Opinion Magazine
Number of visits: 9446516
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદાતા યાદી સુધારણા અંગે નાગરિકી ચિંતા

નેહા શાહ|Opinion - Opinion|23 August 2025

નેહા શાહ

જૂન મહિનાથી બિહારની મતદાતા યાદી સુધારણાની પ્રક્રિયા ચર્ચામાં છે. સુધારણા પ્રક્રિયા શરૂ કરવા પાછળનો હેતુ હતો કે કોઈ યોગ્ય નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહેવો જોઈએ નહીં અને કોઈ બિન-નાગરિક યાદીમાં ઘુસવો જોઈએ નહિ. વિપક્ષ, સામજિક અને રાજકીય કાર્યકર્તા, વકીલો, અને નિસ્બત ધરાવતા નાગરિકો તરફથી ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા. અંતે આંકડો આવ્યો –  પાંસઠ લાખ લોકોનાં નામ યાદીમાંથી નીકળી ગયાં! આ બહુ મોટો આંકડો છે. આશરે સુરત શહેરની વસ્તી જેટલો ! યાદીમાંથી એ લોકોનું નામ બાદ થાય જે ક્યાં તો મૃત્યુ પામ્યા છે અથવા કાયમી સ્થળાંતર કરી ગયા છે અથવા ગેરકાનૂની રીતે દેશમાં ઘૂસીને રહ્યા છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ ૨૨.૩૫ લાખ મૃતકો અને ૩૬.૨૬ કાયમી સ્થળાંતર કરી ગયેલા લોકોનાં નામ બાદ કરવામાં આવ્યાં છે. આમ તો દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મૃત્યુ પામેલાનાં નામ બાદ કરી અને અઢારની વયે પહોંચેલાનાં નામ જોડી યાદી સુધારવામાં આવે જ છે  એટલે પાંસઠ લાખ જેવડા મોટા આંકડાનો તર્ક સમજાતો નથી.  

ભારતનું બંધારણ પુખ્ત વયના દરેક નાગરિકને મતાધિકાર આપે છે – સિવાય કે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર જાહેર કરવામાં આવી હોય કે કોઈ ગેરકાનૂની વ્યવહારને કારણે એના મતાધિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય. જો કે મતાધિકારનો સમાવેશ મૂળભૂત અધિકારની યાદીમાં નથી ! ભારતના દરેક પુખ્ત નાગરિક સુધી પહોંચી મતદાતા યાદી તૈયાર કરવાનું કામ ચૂંટણી પંચનું છે. કોઈએ નાગરિકતા સાબિત કરવાની હોતી નથી. બિહાર વર્તમાન મતદાતા યાદીની સુધારણા પ્રક્રિયા(એસ.આઈ.આર.)માં પહેલી વાર નાગરિક હોવાની સાબિતી આપવાની જવાબદારી મતદાતાના ભાગે આવી. ભારતનું બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની અને એમાં વખતોવખત સુધારા કરવાની સત્તા આપે છે. પુખ્ત મતાધિકાર માટે મતદારને લાયક કે ગેરલાયક ઠેરવવાના માપદંડ નક્કી કરતી જોગવાઈ બંધારની કલમ ૩૨૬ તેમ જ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950માં આપેલી છે. બંનેની જોગવાઈઓને આધારે મતદાર યાદી માટે ગેરલાયક ઠેરવવા માટેના બે મુખ્ય માપદંડ છે – એક, બિન-રહીશ એટલે કે કાયમી સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ અને બે, બિન-નાગરિક. એટલે કે બિન રહીશ સિવાય જો કોઈનું નામ મતદાર યાદીમાંથી રદ્દ થાય છે તેનો મતલબ એ વ્યક્તિ દેશની નાગરિક નથી! પરિણામે બંધારણ તરફથી નાગરિકને મળતા દેશમાં મુક્ત રીતે રહેવા, હરવા, ફરવા, બોલવા,  વ્યવસાય કરવા, ધર્મ પાળવાનો મૂળભૂત અધિકારને પાત્ર રહેતો નથી ! જો કોઈ વ્યક્તિ ખરેખર દેશનો નાગરિક નથી, અને ગેરકાનૂની રીતે ભારતીય હોવાના અધિકાર ભોગવી રહ્યો હોય તો અલબત્ત એને મતદાનનો અધિકાર નથી અને યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના મળવો પણ ના જોઈએ. પણ, એક જ રાજ્યમાં લાખોની સંખ્યામાં વિદેશીઓ ગેરકાનૂની રીતે રહેતા હોય અને એમના નામ મતદાર યાદીમાં ઘુસી ગયા હોય, શું એ શક્ય છે? શું આપણી કાયદો અને વ્યવસ્થા એટલી ખરાબ છે? હકીકત એ છે કે ઘણાં મોટા પ્રમાણમાં ભારતના નાગરિકોનાં જ નામ યાદીમાં આવ્યાં નથી. મૃતકોની યાદીમાં શામેલ ઘણા લોકો જીવિત હોવાની વાતો બહાર આવવા માંડી છે. તેઓ અપીલ કરશે અને ઘણાનાં નામ સુધારાયેલી આખરી યાદીમાં આવી પણ જશે. પણ, મુદ્દો એ નથી. મુદ્દો  નાગરિક મનમાં ઊભી થયેલી ચિંતા છે, કારણ કે આ પ્રક્રિયામાં એની નાગરિકતા પર જ ખતરો ઊભો થયો છે અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થયો છે. 

આઝાદ ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી સામે ઘણાં પડકાર આવ્યા છે. રાજકીય પક્ષોના બદ ઈરાદા તેમ જ સામંતવાદી સામાજિક વ્યવસ્થાનાં સમન્વયનાં પરિણામે ચૂંટણીમાં બોગસ વોટીંગથી લઈને હિંસાની ઘટના જેવા પ્રશ્નો આપણી ચૂંટણી પર ડાઘ બનીને સામે આવતી જ રહે છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ઊભા થઇ રહેલા સવાલ પણ પહેલી વારના નથી. પણ આ વખતે પહેલી વાર લોકોના મતાધિકાર જળવાશે કે નહિ અને સાથે નાગરિક તરીકેના અધિકાર બચશે કે નહિ એ અંગે પ્રશ્ન ઊભા થઇ રહ્યા છે. ગરીબ અને વંચિતો માટે ભય વધારે છે કારણ કે જન્મનો દાખલો, કે શાળાનું સર્ટીફીકેટ કે સરકારી કચેરીનું ઓળખપત્ર જેવા દસ્તાવેજ એમની પાસે હોવાની શક્યતા ઓછી છે. આ જ દલીલ યોગેન્દ્ર યાદવે સુપ્રીમ કોર્ટમાં મુદ્દાસર રીતે કરી. એક નાગરિક તરીકે તેમની સુસજ્જતા બદલ કોર્ટે તેમની પ્રશંસા પણ કરી. 

બિહારની મતદાતા યાદી સુધારણાની પ્રક્રિયા રાજકીય પ્રશ્ન બની ગયો છે. આ સાથે રાહુલ ગાંધીએ બેંગ્લોરના મહદેવપુરા મત વિસ્તારમાં આશરે એક લાખ જેટલા મતદાતાઓનાં નામનો ગોટાળો જાહેર કર્યો, એનાથી મતદાતા યાદીની અંગે ઘણી શંકા ઊભી થઇ છે, જે અંગે ચૂંટણી પંચ સંતોષકારક જવાબ આપવાનું ટાળી રહ્યું છે. પક્ષીય રાજકારણ એના સ્થાને છે. એમાં ના પડીએ તો પણ એક સામાન્ય નાગરિક માટે આ ચિંતાનું કારણ છે, કારણ કે વહેલું મોડું દરેક રાજ્યમાં દરેક નાગરિકે પોતાની નાગરિકતા સાબિત કરવાની આવશે. ઉપરાંત જો સુધારણા ના નામે ભૂલો વધવાની હોય તો એ સુધારણા શા કામની?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

23 August 2025 Vipool Kalyani
← हमें हमारा संविधान चुनना है  
વાજપેયીનું અટલ સ્વદેશી!  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved