Opinion Magazine
Number of visits: 9446977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટનમાં ગુજરાતીને જિવાડવાનું અભિયાન

બકુલ ટેલર|Opinion - Opinion|16 December 2013

ઈંગ્લેન્ડના ગુજરાતીઓને ગુજલિશ ગઝલો વડે બદલાયેલા સમયનો રસિકપૂર્ણ રીતે અહેસાસ કરાવે છે અદમ ટંકારવી

ગુજરાતી ભાષાને જિવાડવાનો પ્રયત્ન ગુજરાતમાં થાય છે, તેનાથી વધુ મુંબઈમાં થાય છે અને મુંબઈમાં થાય છે તેનાથી વધું ઈંગ્લેન્ડ, અમેરિકામાં થાય છે. ગુજરાતી યા કોઈ પણ ભાષા માત્ર એ નથી કે જે લખાવટમાં યા બોલાશમાં હોય છે. એ એક સમગ્ર સંસ્કાર, સંસ્કૃિત, જીવંત વ્યવહાર છે. તમે દાળઢોકળી બનાવો તે પણ ગુજરાતી ભાષા છે અને છોકરીને બલોયા પહેરવાનું મન થાય તે પણ ગુજરાતી ભાષા છે અને તેથી જ ગુજરાતી ભાષા ત્યાં મરી રહી છે તેવું કહેવાય જ્યાં આ બધું મરી રહ્યું છે. બાકી, અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષાનું અમુક અંગ તો કાપીને લઈ જ જવાની છે, કારણ, કે દરેક ભાષા આપણને કશુંક આપે છે અને સમાંતરે લે પણ છે.

ઓ … કે … ઓ.કે. વાત તો આપણે એ જ કરવાના છે જે અહીં કરીએ છીએ. આ વેળા અદમ ટંકારવીની વાત. મૂળ તેઓ ભરૂચ પાસેના ટંકારા ગામના. તેમની ‘ટંકારવી’ અટક એ ગામનાતાને જ સૂચવે છે.

ગુજરાતી ગઝલમાં લાંબો સમય સુધી ‘પાલનપુરી’ અટક ધરાવનારા ગઝલકારોનું વર્ચસ્વ રહ્યું પણ હવે ‘ટંકારવી’ અટક પણ એ લાઈનમાં છે – અદમ ટંકારવી, મહેક ટંકારવી, અઝીઝ ટંકારવી, કદમ ટંકારવી. (બીજા ય હશે) ટંકારા એક એવું ગામ છે જ્યાંના ખાસ્સા લોકો પરદેશ રહે છે. અદમ ટંકારવી તેમાંના એક. મૂળ તેમની અટક આદમ ઘોડીવાલા પણ પછી ટંકારવી. તેઓ વર્ષો સુધી વલ્લભ વિદ્યાનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈંગ્લિશમાં અધ્યાપક હતા અને ત્યારે પણ ગઝલો લખતા અને પરિષ્કૃિત નામના સાહિત્યના નવલેખનના આંદોલનમાં પણ સક્રિય હતા. ૧૯૯૧માં તેઓ કાયમ માટે ઈંગ્લેન્ડ આવી ગયા. અહીં પણ બ્રિટનની શાળામાં શિક્ષણનું જ કામ કરવા લાગ્યા. પરદેશમાં ગુજરાતી ભાષા-શિક્ષણની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે છે અને તેની જરૂરિયાત પ્રમાણે અદમ ટંકારવી જેવા શિક્ષકો ત્યાં પહોંચી જાય છે. અદમભાઈ બૌદ્ધિક હોવાના કારણે બ્રિટનના સમાજ અને બ્રિટનમાં વસતા ગુજરાતી સમાજનું સામાજિક પૃથક્કરણ બહુ સૂક્ષ્મ રીતે કરી શક્યા. તેમણે જોયું કે અહીં જે વ્યક્તિસ્વાતંત્ર્ય મળે છે તેના કારણે ગુજરાતી (યા ભારતીય) કુટુંબોમાં કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે.

તેમણે ૧૯૯૬માં ત્યાંનાં ગુજરાતી સામયિક “ઓપિનિયન”માં ‘સત્યાનાશ: ઈંગ્લેન્ડની આંતરકથા’ નામે લેખ લખ્યો અને પછી તેવું તેઓ સતત કરતા રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિ ત્યાંના ગુજરાતીઓ માટે સામાજિક જાગૃતિનું કામ કરે છે. ત્યાંના ગુજરાતી બાળકો ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગાતાં હોય તો સામે પ્રશ્ર્ન પુછાય છે કે, ‘ઈફ યોર કન્ટ્રી ઈઝ સો ગુડ, વોટ આર યુ ડુઈંગ હિયર?’ને જવાબ આપવા મુશ્કેલ બને છે. ‘બ્રિટન, આદમકદ અરીસામાં’ પુસ્તક વાંચશો તો અદમ ટંકારવીનું ચિંતન અનેક મુદ્દાઓ વડે ત્યાંના ગુજરાતીઓને ઓળખાવશે.

ખરેખર તો તેઓ ગુજરાતીઓની જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે જે ગ્રે સમય છે તેને વાચા આપવા પ્રયત્ન કરી રહ્યા છે. છે તેઓ ગઝલકાર એટલે વધારે આધાર તેનો જ લેવાના. બ્રિટનમાં જે કાંઈ સાંસ્કૃિતક પ્રવૃત્તિ ચાલે છે તે મંદિરમાં થતી પ્રવૃત્તિ યા ગરબા કે લગ્નપ્રસંગો પુનર્જીવિત થતા સંસ્કારો જ નથી, બલકે સાહિત્યની પ્રવૃત્તિઓ અને ત્યાંના ગુજરાતી સામયિકોમાં પ્રગટતું ગુજરાતીપણું પણ છે. અદમ ટંકારવીને તમે તેના અત્યંત સક્રિય નેતા ગણી શકો. ત્યાં મહેક ટંકારવી છે જેમણે ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ-યુકેની ૧૯૭૩માં સ્થાપના કરી છે, જેના વડે ત્યાંના બોલ્ટન, પ્રેસ્ટન, બ્લેકબર્ન, લેસ્ટર સહિત અનેક ટાઉન, શહેરોમાં સતત મુશાયરા થાય છે. અદમ ટંકારવી તમને આ મુશાયરામાં ગુજલિશ ગઝલો વડે ત્યાંના ગુજરાતીઓને રસિકપૂર્ણ રીતે બદલાયેલા સમયનો અહેસાસ કરાવે છે. જેમ કે

‘બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઈટ ઉપર મળે છે સનમ
ફલોપી ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા જ ક્યાં જડે છે સનમ.’
એક પૉએટ એટલે મૂંઝાય છે.
ભાષાબાઈ એઈડ્સથી પીડાય છે
વેર ધ શૂ પિન્ચીઝ ખબર પડતી નથી
બ્લડસ્ટ્રીમમાં પીડા જેવું થાય છે!
‘નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ
અરવિંદને ઈંગ્લેન્ડનો વિઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ.’

કોઈ માને કે ના માને, ભાષાને જિવાડવાનું કામ સર્જકો જ કરતા હોય છે. બ્રિટનમાં પણ આ જ હકીકત છે. અદમ ટંકારવી કહે છે કે, ‘બ્રિટિશ ગુજરાતીઓની હાલત કફોડી છે. નાગરિકતાની વાત નીકળે ત્યારે યુવાન એશિયનો જે તોરથી ‘આઈ એમ બ્રિટિશ’ કહે છે તે જોવા જેવો છે.’ અદમ ટંકારવીને ગુજરાતી ભાષા અને ગુજરાતી સમાજની ઘણી ચિંતા છે.

‘વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી
હાઈ હેલો પણ કરે છે ગુર્જરી
બ્લેકબર્નમાં થરથરે છે ગુર્જરી
બર્ફમાં લપસી પડે છે ગુર્જરી!’

પરદેશમાં જીવતા હો તો માત્ર વ્યવસાય-વ્યાપારની પ્રવૃત્તિથી ન જીવી શકાય. ભાષા અને સંસ્કૃિત વિના દરેકનું અસ્તિત્વ અધૂરું રહે છે. અદમ ટંકારવી જેવા આ ક્ષેત્રે જે પ્રદાન કરે છે તેનું નોખું મૂલ્ય ઘટે છે. સામાન્યપણે પરદેશ ગયેલા દેશીને એ જ પુછાતું હોય છે કે, ‘શું કમાયા?’ અદમ જેવા એવા કમાયેલાને પૂછે છે કે, જે કમાયા તેમાં કેટલા ગુમાયા એ જાણ્યું? તેમના ગઝલસંગ્રહ અને સંપાદનમાં પણ આ પ્રશ્ર્ન ઊઠતો અનુભવાશે.

દેશી-પરદેશી ગુજરાતી – ‘ઉત્સવ’, “મુંબઈ સમાચાર”, 15 ડિસેમ્બર 2013

Loading

16 December 2013 admin
← વિઝિટર વીઝા
એક યુગ પુરુષની વિદાય →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved