Opinion Magazine
Number of visits: 9454809
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુદ્રણને પગલે આવ્યાં વિરામ ચિહ્નો

દીપક મહેતા|Opinion - Literature|14 October 2014

મુદ્રણને પગલે ગુજરાતીના લેખનની રીતમાં કેટલાક ફેરફાર ધીમે ધીમે થયા. અગાઉ હસ્તપ્રતોમાં શબ્દો છૂટા પાડયા વગર સળંગ લખાણ લખાતું હતું. આને પરિણામે લખાણ ઉકેલવામાં તથા તેનો અર્થ બેસાડવામાં કેટલી મુશ્કેલી પડે છે તે હસ્તપ્રતોના અભ્યાસીઓ જાણે છે. અંગ્રેજી મુદ્રણ જોઈને ગુજરાતી મુદ્રણમાં શબ્દોને છૂટા પાડવાનું પહેલેથી જ શરૂ થયું. જો કે શબ્દોને છૂટા પાડવા માટે શરૂઆતમાં અંગ્રેજી કરતાં જુદો રસ્તો અપનાવ્યો હતો.  ૧૭૯૭ની બોમ્બે કુરિયરની જાહેર ખબરોમાં તેમ જ ફરદુનજી મર્ઝબાજીએ શરૂઆતમાં છાપેલાં પુસ્તકોમાં બે શબ્દો વચ્ચે મધ્યરેખાબિંદુ (ઇન્ટર પોઇન્ટ) મૂકીને શબ્દો છૂટા પાડયા છે. પ્રાચીન લેટિનમાં આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ જોવા મળે છે. બહેરામજી છાપગર કે ફરદુનજી મર્ઝબાનજી પ્રાચીન લેટિનથી પરિચિત હોય એવો સંભવ નથી. તેમણે આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ કયાંથી અપનાવ્યો હશે એ જાણવાનું આજે શક્ય નથી. જો કે થોડાં વર્ષો પછી શબ્દોને છૂટા પાડવા માટે ઇન્ટર પૉઇન્ટને બદલે ખાલી જગ્યા-સ્પેસ-નો ઉપયોગ શરૂ થઈ ગયો હતો.

બીજો ફેરફાર થયો તે વિરામ ચિહ્નોના ઉપયોગનો. હસ્તપ્રતોમાં એક માત્ર પૂર્ણવિરામ સિવાય બીજું કોઈ વિરામ ચિહ્ન વપરાતું નહીં. પૂર્ણ વિરામ માટે પણ ઊભો દંડ (।) વપરાતો. કવિતામાં બે દંડ ( ।। ) પણ વપરાતા. સળંગ લખાતા લખાણમાં આ દંડને કારણે વાક્ય કયાં પૂરું થયું તે સમજાતું. પણ તે સિવાય બીજાં કોઈ વિરામ ચિહ્નો વપરાતાં નહીં. ૧૮૨૧માં સુરતમાં છપાયેલા બાઈબલના નવા કરારના અનુવાદમાં માત્ર એકવડા અને બેવડા દંડ જ વપરાયા છે, બીજાં કોઈ વિરામ ચિહ્નો વપરાયાં નથી.

ભારતની બીજી ભાષાઓની જેમ ગુજરાતીએ પણ ધીમે ધીમે અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નો  અપનાવ્યાં છે. હિંદીએ બીજાં બધા ચિહ્નો અપનાવ્યાં પણ પૂર્ણવિરામને માટે અધોરેખાબિંદુ(.)ને બદલે અગાઉનો દંડ વાપરવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતીમાં પણ શરૂઆતમાં પૂર્ણવિરામ માટે અધોરેખાબિંદુનું ચિહ્ન વપરાયું નથી. શબ્દોને છૂટા પાડવા માટે વપરાતા મધ્યરેખાબિંદુ સાથે તેની સેળભેળ થઇ જાય એ બીકે એમ થયું હશે. એટલે શરૂઆતમાં પૂર્ણવિરામ માટે અધોરેખાબિંદુને બદલે ફુદરડીની (*) નિશાની વપરાય છે. આ ફુદરડી અક્ષરના માપની જ રહેતી તેનાથી નાની નહીં અને તેની આકૃતિ અક્ષરોથી તરત જુદી પડે એવી હતી. પછી મધ્યરેખાબિંદુનો ઉપયોગ બંધ થયો એટલે સોળભેળની બીક રહી નહીં અને તેથી ફુદરડીને બદલે પૂર્ણવિરામને માટે (.)નું ચિહ્ન વપરાવા લાગ્યું. અંગ્રેજીમાં વપરાતાં બીજાં વિરામ ચિહ્નો તે પછી ધીમે ધીમે વપરાતાં થયાં. છેલ્લા કેટલાક દાયકાઓમાં અંગ્રેજી મુદ્રણની ગતિ, ખાસ કરીને અમેરિકામાં, બને તેટલાં ઓછાં વિરામ ચિહ્નો વાપરવા તરફની છે. પણ આપણે ૧૯મી સદીમાં બ્રિટિશ અંગ્રેજીમાંથી વિરામ ચિહ્નો અપનાવ્યાં ત્યારે મુદ્રણમાં તેમની જે બહુલતા હતી તેને જ આજ સુધી વળગી રહ્યાં છીએ.        

અંગ્રેજી મુદ્રણ જોઈને આપણે બીજી બે વાત પણ અપનાવી. પહેલી તે ગદ્ય લખાણ સળંગ ન લખતાં તેમાં પેરેગ્રાફ પાડવાની. અલબત્ત, શરૂઆતમાં પેરેગ્રાફ લગભગ સ્વેચ્છા મુજબ (આર્બિટ્રરીલી) પડાતા. પણ પછી ધીમેધીમે ભાવ, વિચાર કે મુદ્દા સાથે પેરેગ્રાફનો સંબંધ બંધાયો. તેવી જ રીતે પદ્યની બાબતમાં પંક્તિ અને કડીને સળંગ ન છાપતાં જુદાં પાડીને છાપવાનું આપણે અપનાવ્યું. પદ્યની પંક્તિનું માપ સાધારણ રીતે ગદ્ય લખાણના માપ કરતાં નાનું રાખવાનું – પંક્તિને ઇન્ડેન્ટ કરવાનું આપણે અપનાવ્યું. પંક્તિ જુદા જુદા માપની હોય તો તેમને આરંભે અથવા અંતે અલાઇન કરવાનું વલણ પણ અપનાવ્યું. બે પેરેગ્રાફની જેમ બે કડી વચ્ચે પણ વધુ જગ્યા-સ્પેસ-રાખવાનું શરૂ કર્યું. હસ્તપ્રતોના જમાનામાં આમાંનું કશું નહોતું.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 13 અૉક્ટોબર 2014 

Loading

14 October 2014 admin
← સફાઈમાં ખુદાઈ જોનારા લોકસેવક બબલભાઈ
ઇસ્લામિક રાજ્ય – કોને જોઈએ ? →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved