Opinion Magazine
Number of visits: 9448569
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટિકિટ માટે સિદ્ધાંત અને વિચારધારાને રામ રામ

સનત મહેતા|Samantar Gujarat - Samantar|13 March 2014

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં કલંકિત ઉમેદવારો, પક્ષપલટો કે ભ્રષ્ટાચાર દૂર ન કરી શકાયા

એપ્રિલ અને મેમાં આવનારી ચૂંટણી રોજ ભાતભાતના રંગ બદલી રહી છે. આપણી લોકશાહી શાંતિપૂર્વક મતદાન સંપન્ન કરવાની બાબતમાં વિશ્વની સૌથી મોટી છતાં કાબેલ સાબિત થઈ છે. એક જમાનામાં મતમથક પર સશસ્ત્ર હુમલાઓ કરી કે મતપેટીઓ લઈ જતાં સ્ટાફ પર હુમલા કરી મતપેટીઓ ગાયબ કરવાનું હવે ભાગ્યે જ થાય છે. છેલ્લે છેલ્લે નકસલ વિસ્તારોમાં પણ શાંતિથી મતદાન કરી શકાય એવો કાયદો અને વ્યવસ્થાનો બંદોબસ્ત, પોલિસ, ચૂંટણીતંત્ર અને લશ્કર કે અર્ધલશ્કરી દળોની સહાયથી ચૂંટણીપંચ કરી શકે છે. નક્સલ વિસ્તારો જેવી સ્થિતિ એક જમાનામાં જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં ત્રાસવાદી કરતા હતા તેના પર કાબૂ કરાયો છે.

શાંતિપૂર્ણ લગભગ બધાને સંતોષ થાય એવી મતદાનની વ્યવસ્થા કરતાં ય મુશ્કેલ, બધાં બૂથોની મતગણના કરી એક સમયબદ્ધ રીતે પૂરું કરવાનું કાર્ય ચૂંટણીપંચ પાર પાડે છે. જે વાત હાંસલ કરવામાં ભારત જેટલું કૌશલ્ય અમેરિકન ચૂંટણીતંત્ર દાખવી શકયું નથી. ધીમે ધીમે ચૂંટણીનાં પરિણામોને કાયદાકીય પડકાર કરવાના પ્રસંગો પણ ઘટી રહ્યા છે. આમ છતાં ચૂંટણી નજીક આવતી જાય તેમ, પક્ષપલટાના પ્રસંગો નિવારવાનું તો બાજુએ રહ્યું પણ હકીકતમાં વધી રહ્યું છે. ૧૯પ૨ની પ્રથમ ચૂંટણીથી લગભગ બે કાયદા બધું સમુસૂતરું ચાલ્યું. પણ અચાનક હરિયાણાથી જથ્થાબંધ આયારામ ગયારામની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. આયારામ ગયારામના જાતજાતનાં સ્વરૂપ જોવાં મળ્યાં. જેટલાં સ્વરૂપો તેટલા જ એકબીજા પક્ષો પરના દોષારોપણના કિસ્સાઓ વધવા લાગ્યા.

આખરે રાજીવ ગાંધી એન્ટિ ડિફેકશન કાનૂન-પક્ષપલટા વિરુદ્ધ કાનૂન લાવ્યા તો ઘડીભર લાગ્યું કે પક્ષપલટાનું અનષ્ટિ બંધ થઈ જશે. પણ પછી તો એ કાનૂન નીચે અપાયેલી વિધાનસભાની સ્પીકરની સત્તા આડકતરી રીતે કબજે કરવાનું શરૂ થયું. હવે તો આ સંકટ ડેપ્યૂટી સ્પીકર સુધી પહોંચતું જોઈ સત્તા પરના પક્ષોએ નાયબ સ્પીકરપદ વિરોધપક્ષને આપવાની એક સારી પ્રથા પર પણ કાતર ફેરવી છે અને હવે વરસો સુધી નાયબ સ્પીકરપદની જગા ખાલી રાખવા સુધી વાત પહોંચી છે. આવી જ રીતે ગુનાઈત વ્યક્તિઓને ઉમેદવારીમાંથી બાકાત કરવાની વાત તો બાજુએ રહી ગઈ પણ સ્વેચ્છાએ આવી મર્યાદા રાજકીયપક્ષો પાળે એ તો હવે આકાશકુસુમવત બની ગયું છે.

છેલ્લે બહુ પ્રયાસો થયા; સિવિલ સોસાયટીઓએ પ્રબળ લોકમત ઊભો કર્યો ત્યારે સુપ્રીમ કોર્ટ, ધારાસભ્ય અને સંસદ સભ્યોના અદાલતમાં ચાલતાં કેસો એક વરસમાં પૂરા કરવા એવો અભિપ્રાય માત્ર આપી શકી છે. નહીંતર સેશન્સ કોર્ટમાં સજા થયા છતાં હાઇકોર્ટમાં કરાયેલ અપીલના બહાને અને હાઈકોર્ટમાં સજા થઈ હોય તો સુપ્રીમકોર્ટના અપીલના ચુકાદા આવતાં સુધી બેશરમભરી રીતે ચૂંટણી લડાયે જાય છે.
પક્ષપલટાની બાબતમાં અગર તો ગુનાઈત વ્યક્તિઓને ગેરલાયક કરવાની બાબતમાં ભારતે હજુ અનેક કોઠા પાર પાડવાના છે. હા, પક્ષપલટાની બાબતમાં સ્વરાજ પછીની પ્રણાલિકાનો એક ઉત્કૃષ્ટ નમૂનો યાદ કરીએ તો લાગે કે, એક ઉચ્ચ પ્રણાલિકાથી ગબડીને કેટલી હદે આપણે નીચે પહોંચી ગયા છીએ.

પ્રારંભની ચૂંટણીઓમાં સમાજવાદી નેતા આચાર્ય નરેન્દ્ર દેવ ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાયા હતા. ચૂંટાયા ત્યારે કોંગ્રેસી તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી ભારતની રાજનીતિમાં કોંગ્રેસ સમાજવાદી પક્ષ અને સમાજવાદી પક્ષ રચાયો. આચાર્ય નરેન્દ્ર દેવે આમ થતા પદનું રાજીનામું આપ્યું. ઘણાએ કહ્યું કે એ પક્ષપલટો ન કહેવાય પણ આચાર્ય નરેન્દ્ર દેવ ન માન્યા. એ અયોધ્યામાંથી ચૂંટાયેલા. પછી પેટાચૂંટણી થઈ. સરદાર વલ્લભભાઈએ રાજકારણની સોગઠી મારી આચાર્ય નરેન્દ્ર દેવને હરાવવા એમની સામે કોંગ્રેસ તરફથી બાબા રાઘવદાસને ઊભા રાખ્યા: સમાજવાદી એટલે નાસ્તિક એવો પ્રચાર થયો અને આચાર્ય નરેન્દ્ર દેવ પરાજિત થયા. પણ નરેન્દ્ર દેવએ પક્ષપલટા સામે ઘણી ઉચ્ચ ભૂમિકા લીધી અને હારનો જરા સરખો ય પસ્તાવો ન કર્યો. પણ આ દિવસો ગયા.

હવે તો ભલામણ અને આગ્રહથી એક પક્ષની ટિકિટ મેળવી બીજી પળે બીજા પક્ષમાં પલટો કરવામાં કોઈનું રૂંવાડું ભાગ્યે જ ફરકે છે. હવે ચૂંટણી ફોર્મ ભરાતાં સુધી રોજ આવા ખબર જોવા-સાંભળવા મળશે.
હું, પક્ષના ટોચના નેતા તરીકે ભ્રષ્ટાચાર સામે પ્રવચનો અને પડકારો કરું. એક તરફ ભ્રષ્ટાચાર સામે ચોકીદાર બની રહેવાનું વચન આપું અને બીજી બાજુ જેલના સળિયા પાછળ ગયેલા સંસદસભ્યોને આરામથી પક્ષમાં સંઘરું કે નીચલી કોર્ટમાં ગુનેગાર ગણાયેલ મંત્રીને અપીલને બહાને પોતાના પ્રધાનમંડળને રક્ષિત રાખું ગુનાઈત પ્રવૃત્તિ બચવા – બચાવવાની કેવી છે આ નિષ્ઠા આ ચાલ્યા જ નહીં પણ હવે તો વધ્યા કરે છે. એક રાજ્ય ઉપર વરસો સુધી શાસન કરનાર રાજકીય પક્ષ કેન્દ્રના બહુ ગવાયેલા ગોટાળામાં સીધા સંડોવાયેલા બે આગેવાનોને ૨૦૧૪ની સંસદની ચૂંટણીમાં ઉમેદવાર ઘોષિત કરી એમને નિર્દોષ ગણાવે.

વરસો સુધી એના તરફથી ચૂંટાવા છતાં એ પક્ષ એક ટિકિટ ન આપે તો એના કટ્ટરવિરોધી પક્ષમાં સીધો સામેલ થઈ પોતાની રાજકીય કાબેલિયતનો દેશ અને સમાજને પરચો કરાવવાનું તો હવે રોજ બનવાનું હોય એમ લાગે છે. સિદ્ધાંત કે વિચારધારા કેમ જાણે કપડાંની જોડ હોય, ધાર્યું ત્યારે બદલી લેવાના કોણ જવાબદાર રાજકીય પક્ષો? ચૂંટણી કાયદાઓ કે વ્યક્તિની વધતી સત્તા લાલસા? ટૂંકમાં, સામાન્ય ચૂંટણીનું ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સરળ શાંત મતદાન આપણે આકરા પ્રયાસ પછી સાધી શકયા.

પણ દેશ અને પ્રજા જેને ભાગ્યે જ આ પક્ષાપક્ષીની પૂરી જાણ છે તે પક્ષોની ઉમેદવારીને ગુનાઈત અને ભ્રષ્ટાચારમાંથી બચાવી ન શકયા. ન કાનૂનથી કે ન નૈતિકતાના અગર સિવિલ સોસાયટીના લોકમતથી. ત્યારે ચૂંટણી ઉપરનાં નાણાંનું વર્ચસ્વ નાબૂદ કરવાની વાત જ શું કરવી? ક … દા … ચ કેડર આધારિત રાજકારણથી શકય બને આ પણ શકય લાગતું નથી. કારણ હવે પક્ષો પાર્ટીએ તો સભાસદ ફી કે ફોર્મ વગર પક્ષના સભાસદ નોંધવાને અને ઉમેદવારી નોંધવાને વાજબી અને યોગ્ય માનવા લાગ્યા છે.



સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

http://www.divyabhaskar.co.in/article/ABH-bye-bye-to-criteria-for-seat-ticket-4548482-NOR.html

Loading

2 September 2021 admin
← Gandhi Murder and Role of RSS: Debate Continues
જોખમો વ્હોરીને સમાજનિર્માણ માટે કાર્યરત કર્મશીલ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved