Opinion Magazine
Number of visits: 9448398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલમની મશાલ

કુમાર પ્રશાંત|Opinion - Literature|28 January 2015

૮૨ વર્ષની ઉંમરે કોઈ લેખક થાકીને પોતાની કલમ મૂકી દે તો આપણે એને એનો અંત નહિ કહીએ. અને એ વાત જો અનંતમૂર્તિ જેવા લેખકની હોય તો એમ કહેવું તે આપણી મૂઢતા જ ગણાશે. કેમ કે એમણે જિંદગીભર કલમને મશાલની જેમ ઊંચી પકડી રાખી અને સળગતી રાખી. આપણું દુર્ભાગ્ય છે કે આપણે આપણા દેશને અંગ્રેજીની બારી મારફતે જ જોઈએ છીએ, ઓળખીએ છીએ, એટલે અનંતમૂર્તિ કે અજ્ઞેય જેવી પ્રતિભાઓ એવી રાષ્ટ્રીય ઓળખ નથી મેળવી શકતા. જેવી એમની સાધના હતી એવી સાધનાનો પડકાર છોડીને તેઓ ગયા છે.

ઉદૂપી રાજગોપાલાચાર્ય અનંતમૂર્તિ કન્નડના લેખક વિચારક હતા, એમ કહેવું તે કબીર ઉત્તરપ્રદેશના વણકર કવિ હતા, એના જેવું છે. આપણું પાત્ર જેટલું નાનું હોય છે, દરિયો કંઈ એટલો નાનો થોડો જ હોય છે, આપણે એમાંથી એટલું જ પાણી લાવી શકીએ છીએ જેવું આપણું પાત્ર હોય છે અથવા જેવી આપણી આંતરિક તરસ હોય છે. અનંતમૂર્તિ સમગ્ર ભારતના બરના સાહિત્યકાર વિચારક હતા.

અનંતમૂર્તિ એ અર્થમાં સાહિત્યકાર નહોતા. તેઓ પોતાના વિચારોની સાથે જીવતા હતા. સમજદારી તો એમાં માનવામાં આવે છે જેમાં જીવવાનું અલગ અને વિચારવાનું અલગ. તેઓ આનાથી અલગ પ્રકારના હતા, લખવું, વાંચવું, વિચારવું, બોલવું તમામ વિચારપૂર્વક કરતા હતા, એટલે આ પ્રમાણે હંકારતા નહોતા. તેઓ રાજકારણમાં હતા અને પક્ષીય રાજકારણમાં માનતા હતા. સમાજવાદીઓમાં એમનું આગવું સ્થાન હતું. રામકૃષ્ણ હેગડે, જ્યૉર્જ ફર્નાન્ડીઝ, જે.એચ. પટેલ, વગેરે મિત્રોની સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ દરેક પ્રશ્નમાં પોતાનો અભિપ્રાય આપતા હતા. એટલું જ નહિ, જોરદાર રીતે આપતા હતા, એને કારણે ક્યારેક-ક્યારેક વિવાદાસ્પદ પણ બની જતા હતા. પણ તેમની બૌદ્ધિક પ્રામાણિકતા પર ક્યારે ય કોઈએ શંકા નથી કરી. પ્રાથમિક શાળાઓમાં માધ્યમ કન્નડ હોવું જોઈએ, તે બાબતમાં ત્યાં ઉગ્ર ચર્ચાઓ થઈ. આજના બજારવાદમાં માનનારાઓ બૅંગાલુરુના આઈટી હબ બનાવનારાઓએ એનો વિરોધ કરી અંગ્રેજીને માધ્યમ બનાવવાનો પ્રયત્ન કર્યો. તે વખતે અનંતમૂર્તિ કન્નડ ભાષાની તરફેણમાં કૂદી પડ્યા. બરમિંઘમ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટ કરીને આવેલા, અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક, કોટ્ટાયમ સ્થિત મહાત્મા ગાંધી વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ, ભારતીય જ્ઞાનપીઠ-સન્માનથી વિભૂષિત, પદ્યભૂષણ, નેશનલ બુક ટ્રસ્ટ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂકેલા વ્યક્તિ અંગ્રેજીની વકીલાત ન કરે અને ઈન્ફોસિસના કરામતી અધ્યક્ષ નારાયણમૂર્તિની સાથે એ બાબતમાં ઝઘડી પડે કે કન્નડ ભાષાને એનું પ્રમુખસ્થાન મળ્યા પછી જ અંગ્રેજી વગેરેની ચિંતા કરવી જોઈએ, ત્યારે એવું લાગે છે કે આ માણસના હાથમાં કલમને બદલે કોઈક મશાલ છે, એક સાહિત્યકાર તરીકે એમણે પોતાનું તમામ લખાણ કન્નડ ભાષામાં જ કર્યું.

અનંતમૂર્તિ સંસદની ચૂંટણી પણ લડ્યા હતા અને ધારાસભાની ચૂંટણી પણ લડ્યા હતા. બંનેમાં હારી ગયા હતા. પણ કોઈએ ક્યારે ય એમના હેતુ વિશે શંકા નથી કરી. એમનું કદ વિરાટ જ રહ્યું. એમનું આ વિરાટ કદ કન્નડ ભાષા પૂરતું જ સીમિત નથી રહ્યું. સમગ્ર દેશમાં વ્યાપ્ત હતું. તેઓ પોતાના સમયના ભારતના સૌથી સમર્થ બૌદ્ધિકોમાંના એક હતા.

સાંપ્રદાયિક બળોની સામે હંમેશાં ઝૂઝવાની તૈયારી અને પછાતપીડિત જાતિઓ-વર્ગોની સાથે ઊભા રહેવાનું સાહસ – ગાંધીએ આ બે કસોટીઓ મૂકી હતી, બૌદ્ધિક હોવાની. એને કારણે ભારતીય સમાજમાં બૌદ્ધિક હોવાનો મતલબ જ આ બે કસોટીઓમાંથી પાસ થવું એવો થઈ ગયો હતો. અનંતમૂર્તિ આ બંને ભૂમિકાઓમાં એવી પ્રખરતાથી જીવ્યા હતા કે એમની સાથે ઊભા રહેવામાં હિંમત જોઈતી હતી.

એક લેખકની આંતરિક દુનિયા અને એક બૌદ્ધિકનું સાહસ જ્યારે જ્યારે કોઈ વ્યક્તિમાં સાકાર થશે, ત્યારે આપણને ત્યાં અનંતમૂર્તિ ઊભેલા દેખાશે, કેમકે મશાલ ક્યારે ય બુઝાતી નથી. કોઈક નવા હાથોની ઇંતેજારીમાં સળગ્યા કરે છે.

(સંપાદન અનુવાદક : મોહન દાંડીકર)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2015, પૃ. 09 અને 11

Loading

28 January 2015 admin
← અણતગ લેવા તાગ
My Brother Mohan →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved