Opinion Magazine
Number of visits: 9451229
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિક, પાપપુણ્યની બારીમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 February 2017

દેશનું એકંદર ચિત્ર, રાજકીય દિશાવિવેક, પરિવર્તન અને પ્રગતિની રાજનીતિમાં ગતિરોધ, આ બધાં વિશે સટીક કહેવાનું કદાચ અગિયારમી માર્ચનાં પરિણામો સાથે જ સવિશેષ તો બનશે. ખાસ કરીને, અગાઉનાં બિહારનાં પરિણામોની જેમ ઉત્તર પ્રદેશનાં પરિણામો એકંદરે હિંદી પટ્ટામાં ભાજપની હાજરીની દૃષ્ટિએ મહત્ત્વનાં બની રહેશે. પંજાબ અને ગોવા કૉંગ્રેસના નવજીવન અને આપની આગેકૂચ બાબતે અનુમાનના સંદર્ભમાં જોવાં રહેશે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ધાર્યું પરિણામ ન મેળવી શકે, અગર તો પંજાબ-ગોવા જેવામાં આપના નવપ્રવેશ અને કૉંગ્રેસના નવજીવનના સંકેતો મળે તો એથી રાષ્ટ્રીય રાજકારણમાં સત્તાપક્ષ-વિપક્ષના સંતુલનની એક ચોક્કસ ભૂમિકા જરૂર બની શકે અને એટલા પૂરતા આપણે નાગરિક તરીકે આશ્વસ્ત પણ રહી શકીએ.

પરંતુ, આ પ્રકારની આશ્વસ્તતા થકી નાગરિક છેડે જો આસાએશનો ભાવ ઝમવાનો હોય તો સરવાળે આપણે ઘેનગાફેલ ઠરીશું. કારણ, આપણે જેમને સામસામા પક્ષો તરીકે જોઈએ છીએ – અને તે પૈકી જે તે સત્તાપક્ષને સ્વાભાવિક જ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે ગણીએ છીએ – તે સરવાળે તો એક તાત્પૂરતી સમજ છે. જેઓ સામસામા લેખાય છે, અને એ ધોરણે આપણે એકની તરફેણ કે બીજાનો વિરોધ કરીએ છીએ તેઓ પ્રસંગે એક આખા વર્ગરૂપે અવિનાભાવીપણે ઉભરી રહે છે.

ગુજરાત પિયુસીએલે ચૂંટણીસુધારા સબબ હાલ જે ચર્ચા ફેરજગવી છે તે આ સંદર્ભમાં લક્ષમાં લેવા જોગ છે. મનમોહનસિંહ બચાડા રેઈનકોટબદ્ધ સ્નાનશુદા હતા તો હતા; નમો ભાજપે પણ હજુ સુધી તો સઘળા રાજકીય પક્ષો આરટીઆઈ અંતર્ગત આવે તે માટે કોઈ પહેલ કર્યાનું આપણે જાણતા નથી. જેવું ને જેટલું પણ આરટીઆઈ પગલું છે તે કૉંગ્રેસ-યુપીએની ભેટ છે એ મુદ્દામાં જરૂર ન જઈએ. અંતે તો હેમનું હેમ હોય એ મુદ્દા પર વધુ ભાર જરૂર આપીએ. પિયુસીએલ અને માહિતી પહેલે હાથ ધરેલ ચર્ચામાં આ દિવસોમાં જે એક વિગત અધોરેખિતપણે બહાર આવી છે તે નમૂના દાખલ સંભારી લઈએ : દેશ બહારનાં નાણાં અંગેનો જે કાયદો રાજકીય પક્ષોના સંદર્ભમાં થયેલો છે તેમાં ૨૦૧૬માં નમો શાસન હસ્તક પશ્ચાદ્‌વર્તી ધોરણે સુધારો કરવામાં આવ્યો છે. આ પશ્ચાદ્‌વર્તી સુધારાનું રહસ્ય એ હકીકતમાં પડેલું છે કે કૉંગ્રેસ અને ભાજપ બંને યુકેમાં નોંધાયેલ ‘વેદાન્ત’ની દેશી સબ્સિડિયરીઝના લાભાર્થી હતાં અને એ નાતે નસિયતપાત્ર હતાં.

નોટબંધીનો સવાલ લો. આર્થિક રીતે ૨૦૧૬નો એ સૌથી મોટો સ્કેમ હતો, એવું એક માર્મિક અવલોકન પૂર્વનાણાંમંત્રી ચિદમ્બરમ્‌નું છે. પણ આ ક્ષણે અહીં નોટબંધી નીતિના જમાઉધારમાં નહીં જતાં કરવા ધારેલો ઊહાપોહ એ વાતે છે કે ચાલુ ચૂંટણીપ્રચાર જોતાં કોઈ પણ રાજકીય પક્ષને નોટબંધીને કારણે મુશ્કેલી પડ્યાનું જણાતું નથી. તે સૌ ભર્યા ભંડારના ધરાર ધણી હમણાં તો દેખાય છે.

આનો અર્થ નાગરિક છેડેથી એ થયો કે ચાલુ રાજકારણ તમને ને મને હૃીયમાન ન કરી મેલે તે વાસ્તે આપણે બે ધાગેથી કામ લેવું રહે છે. એક ધાગો ચાલુ વિકલ્પો વચ્ચેની માથાકૂટનો છે તો બીજો સમગ્ર રાજકીય શાસકીય અગ્રવર્ગ કેવી રીતે એક જેવો ચાલે છે અને એક પા તે સૌ અને બીજી પા આપણ સૌ એવો ઘાટ બની રહે છે એ અંગે સભાન સતર્ક મથામણનો છે.

નાગરિક જેનું નામ એની નિયતિ પાપપુણ્યની આ બારીમાંથી પસાર થવાની છે, હતી અને રહેશે.

ફેબ્રુઆરી ૧૩, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 01

Loading

21 February 2017 admin
← દેશપ્રેમીઓ, આ કોયડાનો જવાબ આપશો?
શિવાજીના ખોટ્ટાડા જન્મદિનની ઉજવણી →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved