Opinion Magazine
Number of visits: 9448207
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતરત્ન વાજપેયીની સાખે ભૂતકાળમાં ડોકિયું

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|28 March 2015

 અટલબિહારી વાજપેયી

23 માર્ચ : પાકિસ્તાન દિન, શહીદ સ્મૃિત, લોહિયા જયંતી … બધું આવ્યું એવું ગયું અને વી.કે. સિંહનાં ટિ્વટરિયાંમાં ડૂબી ગયું

પાકિસ્તાન દિવસ, અને તે પણ બરાબર એની પંચોતેરીનો દિવસ (23 માર્ચ, 1940 : 23 માર્ચ, 2015) આવ્યો અને ગયો! દેશજનતાને એનાં ઓસાણ કેવાં ને કેટલાં હશે એ તપાસનો વિષય છે. અલબત્ત, કેવાંક હોવાં જોઈએ એ સમજની બાબત છે. આમ જનતા તો ખેર છોડો, હાલનો જે રાજકીય-શાસકીય અગ્રવર્ગ છે એની કને પણ પરિપ્રેક્ષ્યને મોરચે કેવોક પુખ્ત અભિગમ છે એની કોઈ પતીજ આજની તારીખે તો નથી. જે ઊહાપોહ થયો હમણાં, વિદેશ રાજ્ય મંત્રી પૂર્વ જનરલ વી.કે. સિંહે પાકિસ્તાન દિવસ નિમિત્તે પાક હાઇ કમિશનની પાર્ટીમાં ભાગ લીધા સબબ, તે આનું જ એક ઉદાહરણ છે. બચાડા સિંહ જતાં શું ગયા, પણ ટીકાભાજન બન્યા એટલે ઉપરાછાપરી ટિ્વટર્યા : પહેલું ટિ્વટ કીધું, ‘ડ્યુટી’ શું કરીએ ભાઈ, ફરજના માર્યા પાર્ટીમાં મુઆ’તા. પણ પેલો ઊહાપોહ તો જારી હતો એટલે વળી બીજું ટિ્વટ કીધું, “ડિઝાસ્ટર”. શું કરીએ ભાઈ, અકારું લાગે છે ને બકારી છૂટે છે, એવું જ કાંક ને. (જો કે, નિર્ણય તો વિદેશ મંત્રાલયનો જ હતો કે પાર્ટીમાં સામેલ થવું જોઈએ.)

મુદ્દે, પાકિસ્તાનના અસ્તિત્વ સાથે વાસ્તવિકતાના સ્વીકારને ધોરણે જે ‘સમાધાન’ સધાવું જોઈએ તે અખંડ ભારતની હિન્દુત્વ સ્કૂલને સારુ સહજ સાધ્ય નથી. ધરમમજહબને ધોરણે દેશની વ્યાખ્યા કરીએ ત્યારે એક પા ‘અખંડ ભારત’ તો બીજી પા ઝીણાનો 1947નો ‘સેક્યુલરવાદ’, બેઉ ઓછાં ને પાછાં પડે છે એ ઈતિહાસવસ્તુ હિન્દુત્વ સ્કૂલે લક્ષમાં લીધી નથી. જવાહરલાલ નેહરુએ પાકિસ્તાનને ‘ફેકટ ઓફ લાઈફ’ કહીને જે નીતિ વિકસાવવા ચાહી એની સળંગ ટીકા પર જનસંઘ વિકસ્યો. જો કે, જ્યારે 1998-1999માં ભાજપી વડપણ હેઠળ એન.ડી.એ. સરકારને સત્તાયોગ થયો, ત્યારે વાજપેયીએ આ અભિગમની મર્યાદા સમજી એમાં સંસ્કરણની કોશિશ ચોક્કસ જ કરી હતી. પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત દરમિયાન વડાપ્રધાન વાજપેયીએ ચહીને, ‘મિનારે પાકિસ્તાન’ જવું સ્વીકાર્યું હતું.

બેલાશક, વાજપેયીને પક્ષે આ નિર્ણય એમના નીંભાડા અને સંઘાડાનાં ઉછેરગત કારણોસર મનોવૈજ્ઞાનિક રીતે અઘરો હતો. પણ એમણે વાસ્તવિકતા પ્રીછી, અને એમની લોકપ્રિયતા ને સ્વીકૃતિ જોતાં સંઘશ્રેષ્ઠીઓએ ખમી ખાધું. બાકી, સમજ તો સ્થગિત જ હતી એ, પછીથી, અડવાણીના ઝીણાયન વખતે એકદમ સાફ થઈને સામે આવ્યું. ગમે તેમ પણ, પાકિસ્તાન દિવસની વાત કરતે કરતે વાજપેયી સાંભરી આવવા પાછળનો તત્કાળ ધક્કો ‘ભારતરત્ન’ના અર્પણનો પણ છે. પ્રશ્ન એ છે કે વાજપેયીને ‘ભારતરત્ન’ વતી પોંખ્યાથી પોતે કોઈક રાજકીય સ્કોર હાંસલ કર્યા માત્રની ભા.જ.પ.ની સમજ છે, કે પછી આ સીમિત સમજને વટીને વાજપેયીના વ્યાપક હોઈ શકતા અભિગમને અંગે કશીક કદરબૂજ(અને એ ધોરણે કથિત સંઘપરંપરા પરત્વે પુનર્વિચાર)ની યે ગુંજાશ છે? અહીં પાકિસ્તાનની છેક કાશ્મીર પરના કથિત કબાઈલી આક્રમણથી માંડીને કારગિલ કાંડ અગર આતંકવાદને પનાહની ચેષ્ટાઓનો કોઈ બચાવ અલબત્ત અભિપ્રેત નથી. રાજ્યે, રાજ્ય તરીકે આવે પ્રસંગે પ્રતિકાર- જરૂર પડ્યે પહેલ પ્રતિકાર-ના પ્રસંગો નિપટાવવા રહે છે. શુચિર્દક્ષ શાસનનો એ તકાજો પણ છે કે તમે હિંદુરાષ્ટ્ર વિ. મુસ્લિમ વતનની માનસિકતાથી ઊંચે ઊઠીને કેટલું જોઈ શકો છો, કેટલે જઈ શકો છો.

આ જ 23 માર્ચ, અને તો, ભગતસિંહની શહાદતનોયે દિવસ છે, અને વડાપ્રધાન મોદી તે નિમિત્તે ખાસ કાર્યક્રમમાં સામેલ પણ થયા હતા. ભગતસિંહની જન્મભૂમિ તો પાકિસ્તાનમાં લાયલપુર પંથકના બંગા ગામમાં છે, અને એમને દેહાંત દંડની સજા જેને આગળ કરીને કરાઈ તે એફ.આઈ.આર. લાહોરના અનારકલી પોલીસ થાણામાં દર્જ થઈ હતી. પણ વાત આપણે પાકિસ્તાન દિવસ અને શહાદત દિવસ એક જ તારીખે (ભલે અલગ અલગ સાલમાં) હોવાના જોગાનુજોગની કરતા હતા. તમે જુઓ કે આ જ તારીખે પાકિસ્તાનમાં શાંતિ ને પ્રગતિ ચાહતા ઈન્કિલાબી તરુણોએ એકત્ર થઈ ભગતસિંહને વિશેષરૂપે સંભાર્યા હતા. સરહદોને વટી જતી માનવીય ક્રાંતિભૂમિકા એમની હતી. હમણાં જે એફ.આઈ.આર.ની જિકર કરી તેમાં સાન્ડર્સની હત્યાનો (જેને નામે ભગતસિંહને ફાંસી થઈ હતી, એનો) ઉલ્લેખ જ નથી એટલે આખો ખટલો ખોટે પાયે હતો એ પણ આ તરુણોનું કહેવું છે. ભગતસિંહને ‘શીખ’ જેવી સીમિત ઓળખમાં ખતવી નાખવા બાબતે પણ તેઓ સચેત અને સંચિત છે.

અને હા, 23 માર્ચ એટલે લોહિયાનો જન્મદિવસ! એ લોહિયા જેમણે દીનદયાલને સમજાવીને ‘ભારત-પાક અર્ધ સમવાય’નો ખયાલ સંયુક્ત નિવેદનરૂપે આગળ કર્યો હતો … સમજાય છે? ન અખંડ ભારત, ન હિંદુ રાષ્ટ્ર, પણ અર્ધ સમવાય. ભારતની જેમ સેક્યુલર વલણ નહીં લઈ શકવાથી પાકિસ્તાને કેટલું વેઠવું પડ્યું એનો પાઠ આપણી નજર સામે હોવો જોઈશે. પાકિસ્તાનનાં જાગ્રત બૌદ્ધિક-નાગરિક વર્તુળો જ્યારે પથસંસ્કરણ અને દોષદુરસ્તીને ધોરણે આગળ જઈ રહ્યાં છે ત્યારે ‘અચ્છે દિન’ સ્કૂલ જો પ્રતિગામી માનસિકતાથી ચાલશે તો તે મે 2014ના ચુકાદા સામે આપણા પ્રજાસત્તાક સ્વરાજને હાણ પહોંચાડતો કમનસીબ કિસ્સો બની રહેશે.

લેખક વરિષ્ઠ પત્રકાર  છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 28 માર્ચ 2015

Loading

28 March 2015 admin
← ભૂતકાળને સાદર સંભારીએ, ભાવિને સાથે મળી ઘડીએ
અજાતશત્રુ રાજકારણી કેવો હોય એનું ઉદાહરણ અટલ બિહારી વાજપેયી છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved