Opinion Magazine
Number of visits: 9451038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાઘું, પીઘું ‘ના-રાજ’ કીઘું!

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

સરદારને અને એમને શું, કોઈક તો પૂછો, કોઈક તો બોલો

કાશ, બાળ વાર્તા પેઠે ખાધુંપીધું ને રાજ કીધું જેવા કોઈ જાથુકી સુખાન્તની સગવડ દેશના વડા વિપક્ષને હોત! હમણાં તો નાખી નજરે, સહૃદય સહાનુભૂતિ લાયક ધોરણસરના દુ:ખાન્તનીયે સગવડ જણાતી નથી. સિમલાની ચિંતન બેઠક બાબત શુક્રવારે સુષમા સ્વરાજે અને રાજનાથસિંહે મીડિયાને માહિતી આપતાં વાતો બધી બિલકુલ અસ્ત્રીબંધ ને ગડીબંધ કરી પણ કરચલીઓના જંગલમાં ક્રીઝ કયાં શોધવી, કહો જોઉ.

હવે રાવણું આખું સિમલેથી દિલ્હીભેગું થઈ ચૂકયું છે ત્યારે ચિંતનને અંતે એમને શું લાઘ્યું અને આપણે શું લાભશું એ તો જાણતાં જાણીશું. વખતનાં વાજાં વખતે વાગશે. પણ અત્યારે સમજાઈ રહેતી વાત તો એટલી જ છે કે ૨૦૦૪ની હાર પછી આ પક્ષને કળ નથી વળી તે નથી વળી. ૨૦૦૯ની હારના સંદર્ભમાં બાળ આપટેનો જે હેવાલ ભલે અનધિકતપણે પણ બહાર આવ્યો એને લગભગ ચુકાવીને અત્યારે તે રોડમેપની ભાષામાં બોલવામાં આ પક્ષે સલામતી શોધી છે. રાજનાથસિંહે અલબત્ત બાવાહિંદી ન્યાયે સર્વપ્રથમ સંકલ્પ એ દોહરાવ્યો છે કે એકાત્મ માનવવાદ અને સાંસ્કતિક રાષ્ટ્રવાદની અમારી મૂળ નિષ્ઠા પર અમે કાયમ છીએ અને આ વિચારધારાને લોકસુગમ કરવા પ્રયત્નબદ્ધ છીએ.

આ જે પાયાની વિચારધારા છે, ખાસ કરીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની, એને લોકસુગમ કરવાની હમણાંની કોઈ શરૂઆત હોય તો તે જસવંતસિંહની વણચર્ચી, વણવાંચી, વણગાઈ હકાલપટ્ટીની છે એમ કોઈ કહે તો એમાં એનો વાંક નહીં કાઢી શકાય. અડવાણીનું ઝીણાયન આ ક્ષણે ધારો કે ભૂલી જઈએ, પણ ઝીણાની તરફેણમાં અને સરદારની વિરુદ્ધમાં કહેવાલખવા સબબ જસવંતસિંહને પક્ષમાંથી હાંકી કઢાયા ત્યારે આપણને જે કહેવામાં આવ્યંહ છે તે તો એ કે સરદારની ટીકા પક્ષની વિચારધારા વિરુદ્ધ છે એથી અમે શિસ્તભંગ ચલાવી લેવા માગતા નથી.

હવે જો પક્ષની વિચારધારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની હોય અને એના પર્યાયપુરુષ જો સરદાર હોય તો એક રસપ્રદ સવાલ અહીં એ ઊભો થાય છે કે ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી માંહેલા પટેલ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ગભારામાં પ્રાણપ્રતિષ્ઠિત પટેલ, એ બે એક કે જુદા.

વાત એમ છે કે સ્વરાજની લડતમાં લોકસંઘર્ષની મુખ્ય ધારાથી કિનારા કરીને ચાલેલા સંઘ પાસે સ્વરાજલાયક વ્યાપક અપીલવાળી કોઈ પિતૃપ્રતિમા સ્વાભાવિક જ નથી. સંઘ પરિવારે વલ્લભભાઈની એક ખાખી ચી આવૃત્તિ તૈયાર કરી છે, અને પોતાની પિતૃપ્રતિમાભૂખ એના થકી પોષી છે. બાકી સમાજમાં સ્વીકતિ માટે પણ આવો કોઈ પિતૃપાસપોર્ટ જરૂરી હતો અને છે.

જસવંતસિંહે વિભાજનના સ્વીકારમાં સરદારે ભજવેલી ભૂમિકાનો અને જેમ ઝીણા તેમ કોંગ્રેસ નેતૃત્વની પણ વિભાજનમાં હોઈ શકતી જવાબદારીનો નિર્દેશ જરૂર કર્યો છે. પણ વિભાજન બાબતે એક તબક્કે ગાંધીજીને લગભગ કોરાણે મેલીને નેહરુપટેલે આગળ વધવાપણું જોયું હતું એ ઇતિહાસવસ્તુ છે. જો જસવંતસિંહને આટલે વરસે આ ખબર પડી હોય અને સંઘ પરિવાર એનાથી હમણાં લગી અનભિજ્ઞ હોય તો એમાં આપણે નિરુપાય છીએ. મુદ્દે, સંઘશ્રેષ્ઠીઓને વલ્લભભાઈની ભૂમિકા ભાગલાની અનિવાર્યતા બાબતે ન ખબર હોવાનું કોઈ કારણ નથી. પણ એમણે જે ‘પ્રતિમા’ સરજી છે એની સાથે ઇતિહાસ બંધબેસતો નથી આવતો એની સ્તો મોકાણ છે.

આ બાબતની ખુલ્લી બહસને બદલે પુસ્તક પ્રતિબંધિત જાહેર છાકો પાડવા વિશે તો બાકી શું કહેવું! ભાઈ, ઇન્ટરનેટના જમાનામાં તો પેલી કહેવત પણ જૂની થઈ ગઈ છે કે ઘોડા નાસી છૂટયા પછી તબેલે તાળું દેવાનો અર્થ નથી. કોંગ્રેસ અને ભાજપ બન્ને જે રીતે આ પુસ્તકને નિમિત્તે પડમાં આવી લાગ્યાં છે એમાં બીજું કશું દેખાતું નથી, સિવાય કે રાજકીય સંસ્કતિનું સાર્વત્રિક દારિદ્રય.

જવાહરલાલનાં, જેમ વલ્લભભાઈનાં, જમા પાસાં ખાસાં હતાં. પણ દેશજનતા સમક્ષ ઇતિહાસના એક નાજુકનિણાર્યક મોડ પર બધા મતભેદો છતાં ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી એક સાથે પેશ આવી એથી એમનું વિશિષ્ટ વજૂદ બનેલું છે. કોંગ્રેસને અને ભાજપને પોતપોતાનાં કારણસર આ વજૂદ વસતું નથી અને ‘વંશ’વાદ તેમજ ‘રાષ્ટ્ર’વાદના છેડેથી તેઓ પોતપોતાની ધોરાજી હંકારે છે. ગમે તેમ પણ વલ્લભભાઈનું સૌથી મોટું- એમને ‘સરદાર’માં સ્થાપતું- જમા પાસું એમના વાસ્તવદર્શનનું હતું. (માઉન્ટબેટને ગાંધીજીને એક વાર આબાદ કહેલું કે નેહરુ કોઈ વાતમાં મારી સાથે સમ્મત થાય તો હું રાજી થાઉ, પણ એમાં પટેલનો પણ એવો જ મત મળે તો હું આશ્વસ્ત થાઉ, કેમ કે મારા મિત્ર ગમે તેમ તોયે વાદળમાં વિહરે છે જયારે પટેલના પગ ધરતી પર છે.) મુસ્લિમ લીગ સાથે સરકારમાં કામ કર્યા પછી સરદારને સમજાઈ ગયું કે ભેગું ચાલે તેમ નથી ત્યારે એમણે અનિવાર્યતા પ્રમાણીને દ્રઢ નિશ્ચયથી વિભાજનનો ખયાલ સ્વીકાર્યોઅને નેહરુને પણ નવા સંદર્ભમાં સ્થિરમતિ થવામાં એથી મદદ મળી. ગાંધીએ જુદી રીતે જવું પસંદ કર્યું હોત, એ વળી એક અલગ મુદ્દો છે પણ એટલું ખરું કે ગાંધીજીના અંતિમ પર્વને ઉજાગર કરતું- આપણા સમયમાં તો મહાભારતોપમ- ‘લાસ્ટ ફેઝ’ વાંચ્યા પછી અમે એમને નવેસર સમજતા ને બૂજતા થયા, એ વાજપેયીની સાહેદી જાણીતી છે. પણ પરિવારને જો વાજપેયીનો જ ખપ ન હોય તો પછી ગાંધીનો તો સવાલ જ કયાં છે.

જસવંતસિંહે લખેલી ઘણીબધી વાતો પહેલી વાર લખાઈ છે એવું નથી. કોંગ્રેસના પીઢ અને તરુણ સેનાનીઓએ (જેમ કે મૌલાના આઝાદે ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં અને રામમનોહર લોહિયાએ ‘ગિલ્ટી મેન ઓફ પાર્ટિશન’માં) કહેલી વાતો તો જસવંતસિંહે વિભાજનના આયનામાં ઝીલેલાં બિંબોમાં નોંધી પણ છે. ઝીણાને જરી જુદી રીતે, સહાનુભૂતિથી જોવાનો પ્રયાસ અહીં જરૂર થયો છે, અને એમાં કશું ખોટું પણ નથી. અડવાણીએ પણ સીમિત સંદર્ભમાં આ પૂર્વે તેમ કરેલું છે.

પણ ‘મુસ્લિમ ગોખલે’ બનવા ઇચ્છતા, ‘હિંદુ-મુસ્લિમ એકતાના એલચી’ તરીકે કયારેક પોંખાયેલા બંધારણવાદી ઝીણા આગળ ચાલતાં રકતરંજિત ડાઇરેકટ એક્શનના આયોજક લેખે ઉભર્યા હતા. આ પૃષ્ઠભૂ પર પાકિસ્તાનના નિર્માણ પછીની એમની સેકયુલર સૂફિયાણીનું ઘરમાં કે બહાર કોઈ ખરીદાર નહોતું. અયોઘ્યાઉત્તર સાંસ્કતિક રાષ્ટ્રવાદી અડવાણી કે ડાઇરેકટ એક્શન બાદના સેકયુલર ઝીણા, બેઉ એકબીજાના અડધિયા છે અને ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી સામે એમનું ઇતિહાસમૂલ્ય વધુ ને વધુ સવાલિયા દાયરામાં મૂકવું પડે એમ બને.

ગાંધીહત્યા અને બાબરીઘ્વંસ, આ બેના મારની કળ આ પરિવારને કયારે વળશે, ન જાણે. રોડમેપની રીતે વાત કરે, અમે લોકસભામાં એકસો સોળ છીએ, આઠ રાજયોમાં (છમાં તો એકલા) સત્તા પર છીએ, બધું કહે અને કહી શકે પણ હોર્મોન્સ ને જિન્સનું શું. પ્રતિબંધ- માનસ તો જેમ ઇન્દિરાઈની યાદ તાજી કરે છે તેમ, સાથે સાથે, પોતાની અંદર જે વિચારબંધી છે એનુંયે એક પ્રમાણ પૂરું પાડે છે. સરદારે સોમનાથમાં કર્યું તેવું કેમ અયોઘ્યામાં ન કર્યું, આ સવાલનો જવાબ પકડાય તો સરદારના ખાસ ટેકેદારો અને ખાસ ટીકાકારો, બેઉને કીમતી સુધારકૂમક મળી રહેશે તેમજ સરદારના રાષ્ટ્રવાદ અને અડવાણીના સાંસ્કતિક રાષ્ટ્રવાદ, બેઉ વરચેનો ભેદ પણ સાફ થઈ જશે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved