Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિયમગીરીની ‘પ્રફુલ્લ’તાનું રહસ્ય

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|5 May 2017

નક્સલવાદની સમસ્યા વકરતી જાય છે ત્યારે અફસોસ કે દેશના આદિવાસી વિસ્તારો નિયમગીરી જેટલા લકી નથી!

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે પોતાના કાર્યકાળ દરમિયાન નક્સલવાદને રાષ્ટ્રની આંતરિક સુરક્ષા સામેનો નંબર વન પડકાર ગણાવ્યો હતો. મનમોહનસિંહની આ વાત આજે પણ સાચી છે, જેનો પુરાવો થોડા દિવસ પહેલાં જ છત્તીસગઢમાં મળ્યો. સુકમા વિસ્તારમાં નક્સલીઓના કરપીણ હુમલામાં 25 સી.આર.પી.એફ.ના જવાનોએ પોતાના પ્રાણ ન્યૌછાવર કરવા પડ્યા. નક્સલવાદીઓ દ્વારા આચરવામાં આવતી હિંસાનો કોઈ બચાવ ન હોઈ શકે. સમગ્ર વિશ્વમાં મોટા ભાગના સામ્યવાદી-માર્ક્સવાદીઓએ હિંસાચાર છોડ્યો છે. બંદૂક છોડીને બેલેટનો (મત-ચૂંટણી) માર્ગ અપનાવ્યો છે, છતાં કેટલાંક તત્ત્વો દ્વારા આજે પણ હિંસાને ત્યજી શકતા નથી. નક્સલવાદ પેદા થવાનાં ચોક્કસ કારણો છે, છતાં તેના નામે ચાલતી હિંસાને વાજબી ઠેરવી શકાતી નથી. નક્સલવાદી હિંસાનો ભોગ આખરે તો નિર્દોષ આદિવાસી લોકો જ બનતા હોય છે. આદિવાસીની સમસ્યાઓ અને મૂંઝવણો-ગૂંગળામણોનો ઉકેલ આપણે આઝાદીના સાત દાયકા પછી પણ લાવી શક્યા નથી, એ વાસ્તવિકતા જ નક્સલવાદની આગને ભડકાવ્યે રાખે છે. અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને સુરક્ષા સલાહકારો પણ અનેક વાર કહી ચૂક્યા છે કે નક્સલવાદ એ માત્ર સુરક્ષાનો જ મુદ્દો નથી અને એટલે જ સૈન્ય કાર્યવાહી થકી એનો ઉકેલ આવી જશે, એવું માનનારા હંમેશાં ખોટા જ પડ્યા છે.

દેશમાં એક તરફ નક્સલવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે તો બીજી તરફ એવા સમાચાર મળી રહ્યા છે કે ઓડિશાના નિયમગીરી પર્વતમાળાના આદિવાસીઓના અધિકાર અને પર્યાવરણ સુરક્ષા માટે મથનારા પ્રફુલ્લ સામંત્રાને ગ્રીન નોબેલ ગણાતો વિશ્વવિખ્યાત ગોલ્ડમેન એન્વાયર્નમેન્ટલ પ્રાઇઝ નામનો એવોર્ડ જાહેર કરાયો છે. પ્રફુલ્લ સામંત્રાને મળેલું બહુમાન સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે. જો કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાયેલા પ્રફુલ્લભાઈની પ્રવૃત્તિ અને સંઘર્ષમાં જ ક્યાંક નક્સલવાદના ઉકેલના સંકેતો પણ પડેલા છે, જેના પર સમગ્ર દેશે અને ખાસ કરીને નક્સલવાદનો સામનો કરતાં રાજ્યોએ નજર નાખવા જેવી છે.

65 વર્ષના પ્રફુલ્લ સામંત્રા કઈ રીતે પર્યાવરણ સંરક્ષક બન્યા તેની કહાણી રસપ્રદ છે. પ્રફુલ્લભાઈના જ જણાવ્યા મુજબ તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમને ન તો ભણવું ગમતું હતું કે ન પિતાને ખેતરમાં મદદ કરવી. તેમને તો બસ નિયમગીરીની હરિયાળી સૃષ્ટિ સાથે ગેલ-ગમ્મત પસંદ હતા. તેઓ જ્યારે મોટા થયા ત્યારે તેમણે જોયું કે પોતાના વિસ્તારમાં ધીમે ધીમે ઉદ્યોગોએ ધામા નાંખવા માંડ્યા છે અને તેને કારણે આસપાસની સૃષ્ટિને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે. સામાન્ય લોકો જેને વિકાસ તરીકે જોતા હતા, તેનાથી તો સમાજમાં અમીર-ગરીબ વચ્ચે ખાઈ વધતી જતી હતી. એમાં ય અંતરિયાળ વિસ્તારના શિક્ષણ-સુવિધાઓથી વંચિત આદિવાસીઓ તો ઓશિયાળા બનીને જ રહી જતા હતા. આદિવાસીઓના અધિકારોનું હનન થતું હતું તો સામે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું હતું. આખરે તેમણે આ મામલે પોતાના ડોંગરિયા કોંડ આદિવાસી સમુદાયને જાગૃત કરીને વિકાસના નામે ચાલતું સૃષ્ટિનું શોષણ અટકાવવાનું બીડું ઝડપ્યું.

ઓડિશા રાજ્યની નિયમગીરીની પહાડીઓ જૈવિક વિવિધતાનું કેન્દ્ર ગણાય છે. આ પહાડીઓ પર અનેક ઔષધીય વનસ્પતિઓ પેદા થાય છે અને દુર્લભ પશુ-પંખીઓ અહીં વાસ કરે છે. જો કે, અહીંના લાંજીગઢમાં બ્રિટનની વેદાંતા કંપનીએ ખાણનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું હતું. પ્રફુલ્લભાઈની સંસ્થા લોક શક્તિ અભિયાન સંગઠન દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ થયો અને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આખરે પર્યાવરણ મંત્રાલય થકી આ પ્રોજેક્ટને નામંજૂર કરાવવામાં સફળતા હાંસલ કરી છે. સુપ્રીમ કોર્ટે 2013માં આદિવાસીઓને આ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો. 2015માં 12 ગ્રામ પંચાયતોમાં આ અંગે જનમત સંગ્રહ લેવાયો અને આદિવાસીઓએ એક સૂરે આ પ્રોજેક્ટની વિરુદ્ધ મતદાન કરતાં વેદાંતાએ પોતાની એલ્યુિમનિયમ રિફાઇનરીનો પ્રોજેક્ટ સદંતરપણે બંધ કરી દેવો પડ્યો. આ કેસ માટે તેમણે લોકજાગૃતિની સાથે સાથે કોર્ટકાર્યવાહીમાં આશરે એક દાયકા કરતાં વધારે સંઘર્ષ કરવો પડ્યો.

વકીલાતનો અભ્યાસ કરનારા પ્રફુલ્લભાઈએ પોતાના આદિવાસી બંધુઓ અને પર્યાવરણની વકીલાત કરવાનું પસંદ કર્યું અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાય છે. કાશ, દરેક આદિવાસી વિસ્તારને પ્રફુલ્લભાઈ જેવા કાયદાથી લડનારા સંઘર્ષવીર મળે, કાયદો હાથમાં ઝાલનારા નહીં અને સાથે એવી પણ કામના કરીએ કે આદિવાસીના અધિકારો કે પર્યાવરણ સુરક્ષા માટે લડનારાઓને નક્સલવાદી કે દેશવિરોધી અને વિકાસવિરોધી ગણવાની માનસિકતા પણ બદલાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 3 મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

(તસવીર સૌજન્ય : ગોલ્ડમેન પ્રાઇઝની અધિકૃત વેબસાઈટ)

સૌજન્ય : http://samaysanket.blogspot.co.uk/2017/05/PrafullaSamantara.html

Loading

5 May 2017 admin
← ગરમીથી નહીં, ગરીબીથી મરે છે લોકો
પહલુખાનના પરિવારની મુલાકાત →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved