Opinion Magazine
Number of visits: 9449033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકી પ્રતિનિધિમંડળ : ગુજરાત મોડેલ, બધે મનમુરાદશાહી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 March 2013

– 'મિનિમમ ગવર્ન્મેટન્ટ’ અને 'મેક્સિમમ ગવર્ન્મેટન્ટ’ના મોદીમંત્રની ખૂબ તારીફ કરી ગયું

ધુળેટી સરખા લોકતહેવાર નિમિત્તે પોરો ખાઈ શુક્રવારની સવારે છાપાં પ્રગટ્યાં તે દરમિયાન ગ્રામીણ ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી એક અજબ જેવી હોળી ખેલાઈ ચૂકી હતી : ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયક ૨૦૧૩ ઉપર રાજ્યપાલની સહી થઈ જતાં તે વિધિવત્ કાનૂન બને છે. સાંસ્થાનિક વારાના, છેક ૧૮૭૯ના કાયદાને બદલવાના ઇરાદા સાથે આવેલું આ પ્રજાસત્તાક સ્વરાજ અને લોકશાહી કાળનું ૨૦૧૩નું પગલું વસ્તુત : 'નહેર અધિકારી’ નામની નવી સંરચના સાથે પોલીસથી અદકા અધિકારોપૂર્વક ગુના અને સજાની તેમ જ વોરન્ટ બજાવી શકવાની અમર્યાદ સત્તા ઊભી કરે છે. આ એક એવી મનમુરાદશાહી હોવાની છે જેની સામે અપીલના અવકાશની ન્યાયિક જોગવાઈ પણ કાયદેસર હોવાની નથી. પાણી સરખા કુદરતી સંસાધનનો સુવાંગ માલિકવટો આ સાથે ખેડૂત કનેથી 'નહેર અધિકારી’ નામના સરકારી ઈજારદાર હસ્તક જાય છે. રાજ્ય સરકાર, પોતાની મુનસફી મુજબ અગર તો, કહો કે, મરજીમાં આવે તેમ કોઈ પણ જળાશય, નહેર, કાંસ વગેરેના પાણીના ચાલુ ઉપયોગને બદલીને પોતાને ઠીક લાગે તે રીતે નવેસર વાપરી શકશે.

બીજા શબ્દોમાં, જળજીવી જનસાધારણને ભોગે પાણી નફાકારક ઉદ્યોગો તરફ વાળવાની એ રીતે સરકાર અને કોર્પોરેટ સાંઠગાંઠથી માંડીને ખુદ સરકારના કોર્પોરેટીકરણની પ્રક્રિયાને (ખરું જોતાં વિક્રિયાને) વેગ મળશે … અને આ બધું 'સાંસ્થાનિક કાયદા’ને બદલે પ્રજાસત્તાક સ્વરાજના કાયદાને નામે સામાન્યપણે સ્વતંત્ર ભૂમિકા લઈ ચોક્કસ બાબતોમાં રાજ્ય સરકારને ધીમા પાડવાની (ખરું જોતાં સ્વસ્થ પુનર્વિ‌ચારની) તક આપવા માટે જાણીતાં રાજ્યપાલે આ કિસ્સામાં જાહેર આશંકા છતાં કેમ તત્કાળ સહી કરી હશે? કદાચ, જે તે મુદ્દે કારણ-અકારણ અગર તો સકારણ હોય ત્યારે પણ કેન્દ્ર સામે કાગારોળ કરવાના રાજ્ય સરકાર એટલે કે સત્તાપક્ષના વ્યૂહને વળી એક ઓર નિમિત્ત નહીં આપવાની ગણતરી કામ કરી ગઈ હોય એમ બને. જો કે, 'કેન્દ્ર વિ. રાજ્ય’નો સિનાર્યો ગુજરાતના વર્તમાન નેતૃત્વના સંદર્ભમાં વિશેષ ઊહાપોહ અને સવિશેષ સતર્કતા માગી લે છે, પણ એની ચર્ચા વિપળ વાર રહીને.

ગમે તેમ પણ, સિંચાઈ કાયદા સાથે સરકાર હસ્તક મનમુરાદશાહીનું જે માનસ પ્રગટ થાય છે તે કોઈ એકાકી અને નિ:સંગ ઘટના નથી, એ નોંધ્યું તમે? બેસતે એપ્રિલે ગૃહમાં ૧૯૮૬ના લોકાયુક્ત અધિનિયમને સ્થાને જે નવો કાયદો (અલબત્ત, વિધેયક રૂપે) લવાઈ રહ્યો છે એમાંથી પસાર થઈએ (તેમ જ આ હિ‌લચાલની પૃષ્ઠભૂનોયે ઝડપી ખયાલ કરી લઈએ) તો પણ રાજ્ય સરકારની મનમુરાદશાહી માનસિકતા છતી થયા વગર રહેતી નથી. લોકાયુક્ત માટેની પસંદગી સમિતિના અધ્યક્ષ સૂચિત જોગવાઈ મુજબ મુખ્યમંત્રી હોવાના છે. મુખ્યમંત્રીએ જેમને નીમવામાં અગ્રભૂમિકા ભજવી હશે તે લોકાયુક્ત મુખ્યમંત્રી સામે કેવી રીતે પગલાં ભરી શકશે, કોઈ તો કહો ૧૯૮૬ના અધિનિયમમાં (જે ત્યારના વિપક્ષ એટલે કે ભાજપની સહમતીપૂર્વક બન્યો હતો એમાં) રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ‌ અને રાજ્યપાલની ભૂમિકા આગળ પડતી હતી. એકની નિર્ણાયક, બીજાની મહત્ત્વપૂર્ણ. પણ સૂચિત લોકાયુક્ત બાબતે સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી મુખ્ય ન્યાયમૂર્તિ‌ અને રાજ્યપાલ બેઉની ભૂમિકામાં આવી જશે.

લોકાયુક્ત વિધેયક, ૨૦૧૩ની વિશેષ ચર્ચામાં નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે 'રાજ્યપાલ એટલે મંત્રીમંડળની સહાય અને સલાહ પર કામ કરતાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ’ એવી અધોરેખિત અને ડંકેકી ચોટ સફાઈ એમાં કરાઈ છે. ૧૯૮૬માં જે સમજથી ત્યારના સત્તાપક્ષે (કોંગ્રેસે) મુખ્યમંત્રીને માપમાં રાખ્યા હતા, એની સામે મુખ્યમંત્રીના અમાપ અધિકારની આ અતિરેકી ચેષ્ટામાં બીજું શું વાંચીશું, સિવાય કે સરકારી મનમુરાદશાહી. શુક્રવારનાં ઊઘડતાં છાપાં ગુજરાત યુનિવર્સિ‌ટીઓ કાયદા (સુધારા) વિધેયક, ૨૦૧૩નાં યે વધામણાં લઈને આવ્યા છે. શિક્ષણમંત્રી ચુડાસમાએ વિધેયકના ઉદ્દેશો અને કારણોમાં કરેલા ખાસ મુદ્દો તમામ કાયદામાં સમાન (એકસરખી) જોગવાઈઓનો છે. કામન યુનિવર્સિ‌ટી એકટ પાછળ રહેલ લાજિક (બલકે સાઇકોલોજી) શું છે તે સમજવા વાસ્તે એટલો એક જ સંકેત બસ થશે કે અગાઉના કાયદાઓમાં જ્યાં જ્યાં કુલાધિપતિ એટલે કે રાજ્યપાલની જિકર છે ત્યાં ત્યાં બધે 'રાજ્ય સરકાર’ એવો ફેરફાર કરવાનો છે.

ટૂંકમાં, જેને 'ગુજરાત મોડેલ’ કહીને પીઆર પાંચજન્યવાળી ચાલે છે એની વાસ્તવિકતા સરકારની ઓર અને ઓર મનમુરાદશાહી માત્ર છે. એક તો 'વિકાસ’ તળે ઉપર તપાસ માગી લે છે અને એમાં સરકારમાત્રનાં આપખુદ વલણોમાં વળી વળીને વળ ચઢાવતી આ પેરવી 'ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી’ થકી પ્રાયોજિત અમેરિકી પ્રતિનિધિમંડળ (જેના નેતા અમેરિકામાં એથિક્સ વિશેની હાઉસ કમિટીની ક્ષ-તપાસ હેઠળ છે) અહીં આવી ગયું અને 'મિનિમમ ગવર્ન્મેટન્ટ’ તેમ જ 'મેક્સિમમ ગવર્નન્સ’ – સરકાર માપમાં અને સુશાસન અમાપ -ના મોદી મંત્રની તારીફ કરી ગયું એવો હેવાલો છે. ભલા, આ ત્રણે કાનૂન પગલાં મેક્સિમમ, રિપીટ, મેક્સિમમ ગવર્ન્મેટન્ટના બોલતાં નિદર્શન છે, એટલું તો સમજો. હશે ભાઈ, એ તો ધંધો કરવા આવેલ જમાત છે. એક બાજુ માનવ અધિકારનાં ઊંચાં નવયુગી ખેંચાણો અને બીજી બાજુ જુગજૂના ધંધાદારી તકાજા બેઉની વચ્ચે બચાડા માર્યા ફરે છે. એમની એ એક અભિશપ્ત નિયતિ હોઈ શકે છે, પણ વિવેકબૃહસ્પતિ ગુજરાતે આ બધું જોયું ન જોયું કરવું, એવું કોણે કહ્યું?

(સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 30.03.2013)

Loading

30 March 2013 admin
← ભાડમાં જાય અા વાર્તા
વિકિસ્રોતને એની પહેલી વર્ષગાંઠે વિલાયત સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની શુભેચ્છાઓ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved