Opinion Magazine
Number of visits: 9447206
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૌલાના પાંડોર

દીપક બારડોલીકર|Profile|15 October 2018

હસું હસુંં થતો લંબગોળ ચહેરો, નજર નીચી, ચાલ મધ્યમ, ઓષ્ઠ ઉપર ‘હસબુનલ્લાહ’-નું રટણ અને મધ્યમ કદકાઠું એટલે બીજું કોઈ નહીં, બારડોલીના મૌલાના મહમૂદ સાલેહ પાંડોર.

એ બે ભાઈ, મહમદ અને મહમૂદ. મહમદ મોટા. તેમના હોઠે પણ કુરઆને કરીમનું આ વાક્ય − હસબુનલ્લાહુ વનિઅમલ વકીલ -નું રટણ રહેતું.  એમના પિતાને પણ મેં એ વાક્યનું રટણ કરતાં જોયેલા.

મૌલાના મહમૂદ, હાફિઝે કુરઆન હોવા સાથે કારી પણ હતા. કલામે પાકની તિલાવત કરતા ત્યારે તેમનો મિષ્ટ – દર્દીલો અવાજ અને પઠનશૈલી શેરીમાંથી આવતાજતા માણસોના પગોમાં ઝંજીર નાખી દેતા. લોકો ઊભા રહી જતા. તિલાવત સાંભળવામાં નિમગ્ન થઈ જતા !

અને તેમનો જુમ્આમો ખુત્બો એટલે ખુત્બો !બસ, સાંભળ્યા કરો ! તેમને કેટલા ય ખુત્બા કંઠસ્થ હતા. ખુત્બાના સમયે મિમ્બર પર તેમના હાથમાં, આભલે મઢેલ સોનેરી અસો હોય, મિષ્ટ દર્દીલો અવાજ, મનહર પઠનશૈલી અને સ્મિતઝરતો ચહેરો ! જમાતખાનામાં એક એવું અજબ વાતાવરણ છવાઈ જતું કે નમાઝીઓ ડોલ્યા કરે ! અલ્લાહની યાદમાં લીનતલ્લીન !

આવી જ તાસીર ધરાવતો, પણ કંઈક જુદી ઢબનો, એક બીજો ખુત્બો હતો મોટા મિયાં સાહેબનો, જેનું વર્ણન એક અલગ લેખમાં કરાયું છે. આ બે તાસીરમય ખુત્બાથી ઉત્તમ એવો ખુત્બો પઢનાર અન્ય ઈમામ, બારડોલીમાં પાક્યા નથી.

મૌલાના પાંડોરે તાલીમ ખાસ કરીને ડાભેલના જામીઆમાં લીધી હતી. ઉસ્તાદ તો ત્રણચાર હતા, પણ મુખ્ય, ઉપખંડના વિખ્યાત આલિમે દીન મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની. ઉસ્તાદની દુઆ હતી કે તેઓ દીની જ્ઞાનમાં સારુ નૈપુણ્ય મેળવી શક્યા હતા. તેઓ સારા પ્રવક્તા પણ હતા.  વઅઝ – પ્રવચન આત્મવિશ્વાસસહ એવી તર્કપટુતાથી કરતા કે શ્રોતાઓની શંકાઓનું, ગૂંચવણોનું નિવારણ થઈ જતું. તેમની પાસે પોતાના વિચારો હતા, વર્ણનની આવડત હતી, સમજૂતીની સૂઝ હતી; અને હતું ભાષાનું ભાથું તથા કુરઆને કરીમ અને અહાદીસે નબવી(સલ્અમ)નો અભ્યાસ.

તેમનું પ્રત્યેક પ્રવચન, નાનું હોય કે મોટું, વૈજ્ઞાનિક ઢબે થતું. માત્ર શ્રદ્ધા નહીં, જ્ઞાનનો ઉજાશ તથા બુદ્ધિચાતુરી તેમાં દૃશ્યમાન થતાં. આવા પ્રવક્તા ગુજરાતી આલિમોમાં કેટલા ? આવી સિદ્ધિ છતાં, તેમને મોટાઈનો મોહ ન હતો. સાદગી હતી, વિનમ્રતા હતી.

ખોલવડ તથા તડકેશ્વરના મદ્રસાઓમાં સેવા આપ્યા પછી, વરાછાવાળા જાદવત શેઠના પ્રેમાગ્રહથી, તેઓ બર્મા ગયા હતા, જ્યાં મૌલમીન શહેરની સુરતી મસ્જિદના ખતીભ તથા ઈમામ તરીકે નિયુક્ત થયા હતા. કહે છે કે અહીં મસ્જિદ – મદ્રસાની જવાબદારી તેમના શિરે હતી એ દરમિયાન, જમીઅતે ઉલેમાએ બર્માના મંત્રી અને પછી પ્રમુખ તરીકે તેમની વરણી થયેલી, અને કહે છે કે મૌલમીનમાં તેમણે એક યતીમખાના – મદ્રસાની સ્થાપના પણ કરેલી. − બાદમાં તેઓ મયમો શહેર ચાલ્યા ગયા હતા, જ્યાં દીની સેવા બજાવતાં, ઘણું કરીને 1961-62માં, તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો.

તેઓ રાજકારણમાં સક્રિય હતા. તેમના ઉસ્તાદ શબ્બીર અહમદ ઉસ્માનીની જેમ તેઓ ય લીગી ખ્યાલ ધરાવતા હતા. બારડોલી તાલુકા મુસ્લિમ લીગનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું હતું. એ સમયે હું લીગનો મંત્રી તથા નેશનલ ગાર્ડનો કેપ્ટન હતો.

મૌલાના મહમૂદ સાલેહ પાંડોરના દાંપત્યજીવન વિશે નોંધી શકાય છે કે તેમની બે જીવનસંગિની હતી. પહેલા લગ્ન મારાં મોટાં બહેન ખદીજા સાથે થયાં હતાં. મારાં બહેનનાં પાંચ સંતાનો. ત્રણ દીકરી : ફાતેમા, આયેશા, હફસા (છોટી) અને બે દીકરા : અહમદ, ઈસ્માઈલ.

બીજી પત્ની હતી ખોલવડની આયેશા ડંગોર. એમનો એક દીકરો : યુનૂસ, જે હાલ કેનેડામાં છે.

મૌલાનાની જમીનો હતી, પરંતુ એ ઈલ્મી આદમી, એની વાવણી − લણણીની ઝંઝટમાં પડ્યા ન હતા. એ બધું મારાં બહેન સંભળાતાં. ભેંસો ય પાળી હતી. અને છેવટ સુધી એ બધું સંભાળ્યું હતું.

એમની, જિન્નાત સાથેની મૈત્રીના કિસ્સા પણ છે, પણ એ મને બુદ્ધિગમ્ય લાગતા નથી. બર્મામાં કોઈક છોકરીને વળગેલા જિન્નને કાઢ્યાનો ઢંગધડા વિનાનો કિસ્સો ય છે. પણ સવાલ આ છે કે માનવદેહમાં કોઈ અન્ય મખ્લૂક પ્રવેશી વસવાટ કરી શકે ખરી ?

ગમે એમ, પણ મૌલાના પાંડોરનાં પ્રથમ પત્ની તે મારાં મોટાં બહેન ખદીજાએ એક વાર મને કહેલું, ‘તારા બનેવી રાત્રે કુરઆનની મિલાવત કરે છે ત્યારે જિન્નાત તેમની પાસે આવે છે. વાતચીત કરે છે !’

જો કે મૌલાના માત્ર મારા બનેવી નહીં, મિત્ર પણ હતા. અને તેમણે એવી કોઈ ચમત્કારિક વાત મારી, આગળ કરી નહોતી. અને સાચું પૂછો તો તેમની મોટાઈ તેમની વિદ્વતામાં, તિલાવતે કુરઆનમાં ને વ્યાખ્યાનોમાં હતી ! જિન્નાત સાથેની મૈત્રીના કે વળગેલા જિનને કાઢવાના કિસ્સામાં ન હતી. તેઓ એવા નબળા અને ચમત્કારિક કિસ્સાઓની કાંખઘોડીના આધારે ચાલનારા આલિમ હતા જ નહીં.

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

15 October 2018 admin
← સંસ્કૃિત જેમ કોમવાદને ઢાંકવાનું વસ્ત્ર છે એમ વિકાસ એ કુદરત સાથે ચેડાં કરીને લૂંટવાનું વસ્ત્ર છે અને આજે એ બન્ને વચ્ચે ભાગીદારી છે
સાંપ્રત સમયગાળાથી રાજી ન હો તો ગાંધીને વાંચવો →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved