Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇલાબહેન પાઠકને અંજલિ :

વિવિધ …|Opinion - Opinion|11 January 2014

કેવડી મોટી ખોટ ! એમનાં કામો બોલતાં રહેશે; બહુ મોટી વિરાસત મૂકીને એ ગયાં છે.

− ફારુક ઘાંચી ‘બાબુલ’

•

અા સમાચાર જાણીને હું તદ્દન ભાંગી પડી છું. ઇલાબહેન હકીકતે તો અસાધારણ માનવી હતાં, અને વળી, મારે સારુ તો મુઠ્ઠી ઊંચેરા રૉલ મૉડલ પણ.

એમની સમગ્ર દેણગી નાશ ન પામે તે જોવા કરવા માટે અાપણે ઉચિત કામ કરવાં રહેશે.

− બાલા ઠકરાર

ડિરેક્ટર, એશિયન ફાઉન્ડેશન ફૉર ફિલાન્થ્રોપી

•

ખૂબ આઘાતજનક સમાચાર છે. દુનિયામાં જ્યારે આવાં કર્મશીલોની વધુ જરૂર છે, ત્યારે એમની ખોટ અસહ્ય લાગે. આશા રાખીએ કે એમણે જલાવેલી જ્યોત સંભાળનારાં તૈયાર કર્યાં હોય.

ઓમ શાંતિ.

− અાશા બૂચ

•

ઇલાબહેન પાઠક સરીખાં મહિલા કર્મશીલ હવે હયાત નથી તે જાણી દયા અને હું, બન્ન,ે ભારે અાઘાત અનુભવીએ છીએ. કદાચ એમને રૂબરૂ હળવામળવાનું નહીં થયું હોય, પરંતુ એમની શક્તિશાળી કલમ અને પ્રવૃત્તિઅોથી પૂરતાં વાકેફ રહ્યાં છીએ અને એમના પ્રતિના અાદરમાં સતત વધારો થતો અનુભવ્યો છે.

અા ઘડીએ અમારી પ્રાર્થનાઅો શેષ પરિવાર જોડાજોડ છે. દિવંગતને ચરમ શાંતિ મળજો. અામીન !

− મનસુખ શાહ

•

અા ખરેખરે દુ:ખદ સમાચાર છે ! એમને અહીં છેલ્લે મળ્યાં, ત્યારે એ કેટલાં તંદુરસ્ત દેખાતાં હતાં. એ એંશીનાં હોય તેમ પણ લાગતું નહોતું !!

ગુજરાત અને તેમાં ય ખાસ કરીને ગુજરાતી મહિલાઅોએ એક જબ્બર હામી ખોયાં છે. મહિલાઅોના અધિકાર માટે એ જીવનભર લડતાં અાવ્યાં. એમનું કામ, એમની નીડરતા ચોક્કસપણે નોંધપાત્ર હતાં.

એમને સદાય શાંતિ મળજો.

− ભદ્રા વડગામા

•

અા સમાચાર જાણીને સાચેસાચ બહુ જ દુ:ખ થયું !!

જાન્યુઅારી 2012માં ઇલાબહેનને મળવાનું બન્યું ત્યારે એ 79ની વયે પહોંચ્યાં હશે, તેમ વર્તાતું જ નહોતું. એમની ઊર્જાશક્તિ અને જોમ ભારે અનુકરણીય હતાં ! અને વળી એમણે અાદરેલાં અને અાટોપેલાં અનેક કામો પણ કાબિલે દાદ છે. એમની ભારે મોટી ખોટ સાલતી રહેવાની છે.

– સુષમા સંઘવી

•

તમારા સૌ કોઈનાં દુ:ખ અને વેદનામાં હું પણ સામેલ છું. ઇલાબહેન હવે નથી એ સ્વીકારવાનું બહુ ભારે લાગી રહ્યું છે. અાપણા સૌ માટે અા બહુ મોટી ખોટ છે.

એમના અાત્માને ચિરંજીવ શાંતિ મળજો.

− ઉષા ઠક્કર

•

ઇલાબહેન પાઠકના નિધનથી અમે ય ભારે અાઘાત તથા તીવ્ર વેદના અનુભવીએ છીએ. એ ગુજરાતનાં મહાન સ્ત્રી યોદ્ધા હતાં. બધું અાંચકી લેવામાં રચ્યાપચ્યા અાજના નિરંકુશ રાજ્ય શાસન સામે મહિલાઅોના અને સામાન્ય જનના અધિકારો માટે એ સતત લડતા હતાં. બીજી તરફ નિગૂઢ, મૂઢાગ્રહી, પૂર્વગ્રંથિયુક્ત તેમ જ સુધારાવાદના વિરોધમાં ખદબદતા સમાજ સામે ય એ પડકાર ઝીલી અણનમ લડતાં હતાં.

મારી એમને સહૃદય વિદાય વંદના હજો. એમના અા કમનસીબ અવસાનથી ગુજરાત ખરેખાત રાંક બન્યું છે.

− દાઉદભાઈ ઘાંચી

•

અનુગાંધી યુગિન ગુજરાતના જાહેર જીવનમાં, ઇલાબહેન પાઠકનું કામ, સ્થાન કદથી ક્યાં ય ઊંચેરું રહ્યું છે. ‘અમદાવાદ વીમેન્સ એક્શન ગૃપ’નાં સ્થાપક ઇલાબહેન હકીકતે સ્ત્રીનો અવાજ પૂરવાર રહ્યાં.

પંદેરક વરસના નિજી પરિચયમાં જે સમજાયું તે એટલું કે ઇલાબહેન અંગ્રેજી સાહિત્યના એક કુશળ અધ્યાપિકા હતાં, નાગરિકી સ્વાતંત્ર્યના અનેકવિધ અાંદોલનોમાં કર્મઠ કર્મશીલ હતાં. મહિલા અાંદોલનની દીવાદાંડી જ ન હતાં, તે દરેકની મજબૂત પીઠ પણ હતાં. અન્યાય સામે લડનારાં અાગેવાન હતાં. અત્યન્ત ઋજુ સ્વભાવના, અા નિષ્ઠાવંત વ્યક્તિવિશેષે ભાતભાતનાં માનઅકરામો મેળવ્યાં છતાં તેનો કોઈ અાડંબર કે અહંકાર ક્યાં ય ભાળ્યો જડતો નહોતો.

મહુવાના ખેડૂતોને થયેલા અન્યાય સારુ થયેલા અાંદોલનમાં, ડો. કળસરિયા, ચુનીકાકા, સનતભાઈ મહેતા જોડાજોડ ઇલાબહેન પણ હતાં. કડવીબહેન સાથે સાંપ્રત મુખ્ય પ્રધાનને મળવા ગયેલાં પ્રતિનિધિમંડળની મુખ્ય પ્રધાને સાંગોપાંગ ઉપેક્ષા કરી, તે બધિર મુખ્ય મંત્રીની છબિ એમણે જે રીતે અંકિત કરી હતી, તે બાબત મને સતત સાંભરતી રહી છે. કડવીબહેન પ્રત્યેની એ ઉપેક્ષા એ માત્ર કડવીબહેનની વેદના ન જ બની, એ સમગ્ર ગુજરાતીની, સર્વાંગી માનવતાની ઉપેક્ષા બનતી હતી, તેવી છાપ હજુ મનમાં અંકિત રહી છે.

ઇલાબહેન પાઠક ‘અાવાજ’ના ધણીધોરી જ નહોતાં, એમની સીમા અમદાવાદ વળોટીને ગુજરાતમાં જ પ્રસરી રહી નહોતી, તેનો વ્યાપ ભારતમાં ય ચોમેર હતો; અરે, અહીં અમે વિલાયતમાં ય તેનો પડછાયો અનુભવીએ છીએ.

અહીં લંડનમાં તેમ જ અમદાવાદમાં, ઇલાબહેનને મળવાના અનેક અવસરો મળ્યાં છે. દરેક વેળા એમની કનેથી હું કંઈક મેળવીને સમૃદ્ધ થયો હોઉં તેવો અનુભવ છે.

મરણ રોક્યું રોકી શકાતું નથી. અને હવે તેનું સ્થાન સ્મરણ લેશે તેની ખાતરી. એમનાં કામો, અાદર્યાં અધૂરાં પૂરા કરવાની સૌ કોઈને શક્તિ, મતિ, ભક્તિ મળજો.

− વિપુલ કલ્યાણી

(ફોટો સૌજન્ય : બિનીતભાઈ મોદી)

Loading

11 January 2014 admin
← અાનંદલોકે મંગલાલોકે …
Ila Pathak, a feminist crusader →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved