Opinion Magazine
Number of visits: 9504778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાભોળકર … અબ તો હમ અમર ભયે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|26 August 2013

રાજકીય જાગૃતિ અને સંસારસુધારાની હિ‌લચાલ,

બેઉ સાથેલગાં નહીં ચાલે ત્યાં લગી આપણો જયવારો નથી હોવાનો

કોને સંભારીશું, આનંદધનને કે આપણા ગુજરાતી કવિને. આનંદધનનું અદ્દભુત પદ છે કે ‘અબ હમ અમર ભયે’. અને આપણો ગુજરાતી કવિ? એણે ગાયું છે કે ‘મૃત્યુ મરી ગયું રે લોલ’ : વીસમી ઓગસ્ટને મંગળવારે પુણેસ્થિત ઓમકારેશ્વર પુલ પાસે નરેન્દ્ર દાભોળકર ઉપર જે ગોળીઓ વછૂટી તે દેખીતો તો એમનો ભોગ લઈ ગઈ. પણ અંધશ્રદ્ધા નિર્મૂલન વાસ્તે એમની જિંદગીભરની જદ્દોજહદના એક પ્રતીકરૂપ અંધશ્રદ્ધાવિરોધી ખરડો અઢાર અઢાર વરસની અટકેલ-લટકેલ અવસ્થાને લાંધીને સહસા વટહુકમરૂપે વિલસી રહ્યો … દાભોળકર, તમે મરીને અમર થઈ ગયા, એમ જ ને. ના. ના. એમ કહેવું સાચું છતાં વધુ પડતું સરળ લેખાશે. આ દેશનો રાજકીય અગ્રવર્ગ, શું કહીશું એને – જ્યાં સુધી કોઈ બત્રીસલક્ષણા થકી ખપ્પર ન ભરાય ત્યાં સુધી આ વર્ગ હલવાચસવાનું નામ જ નથી લેતો.



વાત અલબત્ત સાચી કે દાભોળકરની લાંબી લડતને એમના મૃત્યુ સાથે ઉભરેલ લોકઉદ્રેક અને શાસકીય સક્રિયતાને કારણે કદાચ નવજીવન મળ્યું છે. અંધશ્રદ્ધા સામે એટલે કે ધર્મતત્ત્વ કે ઈશ્વર સામે નહીં પણ એમને નામે ચાલતાં શોષણ સામે લડનારો આ જોધ્ધો હતો. એને ધર્મવિરોધી અને ઈશ્વરવિરોધીના ખાનામાં ખતવી દઈને અંધશ્રદ્ધાઓ મારફતે શોષણનાં ચક્રો ચલાવનારાઓ બધો વખત મનમાની વાસ્તે મુસ્તાક પેશ આવ્યા છે. બીજી પાસ, સમાજવાદી ધરાણાના નરેન્દ્ર દાભોળકરે પૂરા સમયની દાક્તરી છોડીને તેમ બીજી પણ કારકિર્દીગત સંભાવનાઓ (કબડ્ડીમાં એ રાષ્ટ્રીય ચેમ્પિયન હતા) છોડીને નર્મદની બાનીમાં કહીએ તો 'વહેમ જવન’ સામેના રણરંગમાં જીવનની સાર્થકતા શોધી હતી.



ગાયનેકોલોજિસ્ટ પત્નીએ કુટુંબની જવાબદારી સંભાળી એમને નચિંત કર્યા હતા તો હવે જુવાનજોધ થતાં આવતાં દીકરા-દીકરીએ પણ માતાપિતાના આદર્શો અંગીકારવામાં ધર્મ જોયો હતો. પુત્રી મુક્તા તો પૂરા સમયની સામાજિક કર્મશીલ છે, અને પુત્ર હમીદ મનોવિશ્લેષક તરીકે કાર્યરત હોવા સાથે સામાજિક રુઝાન ધરાવે છે. આ 'હમીદ’ નામ દાભોળકર કુટુંબના સંદર્ભમાં પ્રથમ શ્રવણે કંઈક આગંતુક લાગે છે, નહીં? પણ એ આગંતુક નહીં એટલું આત્મીય છે, કેમ કે જેમ દલિત જાગૃતિ એ મહારાષ્ટ્રનો એક વિશેષ રહ્યો છે તેમ હમીદ દલવાઈ જેના પાયામાં હતા તે મુસ્લિમ સત્યશોધક સમાજ પણ એવો જ એક અન્ય વિશેષ છે. સામે પૂર નૈયા ઝુકાવનાર હમીદની ધન્યસ્મૃિત દાભોળકર પરિવારે પોતાની રીતે સાચવી છે.



અંધશ્રદ્ધા નિર્મૂલન ચળવળના મહારાષ્ટ્રમાં તો પર્યાય પુરુષ બની રહેલા આ જણની હત્યા કોણે કરી? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણે આરંભિક પ્રતિક્રિયામાં કહ્યું કે તપાસ જારી છે. પણ એમણે તરત ઉમેર્યું હતું કે જે પરિબળોએ ગાંધીજીનો ભોગ લીધો હતો તેમણે જ દાભોળકરનો યે લીધો છે. આ પ્રાથમિક પ્રતિક્રિયામાંથી સ્વાભાવિક જ કોઈ રાજકીય ફિરાક અને મતબેંકી ધ્રુવીકરણ બૂ આવી શકે. પણ દાભોળકરને એવી ધમકીઓ અવશ્ય મળતી રહી હતી કે 'અમે’ ગાંધીજીનું શું કર્યું તે નથી જાણતા? મૂંગા મરો રૂઢિચુસ્ત અને ધર્મઝનૂની સંસ્થાઓએ પણ અંજલિ નથી આપી, એવું નથી. માત્ર, સનાતન સંસ્થાને (જે નિર્મૂલન ખરડા અને હિ‌લચાલનો વિરોધ કરતું રહ્યું છે, એણે) અંજલિવચનોમાં એ એક પંક્તિ અધોરેખિત ધોરણે આથીઅંબોળી કે દરેક જણ એના કર્મ મુજબ પામે છે.



જ્યાં સુધી નરેન્દ્ર દાભોળકરનો સવાલ છે, એમણે સુરક્ષા લેવાની ના પાડી હતી. 'તમે મને સુરક્ષા છત્ર આપશો તો આ ચળવળના વિરોધીઓ મારે બદલે મારા સાથીઓને નિશાન બનાવશે,’ એ કહેતા અને ઉમેરતા : 'જો કોઇએ મરવાનું જ હોય તો તે હું જ શા માટે ન હોઉં.’ વિવેકબુદ્ધિનિષ્ઠ ચળવળનું એક આગળ પડતું જણ, નામે સનલ એડમારકુ, ઘરઆંગણે જાન પરના જોખમથી હટી યુરોપભરમાં વખતોવખત ઠામઠેકાણું બદલી ચળવળને બળ આપવાનો પ્રયાસ કરે છે. દાભોળકર સરખા વરિષ્ઠ સાથીને વિદાયવંદના પાઠવતે સનલે, પોતાને દાભોળકરે શું કહ્યું હતું તે સંભાર્યું છે : 'વતન પાછા ફરો અને તમને ડારનારાઓ સામે અદાલતની દેવડીએ કામ લો. શહીદ થશો તો પણ ચળવળને કામ આવશો’.



અહીં બી.બી.સી.એ બે’ક વરસ ઉપર એક ફ્રેન્ચ સમાચાર સંસ્થા સાથેની દાભોળકરની વાતચીત આ કલાકોમાં પુન: પ્રસારિત કરી છે તે સંભારવા જોગ છે : 'હું ધર્મમાં ને ઈશ્વરમાં માનું છું કે નથી માનતો એ મુદ્દો અસ્થાને છે. ભારતના બંધારણે સૌને ધર્મસ્વાતંત્ર્ય બક્ષ્યું છે, એની આદરમર્યાદામાં હું ચાલુ છું. પણ ઠેકેદારો લોકોને (અંધ)શ્રદ્ધાને નામે ભોળવીને જે રીતે શોષેસતાવે છે એની સામે તો લડવું જ રહ્યું.’ દાભોળકરે જે દેવસ્થાનમાં સ્ત્રીને પ્રવેશ ન હોય તેમાં પ્રવેશ માટે લડત આપેલી. શરૂમાં આવા એક પ્રયાસમાં એમને ભા.જ.પ. અને શિવસેનાએ આંતર્યા હતા. પણ પછી એક અન્ય પ્રસંગે ભા.જ.પે. સહયોગ પણ આપ્યો હતો. સનાતન સંસ્થાન, ભા.જ.પ., શિવસેના આદિના વિવેક પર દાભોળકર ખરા નહીં ઉતરવાને કોઈ કારણ ખરું જોતાં હોવું તો ન જોઇએ, સિવાય કે ખરોખોટો મતબેંકવાદ.



મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકારે વટહુકમનો રાહ લીધો, પણ એ ભૂલવું ન જોઈએ કે પ્રસ્તુત ખરડો લટકતો રહ્યો એમાં સત્તાપક્ષ અને વિપક્ષ બેઉની જવાબદારી છે. ઉપરાંત, એ બંનેને જેમની કને લાગાની ગણતરી હોય એ કથિત હિંદુમુસ્લિમખ્રિસ્તી આદિ ધર્મસંસ્થાનોનીયે જવાબદારી છે. રાજકીય જાગૃતિ અને સંસારસુધારાની ચળવળ સાથે ન જાય તો નાગરિક સમાજનો જયવારો નથી, એ પાયાનું સત્ય ક્યારે સમજાશે?

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 24 અૉગસ્ટ 2013)

Loading

26 August 2013 admin
← વૈકલ્પિક કુંભ મેળો
યાર, મઝામાં છે ને ? →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved