Opinion Magazine
Number of visits: 9567166
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દર્શક શતાબ્દી વર્ષ એકંદરે …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 October 2014

દર્શક શતાબ્દી વર્ષના સહુથી મહત્ત્વના પ્રકાશન ‘મનીષીની વિચારયાત્રા’માં સંપાદક મોહન દાંડીકરે તેમના આરાધ્ય લેખકનાં વીસ ભાષણો મૂક્યાં છે. ભાષણોના વિષયોમાં ગાંધીવિચાર, નયી તાલીમ સહિતનું  કેળવણી ચિંતન, વિશ્વશાંતિની ગુરુકિલ્લી તરીકે બાળશિક્ષણ, સર્વોદય, મહાભારત, સાહિત્યમહત્તા  અને સ્વામી આનંદ તેમ જ સરદાર પટેલ વ્યક્તિવિશેષોનો સમાવેશ થાય છે. દર્શક પાસે તૈયાર થયેલા, લોકભારતીના એક પ્રબુદ્ધ વિદ્યાર્થી દાંડીકરે ‘દર્શક : જેવા મેં જોયા જાણ્યા’ સહિત એકસઠ પુસ્તકો લખ્યાં છે. તેમાં સઆદત હસન મન્ટો, કમલેશ્વર, દલિપકૌર ટિવાણા અને ગિરીરાજ કિશોરનાં પુસ્તકો ઉપરાંત વિવિધ સંપાદનો પણ છે. દર્શકના જીવનસર્જનના અભ્યાસી સંપાદકે પુસ્તિકાઓ, લેખો, રેકૉર્ડિંગ્સ કે નોંધો રૂપે વિખરાયેલાં ભાષણોને જહેમતથી એકઠાં કરીને કંઈક વિષયવાર ગોઠવ્યાં છે.

દાંડીકરના સંપાદનનો સહુથી મહત્ત્વનો લાભ તેમણે કેટલાંક વ્યાખ્યાનો વિશે પ્રાસ્તાવિકમાં આપેલી રસપ્રદ માહિતી તરીકે મળે છે. ‘મહાભારતનો મર્મ’ વ્યાખ્યાનપુસ્તિકા વિશે ‘હિંદુસ્તાન કી સબ ભાષાઓંમેં અનુવાદ હોના ચાહિયે’ એવો પત્ર પીઢ સર્વોદયી ઠાકુરદાસ બંગે લખ્યો હતો. સાવરકુંડલાના વ્યાખ્યાનમાં દ્રૌપદી-કુંતીની વાત કરતાં વક્તા અને હજારો શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણી વિશે સણોસરામાં આપેલાં પાંચ વ્યાખ્યાનોમાં ‘કશી જ નોંધો રાખ્યા વિના સતત છ કલાક વરસેલા’. આ વ્યાખ્યાનોની ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’ નામે લોકમિલાપ પ્રકાશને બહાર પાડેલી પુસ્તિકા પર ‘આફરીન’ થઈને સ્વામી આનંદે કહ્યું હતું, ‘ગુજરાતમાં મેઘાણીની આવી રજૂઆત કોઈએ કરી નથી.’ નારાયણભાઈ દેસાઈ ‘આ નાનકડી ચોપડીને’ દર્શકની ‘ઉત્તમ નવલકથાઓની હરોળમાં’ મૂકે છે. ગાંધીવિચાર પરનું ભાષણ સાંભળીને યેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે ‘આવી વાતો અમે પહેલી જ વાર સાંભળી, મહાપુરુષનો સાચો પરિચય થયો’ એ મતલબનું કહ્યું હતું. દર્શકના ચાહકોના એક જૂથે ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ની સવા લાખ નકલો છપાવી. દર્શકનાં ભાષણોમાં એમના વિશ્વદર્શન ઉપરાંત ગુજરાતી ભાષાનાં  ઓજસ અને સામર્થ્ય તેમ જ ગોહિલવાડી બોલીની સોડમ માટે પણ મળે છે. ગુર્જર પ્રકાશને બહાર પાડેલા પોણા ત્રણસો પાનાંના આ સંચયનો આસ્વાદ કરાવનાર મનસુખ સલ્લાના શબ્દોમાંકહીએ તો આ વ્યાખ્યાનો થકી ‘પ્રાજ્ઞપુરુષના વિચારલોકમાં પ્રવેશ’ કરાવે છે.

વ્યાખ્યાન સંચયનાં કેટલાંક લખાણો ‘મનુભાઈ પંચોળી સાથે વિચારયાત્રા’ નામે વાચનમહર્ષિ મહેન્દ્ર મેઘાણીએ બાણુંની વયે ‘કિશોરો-યુવાનો માટે’ કરેલાં બાણું પાનાંના સંપાદનમાં પણ મળે છે. દર્શક પરના  લોકમિલાપના  આ પાંચમા  પ્રકાશનમાં ચાળીસેક લખાણો  છે. તેની ‘એક લાખ નકલ નવી પેઢીના વાચકોને પહોંચાડવાની ઉમેદ’ સંપાદક ધરાવે છે. મનુભાઈના થોડાક ચાહકોએ દોઢસો શિક્ષણ સંસ્થાઓમાં સો-સો નકલ મોકલવા માટેની સખાવત તો કરી દીધી છે. જો કે સંપાદક જણાવે છે : ‘આ પુસ્તકની સોથી ઓછી નકલ ખરીદી શકાશે નહીં.’

સર્વોદય વિચારધારાના પખવાડિક મુખપત્ર ‘ભૂમિપુત્ર’નો સોળમી જુલાઈનો વિશેષાંક રમણીય અને સંગ્રાહ્ય છે. પચાસેક તસવીરો મોટાં કદનાં બેતાળીસ પાનાંના આ અંકની મિરાત છે. દર્શકની જુદી જુદી ઉંમરે, જાતભાતની ભાવમુદ્રાઓમાં, અનેક પ્રકારની વ્યક્તિઓ સાથેની ઘણાં સ્થળે અને પ્રસંગે પાડવામાં આવેલી  આ છબિઓમાં કેટલીક દુર્લભ છે. સરસ સંપાદકીય સહિતના ઓગણીસ લખાણોમાં જીવનની વિગતો, ગુણકીર્તન, સ્મરણો, લેખન, આસ્વાદ, પુસ્તક પરિચય જેવી વૈવિધ્યપૂર્ણ સામગ્રી ઝીણવટથી પસંદ કરીને બહુ માવજતથીમૂકવામાં રજનીભાઈ, સ્વાતીબહેન અને પારુલબહેનના બનેલા સંપાદકમંડળની સૂઝ અને મહેનત દેખાય છે.

કમનસીબે આવો કોઈ વિશેષાંક ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’એ હજુ સુધી કર્યો નથી. ગયા ઑક્ટોબરથી શરૂ થયેલા શતાબ્દી વર્ષ દરમિયાન ‘પરબ’ના એક પણ અંકમાં દર્શક વિશે ધોરણસરનો એક પણ  લેખ આવ્યો નથી. ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’નું પણ લગભગ આવું જ છે. પરિષદના  ડિસેમ્બરના વાર્ષિક જ્ઞાનસત્રમાં દર્શક પર કોઈ બેઠક ન હતી, આગામી અધિવેશનના જાહેર થયેલા કાર્યક્રમમાં પણ નથી. છવ્વીસમી ફેબ્રુઆરીના એક બુધવારે ઉજવણીના ઉજમ-ઉલ્લાસ વિનાના માહોલમાં છએક વ્યાખ્યાનોનો સભોજન કાર્યક્રમ તેણે પદાધિકારીઓ અને વક્તાઓ સહિત પચાસ-પંચોતેર આવતા-જતા  શ્રોતાઓની હાજરીમાં કર્યો. તેમાં ય પરિષદને, દર્શકે જેને સ્વાયત્ત બનાવવા માટે લડત આપી હતી તે,  સરકારીકરણ થઈ ચૂકેલી સાહિત્ય અકાદમીનો સહયોગ લેવો પડ્યો. અકાદમીએ પણ વળી અલગ કાર્યક્રમ કર્યો નથી. તેણે વડોદરાની ‘અક્ષરા’ અને સંભવત: બીજી સંસ્થાઓની સાથે જોડાવાનું પસંદ કર્યું. રાજ્ય સરકારે ‘સૉક્રેટીસ’ના નાટ્યપ્રયોગને ટેકો કર્યા સિવાય ઝાઝું કંઈ કર્યું હોવાનું માલુમ નથી.  

‘સૉક્રેટીસ’ અમદાવાદ ઉપરાંત વાળુકડ અને સણોસરામાં ભજવાયું. ટૉલ્સ્ટૉયના જીવન પરનું દર્શકનું ‘ગૃહારણ્ય’ નાટક રાજકોટના રંગકર્મી ભરત યાજ્ઞિકના દિગ્દર્શનમાં ‘કલાનિકેતન’ સંસ્થાના કલાકારોએ જુલાઈમાં ભજવ્યું. રાજ્યની ઘણીબધી સંસ્થાઓએ પોતપોતાની રીતે નાનામોટા કાર્યક્રમો થકી દર્શકને યાદ કર્યા હોવાની નોંધો મળતી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ તેના રાષ્ટ્રીય પુસ્તકમેળા સાથે દર્શકના જીવનકાર્યને બહુ આકર્ષક રીતે જોડ્યાં હતાં. ‘દર્શક ફાઉન્ડેશન’ શતાબ્દી મહોત્સવ અન્વયે પુસ્તક-આસ્વાદ પ્રવચનો ગોઠવે છે. ગુજરાત સાહિત્યસભાએ નિબંધ સ્પર્ધા યોજી. વળી તેણે ગયા શનિવારે પ્રકાશ ન. શાહનું વ્યાખ્યાન ગોઠવ્યું. વિશ્વકોશમાં દર્શક વિશેનું આ ચોથું વ્યાખ્યાન હતું. વર્ષની પૂર્ણાહુતિને દિવસે એટલે કે આવતા બુધવારે  ઓમ કમ્યુિનકેશને દર્શક વિશે પરિષદના ગોવર્ધન ભવનમાં પરિસંવાદ ગોઠવ્યો છે.

લોકભારતીએ દર્શકના સાહિત્ય પર યોજેલા કાર્યક્રમમાં દસેક અભ્યાસીઓને બોલાવ્યા હતા. વળી સંસ્થાએ શિક્ષણપ્રસાર અને સુધારણા માટે ‘દર્શક લોકગંગા’ ઉપક્રમ હાથ ધર્યો છે. તે હેઠળ નિષ્ણાત શિક્ષકોની એક ટુકડી એક વાહન અને પુસ્તકો તેમ જ ફિલ્મો સહિતની અભ્યાસ સામગ્રી લઈને ચૌદ ગામોની શાળાઓની મુલાકાત લેતી રહે છે. પાલીતાણા પાસેના માઇધારમાં આવેલું દર્શકના સ્વપ્નનું નાગરિક કેળવણી અને લોકશિક્ષણ માટેનું કેન્દ્ર લોકભારતીએ ફરીથી સક્રિય કર્યું છે.

જો કે શતાબ્દી વર્ષ દરમિયાન નાઝીવાદ-ફાસીવાદની અમાનુષતા વચ્ચે માનવતા વિશે ‘હેલન-સોદો-અંતિમ અધ્યાય’ નાટ્યત્રયી લખનારા દર્શક, આ નાટકો પર ભરત દવેએ બનાવેલી ટેલિફિલ્મો છતાં ય ન દેખાયા. ગાંધીવિચાર અને લોકશાહી સમાજવાદ વચ્ચે પ્રગતિશીલ માનવતાવાદી સુમેળ સાધનારા દર્શક ભાગ્યે જ દેખાયા. હજુ જાણવાના બાકી છે જાહેર જીવનમાં સામેલગીરી, હસ્તક્ષેપ, વિરોધ અને સંઘર્ષમાં ઊતરનારા દર્શક !

+++++++++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “નવગુજરાત સમય”, 08 અૉક્ટોબર 2014

Loading

10 October 2014 admin
← મૈત્રી તે ઔષધ
સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે? →

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved