Opinion Magazine
Number of visits: 9446700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોટી પાનેલી : મામદની શોધમાં લીના મિશ્રા

દિલીપકુમાર એન. મહેતા|Opinion - Opinion|15 March 2022

‘ઇંડિયન એક્સપ્રેસ’ના જાણીતાં પત્રકાર લીના મિશ્રાએ મોટી પાનેલીની મુલાકાત લઈને મહમ્મદ અલી ઝીણાને યાદ કર્યા છે. પોરબંદરથી લગભગ 95 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલીના આઝાદ ચોકની નજીક, એક સાંકડી ગલીમાં, ઉભેલું ઝીણાબાપાનું 108 વર્ષ જૂનું  બે મજલી ઘર  હજુ આજે પણ અડીખમ ઊભું છે. જો કે એમાં થોડુંક સમારકામ – રિનોવેશન થયું હોય એવું લાગે છે. કાઠિયાવાડમાં  ત્યારે અટક બહુ ઓછી બોલાતી. ઝીણાભાઇ પૂંજાભાઈને લોકો માત્ર ઝીણા પૂંજા (એક વ્યાપારી પેઢી) તરીકે જ ઓળખતા. હા, ઝીણાભાઇ આપણાં કાયદે આઝમ મહમ્મદઅલી જીનાહના પિતાજી હતા. લોહાણા (ઠક્કર) હતા. વેપારના વિકાસ અર્થે ત્યારે કાઠિયાવાડના અનેક વેપારીઓ માતૃભૂમિ છોડીને મુંબઈ અને કરાચી જઈને વસેલા. ઝીણા બાપા એમાના એક હતા, જેઓ પણ ધંધાના વિકાસાર્થે  કરાંચી પહોંચેલા.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) દ્વારા તાજેતરમાં ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ નામક એક પ્રદર્શન યોજાયેલું, જેમાં ગુજરાતની 200 મહત્ત્વની વ્યક્તિઓમાં મહમ્મદઅલી જીનાહનું નામ – છબી જોવા મળેલ. છબીની નીચે લખેલું હતું, “A Barrister who was initially a staunch patriot, later the creater of  India’s partision on basis of religion.” (પ્રારંભમાં એક દેશભક્ત, અને પછીથી ધર્મના નામે રાષ્ટ્રને બે ભાગમાં વિભાજિત કરાવનાર બેરિસ્ટર.) ‘ઇંડિયન એક્સપ્રેસ’માં આ ફોટો અને લખાણ વિશેના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ આ છબી હટાવી લેવામાં આવેલી. જીનાહના ગુજરાતી મૂળ અને કૂળ એ એક માત્ર ફૂટનોટ છે, બાકી, એ સમયે ગુજરાતનાં અનેક વ્યાપારી પરિવારો મુંબઈ અને કરાચી બંદરે પહોંચેલા. એમના વ્યાપાર ધંધા માટે આ બે બંદરો ખૂબ મહત્ત્વના હતા. ઝીણાભાઇ એક સાથે ઘણી બધી વસ્તુઓના વેપારમાં માહિર હતા. કપાસ, ઊન, તેલીબિયાં, ચર્મ વ્યાપાર, વગેરે. સ્ટેનલી વોલપર્ટ એની કિતાબ ‘In Jinah of Pakistan: a biography of the leader’માં જણાવે છે, તેમ, એમનો ધંધો એટલો બધો ફૂલ્યો-ફાલ્યો કે બસ, નફો નફો જ મળતો રહ્યો, પરિણામે ઝીણબાપાએ મોટા પાયે નાણાં ધીરધારનો ધંધો શરૂ કર્યો. (જો કે ઇસ્લામમાં વ્યાજ–વટાવ નિષેધ છે).

મહમ્મદ અલીના દાદા, અને ઝીણા બાપાના પિતાજી, પૂંજા ભાઈ ઠક્કર વિષે એક વાયકા એ પણ છે કે એમણે અન્ય ચીજ વસ્તુઓના વેપાર સાથે મચ્છી વેચવાની પણ શરૂઆત કરેલી. ચુસ્ત વૈષ્ણવ સમાજનો દીકરો મત્સ્ય ઉદ્યોગમાં ઝુકાવે, એ વાત જાણીને સમગ્ર લોહાણા સમાજે એનો પ્રતિરોધ કર્યો. છેવટે સમાજના ત્રાસથી કંટાળીને પૂંજાભાઇએ ઇસ્લામ(ઇસ્લામ ધર્મના એક પેટા પંથ ખોજા)નો અંગીકાર કર્યો. આગાખાન સાહેબના અનુયાયીઓ મોટે ભાગે હિન્દુ નામો રાખતા હોય છે.

ઝીણાભાઇ અને મીઠીબાઈનાં સાત સંતાનોમાં મામદ (મહમ્મદ) પ્રથમ સંતાન હતા. પાકિસ્તાનમાં ડિસેમ્બર 25(1876)ને રાષ્ટ્ર પિતાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ, પરંતુ મહમ્મદે જ્યાં સૌ પ્રથમ એકડો ઘૂંટેલો એ કરાચીના એક મદરેસાના રેકોર્ડ મુજબ તો મહમ્મદઅલી ઝીણભાઇનો જન્મ દિવસ ઓક્ટોબર 20, 1875 લાગે છે. અંક શાસ્ત્રીઓના મત મુજબ આ તારીખ સાચી હોવાની સંભાવના વિશેષ છે.

1893માં ઝીણાભાઈ બિઝનેસ એપ્રેન્ટીસશીપ માટે લંડન જવા તૈયાર થયા, એ સમયે જ મીઠીબાઇએ મહમ્મદને જન્મ આપ્યો. મહમ્મદનું લાડકું નામ મામદ હતું. 16 વર્ષના મામદની શાદી મોટી પાનેલીની જ 14 વર્ષીય એમીબાઈ સાથે થયેલી. એમીબાઈ પણ ખોજા જ્ઞાતિની જ હતી. એ સમયમાં શાદી વિવાહ બધુ સંતાનોનાં માતપિતા જ નક્કી કરતાં. ગાંધીજીના માતપિતાએ પણ આ રીતે જ ગાંધીજીને પરણાવેલા. વોલપર્ટ લખે છે એ મુજબ ત્યારે આ બાબત સામાન્ય હતી.

એમીબાઈને ઘરે મૂકીને મહમ્મદઅલીએ 16 વર્ષની વયે પોતાનો બાપદાદાનો ધિકતો ધંધો ત્યજીને કાયદાનો અભ્યાસ કરવા માટે લંડનની દિશા પકડી. મહમ્મદના આ નિર્ણયથી પિતા ઝીણભાઇ ક્રોધિત અને નારાજ થયા. ઝીણાભાઇના ધંધામાં પણ ખોટ નોંધાવા લાગી, એટલે ઝીણાબાપા મોટી પાનેલીના આઝાદ ચોક, ટાવર શેરીમાં આવેલ એનું ઘર છોડીને 1904માં રત્નાગિરી ચાલ્યા ગયા. અત્યારે પોપટભાઈ બેચરભાઈ પોંકિયા એમાં રહે છે. અત્યાર સુધીમાં ખાસ કઈ આ ઘરમાં બદલાયું નથી.

ત્યારે આ ગામમાં લગભગ એકસો જેટલા ખોજા પરિવારો રહેતા હતા, પરંતુ હાલ માત્ર પાંચ –સાત ખોજા  પરિવારો જ વસે છે.

બે રૂમ નીચેના ભાગે, બે રૂમ ઉપરના ભાગે અને બે રસોડાવાળું ટિપીકલ ગુજરાતી આ ઘર હજુ એવું ને એવું જ છે. જૂના ઘરોમાં જોવા મળતું આંગણું  પણ અહીં છે જ.

જીનાહ ગુજરાતમાં ક્યારે પાછા આવેલા ? એ વિષે બે નોંધ મળે છે. એક ઓક્ટોબર 1916માં, બોમ્બે પ્રોવિન્સિયલ કોન્ફરન્સમાં. આ કોન્ફરન્સના પ્રમુખ તરીકે નિમાયેલા જીનાહે ત્યારે એ વખતે એવી દરખાસ્ત મૂકેલી કે બોમ્બેની પ્રોવિન્સિયલ સરકાર જેવી સરકારને લોકશાહી ઢબે –ચૂંટી કાઢેલી સરકાર (elected autonomous administration)માં રૂપાંતરિત કરવી જેમાં મુસ્લિમ કે હિન્દુ – જે કોઈ પણ લઘુમતિમાં હોય, એ જ્ઞાતિને પૂરતું પ્રતિનિધિત્વ મળવું આવશ્યક.

ભૂતપૂર્વ ભા.જ.પા. નેતા જશવંતસિંહ દ્વારા લખાયેલ પુસ્તકમાં લેખક નોંધે છે કે 1921માં મહમ્મદઅલી જીનાહે અમદાવાદમા આયોજિત કાઁગ્રેસ અધિવેશનમાં ભાગ લીધેલો. આ અધિવેશનના પ્રમુખ ગાંધીજી હતા. આ ઐતિહાસિક અધિવેશનમાં જીનાહ એક માત્ર એવી વ્યક્તિ હતા જેમણે વિદેશી કપડાં (કોલર ટાઈ – શૂટ) પહેરેલાં, અને હા, તેઓ ચરખો તો ન જ કાંતતા હોય ! ત્યારે મોટા ભાગના નેતાઓ અધિવેશનમાં ચરખો કાંતતા જોવા મળેલા હશે એવું લાગે છે.

2009માં તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં, આ કિતાબને પ્રતિબંધિત કરવામાં આવેલી. ગુજરાત સરકારને લાગ્યું કે આ કિતાબમાં સરદાર પટેલની પ્રતિભા અને એની રાષ્ટ્ર ભક્તિને ઝાંખી કરવાનો ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતીય વર્તમાન સામાજિક – રાજકીય ઇતિહાસના નિષ્ણાત હરિ દેસાઇ કહે છે કે “જીનાહને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. પાઠ્યપુસ્તકાઓમાં ફક્ત એવું જ રજૂ કરવામાં આવેલું છે કે જીનાહ એક એવી વ્યક્તિ હતા, જેમણે પાકિસ્તાનની માંગણી કરેલી, પણ જીનાહ કોણ હતા એ વિષે કશું કહેવામા નથી આવ્યું.

ખેર, મોટી પાનેલી ગામના મનસુખભાઇ કહે છે કે “અમારા ગામમાં બે સુવિખ્યાત માણસો થઈ ગયા .. એક મહમ્મદઅલી જીનાહ અને બીજા હર્ષદ મહેતા !!! દિનકર જોશીની કિતાબ પ્રતિનાયક પણ વાંચવા લાયક છે. આઝાદીના અમૃત વર્ષે આપણાં ઈતિહાસમાં ક્યાંક ડોકિયું કરતાં રહેવું.

સૌજન્ય : ‘દિલીપકુમાર એન. મહેતાની ફેઇસબૂક દિવાલેથી સાદર

લીના મિશ્રાના મૂળ અંગ્રેજી લેખની કડી :-

https://indianexpress.com/article/opinion/columns/looking-for-mohammed-ali-jinnah-at-azad-chowk-moti-paneli-7817147/   

Loading

15 March 2022 admin
← લુચ્ચા અને લોંઠ પુતિનનું હ્યુબ્રિસ
મુક્તક →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved