Opinion Magazine
Number of visits: 9449399
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == 4

સુમન શાહ|Opinion - Opinion|2 December 2021

અધ્યાપનકાળના કેટલાક બનાવો (4) …

ઉમાશંકર જોશીના સર્વસંગ્રહ ‘સમગ્ર કવિતા’ વિશે મેં ૧૯૮૨માં ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ’ પુસ્તિકા પ્રકાશિત કરી છે. એ પહેલાં એનો એક અંશ લેખ રૂપે ‘નિરીક્ષકે’ પ્રકાશિત કરેલો. એ અંશમાત્રને જોઇને બે જણાએ મારી ટીકા શરૂ કરી દીધેલી.

‘નિરીક્ષક’-ના એ વખતના તન્ત્રી અને હું જોગાનુજોગ દાહોદથી અમદાવાદ આવતા’તા. અમારા એ દીર્ઘ બસ-પ્રવાસ દરમ્યાન એમણે મને જણાવ્યું કે આપણા એક જાણીતા વિદ્વાન અને બીજા એક ઉમાશંકરના અભ્યાસી બન્નેને તમારો એ લેખ બહુ અઘરો લાગ્યો છે, કહે છે, વ્યર્થ છે. એમણે નામો પણ આપેલાં. ફરતી ફરતી વાત ભાષાભવનના ટી-ટેબલ લગી આવી પ્હૉંચેલી.

મેં એ તન્ત્રીને કહ્યું હતું -કોઈ લખાણ અઘરું છે એમ કહીએ એનો અર્થ એ કે એમ કહેનારા માટે એ જરૂર અઘરું છે. અને મેં ઉમેર્યું હતું કે કોઇપણ લેખનને વ્યર્થ કહી દેવાથી શું વળે? વ્યર્થ કઇ રીતે છે એ વીગતો આપીને પુરવાર કરવું જોઇએ …

એ પછીની વાર્તા તો એકદમ સાંભળવાજોગ છે :

એક વહેલી સવારે સુમન શાહ કૅમ્પસના નિવાસેથી સૌ પહેલાં એ ‘અભ્યાસી’ના ઘરે પહોંચે છે. ચા-પાણીનો સમય હોય છે એટલે ચા તો પીએ છે પણ હાથમાં વાળી રાખેલું ‘એ’ ‘નિરીક્ષક’ એમની સામે ખોલી પાનાં પછાડી પૂછે છે : આમાં અઘરું શું છે એ બતાવ ! : એઓ મારા એ મિત્રોમાં હતા જેને હું તું-કારી શકતો’તો.

ગલ્લાંતલ્લાં ચાલુ થયાં. એટલે મેં કહ્યું : ઉમાશંકરના તારા જેવા અભ્યાસીને એમ લાગે તો મારે જાણવું છે કે આમાંનું શું ને કયા ઠેકાણે અઘરું ને વ્યર્થ છે; તું ફોડ પાડ, મારે સુધારવું છે : જવાબમાં એણે ફિક્કું હાસ્ય વેર્યું એટલે મેં કહ્યું – ચાલ ને, ‘નિરીક્ષક’-માં આપણે પત્રચર્ચા કરીએ. તો પણ ફેર નહીં પડેલો. છેલ્લે મેં કહ્યું – વાંધો નહીં, મારી પુસ્તિકા પ્રકાશિત થઈ જાય ત્યારે જાહેરમાં લખીને જણાવજે, બસ !

એ પછી તરત હું ‘જાણીતા વિદ્વાન’-ને ત્યાં ગયેલો. એ આપણા પ્રખર વક્તાઓમાં ગણાતા. મને પણ એમનું ભાષાપ્રભુત્વ ગમતું. એમની સાથે મારો ચૉક્કસ સ્વરૂપનો અનુબન્ધ પણ હતો. પહેલાં તો નામક્કર ગયા. એટલે મેં કહ્યું કે ‘નિરીક્ષક’-ના તન્ત્રીએ તમારું નામ આપ્યું છે. તો એમણે પણ એવાં જ ગલ્લાંતલ્લાં કરેલાં. એમનું મોટું નામ, મારાથી વયમાંય મોટા … શું કરવાનું? છતાં કહેલું : તમારા જેવા ગદ્યસ્વામીને અઘરું લાગે તો તો થઇ રહ્યું !

પછી એમની મુખમુદ્રા ગમ્ભીર હતી. પણ એને મારે ક્યાંલગી વેઠ્યા કરવી? એટલે છેલ્લે મેં એમને ય કહેલું : પુસ્તિકા પ્રકાશિત થયે મને તમારા વિસ્તૃત મન્તવ્યની અપેક્ષા રહેશે, જઉં છું : એમની નજર મને અને રૂમના બારણાને માપતી હતી …

પુસ્તિકા પ્રકાશિત થઇ ગયેલી. પણ આજની ઘડી ને કાલનો દા’ડો ! નથી બોલ્યા વિદ્વાન કે નથી કદી બોલ્યો ઉમાશંકરનો અભ્યાસી …

એ બાહોશીભરી છતાં ગમગીનીથી લદબદ સવાર મને યાદ રહી ગઇ છે. આજે જો કે થાય છે, શું કામ એવો તન્ત કરલો.

અલબત્ત, આવા વ્યથાકારી કોઇ કોઇ પ્રસંગોથી મને આત્મનિરીક્ષણની તકો પણ મળી છે. આપે આપે સુધાર પણ થયા છે. છતાં મને થતું, આ તે કેવી શેખી છે ! અધિકારી માણસો અભિપ્રાયો વેરતા ફરે છે, પૂછીએ તો પણ ખૂલીને કહેતા કેમ નથી ! હું કહેતો – જાહેર ચર્ચામાં ઊતરો ને, તકલીફ શું છે ! અમુકોને મેં સુરેશ જોષી વિશે પુસ્તક કર્યું તો ય દુ:ખેલું. નિરંજન ભગત વિશે કર્યું તો ય દુ:ખેલું.

ત્યારે મને એમ થયેલું કે શું એઓને એમ હશે કે ઉમાશંકર વિશે લખનાર હું કોણ -? એ તો ‘અમારા’ છે. કદાચ એમ જ હશે. કેમ કે ઉમાશંકરને વિશેના કાર્યક્રમોમાં કે લેખ-સમ્પાદનોમાં એઓેએ કદી મને તો સંભાર્યો જ નથી.

ત્યારે મને લાજવાબ પ્રશ્નો થતા : આપણે ત્યાંની જવાબદાર વ્યક્તિઓ ખરેખર વિદ્વાન છે? વિદ્વત્તાને અને શાસ્ત્રની શિસ્તને જાણે છે? પ્રશ્નો લાજવાબ જ રહ્યા કેમ કે એવી ને એવી જ ઘટનાઓ જોવા મળેલી.

વિવેચકને પૂરું ન વાંચવાની છૂટ હોઇ શકે છે પણ ત્યારે એણે સ્પષ્ટપણે જણાવવું જોઇએ કે પોતે પુસ્તકના તેટલા ભાગને જ ધ્યાનમાં લીધો છે. મને નામો આપવાનો રસ નથી પણ મિત્રોને જાણ છે કે કોણે કોણે મારાં કયાં કયાં પુસ્તકોને પૂરાં વાંચ્યાં વિના ઉતારી પાડવાની બલકે મારાં કીર્તિવન્ત કામોની ધરાર અવગણના કરીને મને નિ:સામાન્ય ગણવાની વિફળ કોશિશો કરેલી છે…

ખાનગીમાં કહી રાખું કે આ આખો પ્રસંગ સળંગ મેં ઉમાશંકરને કહી બતાવેલો. કવિ પણ અરર કરીને દુ:ખી થઈ ગયેલા. મેં એમને એ પુસ્તિકા આપેલી ને કહેલું, ‘સમગ્ર કવિતા’ પૂરેપૂરી વાંચીને લખ્યું છે.

પછી એક વાર મળવાનું થયેલું, તો કહે, સુમન, હું પણ બધું આખેઆખું મૉજથી વાંચી ગયો છું. વાત કરવાની તમારી નવી રીત મને ગમી છે … મારી ખુશીનો પાર નહીં …

= = =

(December 1, 2021 : Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

2 December 2021 admin
← હવે જ કિસાન આંદોલન અને રાજનીતિની કસોટી છે
સ્ત્રીની સંખ્યા વધી, પણ શોષણ ઘટ્યું નથી – →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved