Opinion Magazine
Number of visits: 9448778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધર ટેરેસા, તેઓ અને બીજાં

ઓમપ્રકાશ જી. ઉદાસી|Opinion - Opinion|18 March 2015

કરુણાની મૂર્તિ મધર ટેરેસા માટે સંઘપરિવારના સર્વોચ્ચ શિખરથી જે આક્રમક વલણ આવ્યું તે દુઃખદ છે. હું સંઘ અને હિન્દુધર્મની અનેક ધાર્મિક સંસ્થાઓને, જેઓ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કામ કરી રહી છે તે જાણું છું અને એ પ્રશંસા અને અભિનંદનને પાત્ર છે. પરંતુ અન્ય ધર્મ, વિશેષતઃ ઇસાઈ મિશનરીઓ સેવાકાર્ય કરતી હોય ત્યારે તેની ટીકા કરવાના બદલે ધર્મપરિવર્તન માટે પોતાના ‘ઘર’ને તપાસવાની જરૂર છે. ‘કારણ્યસ કારણમ્‌’માં જવું જોઈએ.

સ્વામી સચ્ચિદાનંદજીના શબ્દો યાદ આવે છે. આપણા સાધુસંતો કોઈ ગામમાં જાય, ત્યારે પધરામણી માટે કોઈ શેઠ-શ્રીમંતનું ઘર શોધે, જ્યારે પાદરી એ ગામમાં છેવાડામાં હરિજનને ત્યાં ઊતરતો હોય છે. એ વાસમાં જાય છે.

પાંચ હજાર વર્ષથી આપણે આદિવાસીઓ, દલિત સમાજમાં ગયા નથી, જવું નથી. આપણા મહાન વિશ્વકુટુંબ, વિશ્વગ્રામ અને વિશ્વપ્રેમમાં તેઓનો સમાવેશ કર્યો નથી. આપણે વિશ્વને પ્રેમ કરીએ છીએ, પણ ગામના છેડે આવેલાને પ્રેમ કરતા નથી અને જે ઇસાઈ મિશનરીનો ત્યાં જાય છે, ત્યાં આપણને વાંધો પડે છે. હવે સફાળા જાગ્યા છીએ ને ઘાંઘા થયા છીએ.

એક વ્યાવહારિક વાત સમજવા જેવી છે. જે જે સેવા કરે તે મેવા પામે. હિન્દુધર્મમાં જ ધર્મપરિવર્તન થકી આયાતી વ્યવસ્થા નથી. હિન્દુધર્મમાં નિકાત્યની વ્યવસ્થા છે. હિન્દુએ જાતે જ પોતાનો ભાગાકાર કર્યો છે અને પોતાની બાદબાકીનું ગૌરવ પણ કરતો રહે છે.

ઇસાઈ મિશનરીઓએ ક્યારે ય ભારતમાં આવીને હિન્દુઓનાં મંદિરો તોડ્યાં નથી કે ના ગ્રંથાલયો સળગાવ્યાં છે ના મૂર્તિઓ તોડી છે. ઇસાઈ સમાજ સભ્યતા, અનુશાસનપ્રિયતા અને વિવેકનો પર્યાય છે. પ્રેમ અને સેવાને વ્યાસપીઠ ઉપરથી ગજવવાના બદલે સમાજના તિરસ્કૃત વર્ગમાં અમલ કરી બતાવી છે. તેમાં ઇસુના દર્શન કર્યા છે. બસ, અહીં ઇસાઈ આગળ વધી જાય છે. આપણો બ્રહ્મ આપણી પાસે લટકા કરે છે પણ ત્યાં અડવાનું નામ નથી લેતો. આપણે બુદ્ધ, ગાંધી અને નરસિંહ મહેતાને પરાજિત કરવા રણે ચઢ્યા છીએ.

ઇસ્લામ અને ઇસાઈમાં ધર્મપરિવર્તન બાબતે ગુણાત્મક તફાવત છે. જેઓ મુસલમાન બન્યા. તેઓને મુલ્લા અને અલ્લાને ભરોસે છોડી દેવામાં આવ્યા છે. તેઓને ધર્મઝનૂન અને એકાંગીદર્શન, નિરીક્ષરતા અને ગરીબી સિવાય બીજું કંઈ મળ્યું નથી. અહીં ઇસાઈ ધર્મ જુદો પડે છે. તેઓ શિક્ષણ, આરોગ્યની ચિંતા કરે છે. પગભર કરવાના પ્રયત્નો થાય છે. પ્રેમ, કરુણા અને સેવા થકી એક તરફથી વર્ગ ‘માણસ’ બન્યો છે. વર્ષો પહેલાં કોઈ નર્સ બનવા તૈયાર ન હતી એ મને યાદ આવે છે. દવાખાનાંઓમાં નર્સો મોટા ભાગે ઇસાઈ રહેતી અને તેઓ ભેદભાવ વગર દર્દીની સારવાર કરીને ઇસુની ભક્તિ કરતી.

આરોગ્ય, શિક્ષણ, માવજત અને સેવાનું આખું માળખું મિશનરી પાસે હોય છે. સ્વામી વિવેકાનંદે ઇસાઈ મિશનરીમાંથી પ્રેરણા લઈને માનવ સેવા માટે ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. હિન્દુ સમાજ પોતે કેમ મધર ટેરેસા પેદા કરતો નથી ? બૌદ્ધિકતાનું બ્રહ્મચર્ય હંમેશાં નીંદનીય છે. ઇસાઈ સમાજની સભ્યતા અને સ્વયંઅનુશાસનનું એક ઉદાહરણ જોઈએ. મુસ્લિમ દેશોમાં ઇસાઈઓની જાહેરમાં સરેઆમ નિર્દયતાપૂર્વક ગરદનો કાપવામાં આવી રહી છે, છતાં વિશ્વના ખ્રિસ્તી સમાજે ક્યારે ય કોઈ મસ્જિદો તોડી હોય, બૉંબ ફોડ્યો હોય કે વળતાં બદલો લીધો હોય, પોપ તરફથી કોઈ ફતવો બહાર પાડ્યો હોય, એવું બન્યું નથી. ધર્મનાં બિનજરૂરી તત્ત્વોને પશ્ચિમે ફગાવી દીધાં છે. તેનું સુંદર પરિણામ પણ આવ્યું છે.

મહાત્મા ગાંધીએ ધર્મપરિવર્તન બાબતે કહ્યું હતું કે કોઈ દાક્તર – પાદરીએ મારી માંદગી દૂર કરી હોય, તો શા સારુ મારે મારા ધર્મનો ત્યાગ કરવો ? ‘પરંતુ મહાત્મા ગાંધીએ અદ્દભુત વિકલ્પ આપ્યો. અનેક સેવકોને આદિવાસી વિસ્તારોમાં ધૂણી ધખાવીને બેસાડ્યા. સર્વધર્મનો ત્યાગ કર્યો નહીં. ધર્મપરિવર્તન નહીં, મનુષ્ય-પરિવર્તન માટે કામ કર્યું. પરંતુ એ માટે ગાંધીએ પોતાના ધર્મમાં સાફસૂફી કરી હતી. ગંદકીનું ગૌરવ ગાંધીએ કદી કર્યું નથી.

તમે ઇસાઈ મિશનરી કે મધર ટેરેસા જેવાં સંતો માટે ગમે તેમ બોલો તેના વૈશ્વિક પડઘા પડે છે. ભા.જ.પ.ની, તેની સરકારની અને ભારતની છબી ખરાબ થાય છે. સમાજના દલિત, પીડિત, તિરસ્કૃત લોકોમાં જાઓ, ધૂણી ધખાવો …  કોણ ના પાડે છે ? મધર ટેરેસા ક્યાં આડે આવે છે ? મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા લઈએ. મહાત્મા ગાંધી ક્યારે ય રજા ઉપર જતા નથી.           

૪, જયંતી ઍપાર્ટમેન્ટ, ગુરુકુળરોડ, અમદાવાદ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2015, પૃ. 12

Loading

18 March 2015 admin
← આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ?
ભીષ્મ થવું પડયું ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved