Opinion Magazine
Number of visits: 9448617
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું આપણે ધાર્મિક છીએ ?

હરિસ્વરૂપદાસ સ્વામી|Opinion - Opinion|10 April 2014

આપણો દેશ ધર્મપ્રધાન છે. આપણા દેશમાં સેંકડો મંદિરો, મસ્જિદો, મઠો, તીર્થસ્થાનો વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. લાખો સાધુ-સંતો આ દેશમાં વિચરણ કરતા જોવા મળે છે અને તેમના દ્વારા સતત વ્યાખ્યાનો, પ્રવચનો, પારાયણો થતાં જ રહે છે.

એવી રીતે દેશમાં તમામ ઠેકાણે ધર્મમય વાતાવરણ દેખાય છે. છતાં પણ એક પહાડ જેવો પ્રશ્ન મારી અને તમારી સામે છે કે, ‘શું આપણે ધાર્મિક છીએ?’

આપણે ધાર્મિક છીએ તેવી ઘણા લોકોમાં ભ્રમણા છે. કોઈને એકાદ-બે ગીત ગાતાં અાવડી જાય અને એ પોતાની જાતને મહાન સંગીતકાર સમજવા માંડે, કોઈને કક્કો પણ અાવડતો ન હોય અને પોતાની જાતને મહાન પંડિત કે વિદ્વાન સમજી લે, તે ભ્રમણા છે. આવા અનેક લોકો ભ્રમણામાં જ જીવતા હોય છે.

મંદિરોમાં જુઓ તો દર્શનાર્થીઓની ભીડ હોય. પણ તેમાંના કેટલા લોકો એકાગ્ર મને ભગવાનનાં દર્શન કરનારા હશે ? મંદિરોમાં પણ આપણે બધું બહિરંગી જ જોયા કરીએ છીએ. જો એમ સાંભળવા મળે કે આજે મંદિરમાં રૂપિયાની નોટોના હિંડોળા કર્યા છે, આજે સૂકામેવાના હિંડોળા કર્યા છે, આજે માખણનું શિવલિંગ બનાવ્યું છે, બરફનાં શિવલિંગ છે, તો લોકો દોટ મૂકે, આ બધું જોવા માટે દોડે.

લોકો પૂનમના દિવસે જ ડાકોરમાં દર્શન કરવા જાય. કેટલી ધક્કામુક્કી ! એટલી ભીડમાં ઠાકોરજીનું મુખારવિંદ પણ લબકઝબક દેખાય. એના કરતાં તમે અમાસના દિવસે જાવ, દસમીને દિવસે જાવ, અડધો કલાક ઠાકોરજીનાં દર્શન નિરાંતે કરશો તો ધરાઈને ઘરે આવશો. પણ લોકો નહીં સમજે. કારણ બધા બહિરંગમાં જ માનનારા છે. સાધુ-સંતો પણ કરામત કરે છે. વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરે. સેંકડો યજ્ઞકુંડીઓ ગોઠવી દે. અત્યારે યજ્ઞ બિલકુલ કોમર્શિયલ થઈ ગયા છે. સાધુ-સંતોને એક-એક યજમાન દીઠ લાખો રૂપિયા જોઈએ છે. કોઈને ખોટું લાગે, પણ આ નક્કર હકીકત છે.

આ પ્રમાણે તિલક કરવું, આ પ્રમાણે કંઠી પહેરવી, આ રીતની તુલસી કે રુદ્રાક્ષની માળા રાખવી, આ રીતનાં કપડાં પહેરવાં, આવી રીતની જનોઈ કે ચોટલી રાખવી, દાઢી રાખવી, અા દિવસે વ્રત કરવાં, આ દિવસોમાં ઉપવાસ કરવો, આ દિવસે મંદિરે ખાસ દર્શન કરવા જવું, આ રીતે સ્નાન કરવું, આ રીતે પૂજા-પાઠ કરવાં, આ રીતે સાધુ-સંતોને નમન કરવું, આને ન અડવું, આનાથી અભડાઈ જવાય, આ તમામ પ્રકારનાં જે વિધિવિધાનો છે તે ધાર્મિક બાહ્યાચાર છે.

તિલક જુદાં જુદાં પ્રકારનાં હોય, વેષ જુદા પ્રકારના હોય, કોઈ જનોઈ પહેરે, કોઈ ચોટલી રાખે, કોઈ ચોટલો રાખે; કોઈ સાવ ન રાખે, કોઈ દાઢી રાખે, કોઈ આ દિવસે ઉપવાસ કરે, કોઈ કંદમૂળ બિલકુલ નથી ખાતા; કોઈ ચાતુર્માસમાં રીંગણાં-મૂળા નથી ખાતા. અમુક લોકો દિવસે જમે છે, રાત્રે નથી જમતા. આ બધી બાહ્યાચારની ભિન્નતા છે.

પરંતુ માનવ-માનવ વચ્ચેના જે સંબંધો છે એમાં સત્યતા, નિષ્ઠા, પ્રામાણિકતા, નીતિમત્તા વગેરેમાં ભિન્નતા ન સંભવે. જેનાથી આ પ્રજા, દેશ, સમાજ ઉન્નત થાય, સુખી થાય, સમૃદ્ધ થાય, સંરક્ષિત થાય એ ધર્મ છે.

આપણા દેશમાં મોટી મોટી હસ્તીઓ ધાર્મિક નેતા છે. દેશ-વિદેશમાં તેઓ ફરે છે. તેમની આસપાસ લાખો લોકો ટોળે વળે છે અને એમાં પણ મોટા મોટા હોદ્દેદારો, રાજકારણીઓ, અમલદારો, ઉદ્યોગપતિઓ, શ્રીમંતો જ હોય છે. ધાર્મિક નેતાઓ તેમને કંઠી પહેરાવે છે, પૂજા-પાઠ આપે છે, પોતાના મંદિરે આવવાના નિયમો પણ આપે છે. પરંતુ આમાંથી એક પણ ધર્મગુરુએ તેમને એવી પ્રતિજ્ઞા નહીં લેવડાવી હોય કે ‘તું મારી પાસે અાવ્યો છે તો અાજથી ભ્રષ્ટાચાર ન કરતો, તું સત્યપણે રહેજે, નીતિનું પાલન કરજે.’ કારણ કે તેમને આવા સુખી માણસો પાસેથી પૈસા જોઈએ છે. તમે ગમે ત્યાંથી ચૂસીને આપો, એને જરા પણ નથી પડી.

આ દેશની અંદર વડાપ્રધાનથી માંડીને સામાન્ય એવા તલાટીઓ, મંત્રીઓ દરેકે દરેક કોઈ ને કોઈ ગુરુના આશ્રિત છે જ. કોઈ શંકરાચાર્ય પાસે જાય છે, કોઈ સાંઈબાબા પાસે જાય છે. છતાં પણ કોઈ અંદરથી નથી બદલાયા, તેનું કારણ શું છે ? જ્યાં મૂળ છે ત્યાં જ બીમારી છે. જો ધર્મગુરુઓ સુધરે તો તે હોદ્દેદારોને જરૂર સુધારે અને જો હોદ્દેદારો સુધરે તો જનતાને સુધરવું પડે. આપણા દેશમાં ધર્મનેતા અને રાજનેતાની ગાંઠ મજબૂતપણે બંધાઈ ગઈ છે. એટલા માટે એક જ સ્ટેજ પર કહેવાતી ધાર્મિકતા અને ભ્રષ્ટાચારનું હજારોની મેદનીમાં, ફૂલના ગુચ્છોથી અને તાળીઓ ગડગડાટથી સન્માન કરવામાં આવે છે. અહીં બધાને દ્રવ્ય જોઈએ છે − માન, પદ, પ્રતિષ્ઠા જોઈએ છે.

ઘણા લોકો નિયમ લેતા હોય છે કે, હું ચાર મહિના દૂધ નહીં પીઉં, એક મહિનો કઠોળ નહીં ખાઉં, એક મહિનો લીલાં શાકભાજી નહીં ખાઉં. એ બધું તમારે ખાવું હોય તો પેટ ભરીને ખાજો. પરંતુ એવો નિયમ લો કે, હું ચાર મહિના હરામનું નહીં ખાઉં. તો પ્રજા સુખી થઈ જશે.  

(મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત : ‘અરધી સદીની વાચનયાત્રા : 4, પૃ. 31-32, લોકમિલાપ, પો.બો. 23 (સરદારનગર) ભાવનગર – 364 001)

Loading

10 April 2014 admin
← હું ન ડોશી
સમય નથી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved