Opinion Magazine
Number of visits: 9503703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુદાદાનું મનનીય ‘લંચબોક્સ’

દિવ્યેશ વ્યાસ|Opinion - Literature|16 October 2013

૧૫મી ઓક્ટોબરથી મનુભાઈ પંચોળી 'દર્શક'નું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. દર્શકદાદાને ઇતિહાસના અભ્યાસુ, સાહિત્યકાર કે કેળવણીકાર તરીકે તો સૌ કોઈ ઓળખે છે, પણ તેમને 'જાણવા' માટે થોડું અંગત સાહિત્ય ઘણું ઉપયોગી થઈ પડે. મૃદુલા પ્ર. મહેતાને લખેલા પત્રોમાં તેઓ માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે ત્યારે એ પત્રોમાંથી થોડી પ્રસાદી પામીએ …

મનુભાઈ પંચોળી 'દર્શક'ને આપણે 'સોક્રેટિસ', 'ઝેર તો પીધાં જાણી જાણી', 'કુરુક્ષેત્ર', 'દીપનિર્વાણ' અને 'બંધન અને મુક્તિ' જેવી મૂલ્યવાન નવલકથાઓ, 'પરિત્રાણ' કે 'ગૃહારણ્ય' જેવાં નાટકો, 'વાગીશ્વરીનાં કર્ણફૂલો' જેવા વિવેચનગ્રંથો, 'આપણો વારસો અને વૈભવ' કે રોમ અને ગ્રીસની ઇતિહાસકથાઓ જેવા ઇતિહાસના ગ્રંથો તથા 'સદ્દભિઃ સંગ' જેવી માતબર-માર્ગદર્શક અનુભવકથાના લેખક તરીકે તો જાણીએ-સન્માનીએ છીએ, પણ તેઓ કવિતા પણ લખતા, એ ભાગ્યે જ કોઈ જાણતું હશે. 'કાવ્યનું સત્ય અન્ય શાસ્ત્રો કે અભિગમોના સત્ય કરતાં ચડિયાતું હોય છે' એવું માનનારા મનુભાઈની કવિતાનું કોઈ પુસ્તક નથી, પણ અંગત વ્યક્તિને લખેલા પત્રોમાં તેમનાં કાવ્યો વાંચવા મળે છે. મૃદુલાબહેનને લખેલા એક પત્રમાં મનુદાદાએ વિશ્વ કોસ્મોસ સંદર્ભે પોતે લખેલી એક કવિતા મોકલેલી :

'થીજે છે જલ કો' ક્ષણે,
ને કલકલે કો સમે,
સૂર્યાકર્ષણથી ચઢે ગગનપે
વર્ષા બની વર્ષવા ઃ
કિંતુ સર્વસ્થિતિ મહીં પૃથિવીને
તે પોષતું પ્રેરતું,
ને સ્થિત્યંતર સહુ વિષે
છે સ્થિરતા અર્પતું.'

વોશિંગ્ટન કાર્વરની જીવનકથા 'દેવદૂત' ને 'યુરોપદર્શન' નામનું પ્રવાસવર્ણનનું પુસ્તક લખનારાં મૃદુલા પ્ર. મહેતા સાથે મનુદાદાને આત્મીય સંબંધો હતા. મનુભાઈ લોકભારતી, સણોસરામાં વસે અને મૃદુલાબહેન મણારની લોકશાળામાં રહેતાં. તેમની વચ્ચે વર્ષો સુધી પત્રાચાર ચાલેલો. તાજેતરમાં રિલીઝ થયેલી 'લંચબોક્સ' ફિલ્મે પત્રસંબંધોની કેટલી ય કહાણી અને પત્રસંગ્રહોની યાદ તાજી કરાવી છે. વળી, ૧૫મી ઓક્ટોબરથી મનુદાદાની જન્મશતાબ્દીનું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે મનુદાદા અને મૃદુલાબહેન વચ્ચેના પત્રવ્યવહારનું પુસ્તક 'ચેતોવિસ્તારની યાત્રા' સાંભરી આવ્યું. મૃદુલાબહેનને લખેલા પત્રોમાં મનુદાદા માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે.

મનુદાદાએ પત્રમાં પોતાની યશસ્વી નવલકથા 'સોક્રેટિસ' અંગે ૨૪ નવેમ્બર, ૧૯૭૧ના પત્રમાં લખ્યું છે, "કાલે રાત્રે ૧૧-૫ વાગ્યે 'સોક્રેટિસ'નું છેલ્લું પ્રકરણ પૂરું કર્યું. કેટલુંક ઘણું સારું લખાયું છે. મોટાભાગનું સારું ને થોડું સહ્ય છે. રંગરોગાનનો હાથ શુદ્ધ નકલ વખતે ફરશે ત્યારે દીપી ઊઠશે. એના પર કોઈ મને સાહિત્ય પરિષદનો પ્રમુખ બનાવે તો વધારે પડતું નહીં લાગે." કેવો મિજાજ! આ લેખક વળી બીજા એક પત્રમાં લખે છે, "પ્રેમચંદજીનું પોતાના લખાણ વિશેનું એક મંતવ્ય વાંચ્યું, 'વ્યાસ, વાલ્મીકિ તો ધનવંતરિસમા છે. પણ ધનવંતરિ હોવા છતાં નાના વૈદ્યો તો સંસારમાં હોવાના.' પ્રેમચંદજી પોતાને નાના વૈદ્ય ગણાવે તો આપણે તો વૈદ્ય માટે દવા વાટી આપનારા ગણાઈએને!"

મનુદાદાએ 'ઝેર તો પીધાં જાણી જાણી' નવલકથાના અમર પાત્ર રોહિણીનું રહસ્ય એક પત્રમાં ખોલતાં લખ્યું છે, "'ઝેર તો પીધાં છે …'ના બીજા ભાગનું અંતિમ પ્રકરણ જેમાં રોહિણી અને સત્યકામ વારાફરતી ગાય છે, તે મારાં શ્રેષ્ઠ પ્રકરણોમાંનું એક છે, પણ રાયાણીભાઈનાં (મોહનભાઈ રાયાણી) ભજનો મેં સાંભળ્યાં ન હોત તો આ રોહિણીનું સર્જન ન થાત. સત્યકામનું બની શકત, પણ ઘણા લોકોને જેણે પરિપ્લાવિત કર્યા તે સત્યકામે નહીં, રોહિણીએ."

મનુદાદા ક્યારે ખટમીઠ્ઠા પ્રસંગો પણ લખીને મોકલતા, "પરિત્રાણ ટીવી પર લેવાયું છે. જશવંત ઠાકરની મંડળીએ ભજવ્યું. મને ખબર ન હતી એટલે વાંધો ઉઠાવ્યો, એટલે માફી માગી – ૫૦૧ રૂપિયા આપ્યા ને બરાબર ઊતર્યું છે કે નહીં તે તપાસવા અનુકૂળતાએ જોઈ જવા કહ્યું."

મનુદાદા અને મૃદુલાબહેનના પત્રવ્યવહારમાં સંસ્થાના સામાન્ય પ્રશ્નોથી લઈને શાસ્ત્રો-સિદ્ધાંતોની ચર્ચાઓ ચાલતી. સામ્યવાદ અંગે મનુદાદાએ સચોટ ટિપ્પણી કરેલી, "… સામ્યવાદ, બુદ્ધિમંતો માટે કાળપ્રશ્ન છે. તેમાં રાખેલ બૌદ્ધિક અસાવધાની, આપણી ખેતી, શિક્ષણ, કુટુંબજીવન, આયોજન, વ્યાપાર, ઉદ્યોગ, સાહિત્ય બધાંનું ખગ્રાસગ્રહણ કરશે, કારણ કે એને મન કલા, સાહિત્ય, તત્ત્વજ્ઞાાન, ધર્મ, કુટુંબ, ખેતી, બધું જ વર્ગીય સર્જન છે. કાં તો આ બધાં કોમ્યુિનસ્ટ છે ને કાં તો કોમ્યુિનસ્ટ વિરોધી છે. ધર્મનું ઝનૂન + નિઃશંક સત્યનો ઈજારો + રાજ્યસત્તા, આવો સરવાળો જગતમાં પહેલી વાર થયો છે …"

એક પત્રમાં સુખની સુંદર વ્યાખ્યા પણ મળે છે, "મૂળે આ સુખ છે શું? બહુ ભારે પ્રશ્ન છે. ભલભલા તેમાં ગોથાં, ડૂબકાં ખાય છે, અસારને સાર સમજીને વળગે છે અને પસ્તાય પણ છે, પણ સારનો સાર આ સુખ વિશે મેં અનુભવ, અવલોકનથી કાઢયો છે, તે એ કે સુખ એટલે રુચિ, કલ્પના, વલણો, માન્યતાઓ અને આદર્શો વિશેનો અભેદાનુભવ. આ જ્યાં, જેની જોડે થયું તે સુખ, સ્નેહ-પ્રેમ."

આ પુસ્તકના પહેલા જ પત્રની શરૂઆત છે, "ધારાસભામાં હોઉં પણ ખરો, ન પણ હોઉં. પણ સંગ્રામમાં ખરો. સંગ્રામ એ વૈદિક શબ્દ છે. તેની વ્યુત્ત્પતિ શોધીએ તો ગ્રામ જેમાં મતભેદો ભૂલી સંયુક્ત રીતે ઊભું રહે તે. સં + ગ્રામ. સાધારણ રીતે આવું લડાઈમાં જ બને છે, એટલે સંગ્રામનો અર્થ થઈ ગયો લડાઈ, પણ તે અનિવાર્ય નથી. જીવનના સંયુક્ત કાર્યક્રમમાં હૃદયપૂર્વકના, સહજ ઐક્યનો અનુભવ એ તેનો મૂળ અર્થ છે. આ કાર્યક્રમ શાંતિનો કે સર્જનનો હોઈ શકે."

મનુદાદાના શિક્ષણ, સમાજ અને સંસ્કૃિત અંગેના આદર્શોને સાકાર કરવા માટે એમની જન્મશતાબ્દી નિમિત્તે આપણે કોઈ સંગ્રામ કેમ શરૂ ન કરી શકીએ?

e.mail : divyeshvyas.amd@gmail.com

(સૌજન્ય ઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 13.10.2013)

Loading

16 October 2013 admin
← શબ્દોને ‘અંક’માં ફેરવવાનો પુરુષાર્થ : રતિલાલ ચંદરયા
વીરાંગના →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved