Opinion Magazine
Number of visits: 9448615
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નર્મદાયોજના : સરદારનું સાચું સ્મારક શું હોય ?

સનત મહેતા|Samantar Gujarat - Samantar|21 November 2013

જો જો કે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને પણ ખેડૂતોના ખેતરે પાણી પહોંચ્યાં ન હોય

નર્મદા, ભારતની બારેમાસ વહેતી પાંચ મોટી નદીઓમાંની એક છે. ગુજરાતમાં એને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાવાય છે. ખુદ ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર હશે કે બીજા વિશ્વયુદ્ધ પછી યુદ્ધોત્તર વિકાસ યોજનાઓ ઘડાઈ એમાં એનું નામ હતું, પણ બહુલક્ષી અને એકથી વધારે રાજ્યોમાંથી પસાર થતી હતી એટલે અટવાયા કરી. સરદાર પટેલ ૧૯૪૬થી સદાય એના પુરસ્કર્તા રહેલા. ગુજરાતનું અલગ રાજ્ય રચાયું ત્યારે યોજનાને સાકાર કરવા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે ૧૯૬૧ના ગોરાગામ પાસે ખાતમુહૂર્ત કરાવ્યું.

પડોશી રાજ્યો પાણીની વહેંચણી બાબતમાં સંમતિ ન સાધી શકયા એટલે આંતરરાજ્ય જળવિવાદ કાનૂન નીચે ભારત સરકારે એને ૧૯પ૬માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિના અધ્યક્ષપદે નર્મદા જળવિવાદપંચને ઉકેલ માટે સોંપી. પંચે ૧૯૭૯માં ચુકાદો આપ્યો. એટલે કે ૧૯૪૭થી ૭૯ સુધી આવી બહુલક્ષી યોજના દલીલોમાં જ અટવાતી રહી. એને સરદાર પટેલની યાદમાં ૧૯૬૧થી જ સરદાર સરોવર યોજના નામ આપ્યું છે, પણ એક વાતની નોંધ લેવી રહી કે આ પહેલું જળવિવાદપંચ હતું જેમાં પર્યાવરણ અને યોજનાના કારણે વિસ્થાપિત થનારા માટે પુન: વસવાટ માટે પણ ભલામણો કરાઈ હતી.

યોજના તુમારશાહીમાં ન અટવાય એટલે એના અમલ માટે અલગ નિગમ રચાયું અને નિગમે ૧૯૮૮માં શૂન્ય સગવડથી કામ શરૂ કર્યું. ભારતની આજ સુધીના સિંચાઈ યોજનાનાં પાણી પૂરાં વપરાતાં નહોતાં કારણ બંધ બંધાય પણ નહેરો પૂરી કરવા તરફ લક્ષ્ય આપે નહીં એટલે નિગમે બંધ અને નહેરોનાં કામ સાથે જ શરૂ કર્યાં. ૧૯૯પ સુધીમાં મુખ્ય નહેરના રસ્તે આવતી બધી નદીઓના સંબંધિત કામ સાથે ગાંધીનગર પહોંચાડાઈ. બંધની સાથોસાથ કડીથી ફંટાતી સૌરાષ્ટ્રનહેર જે સૌથી મોટી શાખા છે. એનું કામ ૧૯૯૧માં શરૂ કરી વિરમગામ સુધી પહોંચાડાયું. યોજનાના પ્રથમ તબક્કાની શાખાઓનાં કામ પણ શરૂ કરી દેવાયાં. આ નહેરો ઉપરાંત મુખ્ય નહેર અને ભૂગર્ભ પાવર હાઉસનાં કામો શરૂ કરી દેવાયાં હતાં. દરમિયાન પર્યાવરણની લોબી સુપ્રીમ ર્કોટ સુધી પહોંચી. પાંચ માર્ચ ૧૯૯૭ના રોજ, સર્વોચ્ચ અદાલતને બંધની ઊંચાઈ વધારવાની અનુમતી આપવા ઈન્કાર કર્યો. લાંબી કાનૂની લડાઈમાં પહેલાં ૧૨૧ મિટર અને છેવટે ૨૦૦૦ની સાલમાં ૧૩૮ મિટર ઊંચાઈએ લઈ જવા શરતી પરવાનગી મળી.

નહેરોના બાંધકામમાં પર્યાવરણવાદી કે સર્વોચ્ચ અદાલત બેમાંથી કોઈની કોઈ રોકટોક ન હોતી. આજે હવે બંધ ૧૨૧.૯૨ મિટર પર પહોંચ્યો છે. માત્ર ૧૭ મિટર – પપ ફીટના દરવાજા મૂકવાના બાકી છે. આમ તો બંધ ૧૧૦.૬૪ મિટરે પહોંચે તો પણ જળસંગ્રહ ૪.૭૨ મિલિયન એકર ફીટ થાય અને ત્યારે પાણી કચ્છ સુધી પહોંચે અને ૧૭.૯૩ લાખ હેકટરમાં જો નહેરોની ગૂંથણી તૈયાર હોય તો સિંચાઈ પણ થઈ શકે છે. કારણ કે ૩ મિલિયન એકર ફીટ તો ડેડ સ્ટોરેજ છે. ૧૯૯પ પછી યોજનાનો બંધ, વિવાદ અને રાજનીતિનો ભોગ બની ગયો અને નહેરોના કામમાં આવેલી ઝડપ તૂટી ગઈ. ૧૯૯પથી ૨૦૧૩ એટલે ૧૮ વરસના ગાળામાં ધાર્યુ હોત તો નહેરોનાં કામ પૂરાં થઈ ગયાં હોત, પરંતુ બંધને રાજકીય યોજના બનાવી દેવાઈ. હવે આજે દરવાજા સિવાય બધું તૈયાર છે.

માહિતીના અધિકાર નીચે અપાયેલ માહિ‌તી પ્રમાણે ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં આજે બ્રાંચ નહેરોના ૪૨૬ કિલોમિટરના; ડિસ્ટ્રિબ્યુટરીના ૪પ૭પ કિ.મિ. પચાસ ટકાથી વધુ કામ બાકી છે. જ્યારે ૨૬૭પ૦ કિ.મિ.ની માઈનોર નહેરોમાં દસ હજાર કિલોમિટરના કામ પૂરાં થયાં છે. આમાંથી બે લાખ કિ.મિ. માઈનોરના તો ટેન્ડર બહાર પડવા બાકી છે. ૨૦૦૭-૦૮ના અંદાજપત્ર સમયે જાહેર કરાયું હતું કે, '૨૦૧૦માં યોજના પૂરી થશે અને ૨૦૧૦નું વરસ 'સુવર્ણ ગોલ’ પ્રાપ્ત કરવાનું વરસ હશે.’ ૨૦૧૩ના જાન્યુઆરીમાં ઉપર બતાવ્યા પ્રમાણેનાં કામ બાકી છે. હવે ૨૦૧પનો વાયદો કરાયો છે. દરવાજા મૂકવાનું કામ ત્રણ વરસમાં ચાલવાનું થવાનું હોય અને નહેરના ઉપરનાં કામ બાકી હોય તો ૨૦૧પનો વાયદો પૂરો થવો અશક્ય છે.

કામના વેગની વાત કરીએ તો આયોજના પંચની પરવાનગી અને નિગમની કામગીરી ૧૯૮૮માં શરૂ થઈ. પહેલાં સાત વરસ જ્યારે યોજનામાં બંધ અને મતની જુગલબંધી નહોતી રચાઈ ત્યારનાં કામ અને પછીના સત્તર વરસનાં કામની વૈજ્ઞાનિક તુલના થાય તો સત્ય બહાર આવે. હવે તો, સાંઠ માળની ઈમારત જેટલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાનું ગઈ ૩૧ ઓક્ટોબર ખાત મુહૂર્ત થયું છે. હવે નિગમ રૂ. ૨પ૦૦ કરોડના ખર્ચે આ પ્રતિમા ઊભી કરવાનું છે ત્યારે જોવાનું એ રહે કે, એવું તો નહીં બને ને કે પ્રતિમાની અટારીમાંથી જોનાર ગુજરાતના નાગરિકને ઓવરફલો થતાં બંધનું પાણી જોવા મળશે. મુખ્ય નહેર પાણીથી ઊભરાતી જોવા મળશે પણ સરદારનું, ખેતરે પાણી પહોંચાડવાનું સપનું પૂરું થયું નહીં હોય.

સરદાર સરોવર પાણીથી છલકાતું હોય. વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી સમી સરદાર પ્રતિમા વચ્ચે ઊભી હોય પણ પાણી દરિયામાં જ વહી જઈ ખારા થઈ જતાં હોય ત્યારે ગુજરાતની ભાવિ પ્રજા આપણા વિષે શું વિચારશે? માહિ‌તી અધિકાર નીચે મળેલી હકીકતો આજે ય આપણો ઉપહાસ કરે છે, ૨૦૧૦માં યોજના પૂરી થવાનું વચન અપાયું ત્યારથી પાંચ વરસમાં, નર્મદાના વિશાળ રાશિ ચાર વરસ ઓવરફલો થયા અને ૨.પ૯ કરોડ એકર ફીટ દરિયામાં ગયા ટ્રિબ્યુનલે ગુજરાતને નેવું લાખ એકર ફીટ પાણી ફાળવ્યું છે. એનાથી ત્રણગણું પાણી ગયું. છોડાયેલા પાણીનો ક્યાં કેવો વપરાશ થયો, એની અધિકૃતિ વિગત બોલે છે કે, આમાંથી ૨૦૧૧-૧૨ના વરસમાં સિંચાઈ અને પીવા માટે વપરાયેલ ૩૬પ૨ મિલિયન ઘનમિટર પાણીની સામે ૩૮૬૦ ઘનમિટર ઉદ્યોગ અને અન્ય ઉપયોગમાં ગયું. કોના માટે બની યોજના?

હજુ જાગીએ સરદાર સરોવર યોજનાને રાજનીતિમાંથી બહાર લાવી સમગ્ર ગુજરાત એક થઈ સરદાર સાહેબની ઇચ્છા પ્રમાણે પીવા માટે જરૂર હોય એ સિવાયનું પાણી ખેતીને પૂરું પાડવા કટિબદ્ધ થઈએ એ જ સરદારનું સાચું સ્મારક બનશે.



સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Nov 21, 2013

Loading

21 November 2013 admin
← પુણ્ય
Vote →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved