Opinion Magazine
Number of visits: 9446626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીંભર સરકારોના રાજમાં આત્મનિર્ભર થવાનો પડકાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 May 2020

“કોરોના-કોરોના કરીને ઘરમાં બહુ જ રહી લીધું, હવે કામધંધે વળગો” – એ મતલબના શબ્દો, એક અખબારી મુલાકાતમાં,  ગુજરાતના જુનિયર ચીફ મિનિસ્ટરે હજુ તો ત્રીજું લૉક ડાઉન ચાલતુ હતું ત્યારે કહ્યા હતા. આ મહાશયે મોદી-અમિત શાહ સામે રિસામણે બેસીને જે ‘ખાતાં’ મેળવ્યાં હતાં, તેમાંનું એક આરોગ્ય ખાતું છે. તેમના હસ્તકના આરોગ્ય ખાતાનાં ભોપાળાં અને બિનકાર્યક્ષમતા રોજેરોજ ઉજાગર થઈ રહ્યાં છે. તેનાથી લાજવાને બદલે તેઓ વેપારમંત્રીનો રોલ નિભાવતા કંઈક એમ કહે છે કે ઘરમાં બહુ રહી લીધું, હવે કામધંધે વળગો.

તુકબંધી કિગ પ્રધાનસેવકે ૧૭મી મે પછીનું ચોથું લૉક ડાઉન નવા રંગરૂપનું હશે, તેમ જે જણાવ્યું હતું, તે હવે દેખાઈ રહ્યું છે. અગાઉના એકેય લૉક ડાઉન અંગે કોઈને વિશ્વાસમાં ન લેનાર વડાપ્રધાને આ વખતે રાજ્યોને સત્તા આપીને તેનો રંગ દર્શાવ્યો છે. તે કેવું રૂપ લેશે તે ભા.જ.પા.શાસિત રાજ્યોની આ મુદ્દે જોવા મળેલી અકર્મણ્યતાથી સ્પષ્ટ થયું છે. ગુજરાતની નબળી રાજકીય નેતાગીરી અને અતિ નબળી બાબુશાહી દિલ્હીના આકાઓ તરફ મોં માંડીને બેઠી હતી. એટલે ૧૭મી મેના દિવસે ત્રીજું લૉક ડાઉન પૂરું થયા પૂર્વે ચોથા લૉક ડાઉનના નીતિ નિયમોની જાહેરાત થવી જોઈતી હતી, તે ૧૮મીએ રાત્રે અને તે પણ અડધીપડધી થઈ છે. છૂટછાટો જાહેર કરવી, પણ ઝોન પ્રમાણે વિસ્તારોની નવી યાદી ૧૯મી તૈયાર થશે, એમ કહેવાથી લોકોને કેટલી મુશ્કેલી પડશે અને કેવી અંધાધૂંધી સર્જાશે, એનો લોકોને કામધંધે વળગાવવા અધીરા રાજકારણીઓને અંદાજ ન હોય તે તો સમજાય, પણ વહીવટી તંત્ર પણ આવું કરી શકે ?

ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. ચોથા લૉક ડાઉનમાં પૂર્વ અમદાવાદમાં તાળાબંધી અને પશ્ચિમ અમદાવાદને છૂટછાટોનો નિર્ણય કેટલો તાર્કિક છે અને કેટલો રાજકીય તે સવાલ ઊઠે છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાની અધવચ બદલી પણ સવાલો જન્માવે છે. નહેરા પી.એમ.-સી.એમ.ના પ્રીતિપાત્ર હોવાનું કહેવાય છે. તેમ છતાં એગ્રેસીવ ટેસ્ટિંગના તેમના વાજબી વલણે અમદાવાદમાં કેસોની સંખ્યા વધારી. તેથી દિલ્હી અને ગાંધીનગર નારાજ થયું એટલે એમણે જવું પડ્યું — એવી લોકલાગણી જો સાચી હોય તો ચિંતાજનક છે. વડી અદાલતે ખાનગી હૉસ્પિટલોની કોરોના સારવારની બેફામ ફી અંગે સુઓ મોટો નોંધ લીધી, તે પછી રાજ્ય સરકારને ફી નિર્ધારણ કરવું પડ્યું કે દેશી બનાવટનાં ‘ધમણ’ વેન્ટિલેટરની કોરોના સારવારમાં બિનઉપયોગિતાનો વિવાદ પણ સરકારને આરોપીના પિંજરામાં ખડી કરવા પૂરતો છે.

ગુજરાતમાં પરપ્રાંતીય શ્રમિકોને વતનવાપસી માટે એકાધિક વાર અને એકાધિક શહેરોમાં હિંસક બનવું પડ્યું છે. તે સરકારની – વહીવટીતંત્રની અસંવેદનશીલતા અને અકાર્યક્ષમતા દર્શાવે છે. અમદાવાદના ગુજરી બજાર પાસે ભૂખ્યા શ્રમિકો હોવા અંગેના અંગ્રેજી અખબારોના અહેવાલો પરથી હાઈકોર્ટે સુઓ મોટો હુકમ કરવો પડ્યો હતો. અદાલતે તેના અતિ સૌમ્ય ચુકાદામાં, સરકારની રોજિંદી કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાના ઈન્કાર સાથે “ગરીબો કોરોનાથી નહીં એટલા ભૂખથી પરેશાન છે, લોકો ભૂખથી ટળવળે છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે” એવી ટિપ્પણી કરી છે તે સરકાર સામેનું આરોપનામું કે અવિશ્વાસની દરખાસ્ત બરાબર છે. અમદાવાદની હજારેક બેડની સરકારી કોવિડ હોસ્પિટલમાં દરદીનાં કુટુંબીજનોને દરદીની ભાળ ન મળતાં પોલીસ ફરિયાદો કરવી પડે કે નધણિયાતી લાશો મળે અને દરદીનાં મરણના સમાચાર ના મળે કે મોડેથી મળે તે દર્શાવે છે કે સાડા છ કરોડના ધણી થઈને ફરવાનો દાવો કરતા ભા.જ.પ.શ્રેષ્ઠીઓની હેસિયત કોરોનાની મેડિકલ ઈમરજન્સીમાં હજાર દરદીઓને ઢંગથી સાચવવાની પણ નથી.

અરવિંદ કેજરીવાલ સવાયા મોદી બનવા જઈ રહ્યાનું અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, સી.એ.એ.-એન.આર.સી. વિરુદ્ધના આંદોલન વખતે જે જોવા મળેલું, તે કોરોનાકાળમાં વધુ દૃઢ થયું છે. એમનાં બહુ ગાજેલાં મહોલ્લા કિલિનિક્સ અને આરોગ્યનાં કામોને કોરોનાએ ઉઘાડા પાડી દીધા છે. બાકી હતું તે પરપ્રાંતીયની સાચવણીમાં દેખાયું અને હવે બધું જ ‘ખૂલ જા’નું તેમનું વલણ અને લોકો પાસે પાંચ લાખ સૂચનો મંગાવ્યાનો દેખાડો તેમને ખંધા રાજકારણી પુરવાર કરે છે. કૉન્ગ્રેસસહિતની રાજ્ય સરકારોએ સ્થળાંતરિત કામદારોની જે વલે કરી છે અને પછી શ્રમ કાયદામાં માલિકોને અનુકૂળ સુધારા કર્યા, તેનાથી આવનારા દિવસો ગરીબો અને શ્રમિકો માટે કપરા હશે. કર્ણાટકે પાડોશી રાજ્યોની સરહદો સીલ કરી, વધુ કેસવાળા ગુજરાત જેવા રાજ્યના નાગરિકોને પ્રવેશબંધી કરી તે તો હદ વટાવનારું અને રાજ્યોની સીમાઓને સરહદ બનાવી દેનારું પગલું છે. આ સંજોગોમાં નાગરિકે ખુદે સાજાનરવા રહીને લોકતંત્રનું રખવાળું પણ કરવાનું છે. નીંભર સરકારોના યુગમાં કોરોના સામે આત્મનિર્ભર બનવાનો પડકાર મોટો છે. પણ અશક્ય નથી.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020

Loading

19 May 2020 admin
← કામદારો માટે કોરોના કરતાં લૉક ડાઉન બદતર છે
લોકડાઉનમાં લોકો (ગો)ડાઉન? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved