Opinion Magazine
Number of visits: 9450985
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારીને અબળા ગણનાર નાદાન ગણાય

દીપક સોલિયા|Opinion - Opinion|28 April 2019

હિમાલયમાં એક મજૂર રહેતો હતો. એનો અનુભવ એવો હતો કે જો તમે નર રીંછ સામે રાડો પાડો તો એ મોટે ભાગે જતું રહે છે, પરંતુ માદા રીંછ સામે જો તમે રાડ પાડી તો તમે મૂઆ સમજો. એ તમને પીંખી નાખે, ફડી નાખે.

એ મજૂરની આ વાત પરથી સાહિત્યકાર રુડયાર્ડ કિપ્લિંગે એક કવિતા રચી, જેમાં એમણે લખ્યું, ફિમેલ ઓફ ધ સ્પીશીઝ ઈઝ મોર ડેડલી ધેન મેલ. અર્થાત્, આ (રીંછ) જાતિમાં નર કરતાં માદા વધુ ખતરનાક (ડેડલી) હોય છે.

અસલમાં આ વાત પ્રાણીઓની બધી જાતિને લાગુ પડે છે. એમાં માણસજાત પણ આવી જાય.

હા, પુરુષો ગુસ્સો કરે (વધુ કરે), પુરુષો હિંસક બને (વધુ બને), છતાં વધુ ‘ખતરનાક’ કોણ? તો એના જવાબમાં સ્ત્રી જ કહેવું પડે. ખતરનાક એ રીતે કે એક વાર જો એ વિફરે તો પછી એને આસાનીથી શાંત પાડી શકાતી નથી.

એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી … ઉસકે બાદ તો મૈં ખુદ કી ભી નહીં સુનતા, એવું ફિલ્મ વોન્ટેડમાં સલમાન ખાન કહે છે અને સલમાન ખાન પુરુષ છે અને પુરુષોમાં પણ મક્કમતા-અડીખમતા હોઈ શકે … બધું સાચું, પણ વાત જ્યારે વિફરવાની આવે, ત્યારે સ્ત્રીઓ પુરુષોને અને ઓવરઓલ બધાં પ્રાણીઓની માદાઓ નરને પાછળ છોડી શકે. એટલે જ તો વિફરેલા વાઘ કરતાં વિફરેલી વાઘણ અને ઝેરીલા નાગ કરતા ઝેરીલી નાગણ વધુ પ્રચલિત શબ્દપ્રયોગ છે.

ચૂંટણીનાં માહોલમાં આ બધું યાદ આવવા પાછળનું કારણ બે નાની ઘટના છે. પહેલી ઘટના એ કે ગુજરાતમાં મતદાનના આગલા દિવસોમાં અચાનક કચ્છના એક રાજકારણીના જીવનમાંની બે મહિલાઓ વચ્ચેનો ઝઘડો વાઈરલ બન્યો. બીજી ઘટના એ કે સદગત કોંગી નેતા એન.ડી. તિવારીના દીકરાને એની પત્નીએ ગૂંગળાવીને મારી નાખ્યો હોવાના અહેવાલો ચગ્યા. આ બંને ઘટનાના પ્રકારો અને પ્રભાવો ભલે ઘણા જુદા છે, પરંતુ મૂળ વાત સ્પષ્ટ છેઃ નારીને અબળા ગણીને અવગણવી નહીં. એ અબળા નથી. એ ગમે ત્યારે ભારે પડી શકે, ખૂબ ભારે પડી શકે.

ખાતરી ન થતી હોય તો કેટલાંક જાણીતાં ઉદાહરણો યાદ કરીએ.

ઇંદિરા ગાંધીએ દુનિયાની પરવા કર્યા વિના બાંગ્લાદેશને પાકિસ્તાનથી તોડીને છૂટું કરી દીધેલું અને દેશની પરવા કર્યા વિના કટોકટી લાદેલી. સોનિયા ગાંધીએ એક વાર નક્કી કરી લીધું કે વડાં પ્રધાન નથી બનવું, પછી એમને કૉન્ગ્રેસીઓની કાગારોળ અને કાકલૂદીઓ ડગાવી શકી નહોતી. એ અગાઉ સુષ્મા સ્વરાજે જાહેર કરેલું કે જો સોનિયા ગાંધી દેશનાં વડાં પ્રધાન બનશે તો એ (સુષ્માજી) મુંડન કરાવશે. અલબત્ત, પછી સોનિયા ગાંધી વડાં પ્રધાન ન બન્યાં એ જુદી વાત છે, બાકી જો એ બન્યાં હોત તો શક્ય છે કે સુષ્માજીએ મુંડન કરાવ્યું પણ હોત (એમાં નેતાઓની ટિપિકલ જાડી ચામડી કે અભી બોલા અભી ફોકની નીતિ કદાચ વચ્ચે આડી ન હોત).

એ જ રીતે, પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા કરુણાનિધિને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં પૂરવાનો જોખમી નિર્ણય જયલલિતા અમલમાં મૂકાવીને જ ઝંપ્યાં હતાં. મમતા બેનરજીની મમતના કિસ્સા અનેક છે. માયાવતીએ કાંશી રામ પર કબ્જો જમાવી રાખવા માટે એમને હોસ્પિટલમાં કેવી રીતે ‘કેદ’ કરી રાખેલા એના વર્ણનો આપણે વાંચી ચૂક્યા છીએ.

ટૂંકમાં, સ્ત્રીહઠ આકરી હોય છે.

આપણે ત્યાં પ્રચલિત છાપ એવી છે કે આદર્શ હિન્દુ નારી ત્યાગ અને સહિષ્ણુતાની મૂર્તિ હોય છે. વાત સાચી છે. નારીમાં ત્યાગ, સમર્પણ, નિષ્ઠા, ચીવટ, સહિષ્ણુતા વગેરે જેવાં અનેક ગુણો ઠાંસીઠાંસીને ભરેલાં હોય છે, પરંતુ આ તો સિક્કાની એક બાજુ થઈ. નારીની બીજી બાજુ એ છે કે સ્ત્રીઓ બધી વાતે બધું જ ચલાવી લેવા જેટલી ‘સહિષ્ણુ’ નથી હોતી. એ પગલૂછણિયું નથી હોતી. એ વળી શું કરી લેશે એવા મિથ્યા ગુમાનમાં રાચનારા પુરુષો નાદાન હોય છે.

જૂની ફ્લ્મિ ‘વક્ત’માં વિલન મદન પુરી ચાકુ કાઢે છે ત્યારે રાજ કુમાર એનું જ ચાકુ બંધ કરીને એને પાછું આપતાં કહે છેઃ ‘જાની, ઇસે ચાકુ કહતે હૈ. લગ જાયે તો ખૂન નિકલ આતા હૈ.’ એમ સ્ત્રીઓને પગની ધૂળ કે અબળા કે ફ્ક્ત ઉપભોગનું સાધન ગણતાં પુરુષોએ એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે ‘જાની, ઇસે ઔરત કહતે હૈ. ભીડ જાયે તો ધૂલ ચટા દેતી હૈ.’

કુદરતે સ્ત્રીને ઘડી છે જ એવી. માનવજાત પેદા થઈ ત્યારથી આજ સુધી, બાળકોનું રક્ષણ કરવાથી માંડીને આહાર, આવાસ અને એવી બધી મૂળભૂત બાબતોને આવેશપૂર્વક જકડી રાખવાની જવાબદારી સ્ત્રીએ નિભાવી છે. ભલું થજો સ્ત્રીઓનું કે કેટલીક બાબતોમાં એ પઝેસિવ હોય છે, ઇમોશનલ હોય છે, નોન-નેગોશિયેબલ હોય છે, સમાધાન કર્યા વિના ઝઝૂમી લેવાનો જુસ્સો ધરાવતી હોય છે. મારા બાળકના હિતની આડે કોઈ આવ્યું તો હું એને છોડીશ નહીં … આવો આપણી માતાઓનો જે જુસ્સો છે એના જોરે આપણે એકદમ સુરક્ષિત અને હૂંફાળું બાળપણ ભોગવી શકીએ છીએ એ હકીકત જગતનાં તમામ સંતાનોએ યાદ રાખવા જેવી છે.

ટૂંકમાં, સ્ત્રીઓ જો આવી આકરી કે ખતરનાક કે જેવી કહીએ તેવી ન હોત તો માનવજાતિ પણ ડાયનોસોરની માફ્ક આ પૃથ્વી પરથી ક્યારની છૂ થઈ ચૂકી હોત.

માટે, સમગ્ર પુરુષજાતે સમગ્ર સ્ત્રીજાતને ફ્ક્ત ત્યાગ અને સહિષ્ણુતા બદલ જ નહીં, પરંતુ ‘ખતરનાક’ બની રહીને માનવજાતને ટકાવી રાખવામાં ભજવેલી મહત્ત્વની ભૂમિકા બદલ થેંક્સ કહીને એક કડક ફૌજી સલામ કરવી જોઈએ.

facebook .com / dipaksoliyal

સૌજન્ય :  ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 ઍપ્રિલ 2019

Loading

28 April 2019 admin
← સૅક્સ ટુરિઝમ ટ્રેડ વિશે
હવે એક પણ રાજકીય પક્ષને બિમાર નર્મદા મૈયાનાં ખબર અંતર પૂછવાની પડી નથી ! →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved