭૦ ડોલરનો આંકડો આપ્યો. પછી તો રાયન માંડયો ફાળો એકત્ર કરવા. મમ્મી-પપ્પા, આડોશી-પાડોશી, મિત્રો, અન્ય વર્ગખંડના વિદ્યાર્થીઓ વગેરેને વાત કરતો અને તેમની પાસેથી ફાળો મેળવતો.

૭૦ ડોલર એકત્ર થવા આવ્યા ત્યારે તેણે આફ્રિકામાં પાણી માટે કાર્યરત એક એન.જી.ઓ.નો સંપર્ક સાધ્યો અને પોતે આફ્રિકામાં કૂવો બનાવડાવવા માગે છે, તેની વાત કરી. એન.જી.ઓ.ના કાર્યકરોએ કહ્યું કે આફ્રિકામાં કૂવો ખોદવા ઓછામાં ઓછા ૨,૦૦૦ ડોલર જોઈએ. ક્યાં ૭૦ ડોલર અને ક્યાં ૨,૦૦૦ ડોલર, પણ રાયન હિંમત ન હાર્યો. તેણે ફાળો ઉઘરાવવાનું કામ વધુ ઝડપે કરવા માંડયું. આખરે એક-દોઢ વર્ષે તેણે ૨,૦૦૦ ડોલર એકઠા કર્યા. રાયને ઉઘરાવેલા પૈસામાંથી ૧૯૯૯ની સાલમાં યુગાન્ડાની અંગોલો પ્રાથમિક શાળામાં કૂવો ખોદાયો. અંગોલો શાળામાં ભણતો તેની જ ઉંમરનો જીમી અકાના તેનો દોસ્ત બની ગયેલો અને તેણે આ કૂવાના ખોદકામમાં ઘણી મહેનત કરેલી. એક કૂવો ખોદાયા પછી રાયન અને જીમીનો આત્મવિશ્વાસ અનેક ગણો વધી ગયો. તેમણે આફ્રિકામાં વધુ ને વધુ કૂવા-બોરવેલ ખોદવા માટે પ્રયાસો આદર્યા. તેમના પ્રયાસો થકી ૨૦૦૧માં રાયન્સ વેલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ.

રાયન્સ વેલ ફાઉન્ડેશન પાણી અને સ્વચ્છતા (સેનિટેશન) માટે આફ્રિકામાં વિશેષ રૂપે સક્રિય છે. આ એન.જી.ઓ. થકી રાયન અને જીમીએ ૩૦ દેશોમાં લોકોને ચોખ્ખું પાણી મળે એ માટે પ્રયાસો કર્યા છે. રાયન્સ વેલ ફાઉન્ડેશનના તાજા આંકડાઓ મુજબ તેમણે ૮૭૮ પાણી યોજનાઓમાં યોગદાન આપ્યું છે. પાણી ઉપરાંત સ્વચ્છતા ક્ષેત્રે પણ તેઓ સક્રિય છે. તેમણે ૧,૧૨૦ શૌચાલયો બાંધ્યાં છે. તેમના પ્રયાસો થકી છેલ્લા આંકડા મુજબ ૮,૨૩,૨૩૮ લોકો સુધી સ્વચ્છ અને સુરક્ષિત પાણી પહોંચાડી શકાયું છે.

છ વર્ષના એક બાળકનો નાનકડો પ્રયાસ અને તેની પ્રતિબદ્ધતા કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે, તે રાયનના ઉદાહરણ પરથી જાણી શકાય છે. રાયનને આ જંગી પ્રયાસ અને પ્રતિબદ્ધતા માટે અનેક સન્માનો-એવોર્ડ મળી ચૂક્યાં છે. યુનિસેફ દ્વારા ગ્લોબલ યુથ લીડર તરીકે તેને માન્યતા મળી છે. ઓપ્રા વિન્ફ્રેના શોમાં રાયનને આમંત્રણ મળેલું ત્યારે ઓપ્રાએ તેનું સ્વાગત કરતાં કહેલું, "તું એ વાતનો જીવતોજાગતો પુરાવો છે કે એક વ્યક્તિ, પછી ભલે તે ગમે તે વયની હોય, ધારે તો પરિવર્તન લાવી શકે છે."

રાયનની પ્રતિબદ્ધતા માટે શાબાશી જરૂર આપીએ, પણ સાથે સાથે પાણી અને સ્વચ્છતા માટે શીખ પણ લેવા જેવી છે.

સૌજન્ય : ‘સમય-સંકેત’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 જૂન 2014

e.mail : divyeshvyas.amd@gmail.com

અા વાત બાબતની એક વીડિયો ક્લિપ :-

https://www.youtube.com/watch?v=eXWFJsvBiRE

Loading

22 June 2014 admin
← મદદ યા અલ્લાહ
લોકપ્રિય તે સાહિત્યિક ન હોય એવી આબોહવા અને નવલકથા →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved