Opinion Magazine
Number of visits: 9446371
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં…

સુમન શાહ|Opinion - Opinion|22 April 2020

= = = = નિરાશાવાદી ભાસે પણ સત્ય લગી દોરી જાય એવા સુ-ગમ્ભીર સાર્ત્રની આ વાતોને વર્તમાન કોરોના-હોનારત સાથે જોડીએ તો = = = =

= = = = મનુષ્ય આવી અકળ અકલ્પનીય અનિશ્ચિતતામાં આ પહેલાં ક્યારે ય સપડાયો નથી = = = =

આ મહામારીનો કોઈ ઉકેલ જણાતો નથી. એને કુદરતી હોનારત ગણવી કે મનુષ્યજાતિની પ્રકાર પ્રકારની આડોડાઈઓમાંથી જનમેલું મહાસંકટ ગણવું?

કોરોના નામનો આ સર્વેસર્વા અદૃશ્ય છે, સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન પણ છે, કેમ કે પ્રાણ હરી લેતાં એને કશી વાર નથી થતી.

એના પ્રતાપે ચોપાસ અનિશ્ચિતતાઓ ડાચાં ફાડીને ઘુરકી રહી છે : લૉકડાઉન (‘લોક’ડાઉન લખે છે તે લખનારા ય સાચા તો છે – કેમ કે ‘લોક’ સમસ્ત ડાઉન છે !) ક્યારે પતશે? એને આગળ ધકેલાશે કે કેમ? યાતાયાત ક્યારે શરૂ થશે, એક શ્હૅરથી બીજે શ્હૅર વ્હાલાંને મળવા ક્યારે જવાશે? ફ્લાઇટ્સ ક્યારે? વિદેશે સ્વજનો પાસે પ્હૉંચાશે ક્યારે? અને આ મહામહિમ કોરોના ધરતી પરથી વિદાય લેશે ક્યારે? કશું જ નક્કી નથી. મનુષ્ય આવી અકળ અકલ્પનીય અનિશ્ચિતતામાં આ પહેલાં ક્યારે ય સપડાયો નથી.

એટલે ઘરમાં રહ્યે રહ્યે મારાથી તો એક જ જગ્યાએ જવાય છે – સાહિત્યકલાસંસારમાં. પણ આજે મને થયું કે લાવો, મહાન તત્ત્વવેત્તાઓએ એમનાં ચિન્તનમાં કુદરતી કે મનુષ્યસર્જિત હોનારત વિશે શું કહ્યું છે તે જાણું. આજે એ અંગે, મેં જાણ્યું સાર્ત્ર પાસેથી; આ પ્રમાણે :

ઘણાઓને સાર્ત્ર નિરાશાવાદી ચિન્તક લાગ્યા છે. એમનાં મન્તવ્યો પણ ગહન હોય છે. ‘નૉસીઆ’ નવલકથામાં એક વિધાન છે : છે એ દરેક વસ્તુના જન્મને કોઈ કારણ નથી, નબળાઈને લીધે એ વિસ્તરીને ટકી જાય છે, અને બાય ચાન્સ, મરી જાય છે : ‘ઇન કૅમેરા’ નાટકમાં એક વાક્ય છે : હેલ ઇઝ અધર પીપલ – બીજા જન તમારું નર્ક છે : ઉપરાન્ત, એમના બધાં પ્રારમ્ભિક મન્તવ્યો પણ ઘણાને અસાધારણ લાગેલાં. જેમ કે – આપણે ઈશ્વર વગરની દુનિયામાં વસીએ છીએ – વિશ્વ અર્થવિહીન છે – આપણે સ્વતન્ત્ર છીએ પણ એ શાપ છે.

ફ્રાન્સના આત્માના 'વૉલ્ટેર' કહેવાયા તે સાર્ત્ર

સાર્ત્ર સરવાળે તો એમ કહેવા માગે છે કે બધા અર્થ કે બધાં મૂલ્યો માણસે સરજ્યાં છે. આપણને મળેલી સ્વતન્ત્રતા ભલે શાપિત છે પણ એ સ્વતન્ત્રતા તો છે જ. એટલે, આપણે જે કરવું હોય એ કરી શકીએ છીએ બલકે વિશ્વને બદલી પણ નાખી શકીએ. વાતનો મતલબ શું? એ જ છે કે વિશ્વ આજે જેવું છે એ માટે જવાબદાર કોઈ હોય તો તે આપણે જ છીએ. યુદ્ધો ભૂખમરો શોષણ કે દમન માટે જવાબદાર કોઈ હોય તો તે આપણે જ છીએ.

સાર તો સાર્ત્ર એ પકડાવે છે કે એ સ્વતન્ત્રતાને સુખિયાની જેમ ન ભોગવ્યા કરો, પણ એને એક ‘ઍન્ગ્વિશ’ એટલે કે પીડા અથવા, દેસીમાં કહું તો, 'કઢાપો' ગણીને ચાલો. કેમ કે સ્વતન્ત્રતાનું તો સમજ્યા પણ જવાબદારીઓ વૅંઢારવાને તો આપણે કેટલીયે વાર રાજી નથી હોતા, ઘણીયે વાર નામક્કર જઈએ છીએ – સાર્ત્ર એને ‘બૅડ ફેઇથ’ કહે છે.

હવે આ માણસને આપણે પૂછીએ કે કુદરતી હોનારત વિશે તમે અમને શું કહો, મિસ્ટર સાર્ત્ર; તો એઓ શું કહે, એ જાણવા જેવું છે. એમણે કહ્યું છે : ઇટ ઇઝ મૅન હું ડિસ્ટ્રોઇઝ હિઝ સિટીઝ થ્રુ ધી ઍજન્સી ઑફ અર્થક્વેક્સ – ધરતીકમ્પો દ્વારા પોતાનાં શ્હૅરોને નષ્ટભ્રષ્ટ કરનાર, માણસ છે.

અઘરું છે પણ મને અને તમને સમજાય એવું છે કે માણસો ન હોય તો ધરતીકમ્પની શી અગત્ય? ધરતીકમ્પ તો એક સાવ સ્વાભાવિક કુદરતી ઘટનાથી વધારે શું હોય છે? કંઈ નહીં ! આપણાં મલ્ટિ-સ્ટોરી બિલ્ડિન્ગ્સ, આપણા ટ્રાફિક્સ, આપણા સ્ટેટ હાઇ-વે ને નેશનલ હાઇ-વે, આપણી મૅટ્રોઝ, આપણી સુપર-ફાસ્ટ ટ્રેનો, આપણાં મૉલ્સ, આપણાં વિસ્તરી વિસ્તરીને એકાચાર થઈ રહેલાં નગરો – વગેરે વગેરે જે કંઇ આપણા પ્ર-ગતિકારી પ્રોજેક્ટ્સ છે એને હાનિ પ્હૉંચાડનારા ધરતીકમ્પોને જ હોનારત કહેવાય. એને ‘કુદરતી’ કહીએ છીએ ત્યારે આપણે એક મોટા કદના બૅડ ફેઇથની છતરી ઓઢી લીધી હોય છે.

નિરાશાવાદી ભાસે પણ સત્ય લગી દોરી જાય એવા સુ-ગમ્ભીર સાર્ત્રની આ વાતોને વર્તમાન કોરોના-હોનારત સાથે જોડીએ તો કેવોક બોધ લાધશે? સમજાય એવું છે.

પણ જવા દો, નહીં ફાવે, ગળે જલ્દી નહીં ઊતરે …

બાકી, અનિશ્ચિતતા જેવો જ મારી શેરીએ અસહ્ય સન્નાટો છે. સવાર તો ઠીક પણ બપોર અને સાંજ વચ્ચેનો ભેદ ભુંસાઈ ગયો છે. દિવસ દરમ્યાન એક કામની પાછળ બીજું લાઇનમાં આતુર ભાવે મને જોતું ઊભું જ હોય છે. રાત ક્યારે શરૂ થઈ જાય છે, નથી ખબર પડતી. ઊંઘી જવું પણ એક કામ હોય છે કેમ કે એ કામ ન કરીએ તો આવતીકાલનાં કામો રખડી પડે. આ મારી સામે છે તે શાળા બંધ છે. એની બંધ બારીઓ પાછળ જ્ઞાન કૅદ છે. એનાં કબાટોમાં પુસ્તકો સભ્યતાની મશ્કરી કરવાને ભેગાં બેસીને મરક મરક હસી રહ્યાં છે. વૃક્ષો પવનની રાહમાં અડગ ઊભાં છે. કેટલીયે કારો સૂમસામ બેઠી છે. બાઇકો કશું પણ બોલવા નથી માગતી. આ તો સન્નાટાના શ્હૅરનો એક સ્પેસિમૅન છે.

અને મારી શેરીનો કાગડો …

પણ આ જુઓ, એક કૂતરું લબડતી જીભે જલ્દી જલ્દી જઈ રહ્યું છે. એને શેની ઉતાવળ હશે? અને સાંભળો, ક્યાંક કાગડાએ ક્રા ક્રા કરી. અને, મને એ જીવ બહુ ગમ્યો …

= = =

(April 22, 2020 : Ahmedabad)

Loading

22 April 2020 admin
← કોરોનાનાં વ્યવધાનો બાદ
કેરળના અનુભવે શીખવું જોઈએ કે ખરું રોકાણ માનવમાં જ થઈ શકે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved