Opinion Magazine
Number of visits: 9448792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યૂક્લિઅર આધારિત વીજળી : લાભ ને જોખમ કેટલાં?

કિરણ કાપુરે|Opinion - Opinion|22 April 2022

ગત સંસદ સત્રમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે અત્યારે દેશમાં ન્યૂક્લિઅર પાવરથી 6,780 મેગાવોટ વીજળી ઉત્પાદીત થઈ રહી છે; અને 2031 સુધી આ ક્ષમતા વધીને 22,480 કરવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંકનો અર્થ આવનારાં નવ વર્ષમાં ન્યૂક્લિઅર દ્વારા વીજળી ઉત્પાદન ચાર ગણું થશે. ન્યૂક્લિઅર આધારિત વીજળીનું ઉત્પાદન વિવાદિત મુદ્દો છે. પણ કટોકટીમાં લાંબા ગાળાના નુકસાનના અવેજમાં ટૂંકા ગાળાના લાભનો જ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. દેશમાં વીજળીનો પ્રશ્ન અતિ વિકટ છે અને આજે ય અંધારપટ ધરાવનારાં વિસ્તારો શોધવામાં ઝાઝી મશક્કત કરવી પડતી નથી. ઉનાળામાં તો વીજળીની બૂમો દિલ્હી જેવાં શહેરોમાં પણ પડે છે. ગામડાંઓમાં વીજળી હજુ ય સરળતાથી ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ધીરે ધીરે સુધરી જરૂર રહી છે અને તેમાં અલગ-અલગ સ્રોત આધારિત વીજળી ભાગ ભજવે છે.

વર્તમાનમાં દેશમાં સૌથી વધુ વીજળી કોલસા દ્વારા ઉત્પન્ન થાય છે. આ ટકાવારી પચાસની આસપાસ છે. તે પછી રિન્યૂએબલ એનર્જી છે, જે પવન, સોલર અને અન્ય માધ્યમથી ઉત્પન થાય છે. આ વીજળી કુદરતના જોરે ઉત્પન્ન થાય છે. હાલ આપણા દેશમાં 26 ટકાની આસપાસ રિન્યૂએબલ આધારિત વીજળી છે. તે પછી હાઇડ્રો વીજળી છે. તેની ટકાવારી 11 ટકાની આસપાસ છે. તે મહદંશે પાણી દ્વારા ઉત્પાદિત થાય છે અને ડેમ સાઈટ પર આવા હાઈડ્રો પાવર પ્લાન્ટ નિર્માણ કરવામાં આવે છે. ગેસ દ્વારા છ ટકા અને ન્યૂક્લિઅર દ્વારા અત્યારે કુલ વીજળીની દોઢ ટકા વીજળી ઉત્પન્ન થાય છે.

ન્યૂક્લિઅરનો હિસ્સો હાલમાં ખૂબ ઓછો છે પણ સરકાર હવે તે વધારવામાં માંગે છે અને માટે દેશમાં નવા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરી રહી છે. અત્યારે દેશમાં એક્ટિવ ન્યૂક્લિઅર પ્લાન્ટ સાત છે. તેમાંથી બે તમિલનાડુમાં, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક છે. તે સિવાય ચાર ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણાધિન છે અને ટૂંક સમયમાં તે કાર્યરત થશે. તેમાં એક તમિલનાડુમાં આવેલો કલ્પકમ્મ અને કુન્ડુકુલ્લમ છે, બીજો ગુજરાતમાં કાકરાપાર ખાતે યુનિટ-4 છે, તે પછી હરિયાણાના ગોરખપુર, રાજસ્થાનમાં યુનિટ 7 અને 8 છે. નિર્માણાધિન સિવાય અન્ય નવ ન્યૂક્લિઅર પ્લાન્ટનાં આયોજન થઈ રહ્યાં છે. આ રીતે ન્યૂક્લિઅર બેઝ્ડ વીજળી આપણે મહત્તમ સ્તરે લઈ જવા પ્રયત્નશીલ છે.

હવે એ વિચારવું રહ્યું કે દેશ કેમ ન્યૂક્લિઅર વીજળી તરફ આગળ વધી રહ્યો છે. તેનું સૌથી મહત્ત્વનું કારણ કે દેશમાં આજે ખૂણે ખૂણે વીજળી પહોંચી રહી છે અને વીજળીના સંસાધનો પણ વધી રહ્યા છે. વ્યક્તિદીઢ વીજળી વપરાશ વધ્યો છે. 2019-20ના આંકડા મુજબ આપણી વ્યક્તિદિઠ વીજળીની ખપત 1208 કિલોવોટ છે. 2012ના જ મુકાબલે આ આંકડો ત્રણસો કિલોવોટ વધ્યો છે. આગળ પણ તે વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. બીજું કે કોલસા આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં પ્રદૂષણ ખૂબ વધે છે. ‘સેન્ટર ફોર સાયન્સ એન્વાયર્મેન્ટ’ દ્વારા થયેલાં અભ્યાસ મુજબ તો કોલસા આધારિત વીજળી ઉત્પાદનને વિશ્વનું સૌથી પ્રદૂષિત કરનારું ક્ષેત્ર ગણવામાં આવ્યું છે. આનું એક કારણ એ પણ છે કે ભારતમાં મળતા કોલસાની ગુણવત્તા નબળી છે. અને એટલે જ હવે કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા સરકારે માપદંડ વધુ સખ્ત કર્યા છે. હાઇડ્રો પાવર એક સારો વિકલ્પ છે, પણ તેમાં મસમોટા ડેમ નિર્માણ કરવાનો જંગી ખર્ચ છે. આ વિકલ્પના પર્યાવરણીય જોખમો વધુ છે. અને એટલે જ રિન્યૂએબલ એનર્જી તરફ દેશનું વીજળી સેક્ટર આગળ વધી રહ્યું છે. રિન્યૂએબલ એનર્જી માટે ભારત પ્રતિબદ્ધ છે અને એટલે 2016માં ‘પેરિસ એગ્રીમેન્ટ’માં ભારત સરકારે એમ સ્વીકાર્યું છે કે 2030 સુધી દેશની કુલ વીજળી ખપતમાં ભારતની અડધો અડધ વીજળી રિન્યૂએબલ હશે.

રિન્યૂએબલ એનર્જીમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ, સોલર, વીન્ડ, વેસ્ટ ટુ પાવર આવે છે. તદ્ઉપરાંત તેમાં જ ન્યૂક્લિઅર આધારિત વીજળીનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં ન્યૂક્લિઅર એનર્જીનું ચિત્ર શું છે તે પહેલાં સમજી લઈએ. જેમ કે, હાલમાં વિશ્વમાં 32 દેશો ન્યૂક્લિઅર આધારિત વીજળીનો ઉપયોગ કરે છે. તેમાં સૌથી વધુ યુરોપ, નોર્થ અમેરિકા, ઇસ્ટ એશિયા અને સાઉથ એશિયા છે. આ ખંડના હિસ્સા પરથી ખ્યાલ આવી જાય કે જ્યાં સૌથી વધુ વિકસિત દેશો છે તેઓ ન્યૂક્લિઅર એનર્જી તરફ વળ્યા છે. અમેરિકા ન્યૂક્લિઅર આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં સૌ પ્રથમ આવે છે અને ફ્રાન્સ તેની 70 ટકા વીજળી ન્યૂક્લિઅરથી જ પેદા કરે છે. ચીન પણ એ તરફ જ આગળ વધી રહ્યું છે.

ભારતના વીજળીની જરૂરિયાત અર્થે ન્યૂક્લિઅર એનર્જી સરળ વિકલ્પ છે. પહેલાં તો વિશ્વભરમાં ન્યૂક્લિઅર એનર્જીથી વીજળીનું ઉત્પાદન સામાન્ય થઈ રહ્યું છે. હા, તેમાં કેટલાંક હવે અપવાદ છે. જેમાં ઇટાલી, ઓસ્ટ્રિયા, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ગ્રીસ, આઈરલેન્ડ અને નોર્વે જેવાં દેશો છે. આ બધા જ દેશો ધીરે ધીરે ન્યૂક્લિઅર એનર્જીથી પોતાને વેગળા કરી રહ્યા છે. હવે એક તરફ ન્યૂક્લિઅર એનર્જીનો ઉપયોગ કરવા અમેરિકા, ચીન અને ભારત જેવાં દેશો ઉત્સુક છે જ્યારે યુરોપના નાનાં દેશો તેમાંથી બહાર નીકળી રહ્યા છે. આનું મુખ્ય કારણ તેનાથી ફેલાતું પ્રદૂષણ છે, તેમાં ન્યૂક્લિઅર વેસ્ટનો પ્રશ્ન પણ મોટો છે. અન્ય વિકલ્પો જોતાં ન્યૂક્લિઅર વધુ લાભકારક લાગે છે, પણ તે ત્યાં સુધી જ જ્યાં સુધી તેમાં કોઈ અકસ્માત ન થાય. અન્ય કોઈ પણ વિકલ્પમાં અકસ્માતની વેળાએ પણ જોખમને ઘટાડી શકાય છે. પણ ન્યૂક્લિઅર એનર્જીના કિસ્સામાં જ્યારે પણ કોઈ અકસ્માત થાય તો તેનો તોડ કોઈની પાસે નથી. જેમ કે ચર્નીબોલ અને જાપાનમાં ભૂકંપ વખતે ફૂકુશિમા ન્યૂક્લિઅર પ્લાન્ટમાં જોવા મળ્યું હતું. રશિયા અને જાપાન ટેકનોલોજીની દૃષ્ટિએ સજ્જ દેશો છે તેમ છતાં જ્યારે ન્યૂક્લિઅરના અકસ્માત થયા ત્યારે તેમની પાસે કોઈ તોડ નહોતો. આવે વખતે ભારતમાં કોઈ અકસ્માત થાય તો તે કેવી રીતે તેનો ઉકેલ લાવે તે સવાલ છે.

આ ઉપરાંત જે ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ છે તેમાંથી નિકળતા રોજબરોજનું પ્રદૂષણ પણ ખૂબ મોટો સવાલ તેના સામે ઊભો કરે છે. અને તે માટે જ અમેરિકામાં અને જ્યાં આવા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે ત્યાં તેનું બાંધકામ કેવી રીતે થવું જોઈએ તે નિર્ધારિત કરવામાં આવ્યું છે. તે પછીનો સવાલ ન્યૂક્લિઅર પ્લાન્ટ માટે જોઈતા યુરેનિયમનો છે. યુરેનિયમ વિશ્વમાં કઝાકિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવાં જૂજ દેશોમાં છે. તે પછીનો ન્યૂક્લિઅર વીજળી પ્રશ્ન કેન્સર સંબંધિત છે. અત્યાર સુધીના અનેક અભ્યાસોમાં એવું ફલિત થયું છે કે, ન્યૂક્લિઅર વીજળીથી કેન્સરનું જોખમ ઊભું થાય છે. તેના સૌથી મોટા શિકાર પ્લાન્ટમાં કર્મચારીઓ અને આસપાસની વસતી છે. આવાં અનેક જોખમો છે, પણ અલ્ટીમેટલી તેમ છતાં વીજળી ઉત્પાદનના વિકલ્પ તરીકે તે સૌથી સરળ માર્ગ છે.

સરકાર એટલે ન્યૂક્લિઅર માર્ગે આગળ વધી રહી છે, પણ જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે તે તરફ ફરીથી વિચારણા થાય છે. દેશમાં મહારાષ્ટ્રના જેતપુર ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો વિરોધ સ્થાનિક લોકોએ ખૂબ કર્યો હતો. એ રીતે તમિલનાડુના કોન્ડાકુલ્લમ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો પણ વિરોધ સ્થાનિકોએ કર્યો છે. બંગાળ સરકારે એ રીતે કેન્દ્ર સરકારની ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ સ્થાપવાની માંગને ઠુકરાવી છે. સુપ્રિમ કોર્ટમાં પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઈલ થઈ હતી કે જ્યાં સુધી ન્યૂક્લિઅર પ્લાન્ટમાં સુરક્ષાના માપદંડને યોગ્ય ન હોય ત્યાં સુધી મંજૂરી આપવી નહીં અને તે માટે નિષ્ણાતોની સમિતિને કામ સોંપવું. જો કે સુપ્રિમ પોતાની પાસે આ અંગે કોઈ જ નિષ્ણાત નથી તેમ કહીને સરકાર પર પૂરો મામલો છોડી દીધો છે.

આ પૂરું ચિત્ર જોતાં તો ન્યૂક્લિઅરનું જોખમ મસમોટું હોવા છતાં સરકારને તે જ સૌથી સરળ લાગવાનું છે અને તેનો અમલ આપ્યા સમય કરતાં વધુ ઝડપથી થાય તો નવાઈ નહીં.

e.mail : kirankapure@gmail.com 

Loading

22 April 2022 admin
← બોરિસભાઈ માટે ખાસ કવિતા
બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved