Opinion Magazine
Number of visits: 9446152
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિવર ફ્રન્ટ અને નદીને જીવંત કરવા વચ્ચે ફરક છે

સનત મહેતા|Samantar Gujarat - Samantar|14 May 2015

લોકમાતાનું કોર્પોરેટકરણ : રિવર ફ્રન્ટ એટલે માત્ર કોર્પોરેટનો વિકાસ. નદીને જીવંત કરાય તો આખા વિસ્તારનો વિકાસ થાય

14ની ચૂંટણી અને વચનોની વણઝારને એક વરસ પૂરું થઈ ગયું છે. ભા.જ.પે. મેળવેલી એકલે હાથે બહુમતીનું અભિમાન રાજ્યસભાની વાસ્તવિકતા સામે મિથ્થાભિમાન સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને એના સાથીદારોને ‘ભાંગ્યુ તો ય ભરૂચ’ જેવા પરિણામમાં પણ નિષ્ફળતા મળી છે. ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ જે મનોરાજ્ય ઊભું કર્યું હતું – ‘બુલેટ ટ્રેન’ અને ‘એરપોર્ટ’ જેવી સગવડવાળા રેલવે સ્ટેશનોવાળી રેલવે; સો જેટલા ‘સ્માર્ટ નગરો’ જે જોઈને ગામડાંના યુવકો સ્માર્ટ નગરો તરફ ધસી જશે; પરિણામે ચીનની જેમ સસ્તા મજૂરો ઉદ્યોગોને મળી જશે; જમીન સરકાર આપી શકે. એવો જમીન સંપાદન કાયદો; વિદેશમાં પડેલા ‘કાળા નાણાં’ પરત લાવી દરેક સ્વચ્છ ગંગાને કાંઠે અયોધ્યામાં ‘ગંગા રિવર ફ્રન્ટ’ વગેરે … વગેરે – હવે બધું ‘વર્લ્ડ કલાસ’ – કશું ભારતીય નહીં. કેવું છે એ મનોરાજ્ય! પરિણામ એ આવ્યું કે, ગુજરાતમાં જ્યાં નદી ત્યાં ‘રિવર ફ્રન્ટ’ બનાવવાની હોડ શરૂ થઈ છે. વડોદરામાં રૂ. 1,400 કરોડના ખર્ચે ‘વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ’ બનાવવા કોર્પોરેશન સપના બતાવી રહ્યું છે.

પણ, આવા જન્મેલા આવેશ અને હવામાં પગલાં ભરાઈ રહ્યાં છે ત્યારે ગયા અઠવાડિયે ‘મેગ્સેસે એવોર્ડ’ વિજેતા અને ‘વોટરમેન’ તરીકે દેશભરમાં જાણીતા બનેલા રાજેન્દ્રસિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા અને ‘સાબરમતી રિવર ફ્રન્ટ’ જોઈને અને ‘વિશ્વમિત્રી રિવર ફ્રન્ટ’ની યોજનાની જાણ થયા પછી કહી નાંખ્યું – ‘રિવર ફ્રન્ટ પ્રોજેક્ટથી નદીઓનું નહીં પણ કોર્પોરેટસનું ડેવલપમેન્ટ થશે’. વધુમાં કહ્યું કે, સરકારે કામ કરવું જ હોય તો વિશ્વામિત્રી જેવી રાજ્યની મૃત:પ્રાય નદીઓને પુન:જીવિત કરવાની કામગીરી કરવી જોઈએ. તેને માટે કરોડોના ખર્ચની નહીં પણ, રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક જાગૃતિની જરૂર છે.

રાજેન્દ્રસિંહ કંઈ રાતોરાત ભારતના ‘વોટરમેન’ બની ગયા નથી. મૂળે, આયુર્વેદિક ડોક્ટર, એવા રાજેન્દ્રસિંહ પ્રેક્ટિસ છોડી, 30 વરસની મહેનત અને લાખો લોકોના શ્રમદાનના પરિણામે અલ્વર વિસ્તારની અરવરી અને સાવી જેવી સાત નદીઓ જીવિત કરી અને વિશ્વમાં ધ્યાન ખેંચાયું. આ સાત નદીઓને જીવિત કરવા રાજેન્દ્રસિંહે 11 હજાર ચેકડેમ બનાવ્યા. કમાલ એ છે કે, રાજેન્દ્રસિંહે આ કામ માત્ર રૂ. 27 કરોડમાં કર્યું. ભારતમાં જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ‘રાજનેતાઓ મતદારોને વિશાળ આધુનિક ટેકનોલોજી આધારિત મનોરાજ્યમાં લઈ જાય છે.’ રાજેન્દ્રસિંહ પહેલા 2014ના પ્રારંભમાં, વિનિત દિવાડકર નામના, લેન્ડસ્કેપ, આર્કિટેકચર અને અરબન ડેવલપમેન્ટના હાર્વર્ડ યુનિવર્સિટીના માસ્ટર ડિગ્રીના અભ્યાસીએ પણ સાબરમતી રિવર ફ્રન્ટનો અભ્યાસ કરી એને આવું જ નામ આપ્યું હતું.

દિવાડકરે અને ‘નર્મદા સ્વિમિંગ પુલ અને અમદાવાદ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ કહ્યો હતો. કેવો અકસ્માત? હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધક અને સામાજિક કર્મશીલ જેણે સાત સૂકી નદીઓને જીવિત કરી છે. એવા જમીની કાર્ય કાર્યકરનું સાબરમતી રિવર ફ્રન્ટ માટે સરખું જ તારણ ! પણ આપણી કમનસીબી એ છે કે, હવે શાસકોને સત્ય વાત કહેવાની આપણી શક્તિ ક્ષીણ થઈ રહી છે. દિવાડકરને અભ્યાસ પછી સૌથી વધુ દુ:ખ એ વાતનું છે કે, સાબરમતી નદીમાં નદીનું પોતાનું પાણી વહેતું નથી. પણ 200 કિલોમીટર દૂર આવેલા બંધનું નર્મદા નદીનું પાણી વહે છે. દિવાડકર મૂળ તો, 1986-88 વચ્ચે પ્રસિદ્ધ સ્થપિત રિચાર્ડ કોહનના સાબરમતી ઈકોવેલીના અભ્યાસ પર સંશોધન કરી રહ્યા હતા. રિચાર્ડ કોહને આ પ્રોજેક્ટ તત્કાલિન વિત્તમંત્રી મોરારજીભાઈને સુપ્રત કર્યો હતો. પણ રિયલ એસ્ટેટના હિતના કારણે એ આકાર પામ્યો નહીં. કોહનના મૂળ પ્રોજેક્ટમાં તો બધા જ સંબંધિત ભાગીદારો જેવા કે, નદીના કાંઠે વસતા લોકો, ફેરિયાઓ અને નદીપાર ભરાતી ગુજરી પર નભતા હજારો કુટુંબોને એના વિકાસના સમાન ભાગીદાર બનાવવાની વાત હતી.

‘આજના રિવર ફ્રન્ટની યોજના એનાથી સાવ ઊલટી છે. આમાં તો રિવર ફ્રન્ટના કારણે વિસ્થાપિત બનેલા કુટુંબોને સુધ્ધાં પીવાના પાણીની તકલીફ વેઠવી પડે છે.’ એમ અભ્યાસના અંતે નોંધાયું છે. સાબરમતી નદી ધરોઈથી ખંભાતના અખાત સુધી 371 કિલોમીટરમાં વહે છે. આમાંથી માત્ર 10.4 કિલોમીટરના આર.સી.સી. દીવાલવાળા ભાગમાં નર્મદાના પાણીથી જીવતો રહે છે. એનો વિસ્તાર પણ એના ખર્ચનું વળતર મેળવવા કેટલી જમીન વિકસાવાશે એના પર આધારિત છે. કદાચ એનો દેખાવ, પેરિસ, લંડન કે સિંગાપોરના દેખાવ પરથી લેવાયો હશે. જેમ ચીનના પ્રમુખ જીપિંગ એમની પત્ની સાથે અહીં આવ્યા ત્યારે ઝૂલે ઝૂલ્યા હતા. એના છેડે આવેલા નદી પરના વાસણા બંધ પછી તો સૂકી, ગંદા પાણીવાળી સાબરમતી જ વહે છે.

વિનિત દિવાડકર કે ભારતના વોટરમેન નદીને જીવિત કરવા જે કરી રહ્યા છે એને રિવર ફ્રન્ટને નાવા નીચવોનો ય સંબંધ નથી ન એને કાકા કાલેલકરે નદીને ‘લોકમાતા’ કહીએ ભાવના સાથે સંબંધ છે.

http://www.divyabhaskar.co.in/news/ABH-difference-between-the-riverfront-and-the-river-is-to-be-alive-by-sanat-mehta-4992427-NOR.html

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14 મે 2015

Loading

14 May 2015 admin
← કૈફી આઝમી : ઊઠ મેરી જાન, મેરે સાથ હી ચલના હૈ તુજે
સાહિત્યક્ષેત્રે સરકારની ‘મનમાની’ કેટલી વાજબી ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved